Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન જત
[ ૩૮ ]
ઘણા જૂના કાળથી બે જાતની ભાવના આપણે ત્યાં ચાલી આવે છે; એક તા, આ શરીર અશુચિ છે, અનિત્ય છે, નકામું' છે, દુનિયા દુઃખમય છે, એમાં કાંય સુખ કે સૌ નથી એ ભાવના; અને બીજી ભાવના તે આ સંસાર દુ:ખમય નહિ પણ સુખમય છે, વવાલાયક છે, સૌથી ભરેલા છે, આનંદમય છે તે ભાવના.
આમાં પહેલી ભાવનાનો વિકાસ થવાથી જીવન ક્લેશમય જ નહિ, પણ કૃત્રિમ પણ બનતું ગયું છે. :લયામિવાત્તાત્—એ સૂત્ર મુજ્બ દેશમાં દુનિયાને અને જીવનને દુઃખમય, અશુચિ, અનિત્ય વર્ણવતું સાહિત્ય ખૂબ વધ્યુ છે, પણ હું આ ભાવનાને અપનાવવામાં અને બિનજરૂરી રીતે જીવનને નિરાશ અને કલેશમય અનાવવામાં નથી માનતા.
ખીજી ભાવના તે એમ કહે છે કે દુનિયામાં સધળે સુખ જ છે. જેને એક જણ દુઃખ કહે છે તે જ બીજાને મન સુખ છે. દુઃખને છેડવું, એને ત્યાગ કરવા એ એક વાત છે, અને પહેલાંથી જ સત્ર દુઃખ માની લેવું એ ખીજી વાત છે. દુઃખ છે કાં? એ પણ એક સવાલ છે. એક વ્યક્તિ શરીરને ખરાબ ગણીને એનો ઉપેક્ષા કરે છે અને છતાં પાંચ માળના મહેલમાં રહે છે; એ શું સમજવું? જન્મે તે હું પહેલી ભાવનામાં જ ઊઠ્યો, પણ તત્ત્વચિંતન પછી મારી એ ભાવના બદલાઈ ગઈ છે, અને તેથી જગતમાં કાંય દુઃખ નથી એ મારા અનુભવ છે. જરાક રમૂજમાં કહેવું હોય તે કહી શકાય કે આ સભા સુંદર છે, આ સ્વાગત સુંદર છે, કાકાસાહેબ વિદ્યામૂર્તિ છે અને આ સત્કાર સમારંભમાં હું મારી જાતને ધન્ય નથી માનતે, તમા પશુ ધન્ય છે ! દેહ દેવળમાં અખંડ દીવા, તેજેથી મારું મનડુ ડેલે – એ કાવ્યપંક્તિ આવા અવસરે સાચી પડતી લાગે છે.
>
જૈને અને અસ્પૃશ્યતા
નાની ઉંમરમાં અને પછી મહાવીર–મુદ્દ વિશે વાંચ્યું હતુ, મહ’મદ
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન જન
[ પN અને જિસસ વિશે વાંચ્યું હતું, પણ એ કઈ મારી સામેના ન હતા, એ બધા પક્ષ હતા. કાશીમાં ભણતા હતા ત્યારે બંગભંગના દેશવ્યાપી ઉગ્ર આંદોલન વખતે, એક પુરુષે આફ્રિકામાં કરી બતાવેલ સફળ સત્યાગ્રહના કાળની વાતે વાંચી. પછી આ દેશમાં એ મહાપુરુષે કરેલું કામ જેયું. એમની વિચારસરણી, આશ્રમપદ્ધતિ, તટરવૃત્તિ એ બધું જાતે પ્રત્યક્ષ રીતે જોયું અને મને બધું સમજાયું.
રામ-રાવણ, કૃષ્ણ-અર્જુન એ પરોક્ષ છે. એ કવિની કલ્પના હો કે ગમે તે હે, પણ ગાંધીજીને જોઈને મને એ બધું સાચું લાગ્યું. બુદ્ધ-મહાવીર, રામરાવણ, કૃણ–અર્જુન, મહંમદ–જિસસ વિશે જેમને શંકા હોય તે પિતાની શંકા ગાંધીજીને જોઈને દૂર કરી શકે.
न त्वहं कामये राज्यं, न स्वर्ग' नापुनर्भवम् । #ાથે સુરતવાન, શનિનામાáનારાનમ્
આ શ્લોકમાંની ભાવનાને અનુરૂપ ગાંધીજીએ એક વાત કરી જીવન હોય તે તે માનવતા માટે. અને આ વાત તેમણે ઉપદેશથી નહિ, પણ પિતાના આચરણથી સમજાવી. આ બધું જોતાં લાગે છે કે જીવન દુઃખમય નહિ, પણ સુખમય અને સૌન્દર્યમય છે. આ સૌન્દર્યની દૃષ્ટિએ, હું જરા પણ આનાકાની વગર, આ સરકારને સ્વીકાર કરું છું, અને આ માટે સંઘનો અને આપ સૌને આભાર માનું છું.
જેને મહાવીર માટે કહેશે કે તેમણે તે આમ કહ્યું હતું અને તેમ કહ્યું હતું. જૈન ધર્મ વિશ્વધર્મ હેવાનું કહેવા છતાં પણ તેઓ અસ્પૃશ્યતાનો પથ્થર છોડવાને તૈયાર નથી ! પ્રશ્નોને હલ કરવાને બદલે તેઓ એને ટાળવાનો જ પ્રયત્ન કરવાના. પણ આમ કરવાથી કંઈ કામ ચાલે નહિ. હરિજનના મંદિર પ્રવેશ પ્રત્યે એમની કેવી વૃત્તિ છે? જેઓ સમાજને ચૂસતા હોય તેને માટે મંદિરનાં દ્વાર સદા ખુલ્લાં અને જે હરિજને વગર તંદુરસ્ત જીવન અશક્ય બની જાય એને અસ્પૃશ્ય માન, એથી મેટી બેવકૂફી કઈ સમજવી ? પણ હવે વખત બદલાય છે. યુવકનું માનસ નર્યા ગાણા ગાવા પૂરતું નહિ, પણ હરિજનોને અપનાવીને તેમને નોકર તરીક, રસોઈયા તરીકે કે બીજી ગમે તે રીતે પોતાની પાસે રાખવામાં દેખાઈ આવવું જોઈએ. યુવક પાસેથી હું ઓછામાં ઓછી આટલી અપેક્ષા રાખું છું.
Page #3
--------------------------------------------------------------------------
________________
પછ૧ ]
દર્શન અને ચિંતન હવે બે શબ્દો “યુવક અને જૈન. શબ્દ વિશે કહું. મેં નાની ઉંમરથી મહાવીરનું જીવન સાંભળેલું, અને પછી તે છેલ્લાં સાઠ વર્ષમાં એનું અનેક રીતે પરિશીલન કર્યું. બુદ્ધની જાણ થયા પછી તેમની જીવનકથા પણ અનેક દષ્ટિએ વાંચી-વિચારી. બીજાબીજ સંતનાં જીવન વિશે પણ બને તેટલું વાંચ્યું–વિચાર્યું. છેલ્લે છેલ્લે ગાંધીજીનું જીવન તો પ્રત્યક્ષ જ જોયું. આ બધા ઉપરથી મને લાગ્યું છે કે યુવકને સંબંધ ઉંમર કે શારીરિક તાકાત સાથે નહિ, પણ માનસિક અને હાર્દિક પરિવર્તન કરવાની શક્તિ સાથે છે. જેમાં કેવળ પ્રાચીન પુનાં ગુણગાન કરવાની મૂડી ઉપર જ મદાર બાંધે છે તે યુવકે ન કહેવાય. જેને એવા ગુણ મેળવવાની પ્રત્યક્ષ તાલાવેલી લાગેલી હોય, જે એ માટે સતત પ્રયત્નશીલ હોય તે જ યુવક, જે પારકાના શ્રમને ઉપયોગ કરવાની વૃત્તિથી મુક્ત હય, જે શ્રમનું મૂલ્ય પિછાત હોય અને જે લેભ-લાલચની વૃત્તિ ઉપર વિજય મેળવી શકે તે જૈન. હું ઈચ્છું કે તમે બધા આ અર્થમાં જૈન યુવક છે, અને ન હો તે એવા બને ! બનવાને પ્રયત્ન કરે !
એક વખતે “વૈષ્ણવ જન” નું ભજન ગવાતું હતું ત્યારે કોઈ એ કહ્યું કે ત્યાં “જૈન જન” કરીએ તે ? એ ભજનમાંના બધા ગુણ જૈનમાં પણ હોવા જ ઘટે. એટલે એ ભજનમાં વર્ણવેલા “વૈષ્ણવ જન’ને “જૈન જન કહીએ તે જરૂર કહી શકાય. પણ આજે સ્થિતિ જુદી બની ગઈ છે. ગુણને વિચાર જ જાણે ભુલાઈ ગયો છે.
કોઈ પણ વ્યક્તિ, સમાજ કે દેશ ગૌરવ ત્યારે જ લઈ શકે કે જ્યારે એની શાખ હેય. જેની બજારમાં શાખ હેય તે જ વેપારી. આપણું ઉંમરલાયક કન્યા આપણે કોને સોંપીએ ? જેની શાખ હોય તેને. પણ જેની શાખ હવે રહી નથી. પહેલા પૈસા વ્યાજે મૂકવા હોય તો જૈનની પેઢીને પહેલી પસંદગી મળતી. સાક્ષી આપવામાં પણ જૈન જૂઠું બોલે નહિ, એવી એની આબરૂ. પણ આજે બધું અવળું થઈ ગયું છે. કાળાબજારનું ભૂત પણ જૈનેને વળગી ગયું છે, એટલે જેનોએ પિતાની શાખ ગુમાવી દીધી છે. અને શાખ જે ગુમાવી દીધી તે પછી મંદિરમાં જાવ કે ન જાવ, સ્થાનકમાં જાવ કે ન જાવ એ બધું નકામું છે. મૂળ વાત તે શાખ હેવી તે જ છે, બાકી કોઈને વગર શાખે “જૈન” કહેવાવું હોય તે તેમને મારે કંઈ કહેવું નથી.
Page #4
--------------------------------------------------------------------------
________________ જૈન જન [ પ૭૭ એ જ રીતે વાળ ખેંચવા માત્રમાં કે ઉઘાડે પગે ચાલવા માત્રમાં પણ ગૌરવ નથી. એટલામાત્રથી સાધુજીવન ચરિતાર્થ બની જતું નથી. બીજાની સેવાશઋષા અને શ્રમને લાભ મળે એ પણ ગૌરસ્વાસ્પદ વાત નથી. એથી તો ઊલટું માણસનું પતન થાય છે, અને એને વિકાસ રૂંધાઈ જાય છે એટલે ગરીબ થવા છતાં, મજૂર થવા છતાં ખેટ ધ ન કરે એ જ સાચી શાખ સમજવી, એ જ સાચું ગૌરવ છે. એ ગૌરવને માટે તમે સહુ પ્રયત્નશીલ બને, એટલું જ ઈચ્છું છું* –પ્રબુદ્ધ જીવન, 1-11-54. * મુંબઈ જન યુવક સંધના રજત મહોત્સવ પ્રસંગે કરવામાં આવેલ સત્કારના પ્રત્યુત્તરરૂપે આપેલ ભાષણ. 37