Book Title: Ghoghani Madhyakalin Dhatu Pratimaona Aprakat Abhilekho
Author(s): Lakshman Bhojak
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249320/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઘોઘાની મધ્યકાલીન ધાતુ પ્રતિમાઓના અપ્રકટ અભિલેખો લક્ષ્મણ ભોજક સૌરાષ્ટ્રના પશ્ચિમ સમુદ્રતટે ભાવનગર પાસે આવેલ ઘોઘામાં મધ્યકાળમાં નવખંડા પાર્શ્વનાથનું મન્દિર સ્થપાયેલું, જે પૂર્ણતયા જીર્ણોદ્ધારિત રૂપે આજે પણ વિદ્યમાન છે. ત્યાંના ભૂમિગૃહના સંચમાંથી મળી આવેલ ધાતુ તથા પાષાણની પ્રતિમાઓના સંગ્રહનું ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતા તરફથી શ્રી મધુસૂદન ઢાંકી તથા (સ્વ) હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રીએ સન ૧૯૬૧ના ડિસેમ્બરમાં સર્વેક્ષણ કરી તેનો સંક્ષિપ્ત પરિચય એક લેખ દ્વારા પ્રસિદ્ધ કરેલો'. તેમણે ઉતારી લીધેલ લેખોમાંથી ઈસ્વી તેરમા શતકમાં આવી જતા અઢારેક લેખો (સ્વ) કાન્તિલાલ સોમપુરા તથા (રૂ.) નવીનચન્દ્ર આચાર્યે પ્રકટ કરેલા સર્વેક્ષણ સમયે જે પ્રતિમાઓ, લેખ તથા અન્યથા કલા અને શૈલીની દષ્ટિએ જૂની તેમ જ મહત્ત્વપૂર્ણ હતી તેને નોખી તારવી થી ઢાંકી તથા શ્રી શાસ્ત્રીએ મન્દિરના સંચાલકોને સંભાળપૂર્વક જુદા સાચવી રાખવા ભલામણ કરેલી. આ નોખી રાખેલ પ્રતિમાઓનો સંગ્રહ થોડાં વર્ષ પૂર્વે શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામન્દિરમાં લાવવામાં આવેલો. ત્યારે તેના લેખો વાંચી ઉતારી લેવાનો મોકો મળેલો. આજે તેમાંથી પ્રમાણમાં મહત્ત્વના છે તેવા અદ્યાવધિ અપ્રકટ ૨૪ લેખો અહીં પ્રકાશિત કરવામાં આવે છે. (૧) આ બહુ જ ઘસાઈ ગયેલો લેખ એક દશમા શતક જેટલી જૂની પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૮૪) પાછળ કોરેલો છે : યથા : १) आसींदु २) दास्सरितोयरे ३) वीरदेवसूर[रिस्य शिं ૪) શ્રેજ ૯) ---------- દ) ---------- ! - ૮) ------- ૧) છે . સંવ ૨૦) 7 | ૨૦૨ (૨૨) લેખની મિતી સં. ૧૦૧ (૫૧) ઈ. સ. ૯૫૯ (3) જેવી વંચાય છે, ગચ્છનું નામ સ્પષ્ટ નથી; પણ વીરદેવસૂરિના શિવે પ્રતિષ્ઠિત કરાવી લાગે છે. વીરદેવ નામના બે એક નામો જ્ઞાત તો છે; પણ તે ૧૧મા-૧૨મા શતકમાં થયા હોવાનો સંભવ હોઈ અહીં ઉલ્લિખિત વીરદેવસૂરિ તેમનાથી ભિન્ન અને વિશેષ પ્રાચીન હોવાનો સંભવ છે. (૨) પ્રસ્તુત લેખ સંવત ૧૧૨૩ / ઈ. સ. ૧૦૬૭નો લેખ ચતુર્વિશતિ પટ્ટ (ઘોઘા ક્રમાંક ૧) પર છે; અને સરવાલીય ગચ્છ સમ્બદ્ધ છે. (આ ગચ્છનો ઉલ્લેખ કરતા અગાઉ થોડાક લેખો મળ્યા છે.) Page #2 -------------------------------------------------------------------------- ________________ સં. લક્ષ્મણ ભોજક Nirgrantha १) ओ श्री सरवालीयगच्छे वीरपितु २) श्रेयो निमित्तं अंपटादिनिजपुत्र ३) श्चतुर्विंशतिपट्टोयं कारित इ ૪) તિ | સંવત્ ૧૨૨૩ અગિયારમી સદીના જૈન પ્રતિમાલેખો પ્રમાણમાં ઓછા મળ્યા છે તેથી આ અને આ પછી અહીં લીધેલ ચાર લેખોનું મહત્ત્વ છે. ત્રિતીર્થિક પ્રતિમા (ધોઘા ક્રમાંક ૧૦૩) પરનો સં ૧૧૨૪ | ઈ. સ. ૧૦૬૮નો આ લેખ અત્યંત સંક્ષિપ્ત છે; અને થોડાક અક્ષરો પણ ગયા છે. ગચ્છનું નામ મોટે ભાગે “હાઈકપૂરીય” હોવું જોઈએ. આ એક પ્રાચીન ગચ્છ છે. રાજસ્થાનમાં મોટે ભાગે જાલોર પંથકમાંથી નિષ્પન્ન થયો હશે. सं० ११२४९ श्री (हाइ)कपूरीयगच्छे आ(सा)केन कारिता સં૫૧૩૫ / ઈસ. ૧૦૯નો પ્રસ્તુત લેખ ત્રિતીર્થિક સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૩૯) પર અંકિત છે. સંવે રૂ, શ્રી ------- જોશ દૂત यशोदेव श्रेयोर्थ पाहिन्या कारिता પાર્શ્વનાથની એકતીર્થી સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૩૪) પર સં ૧૧૫૪ (ઈ. સ. ૧૯૮)નો લેખ છે. સંવત્ ૧૬૬૪ વૈ--------yતષ્ઠિત . ૪. મૂત્ર ૪. સૂઇ-----૩. વછરાનેન સ્વvળા : સિતાથી - 1 - - - - - શ્રેય પિતા ' જિન વર્ધમાન મહાવીરની સપરિકર એકતીર્થી પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૪૫)ની સં. ૧૧૮૬ (ઈ. સ. ૧૧૩૦)માં અજિતસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરેલી. (આ અજિતસિંહસૂરિ બૃહદગચ્છીય અજિતસિંહસૂરિ હોવાનો સંભવ છે.) सं०११८६ पोश१शनौ धवला जाग पण्या सुत पूनाकेन श्रीमहावीरप्रतिमा कारिता। प्रतिष्ठिता श्रीअजितसिंहसूरिभिः॥ અહત અરિષ્ટનેમિની એકતીથ સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ) સં. ૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)માં (ચૈત્યવાસી) બ્રહ્માણગચ્છના ઉદ્યોતનાચાર્ય સંતાનીય શ્રાવકે ભરાવેલી. Page #3 -------------------------------------------------------------------------- ________________ Vol. I.1995 ઘોઘાની મધ્યકાલીન ધાતુપતિમાઓના.. ૬૯ सं० ११९५ फागुण सुदि ११ श्री ब्रह्माणगच्छे उद्योतनाचार्य संताने ॥ महणा श्रावकेण अरिष्टनेमिबिंबं कारितं । (૮). સં૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૯)ની આ પાર્શ્વનાથ જિનની એકતીથ સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૨૪) જાલ્યોધરીય (ગચ્છ)ના કોઈ અનુયાયીએ ભરાવેલી. सं०१२०२ ज्येष्ट सुदि ९ श्रीजाल्योधरीय(गच्छे) ------ સામગ્રે તિ સં. ૧૨૩૪ (ઈ. સ. ૧૧૮)ની શાંતિનાથ જિનની પ્રતિમા (ઘોઘા ક્રમાંક પર)ની પ્રતિષ્ઠા ધર્મસૂરિ શિષ્ય રામચન્ટે કરાવેલી. વર્ષ જોતાં સંભવ છે કે પ્રસ્તુત ધર્મસૂરિ તે પ્રસિદ્ધ રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મસૂરિ હોય. T૦ ૨૨૩૪ માપ ૪ - - - - શાંતિनाथबिंबं कारितं प्रतिष्ठितं श्री धर्मसूरि शिष्यैः श्री रामचन्द्रे। (૧૦) સં ૧૨૫૮ (ઈ. સ. ૧૨૦૨)ની આ સપરિકર પાર્લાઈતની પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૧૨) 'ત્રિગુણપથ' નામના સ્થાને (ચૈત્યવાસી) થારાપદ્રગચ્છમાં ઠ૦ રાણકે ભરાવેલી. ઠકકર રાણક કોઈ રાજમાન્ય પુરુષ હશે. *વિગુણપથ'ની ઓળખ થવી બાકી છે. ॥ सं० १२५८ जेष्ठ सुदि १० शनौ त्रिगुणपथे थारापद्रगच्छे पोहीथ सुत ठराणकेन प्रतिमा વારિતા | (૧૧) પ્રસ્તુત સં૧૨૯૦ (ઈ. સ. ૧૨૩૪)નો લેખ ધરાવતી આ સપરિકર જિનપ્રતિમા (ઘોઘા ક્રમાંક ૧૪) દીસાવાલા (ડિસાવાલ) જ્ઞાતિના શ્રાવકે ભરાવેલ છે અને નવાંગવૃત્તિકાર (ચંદ્ર ફલના અભયદેવસૂરિ)ની પરંપરામાં થયેલા મુનિચન્દ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા કરેલી. द संवत् १२९० वर्षे दीसावालज्ञातीय श्रे० आस - पालसुत सहजपालेन माता हीह [स] हितेन માતામદ.......... રિતે प्रतिष्ठितं श्रीचन्द्रगच्छीय नवांगवृत्तिकारसंतते श्रीमुनि ચંદ્રમ: || Page #4 -------------------------------------------------------------------------- ________________ સં. લક્ષ્મણ ભોજક Nirgrantha (૧૨) સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૩૫)ની આ એકતીથ સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૩) શ્રી શ્રીમાલજ્ઞાતિના શ્રાવકની ભરાવેલ છે. (०१)संवत् १२९१ वर्षे श्रीश्रीमालज्ञातीय श्रे० जगदेवसुत श्रे० वीजडेन आत्मपु( ૨)પથાય . . . . . . . . . . . (૧૩) સં. ૧૩(૭)૩(૧) (ઈ. સ. ૧૨૪૭ ૧)ના લેખવાળી આ એકતીર્થી સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૨૫) નાગેન્દ્રગચ્છના ભટ્ટારક વિબુધપ્રભસૂરિની ભરાવેલ છે. જં૦ ૧૩(૧)(?)- - -શુ ૧ શાન શ્રીમા - નાઇ • - - - માર્યા - - - - - श्रीशांतिनाथ (बिंबं) कारितं । प्रतिष्ठितं श्रीनागेन्द्रगच्छे भट्टा० श्रीविबुधप्रभसूरिभिः। (૧૪) સં. ૧૩૦૩ (ઈ. સ. ૧૨૪૭)નું વર્ષ ધરાવતી આ પંચતીર્થી સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૧૨૩) “ધારાગચ્છ”ના સર્વદેવસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી, ધારાગચ્છ આમ તો અલ્પજ્ઞાત છે. “થારા (થારાપદ્ધ)ને બદલે “ધારા" કોતરાઈ ન ગયું હોય તો પછી માળવાની રાજધાની “ધારા” પરથી ગચ્છ નિષ્પન્ન થયો ગણાય. ભરાવનાર દેવસીંહ (દેવસિંહ) મંત્રીપદ ધરાવતો હશે. सं० १३०३ वर्षे - - - - श्रीमाल० महं देवसीह भार्या घेतलदे श्री धा(था?)रागच्छे प्र० श्री सर्वदेवसूरिभिः । (૧૫) જિન ઋષભનાથની આ એકતીર્થી પરિકર સહિતની ગામના શ્રાવકોએ ભરાવેલ પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૯)ની સં. ૧૩૦૫ (ઈ. સ. ૧૨૪૯)માં (ખરતરગચ્છીય) જિનપતિસૂરિશિષ્ય જિનેશ્વરસૂરિ (દ્વિતીય) દ્વારા પ્રતિષ્ઠિત થયેલી. १ सं० १३०५ आषाढ सुदि १० श्रीऋषभनाथ प्रतिमा श्रीजिनपतिसूरिशिष्य श्रीजिनेश्वरसूरिभिः प्रति ष्ठिता ग्रामलोक श्रावकेण कारिता (૧૬) જિન મહાવીરનું આ સપરિકર બિમ્બ (ઘોઘા ક્રમાંક ૫૯) અજ્ઞાતગચ્છીય હેમતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૩૨૩ (ઈ. સ. ૧૨૬૭)માં શ્રીમાળી શ્રાવક નરસિંહે ભરાવેલું. Page #5 -------------------------------------------------------------------------- ________________ Vol. I-1995 ઘોઘાની મધ્યકાલીન ધાતુપતિમાઓના... सं० १३२३ वैशाष वदि ५ श्रीमालज्ञातीय सांगणसिंगारदेवि श्रेयोथै सुत नरसिंहेन श्रीमहावीरबिंबं कारितं श्रीहेमतिलकसूरीणां उपदेशेन (૧૭) અહંતુ વાસપજ્યની આ એકતીર્થિક સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૮) સં૧૩૩૨ (ઈ. સ૦૧ર૭૬)માં જલોધર (જાલ્યોધર) ગચ્છના હરિભદ્રસૂરિ શિષ્ય હરિપ્રભસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી. (આ સૂરિના પ્રતિષ્ઠાલેખો અગાઉ પીરમબેટાદિમાંથી મળ્યા છે તેવું સ્મરણ છે.) પ્રતિમા ભરાવનાર શ્રાવક મોઢ જ્ઞાતિના હોઈ લેખ મહત્ત્વનો છે. सं० १३३२ वैशाष वदि १ मोढज्ञातीय श्रे० माणाकेन पितृव्य कमादा (?) श्रेयसे श्रीवासुपूज्यबिंबं कारिता प्र० श्रीजालोधरगच्छे श्रीहरिभद्रसूरिशिष्य શ્રીમિમૂરિ મ. (મિ:) . (૧૮) જિન નેમિનાથની આ એકતીર્થી સપરિકર પ્રતિમા (ધોથા ક્રમાંક ૩૦) નાગેન્દ્રગચ્છના વિબુધપ્રભસૂરિ દ્વારા સં. (૧૩?)૩૪ (ઈ. સ. (૧૨))માં પ્રતિષ્ઠિત થયેલી છે. આ વિબુધપ્રભસૂરિનો ઉલ્લેખ અહીં અગાઉ સં. ૧૩(૦૪)૩ની પ્રતિમામાં આવી ગયો છે. (જુઓ લેખાંક ૧૪). संवत् (१३?)३४ वर्षे वैशाख शुदि ५ गुरौ ठ० બ્રહવ- - - - - - - - - - વરિન श्रीनेमिनाथबिंब कारितं नागेन्द्रगच्छे श्रीविबुधप्रभसूरिभिः प्रतिष्ठितं (૧૯) શ્રેયાંસજિનની આ સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૭૩) સં. ૧૩૪૫ | ઈ. સ. ૧૨૮૯માં ‘નીમા' જ્ઞાતિના છે. “કુઆરસીહ” (કુંવરસિંહ)ની ભરાવેલી છે. લેખમાં જવલ્લે જ મળતો “નીમા” જ્ઞાતિનો ઉલ્લેખ હોઈ તે પ્રસ્તુત જ્ઞાતિના ઈતિહાસ માટે મહત્ત્વનો છે. सं० १३४५ वैशाष सुद २ शनौ नीमाज्ञातीय श्रे० कुंअरसीह सुत राजददे - - - श्रेयार्थ श्रेयांसबिंबं कारितं (૨૦) શાંતિનાથનું આ સપરિકર બિમ્બ (ઘોઘા ક્રમાંક ૪૪) સં. ૧૩૬૩ (ઈ. સ. ૧૩૦૭)માં નાગેન્દ્રગથ્વીય દેવાણંદ (દેવાનંદસૂરિએ પ્રતિષ્ઠિત કરેલું. લેખ સોલંકીયુગની સમાપ્તિ પછીના નાગેન્દ્રગચ્છના ઇતિહાસ માટે મહત્વનો બની રહે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ સં. લક્ષ્મણ ભોજક Nirgrantha सं० १३६३ सुदि ९ - - - - संसारदेवी - - - - - - - - - - श्रीशांतिनाथ बिंबं कारितं प्रतिष्ठितं श्रीनागेन्द्रगच्छे श्रीदेवाणंदसूरिभिः। (२१) જિન શાંતિનાથની આ સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૯૪) સં. ૧૩૬૭ (ઈ. સ. ૧૩૧૧) નાગરગચ્છના આનન્દસૂરિના સંતાનીય અને નાગરગચ્છીય શ્રાવકની ભરાવેલી છે. નાગરગચ્છ તથા નાગર જ્ઞાતિના ઓછા મળતા ઐતિહાસિક ઉલ્લેખોમાં આ લેખથી એકનો વધારો થાય છે. सं० १३६७ आषाढ सु० ३ श्रीमन्नागरगच्छे श्री. आनंदसूरिसंताने नागरज्ञातीय मातृ सुहडदेवि श्रेयोर्थ सुत देवलेन श्रीशांतिनाथबिंबं कारितं ॥ (२२) સં. ૧૪૭૪ (ઈ. સ. ૧૪ર૮)માં ભરાયેલી આ શાંતિનાથ જિનની પંચતીર્થી પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૨૮) ડાયટ જ્ઞાતિના શ્રાવકે ભરાવેલી અને પ્રતિષ્ઠા વાયટગચ્છના જિનદત્તસૂરિના શિષ્ય (કદાચ રાશિલ્લસૂરિ ?) દ્વારા થયેલી. અહીં વાયડજ્ઞાતિ તથા વાયડગચ્છનો ઉલ્લેખ હોઈ લેખ અગત્યનો છે. संवत् १४७४ वर्षे माघ शुदि १० दशम्यां सोमे श्रीवायडज्ञातीय ठ० वयरसाह सु० ठ० वाछा श्रेयोर्थ सिंघाकेन श्रीशांतिनाथबिंबं कारापितं वायटगच्छे श्री जिनदत्तसूरिपट्टे श्री - - - -सूरिभिः प्रतिष्ठितं (२७) સં. ૧૪૮૩ (ઈ. સ. ૧૪૨૭)માં જિન ધર્મનાથની આસપરિકર મૂર્તિ (ધોઘા ક્રમાંક ૫૯) તપાગચ્છીય સોમસુન્દરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી હોઈ લેખ મહત્ત્વનો છે. संवत् १४८३ वर्षे वैशाष शुदि ५ गुरौ श्रीश्रीमाल ज्ञा० प० समरा भा० - - - - - पि० रत्ना श्रेयोर्थ सुत जयसिंघेन श्रीधर्मनाथबिंबं कारितं तपागच्छे श्रीसोमसुन्दरसूरिभिः Page #7 -------------------------------------------------------------------------- ________________ Vol. I-1995 ઘોઘાની મધ્યકાલીન ધાતુપ્રતિમાઓના... ટિપ્પણો અને સન્દર્ભો :1. શ્રી મધુસૂદન ઢાંકી તથા શ્રી હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી, “ઘોઘાનો જિન પ્રતિમા નિધિ," શ્રી ફૉર્બસ ગુજરાતી સભા ત્રિમાસિક, ગ્રન્થ 3, અંક , મુંબઈ જાન્યુ-માર્ચ 1965, પૃ. 19-22. 2. કાન્તિલાલ ફૂલચન્દ સોમપુરા : નવનીતલાલ આનંદીલાલ આચાર્ય, “ઘોઘાના અપ્રકટ જૈન પ્રતિમાલેખો,” શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્ય, મુંબઈ 1968, પૃ૦ 111-117. 3. મંદિરોમાંથી ધાતુપ્રતિમાઓ ચોરાઈ જવાના કિસ્સાઓ સાંભળવામાં આવતા હોઈ તકેદારી ખાતર તેમણે આ ભલામણ કરેલી. 4. જુઓ, પ્રાચીન લેખ સંગ્રહ (ભાગ 1 લો), સંગ્રાહક વિજયધર્મસૂરિ (સં. મુનિરાજ વિદ્યાવિજય), ભાવનગર 1929, પૃ૦૨, લેખાંક (4); પૃ. 3, લેખાંક (7); પૃ૦૪, લેખાંક (11); પૃ૦ 5, લેખાંક (15) ઇત્યાદિ. તથા મુનિ વિશાલવિજય, શ્રીરાધનપુર પ્રતિમાલેખ સંદોહ, ભાવનગર 1960, પૃ૦૪, લેખાંક (૬,૭)પૃ૮, લેખાંક (10) તથા પૃ૦ 6, લેખાંક (12) અને પૃ૦ 10, લેખાંક (24). 5. અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ સંદોહ (આબુ ભાગ 5), (સંગ્રાહક) મુનિરાજ શ્રીજયન્તવિજય, શ્રી યશોવિજય જૈન ગ્રન્થમાળા, ભાવનગર વિ. સં. 205 (ઈ. સ. 1949), પૃ 140, લેખાંક 389.