Page #1
--------------------------------------------------------------------------
________________
કાચ નહિ, કચન ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના પરાક્રમાથી કાણુ અાયું છે ! એ વિધવા હોવા છતાં પોતાની બુદ્ધિ અને શક્તિથી આખું રાજય ચલાવતી હતી. એની રાજધાનીમાં એક નિઃસ્પૃહી વિદ્વાન કથા કરવા આવ્યા હતા, સભામાં રાણી પણ હાજર હતાં. રાણીના કંચનવર્ણા | કાંડાં પર બે સુવર્ણ કંકણ શોભી રહ્યાં હતાં. જુનવાણી કંથાકારે જરા હળવી ટીકા કરી; “ આજ કાલ ધમની મર્યાદા તૂટતી જાયુ છે. જે સ્ત્રીએ પતિનાં જીવતાં કાચની બંગડીઓ પહેરતી તે વિધવા થતાં સુવણુ - કંકણ પહેરે છે.
રાણીથી ન રહેવાયું. “પંડિતજી ! સ્ત્રી પતિ જીવતાં કાચની ખૂગડી પહેરે છે તે યાદ રાખવા કે શરીર કાચ જેવું નાજુક અને નશ્વર છે. પણ એ શરીર પડી જતાં માત્મા પરમાત્મરૂપ શાશ્વત સુવર્ણમાં ભળી જાયું છે તેનું પ્રતીક આ કંકણ છે. કાચ નહિ, સુવર્ણરૂપ સ્વામીનું શરણ લીધું છે તેની યાદ એ આ કડાં છે.' છેઅામજ્ઞાનપૂણ આ ઉત્તરથી પ્રભાવિત થયેલ વિદ્વાન રાણીને નમી જ પડ્યો,
હિoથઈ
વર્ષ ૪ થું
પથ્થરાથી મારવા માટે એક સ્ત્રીને સંત પાસે સૌ લઈ આવ્યા. એકે કહ્યું : ““ આ સ્ત્રી અનીતિમાન છે, એને પૂરી કરો ! ” સતે કરુણાથી નચ ન ઢોળતાં કહ્યું : તમારામાંથી કદી કાઈએ કુદૃષ્ટિ ન કરી હા, તે જ આના પર પહેલા ઘા
‘ચિત્રભાનું
અંક ૫ મે
Page #2
--------------------------------------------------------------------------
________________
20
!!
તંત્રી સ્થાનેથી ૭
ટેલીવિઝન
મામ્બાસાના જાણીતા આગેવાન શ્રી મેઘજીભાઈ સેાજપાલ ધન્નાણી થાડા સમય માટે લંડન ગયેલા. એમણે તા. ૨૦-૯-૬૭ના રોજ લખેલા પત્ર અમને આ નોંધ લખવા પ્રેરે છે.
શ્રી ધન્નાણી ૨૧મી એગસ્ટની સાંજે લંડનમાં T. V. પર કાર્ય ક્રમ એઈ રહ્યા હતા. ત્યાં એમણે જૈન તીર્થી અને પૂ. ગુરુદેવશ્રી ચિત્રભાનુને તૈયા અને આશ્ચર્ય મિશ્રિત આનદની લાગણીઓથી એ ગદ્દગદિત થઈ ગયા. અને એમણે પેાતાના મિત્ર શ્રી દીપચંદભાઈ સંઘવીને પેાતાને આવેલા વિચારા જણાવ્યા છે જેમાં એમના હૈયામાં ચાલતું મથન વ્યક્ત થાય છે. આજની પરિસ્થિતિમાં આ કેટલું સાચું છે તે વિચારવું રહ્યું. પણ અમે તે એમનું લખાણ જ અહીં ટાંકીએ છીએ.
અને
“બીજું ખાસ લખવાનું ૨૧મી ઓગસ્ટે સાંજના લંડનના ટાઇમ ૬ થી ૬-૩૦ મિનીટ T. V. માં જૈન આચાર, જૈન તીર્થા, જૈન સાધુઓનો વિહાર, આચાર, દર્શાવતું એક ચિત્ર T.V. ઉપર ોયું, જેમાં મહારાજશ્રી ચિત્રભાનુને જોયા અને કંઈક વિચારો આવ્યા. આવા પવિત્ર
અને બાહોશ (મનુષ્ય) જૈનોને મળ્યા છે છતાં પરદેશમાં
વિહાર ન કરી શકે. આવા પુરુષ। જૈન આચાર માટે કેટલી છાપ પાડી શકે તે અનુભવે ખખર પડે. આજે વિમાની વહેવારમાં છ કલાકે નાઈરોબી આવી શકે પણ ખનવા સંભવ નથી ત્યાં શું કામનું ? સમાજના આગેવાનોએ અમુક મહાત્માઓને ખાસ પરવાના આપવા જોઇએ. આજે જૈન સમાજમાં કોઇ ખરા વિચારવાળા
----
પર જૈનધર્મ
છે કે નહિ તે કહેવાનું આપણું કામ નથી. અત્યારે ખાટા વાડાઓમાં છીએ.”
દિવ્યદીપના વાચકાને તા યાદ હશે જ કે આજથી ત્રણ વર્ષ પહેલાં તા. ૧૪-૧૨-૬૪ના રાજ પૂ. શ્રીને શેષતા શાવના ખી. ખી.સી. ના ટેકિનશ્યના કૅપ્ટના ઉપાશ્રયે આવ્યા હતા. (દિવ્યદીપ વર્ષ ૧લું અંક ૧૬)
આટલે દૂરથી આવેલા એ ભાઈએની શુભ ભાવનાને માન આપીને અને જૈન ધર્મની સંસ્કૃતિના પશ્ચિમની દુનિયાને પરિચય આપવાને ટેલીવિઝન પર પેાતાના
કાર્યક્રમ આપવા તેમની માંગણીને સ્વીકારી હતી.
તા. ૧૫-૧૨-૬૪ એ મૌન એકાદશીના પવિત્ર દિવસ હૈ।વાથી ખી. ખી. સી નાકા કરેા સવારથી ઉપાશ્રયમાં આવી ગયા હતા. તે દિવસની આધ્યાત્મિકએવી પૌષધવિધિ, પૂ. શ્રીનું પ્રવચન અને ત્યારખાદ આખા દિવસની સાધુક્રિયાને દર્શાવતી એવી પૂ.શ્રીની ફિલ્મ ઝડપી લીધી હતી. ફિલ્મ લીધા પછી પુ. શ્રીએ ખી, ખી. સી. ના કા કર્તાએને શત્રુ જય, ગિરનાર, દેલવાડાનાં મશહૂર જૈન મંદિરા, રાણકપુરનુ ભવ્ય જિનાલય, ભગવાન મહાવીરનું નિર્વાણુ સ્થાન, પાવાપુરી, શ્રવણુ એલગેાલા જેવાં અનેક તી ધામેાનું દર્શન કરાવતી ફિલ્મ લેવા વિશિષ્ટ માર્ગદર્શન આપ્યું હતું.
તેએશ્રીની સૂચનાને સ્વીકારીને તીથેÎની લેવાયેલી ફિલ્મ આજે હજારા માઈલના અંતરે પણ સમસ્ત દુનિયાને આ સસ્કૃતિનું દર્શન આપી રહી છે.
★
닭먹먹닭
Page #3
--------------------------------------------------------------------------
________________
જીવનનું દર્શન
21
[પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ દાદરમાં આપેલા પ્રવચનની નોંધ. આના પૂર્વાધ ચાલુ વર્ષોંના પહેલા અંકમાં આપી ચૂક્યા છીએ; ત્યાંથી ફરી શરૂઆત થાય છે.]
જગતની મેં ત્રણ વ્યાખ્યા આંધી છે. સમજીને સરકવુ એનુ નામ સંસાર; જાણીને જીવવું એનુ નામ જીવન અને મૂકીને મુક્ત થઈ જવુ એનુ નામ મેાક્ષ.
આ સંસારમાં ડાહ્યો માણસ કેણુ ? જે સ ંસા૨માં રહે ખરો પણ ધીમે ધીમે સરકતા જાય.
કાકવાર ચાર પાંચ ગુંડાઓ તમને ઘેરી વળ્યા હાય અને તમે એકદમ ભાગવા જાએ તે તમને છરી મારી દે એવી પરિસ્થિતિ હાય ત્યારે ધીમે ધીમે વાતા કરતાં કરતાં એની પડમાંથી તમે સરકવાના કેવા કુશળતાભર્યાં ઉપાય શેાધા છે?
એમ આ સંસારમાં પણ એ જ કામ કરવાનુ છે. આપણે સંસારના એક સકંજામાં આવી ગયા છીએ. તમે એકદમ ભાગવા જાએ તો બધા ય લોકા તમારા કપડાં ફાડી નાંખે ત્યાં સુધી તમને વળગે. “નહિ, તમે નહિ જાઓ. તમારુ અમારે કામ છે.” કારણકે આવા વગર પગારના નાકર રળીરહીને બધાયને માટે ચિંતા કરતા હાય એવા કયાંથી મળે ? હું ઘણા વૃદ્ધ માણસાને જોઉં છું. છેલ્લી ઘડી આવે ત્યાં સુધી પણ દુકાને બેસે. અને એ કરાંઓનાં છેાકરાને રમાડતાં રમાડતાં રાજી થાય અને મનમાં માને “આ છોકરાંઓનુ કાણ કરશે?” પણ એ ગમારને ખખર નથી કે તુ જો ચિંતામાં ઉપડીશ તા તારું કાણુ કરશે ?
એ લેાકેા પણ માને છે કે આજના જમાનામાં ખસેા રૂપિયા આપતાં પણ પ્રામાણિક નેકર મળતા નથી. અને આ માણસ વગર પગારે ખાલી એ ટંક રોટી ખાઈને આખો દહાડો આપણે માટે મહેનત કરતા હાય તેા શું ખાટુ છે!
એટલે એ લેાકા તમને રાજી રાખવા જરૂર પ્રયત્ન કરે. પણુ જીવે પેાતે તા સમજવુ જોઈએ કે ભાઈ, હવે મારું શું? “હું આ બધું સાચવ્યા કરીશ, લેાકાને મળ્યા કરીશ, વેવાણા અને વેવાઈઓને મનાવ્યા કરીશ, સગાંવહાલાંઓને મેલાન્યા કરીશ, ગામમાં જેટલાં લગન હેાય એમાં હાજરી આપ્યા કરીશ, જેટલી મેકાણુ હાય એમાં રાવા ગયા કરીશ ! તેા આમનુ આમ જીવન પૂરું થઈ જશે.” હા, એમ કરનાર માણસને દુનિયા મહુ ડાહ્યો માણસ ગણશે, વ્યવહારકુશળ માનશે અને કહેશે કે આને ઘણી ઓળખાણ છે.
પણ આત્માની ઓળખ વિના આ બધી જ ઓળખ નકામી છે. આત્માની ઓળખ કરવા માટે આ મનુષ્ય જન્મ જ શ્રેષ્ઠ છે, દેવાના જન્મ પણ નહિ.
દેવા મનુષ્ય કરતાં ઘણા સમૃદ્ધ છેઃ હીરાથી, પન્નાથી એ શેાલતા હાય છે છતાં ય દેવના ભવ માનવના ભવ કરતાં ઊંચા નહિ.
આચાર્ય શ્રી સ્વયં ભવસૂરીશ્વરે દશવૈકાલિકના પ્રારંભમાં જે બ્લેક બનાવ્યેા એ શ્લાક નથી, પણ જીવનમત્ર છે.
અહિંસા, સંયમ અને તપ – આ ત્રણ તત્ત્વ યુકત એવા ધર્માં એ સ મંગલામાં ઉત્કૃષ્ટ મગળ છે. આ ધમ જેના હૈયામાં વસે છે એને તા દેવે પણ નમન કરે છે.
“ ધમ્મો મનમુષ્ટિ, અહિંસા સંગો તો; देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो । ”
એમણે કહ્યુ કે તુ બધા જ મંગળ કર પણ બધામાં ો ઉત્તમ હાય તે તે ધર્મો છે. આ અહિંસા, આ સંયમ અને આ તપ જેના હૃદયમાં ઊતરી જાય છે અને માણસા તા નમે, દેવતાઓ પણ નમે છે.
એ
કરોડપતિઓ આવીને મુનિને નમે એમાં મુનિએ કાંઈ ફૂલી જવાની જરૂર નથી. જો ફુલાય તે! એ મુનિ ગ઼માર છે. લેાકેા માણસને નથી
Page #4
--------------------------------------------------------------------------
________________
૬૮
નમતા. એણે જે ત્યાગ કર્યાં છે એ ત્યાગને નમન કરે છે. એ ત્યાગ જેની પાસે છે એ બધાયને નમન થાય છે.
અને દેવતાઓ નમન કરે છે એ કયા ભાવથી નમે છે? આ માણુસ ઘણી એળખાણવાળા છે, મેાટા સત્તાધીશ છે, આને ઘણી ડીગ્રીએ લાગેલી છે અગર તેા એને ઘણી પઢવીએ મળેલી છે એટલે નહિ.
એ જે નમન કરે છે એની પાછળ સદ્ભાવ છેઃ અહિંસા, સંયમ અને તપને ઝૂકે છે.
જે માણસ અહિં`સક છે એની પ્રવૃત્તિ કેવી હાય ? એના જીવનથી, એની કરણીથી કાઈનેય દુઃખ ન થાય. ક્યાંય એ હિંસાનું નિમિત્ત ન અને. તેવી જ રીતે મનમાં ય એ વિચારે કે મારે કોઈનું. ખરામ શા માટે વિચારવુ જોઈએ ? અને પેાતાની વાણીને વાપરતાં વાપરતાં તે એ અનેક વાર વિચાર કરે કે મારી વાણી ડવી તેા નથીને ? વાણી નિર્દોષ, મીઠી છે ને ? લેાકેા કારેલાંનુ શાક અનાવતાં હોય તે પણ એમાં થાડા ગાળ નાંખે છે. કડવાં ન લાગવાં જોઇએ. તે વિચાર કરઃ
માણુસની વાણીમાં કટુતા હાય તા સાંભળનારને
કેટલું દુઃખ થાય ! એટલે જ સાચા અહિંસક મના વષતા ર્મળા આ ત્રણે રીતે નિર્દોષ હાય છે.
ખીજા નખરમાં સયમ આ પાંચેપાંચ અનિયંત્રિત ઇન્દ્રિયા એ રેસના ઘેાડાઓ જેવી છે. એ નિયંત્રિત હાય તા જ કાબૂમાં રહી શકે છે. ઈન્દ્રિયા ઉપર સયમ લાવવા જોઈએ અને એ સંયમ વડે ઇન્દ્રિયાના સુંદરમાં સુંદર ઉપયેગ કરવા જોઇએ.
માણસ નક્કી કરે કે મારે મારી ઈન્દ્રિયાને સારા ઉપયાગ કરવા છે તે એ કેટલુ' સારું કરી શકે ! આંખથી નૈસર્ગિક સૌન્દર્યની સૃષ્ટિ મનમાં ભરી શકે. એ જ આંખથી શ્રેષ્ઠ અને ઉત્તમ કક્ષાનું
દિવ્યદીપ
વાંચન કરી શકે. અને તત્ત્વજ્ઞાનના ઉમદા ભાવે મનમાં વસાવી શકે.
કાનથી કેાઇનીય ગંદી વાત સાંભળે તેા એના પ્રત્યે દુર્ભાવ કેળવાય. કાઇનુંય ખરાબ સાંભળીએ એટલે એ વ્યકિત પ્રત્યે આપણા મનમાં અભાવ ઉત્પન્ન થઈ જ જાય છે, અને એના પ્રત્યેના સાવ હાય તે સામાન્ય રીતે નીકળી જાય છે. માટે કોઈનીય મિલન વાત સાંભળવી એના કરતાં કેાઈ પ્રવચન સાંભળ્યાં હોય, જીવનને પ્રેરણા આપતી કાઈ કથા સાંભળી હાય, કોઈ મહાપુરુષના જીવનમાં બની ગયેલા સાચા બનાવે! સાંભળ્યા હાય તા મન એ ભાવાથી કેવુ સુવિકસિત બની જાય ! ખરાબ વાતા ઘણીવાર આપણા દિવસે અને રાતાને બગાડી મારે છે, જ્યારે સૂવા જતાં પહેલાં સાંભળેલી કે વિચારેલી એક સારી વાત રાતને સુંદર ભાવાથી ભરી દે છે.
એવા નિયમ હાય કે પ્રાના કરી, પ્રભુનું સ્મરણ કરી, કેાઈ મહાપુરુષનું જીવનચરિત્ર વાંચી એ સુંદર સ્મરણામાં અને સ્મરામાં ઊંઘી જવું તો કદાચ સ્વપ્ન આવે તે એમાં પણ ભગવાનની
મૂર્તિઓ, તીર્થં સ્થળા, સ ંતાનેા સમાગમ, પ્રકૃતિનુ પટણ એવું બધું જ આવવાનું. કેટલાકને સુંદર સ્વપ્ન આવે ત્યારે નવાઇ લાગે કે આજે ભગવાન મને સ્વપ્નામાં દેખાયા ! એવુ કેમ બનવું જોઇએ કે એક જ દુહાડી સ્વમામાં ભગવાન દેખાય ! રાજ શયતાના દેખાય અને એક દહાડા ભગવાન દેખાય એટલે આશ્ચય ન થાય તે શું થાય ? પણ રાજ ભગવાન દેખાય એવુ થવા માટે સૂતા પહેલાં પૂરી શાંતિ જોઇએ. કાનમાં સારા શબ્દો ગુંજતા હાય આંખમાં સુંદર છંખીઓનું દૃન હાય અને પ્રાણામાં પ્રભુતાની પરાગ હોય તેનું નામ સંયમી જીવન.
અહિંસા, સંયમ પછી આવે છે તપ. માણસને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવુ હાય તેા તપશ્ચર્યા
Page #5
--------------------------------------------------------------------------
________________
દિવ્યદીપ
અનિવાય છે. તપશ્ચર્યા એટલે માત્ર એકાસણું કે ઉપવાસ જ નહિ; એ કલાક પલાંઠી વાળીને બેસવુ એ પણ તપ છે. તમે કહા “આ કામ હું કરીને જ ઊઠીશ.” આ સંકલ્પથી તમે જે કર્યુ એનું નામ અભ્યંતર તપ કહેવાય. તમારી કાયાના ઉત્સર્ગ કરી સંકલ્પ બળથી એટલી વાર તમે એક આસન પર બેઠા એ આંતરિક તપ છે. દેખનારને ખ્યાલ ન આવે કે આ તપ કરે છે પણ કરનાર સાધનામાં છે એટલે અભ્યંતર તપ ચાલુ છે.
જીવનમાં જેટલાં શ્રેષ્ઠ કામ કરવાનાં છે એમાં તપશ્ચર્યાની જરૂર છે. કોઈપણ માટુ કામ તપશ્ચર્યા વિના સિદ્ધ થતું નથી. સહેલા કામે ખાવાપીવાનાં કામેા વગર તપશ્ચર્યાએ થઇ જવાના. પણ દુનિયાના મોટાં કામ તપશ્ચર્યા વિના થયાં જાણ્યાં નથી.
આ ત્રણ વાત અહિંસા, સયમ અને તપ જેના હૃદયમાં હાય, તેને તેા દેવતા
પણ
નમન કરે છે.
દુનિયામાં દેવા બહુ ઉત્તમ અને માટા કહેવાય છે. પણ દેવાને મન આવે! માણસ વધારે ઉત્તમ છે. એનું કારણ એ કે આત્મદર્શન જો કાઇ કરી શકે, આત્માને વિકાસ જો કાઈ કરી શકે અને આ દેહ દ્વારા મેક્ષ જો કાઈ મેળવી શકે તે તે એક માણસ જ છે.
આ શરીર એ સામાન્ય વસ્તુ નથી. આ શરીરથી મેક્ષ મળે છે. આ દુનિયામાં આ શરીર જેવું ઉત્તમ સાધન એક પણ નથી. શરીરને તમે જરૂર જાળવજો પણ તે એક માત્ર સાધના માટે. ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ એમ વૃધ્ધાએ કહ્યું છે. પણ તે શા માટે? કારણકે એ મેાક્ષનુ સાધન છે. મેાક્ષનું સાધન બનવા માટે સમ છે એ ત્યારે મને કે જ્યારે તમારા મનમાં તમારુ ધ્યેય નિશ્ચિત હાય. મૂકીને મુકત થવું એટલે મેાક્ષ. એ મેાક્ષ મેળવવા માટે મારે આ સંસારમાંથી સમજીને સરકતા રહેવુ જોઇએ.
૬૯
જીવ અજ્ઞાનથી આવ્રત છે એટલે એ સમજીને સરકતા નથી. છેલ્લી ઘડી સુધી વસ્તુઓમાં એની મમતા રહે છે.
મને એક પ્રસંગ યાદ આવે છે. જબલપુર પાસે ધૂંવાધાર કરીને એક પાણીના ધોધ છે. એ waterfallમાં પાણી ખૂમ ઉપરથી પડે છે અને નીચે માટી મેાટી પથ્થરની શિલાઓ છે. એ શિલા ઉપર પાણી પછડાય ત્યારે પાણીના એટલા બધા ચૂરેચૂરા થાય કે જાણે પૂવા ધૂંવા દેખાય, ધુમાડા થઈ ગયા હૈાય એવું દૂરથી લાગે. એ દૃશ્ય બહુ જ મનેાહર છે એ જોવા માટે લેાકેા દૂરદૂરથી આવે છે.
એક વાર યુરોપથી ત્રણ મિત્રા મેટા દૂરબીન સાથે આ જોવા આવ્યા હતા. એક ટેકરી ઉપર ચઢીને દૂરથી આવતા આ પાણીના પ્રવાહને એ જોઈ રહ્યા હતા. એ પાણીના પ્રવાહ આવે છે અને આવતા આવતા પેલી નાર ઉપર આવે, ત્યાંથી પછડાય અને ચૂરેચૂરા થઈ વિખરાય.
એમણે દૂરબીનથી જોયું તેા માણસનું એક મડદું પાણીના પ્રવાહ ઉપર તરતું તરતું આવી રહ્યું હતુ. એ મડદું પાણી પર હાવાથી ફુલાઈ ગયું હતું. અને એના ઉપર એક સમડીની નજર તાકી રહી હતી. સમડીને લેાભન થયું. લાવ, હું આમાંથી થાડું ખાઈ લઉં. એટલે અન ંત આકાશમાં સ્વતંત્ર રીતે ઊડતી સમડી એ મડદાને ખાવા માટે એકદમ નીચે ઊતરી અને એ મડદા ઉપર બેસી ગઈ.
"
મડદું પાણીના પ્રવાહ ઉપર છે. પ્રવાહ જોરથી વહી રહ્યો છે તે મડદું પણ સ્થિર નથી. એ પણુ પ્રવાહની સાથે તણાઈ રહ્યું છે. પણ મડદા પર બેઠેલ સમડીને બધું સ્થિર લાગે છે. કારણકે એનુ ચિત્ત ખાવામાં મગ્ન છે.
એણે તા પેલા મડદામાં ચાંચ મારી અને એનું માંસ ખાવા મડી પડી. મડદાની ગતિ
Page #6
--------------------------------------------------------------------------
________________
દિવ્યદીપ
ચાલુ છે ત્યાં સમડીને જરા ભાન આવ્યું અગર પણ ઉપગ નથી. માણસ બીજાઓને મરતાં તે એમ કહે કે છેડે ઉપગ આવ્યે; રે, આ જુએ છે પણ પિતાને વિચાર નથી કરતો. કિનાર તે નજીક આવે છે. જે હું નહિ ઊડું તો આ જ રીતે માણસે સમડીની જેમ આ આ મડદા ભેગી પાણીમાં હું પણ લપેટમાં આવીને મમતાના મડદામાં ચાંટી રહ્યા છે. એમ ન માનશે મરી જવાની. એણે પિતાની પાંખે તૈયાર કરી કે લેકે જાણતા નથી. બીજાને શિખામણ દેવા અને જોયું. હજુ કિનાર દૂર છે. હમણાં હું બેસે તે એમ જ કહે કે હવે તમે છૂટી જાઓ. ઊડી જાઉં છું.
પણ પિતાને વારે આવે છે ત્યારે એ એમ કહે પણ ઊડવાની ભાવના કરતાં ખાવાની લાલસા કે ભાઈ મારી સ્થિતિ તે હું સમજું. કારણકે બહુ જબરી છે. સ્વતંત્રતાના આનંદ કરતાં મારાં છોકરાંઓ, મારું કુટુંબ, મારા ભાઈઓ અને વસ્તુઓની મમતા બહુ તીવ્ર છે.
મેં જે વળગાડ ઊભું કર્યો છે એ બધું એવું સમડી સમજે છે કે ઊડ્યા વિના છૂટકો નથી.
વિકટ છે કે એકદમ ન છુટાય. જે નહિ ઊડું તો મડદાની ભેગી હું હમણાં જ માણસ જાગૃતિના પ્રભાતમાં પોતે પિતાની રીતે પછડાઈ જવાની છું. જ્યાં પાણીના કટકે કટકા વિચાર નહિ કરે તે એની સ્થિતિ એ થવાની જે થઈ જાય અને ધ્રુવો થઈને ઊડે ત્યાં આ સમડીનું સમડીની છેલ્લી ઘડીએ થઈ કાળના પ્રવાહમાં શું ગજું કે જીવી શકે? પણ પેલું આકર્ષણ, કયું માણસ તણાઈ જવાને. કાળને પ્રવાહ વાટ જોઈને આકર્ષણ? પેલું માંસ ખાવાનું આકર્ષણ, મમતાનું ઊભું રહેતું નથી કે આ માણસને થોડું બાકી આકર્ષણ, એ એટલું તીવ્ર છે, એવું આસક્તિવાળું રહી ગયું છે તે કામ પૂરું કરે ત્યાં સુધી છે કે એને સત્ય સ્પષ્ટ દેખાતું નથી. જરાક ખાઈ શેકાઈ જાઉં. કાળ તે ઝડપથી વહી જ રહ્યો છે. લઉં એમ કહી ફરીથી એમાં મોટું નાખ્યું ત્યાં હું કેકવાર મારા દીક્ષાના દિવસને યાદ કરું કિનાર આવી ગઈ. અને પાણીને પ્રવાહ, પિલું છું ત્યારે મને થાય છે કે એ દિવસોમાં જે જમ્યા મડદું, સમી સૌના ચૂરેચૂરા !
હતા એ આજે યુવાન થઈ ગયા છે, જે યુવાન - પિલા ત્રણ મિત્રોએ દૂરબીનથી આ દશ્ય જોયું. હતા તે વૃદ્ધ થઈ ગયા છે અને જે વૃદ્ધ હતા એ આ દશ્યની છાપ એમના ચિત્ત પર એટલી ઊંડી
સ્વર્ગે સિધાવી ગયા છે. કાળ માણસને કેવી રીતે પડી કે એકે તે પિતાની આત્મકથામાં આ
માપી રહ્યો છે. કાળ વહી રહ્યો છે છતાં માણપ્રસંગ લખ્યો.
સના મનમાં મમતાનું એક ખેંચાણ એવું પડ્યું
છે કે એને કારણે એ પૂર્ણ રીતે જાગતું જ નથી. માણસને સ્વતંત્રતા કરતાં મમતાનું આકર્ષણ
હા, કદીક એ જાગી જાય છે, કદીક કદીક એ કેવું તીવ્ર હોય છે અને તે કેવો ભ્રમ ખડા કરે છે!
સારા વિચાર પણ કરી નાંખે છે પણ ફરીથી એ માણસ પણ એવો જ છે. કાળરૂપી પ્રવાહ આવરણ આવીને એના ઉપર એવું બેસી જાય ઉપર આ દેહરૂપી મડદામાં સમડી જે સ્વતંત્ર છે કે પાછો એ રાગદ્વેષના કીચડમાં ખેંચી જાય છે. આત્મા બેઠો છે. કાળને પ્રવાહ તે વહે જ જાય માણસના મન ઉપર મમતા એવું આકર્ષક છે, કેલેન્ડર બદલાતાં જાય છે. જોકે વર્ષગાંઠ આવરણ લાવીને નાંખે છે કે એકવાર જાગૃત બનેલ ઊજવે છે. પણ ખરી રીતે તે ધૂંવાધારની નજીક આત્મા પણ પાછો ભુલભુલામણીમાં ફેંકાઈ જાય આવતા જાય છે. ધીમેધીમે પિતે તણાતા જાય છે છે. એ ભુલભુલામણમાં ફેંકાય કે એક વખત
Page #7
--------------------------------------------------------------------------
________________
દિવ્યદીપ
૭૧
નિવૃત્ત થયેલા આત્માને પણ પાછું પ્રવૃત્તિનું આસ્વાદ જ કયાં કર્યો છે ! પણ આ અશાંત જેતરું વળગી જાય છે અને એ પ્રવૃત્તિના જેત- ધમાલિયે આસ્વાદ નથી કરી શકે એટલા રામાં ખેંચાતો જાય છે. અંતે એવો અટવાય છે કે માત્રથી એને અનાસકત ન કહેવાય. આસકિત પિતાને માટે એક કલાક કાઢવો હોય તે પણ તે છે, પણ અવકાશ નથી. એ કાઢી ન શકે.
સુખ વસ્તુમાં નથી, તમારા ચિત્તમાં છે. એ જ્ઞાનીઓ પૂછે છે “આ માનવદેહ, જેને ચિત્તમાં જે શાંતિ ન હોય તે દુનિયાની સમગ્ર દેવતાઓ નમન કરે છે એવા માનવદેહને તું વસ્તુઓ આપી દેવામાં આવે તે પણ માણસ માત્ર આ આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં સુખી બની શકતો નથી. એટલે થેલી વસ્તુઓ પૂરે કરી નાખીશ? આ માનવદેહ જે દેવદુર્લભ ભલે મળે પણ તમે પ્રાર્થના એ કરે કે શાંતિ મળે. છે એવા આ માનવદેહને માત્ર તું થોડું ધન કેટલાક માણસની એવી માન્યતા હોય છે ભેગું કરવામાં. ચેડાં મકાનેને સંગ્રહ કરવામાં, કે હું નહિ હોઉં તે આ બધાંનું શું થશે એમ થડી પદવીઓ લેવામાં અને થોડીક વાહવાહ માની ધમાલ અને ધાંધલ કરતા હોય છે. પણ કહેવડાવવામાં સમાપ્ત કરીશ તે જીવનના સમગ્ર લખી રાખજો કે તમે નહિ હે તે જગત વિધુર દુઃખને નાશ કરનાર અને પરમ સુખની પ્રાપ્તિરૂપ નથી બની જવાનું. જગત તે એમ જ ચાલ્યા મોક્ષને કયારે મેળવીશ ?
કરવાનું છે. કેઈ એમ માનતા હોય કે હું નહિ આત્મદર્શન આ મૂળ વસ્તુની મહત્તા સમ- હાઉં તે શું થવાનું ! અરે ભાઈ! તું નહોતું જાવે છે. રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર અને તે પણ જગત ચાલતું હતું અને તું નહિ હોય નીતિશાસ્ત્ર ભૌતિક વસ્તુઓ તરફ દષ્ટિ રાખે છે.
તે પણ જગત ચાલવાનું છે. મોટા મોટા રાજાજ્યારે આત્મશાસ્ત્ર પારમાર્થિક સત્યને લક્ષ્યમાં
ધિરાજ ચાલ્યા જાય તે પણ રાજ્યના કારભાર રાખે છે. અહીં જ આ ભેદરેખા દેખાય છે.
બંધ થતા નથી, તો ઘરનો એક માણસ ચાલે
જાય તે શું થવાનું છે? આત્મશાસ્ત્રના પરિશીલનથી ચિત્તમાં શાંતિને,
એટલે કેઈ પણ બાબતમાં બહુ ધમાલ બુદ્ધિમાં વિવેક અને હૃદયમાં સંતેષને
કરવાની જરૂર નથી. એક જ નિર્ણય કરવાને કે ઉદય થાય છે.
મારે જે કાંઈ પ્રવૃત્તિ કરવાની છે એ બહુ શાંતિથી ચિત્તને શાંતિની જરૂર છે. “અરાજકત્ત૨ કુત્ત: કરવાની છે. કેઈ tension ની જરૂર નથી. અને મુલ” અશાન્તને સુખ કયાંથી? એ ખાવા બેસે એ શાંતિનું જીવન જેટલી ક્ષણે જીવાય છે, તે ખાવામાં ય એને આનંદ નહિ. અશાનિથી જેટલા કલાકે જીવાય છે અને જેટલાં વર્ષો છવાય ખાનારના મેઢાં ઉપર જે આનંદ ન હોય તે છે એ જ તમારું જીવન છે. બાકી બધું તે ઘણીવાર શાન્ત તપસ્વીના મોઢા ઉપર હોય છે. જીવન પૂરું કરવાનું છે. એનું કારણ એ કે એને ખાવાનું નથી પણ ગીરાજ શ્રી આનંદઘને તે ગાયું “આઠ ચિત્તમાં શાંતિ તે છે જ. ચિત્તમાં શાંતિ ન હાય પારકી ચોસઠ ઘડીયાં, દે ઘડીયાં તેરી સાચી, એવા, તાજમહાલની પાર્ટીમાં જઈ આવેલાને પૂછે પ્રભુ ભજ લે મેરે દિલ રાજી.” કે તમે શું ખાઈને આવ્યા? તે કહેશે ભૂલી ગયે. રાત દિવસ મળી આઠ પ્રહર છે એમાં જે કારણકે એ ધમાલમાં પડેલ હતું, વસ્તુને સાચી ઘડીઓ હય, શાંતિની ઘડીઓ હોય તે
Page #8
--------------------------------------------------------------------------
________________
૭૨
દિવ્યદીપ તે બે છે જેમાં પ્રભુને ભજતે ભજતો હું તને રાખી લેવું છે? ભલમનસાઈને આ દુરુપયોગ! રાજી કરે છે, અંદરવાળાને રાજી કરે છે. દેહ
આખી રાત અશાંતિમાં સૂતે સૂતે એ વિચાર નહિ, મન નહિ, મગજ નહિ પણ અંદરનાને
કરવા લાગ્યું. મને કહે કે રાખી લે, આત્મા કહે કે રાજી કરવાનું છે.
પાછી આપી દે મને કહે કે તારો મહિનો સારો થઈ મેં એવા માણુને પણ જોયા છે જે જશે, આત્મા કહે છે કે મહિને તારે બગડી જશે. બજારમાંથી પૈસે ખૂબ કમાઇને આવ્યા હોય. મને કહે છે કે આટલે પૈસે વારંવાર તને કયાં છતાં રાજી ન હોય. અંદર બેઠેલે કહે કે તું મળવાનું છે? પણ આત્મા કહે છે કે આવા ક્યાં કમાયે છે? તે તે લૂંટ કરી છે, બીજાને અન્યાયના પૈસાથી તું સુખી કયાં થવાને છે? છેતરી નાંખ્યો છે. ખીસાં તર હોય પણ જીવ આમ રાતભર ઘર્ષણ ચાલ્યા જ કર્યું ! અંદર બળ્યા કરતો હોય. અંદર એમ થાય કે મેં આ શું કરી નાંખ્યું?
આ વિવેક કોને જાગે? જાગૃત હોય તેને.
જેને આત્મા બુદ્દો બની ગયો છે અગર તે આવરણ એને રાજી કરવા એ જુદી વાત છે. એક
વડે પોતાની જાતને ગુમાવી નાંખી છે તેને તે ગરીબ માણસ હતે. બહુ જ વૃદ્ધ હેવાથી કંઈ
આ પ્રશ્નો ઊઠતા જ નથી. જે જાગૃત છે, જેને કામ નહેતે કરી શકતે. જરૂર પડે ત્યારે કોઈની
આવું ઘર્ષણ ઊભું થાય છે એને એ શુદ્ધિ લાવે પાસે માંગી લેતે. એક દિવસ સવારના એ ચાલ્યો
છે, પૂર્ણતા તરફ લઈ જાય છે. જતે હતે. એને એકદમ ભૂખ લાગી. સામેથી એક માણસ આવતો હતો. એનું ખીસું બહુ આ વૃધે સારી રાત ચિન્તનમાં વિતાવી, મોટું હતું. એમાં ચણુ ભરેલા હતા. આણે એની પ્રભાતે એ નિર્ણય સાથે ઊડ્યો. અને પેલા પાસે માગણી કરી. પેલાએ કહ્યું કે મારી પાસે સજ્જનની શોધમાં નીકળી પડયો. એ જે ઠેકાણે બીજુ તો કંઈ જ નથી, માત્ર ખીસામાં ચણું છે. સવારે ફરવા આવતો અને જે બાંકડા ઉપર બેસતે એણે હસીને કહ્યું, “ભાઈ ! ભૂખ્યાને બીજું શું ત્યાં ગયા. “લે, ભાઈ, આ તમારી ગીની !” જોઈએ?” એટલે એણે બેબો ભરીને ચણ પેલે આશ્ચર્ય પામી ગયો. “ગીની ! ક્યાંથી આપ્યા. એ ચણા લઈને એની ઝુંપડીમાં ગયે લાવ્યા ?” કહ્યું “તમે મને કાલે ચણ આપ્યા અને ખાવા બેઠે. જોયું તો એની અંદર એક એની ભેગી આ ગીની આવી છે.” પુત્રના સગપણ ગીની આવી ગઈ હતી ! આપનારના ખીસામાં પ્રસંગે આવેલી ગીની એના ખીસામાં જ રહી ગીની હશે તે ભૂલથી ચણા ભેગી આવી ગઈ. ગયેલી. એણે આશ્ચર્યથી પૂછ્યું “આવી ગરીબી એણે ચણ ખાધા અને ગીની કપડાના છેડામાં
છે છતાં તમને ગીની પાછી આપવાનું મન
કેમ થયું?” બાંધી રાખી મૂકી. એને રાતના સૂતાં સૂતાં " વિચાર આવ્યો. પેલા સજ્જને ચણ આપેલા, એણે કહ્યું “મારા ઘરમાં કજિયે થયે. ગીની જાણીને તો નથી જ આપી. ભૂલથી ગીની એક કહે “રાખે? બીજે કહે “આપી દે.” “પેલા આવી ગઈ છે. આ ગીની રાખી લઉં તે મહિનાઓ ભાઈએ પૂછ્યું “તમે તો કાલે કહેતા હતા કે હું સુધી મારે ચણું નહિ માગવા પડે. પણ અંદરથી એકલે જ છું અને મારી ખબર કાઢનાર કોઈ આત્મા કહે કે આ તે એક જાતની ચારી છે, નથી. અને હમણાં કહે છે કે ઘરમાં કજિય અન્યાય છે. એણે તને આપ્યું નથી છતાં તારે થયે. તે કજિયે કેની સાથે થયે?”
Page #9
--------------------------------------------------------------------------
________________
દિવ્યદીપ
૭૩
વૃદ્ધના ગાલ પર પ્રસન્નતાની સુરખી આવી. સાથે એકાકાર બનું છું તે જ સાચી અને સફળ ઘર એટલે શરીર. અને કજિયે મન અને ઘડીઓ છે. આત્મા વચ્ચે. એ બે ને કજિયે થયે. મન રાખ
તે આપણું જીવન કેલેન્ડરથી નથી મપાતું, વાનું કહેતું હતું. અને આત્મા આપવાનું કહેતા આવી ઘડીએથી મપાય છે. અને જીવન વર્ષોથી હતે. આખી રાત કજિયે થયે. એમાં મારા પર
નહિ, પણ આવી સુખદ અને આનંદમય પળેથી આત્માને વિજય થયે. મનને હરાવી દીધું એટલે
ધન્ય બને છે. આ ગીની આપવા હું આવ્યો છું.”
એવી નોંધપોથી હોય તો કેવું સારું ! જેમાં પેલા માણસને થયું આવા માણસને સંગ
સંતના સમાગમની મીઠી યાદ હોય, પ્રવચનની મને કામને છે. “હવે તમારે કઈ ઠેકાણે જવાની
ટૂંકી નેધ હોય, દાન દઈને દાનનો ઉત્સવ તમે જરૂર નથી. બે ટંક આવીને મારી સાથે જમે,
માર્યો હોય એનું શુભ સ્મરણ હોય. કેઈકવાર કલાક બે કલાક આવી જ્ઞાનગોષ્ઠિ કરે. તમારી
ઢળતી સાંજ હોય અગર ઊઘડતું પ્રભાત હોય વાણીને, તમારા સત્સંગને મને સંગ કરવા દે.
એવે વખતે તમે એ નોંધપોથી લઈને બેસે અને મારે અતિથિસત્કાર સફળ થઈ જશે.”
વાચતાં નાચતાં અનુભવે કે મારા જીવનની કિતા' એવા માણસે આપણી પડખે જોઈએ. જેમ
બમાં કેવા સુંદર પ્રસંગે પ્રતિષ્ઠા પામી ગયા ! નામાં મન અને આત્મા વચ્ચે વિવેક હાય, 3 4 ,
* એ સુંદર પ્રસંગે એ જ સાચું જીવન છે. એની ઘર્ષણમાં આત્માને જ વિજય હાય, આંતરિક
યાદ પણ અભુત આનંદ છે. જેમાં જીવન વિજયને આનંદ હોય.
યાદગાર બને છે. તમને પણ એ અનુભવ નથી થયો કે જે
જીવનમાં યાદ કરવા જેવું શું છે એ આપણે દિવસે સારું કામ કરીને આત્મા હસી જાય છે તે દિવસનો આનંદ એ જિંદગીને મોટામાં મેટે
સમજવાનું છે. યાદ કરવા જેવું આ શાંતિ, આ આનંદ હોય છે. એ આનંદ મેળવવા માટે જ
સંતોષ અને આ તૃપ્તિ. એ જ જીવનનાં મહત્ત્વસમગ્ર જીવનને પ્રયત્ન છે.
વાળાં સાર્થક ઉત્તમ તક છે. ઘણીવાર ધન, વૈભવ મળી જાય છતાં અંદરને અત્મિાનું દર્શન થાય પછી અર્થશાસ્ત્ર, રાજી નથી થતું. અંદરનાને રાજી કરવું એ સહથી ભોગશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિશાસ્ત્ર કઠિન વાત છે. બીજા બધાયને સમજાવી શકીએ અને રાજ્યશાસ્ત્ર - એ બધાં ય શાસ્ત્ર આત્મશાસ્ત્ર પણ એ નથી સમજત. કારણકે એ સૌથી વધારે આગળ સામાન્યશાસ્ત્ર લાગે છે. સમજે છે. બીજા બધા જે સમજે છે એના કરતાં બધાં જ દર્શને અને શાસ્ત્રોમાં સમ્રાટનું એ વધારે સમજે છે. સર્વજ્ઞ કેટિનો હોય તે તે સ્થાન ભેગવતું હોય તો આ આત્મદર્શન છે, આત્મા છે. તમારી દલીલે, તમારા તર્ક, તમારી આ આત્મશાસ્ત્ર છે. સમજણ, એને સમજાવી શકતાં નથી. અંદર છે આ આત્મદર્શન કરવા માટે આ ત્રણ ભૂમિકા એને સમજાવવા માટે તે પોતે પોતાની મૂળ છે. જે સંસારમાં તમે છે એમાંથી સમજીને અવસ્થામાં આવે તે જ એ સમજીને રાજી થાય છે. સરકવું એનું નામ સંસાર. ધીરે ધીરે સરકતા
એટલે આનંદધનજીએ લલકાર્યું “પ્રભુ ભજ જાઓ સમય આવે એટલે કહે “આ નીકળે! લે મેરે દિલ રાજી!” પ્રભુ! હું જ્યારે તમારી ચાલે!” આ સમજીને સરકવાનું કહેવાય. ભલે
Page #10
--------------------------------------------------------------------------
________________
૭૪
તમે એકદમ ન સરકી શકેા. પણ સરકવાનુ છે એ ભૂલશે નહિ.
ગાડી જ્યારે રીવર્સીમાં લેવાની હાય ત્યારે ડ્રાઈવર કેવા સાવધાન હેાય છે! કારણકે એને ગાડી ગલીમાંથી મહાર કાઢવી છે.
એમ આ સંસારરૂપી સાંકડી ગલીમાં જો તમે ભરાઈ ગયા હૈા તા સમજીને સરકતા જવું. ખીજો વિચાર જાણીને જીવવું. જેટલુ જીવન જીવે એ જાણીને જીવા. જાણીને જાગ્રતિથી જીવવું એનુ નામ જ જીવન. અને ત્રીજો વિચાર તે મમતાને મૂકી જીવનમુક્ત થવું એનું નામ મેાક્ષ છે.
જીવનદન કરવુ હાય તે આ ત્રણે ય વસ્તુને વિચારવી પડશે. સમજીને સરકનાર, જાણીને જીવનાર અને મમતાને સૂકી મુકત અનનાર જ પરમસુખને પામી શાંતિમાં પ્રતિષ્ઠિત થાય છે.
પાંખા ફૂટ વી જો ઇ એ મધમાખીનું જ્યારે બચ્ચું થાય છે ત્યારે તે તરતના જન્મેલા બચ્ચાને મધપુડાના એક છપૂણિયા ખાનામાં પૂરી દેવામાં આવે છે. તેના ખારાક માટે એજ ખાનામાં બચ્ચું મોટું થતાં સુધી તેને પોષણ મળે તેટલું મધ ભરી રાખવામાં આવે છે. પછી અચ્ચાને અંદર મૂકયા બાદ, ખાનામાંથી બહાર નીકળવાના દરવાજો મીણુ વડે ચાંદી લેવામાં આવે છે. અંદરનુ` તમામ મધ ખાઈ કરીને બચ્ચું માટું અને સશકત થાય ત્યારે તેને માટે બહાર ખુલ્લી હવામાં ફરવાનો સમય પાકી ગયા ગણાય છે, પણ બહાર નીકળવા માટે તેને દરવાજા પર ચાંદેલું પેલું મીણનું ઢાંકણું તાડવુ પડે છે. એ તેાડવા માટે તેને ભારે જહેમત ઉઠાવવી પડે છે અને તેનુ નાનું શરીર એ જહેમતમાં બધી બાજુથી ઘસાઈ જાય છે, પણ એ ઘસારાથી તેને એક લાભ એ થાય
દિવ્યદીપ
છે કે તેની પાંખા, જે શરીરના અંદરના ભાગમાં રહેલી હાય છે તે ઘસારાથી બહાર ફૂટે છે અને વિકસે છે. જ્યારે મીણનું ઢાંકણુ તાડીને મેટું થયેલું બચ્ચું બહાર નીકળે છે ત્યારે તેની પાંખા પણ તૈયાર થઈ ગયેલી હાય છે અને તેના વડે એ ખુશીથી ઊડવા લાગે છે.
એક વાર એક મધપૂડામાં થોડી ઉધઇએ પેસી ગઈ અને તેણે મધપૂડાનાં શ્રૃખૂણિયાં ખાનાંએ ઉપર ચાંટાડેલું મીણ કારી ખાધું. તેને લઇને અ'દરના બચ્ચાંઓ પેાતાના શરીરને જરા પણ કષ્ટ કે શ્રમ આપ્યા વિના કે ઘસારે સહન કર્યાં વિના ખાનાંઓમાંથી મહાર નીકળી ગયાં. પણ એ
બચ્ચાંઓને પાંખા ફૂટેલી નહાતી એટલે તેઓ ઊડી શકયાં નહીં અને મધપૂડાની બીજી માખીઓએ આવીને તે માંને મારી નાખ્યાં !
જિન્દગીમાં કશું કષ્ટ વેઠવું ન પડે, કશી જહેમત ઉઠાવવી ન પડે, શરીરનેા કશા ઘસારા સહેવા ન પડે, મનને કશી વેદના સહેવી ન પડે, એવી સુખમય, ગુલામની પથારી જેવી મુલાયમ જિન્દગી ભાગવવાનું જે તરુણાને ને યુવાનને મન થતુ હોય તેમણે આ વાત યાદ રાખવા જેવી છે કે બચપણથી એવી જિન્દગી જીવવાને ટેવાયેલા માણસને પાંખો ફૂટતી નથી અને દુઃખના પહેલા જ ઝપાટા આવતાં તેના સામના કરવાની અશક્તિને લઈને તેઓ લાચાર, નાહિમ્મત અને નિરાશ થઈને ખરમાદ થઈ જાય છે.
રામુ પરમાનન્દે ડાકુર
દિવ્યજ્ઞાનની ખીજા અને ત્રીજા વર્ષની ફાઇલ આઠ રૂપિયામાં આફ્રિસમાં આપવામાં આવે છે. પરંતુ પેાષ્ટથી મગાવનારે વી. પી.ના ખ' જુદે। આપવાના રહેશે.
-તત્રી
Page #11
--------------------------------------------------------------------------
________________
મી થી છેતરપીંડી
બાળકો પોતાની માતાને છેતરે એવી વાતો તો રાખી, અને ઘરનું બધું ય કામ હાથે કરવાનું ચાલુ આપણે ઘણીવાર સાંભળીએ છીએ, પરંતુ માતા રાખ્યું. સારાં વચ્ચે પણ તેણે ખરીદ્યાં નહિ. એને પિતાનાં બાળકોને છેતરે એવું તો ભાગ્યે જ આપણને માટે અમે એક એવી યોજના કરી હતી કે રજાઓમાં તે સાંભળવા મળશે. પણ હું એક એવી માને ઓળખું સમુદ્રકિનારે રહેવા જાય છે. પરદેશમાં પ્રવાસે જાય છું, જેણે પોતાનાં બાળકોને જિંદગીભર છેતર્યા હતાં. જેથી તેને આરામ મળે પણ તે આ બધી વાતોને તે મારી મા હતી.
કઈ ને કઈ બહાનાં કાઢીને ટાળતી. છતાંય દર
અઠવાઠિયે પેલો ચેક તો અમે તેને મોકલતાં જ. નાનાં હતાં ત્યારે અમે બહુ જ કપરા કાળમાં ઊછર્યા હતાં. કદાચ હાલનાં બાળકો એની કલ્પના વીસ વર્ષ પછી તેનું મૃત્યુ થયું ત્યારે અમે પણ નહીં કરી શકે. પણ અમે કારમી ગરીબી સહન વિચાર્યું કે આ બધા દિવસેમાં તેણે અમારા પૈસાકરી હતી. કોઈ દિવસ અંગ પર સારાં વસ્ત્ર પહેર્યા માંથી નવી રકમને પણ ખર્ચ કર્યો નથી એટલે નથી, ખોરાક પણ પેટ પૂરતો મળતો નહિ, પગમાં સારા એવા પૈસાની બચત તેણે કરેલી હોવી જોઈએ. જેડા તો ક્યારે ય જોયા નહોતા. ઘણી વાર તો ધરબાર વિના રસ્તામાં રાની રાતે અમે વિતાવતા. પણ અમે જઈને જોયું તો અમને ખબર પડી કે આ કપરો કાળ અમે વેઠ્યા કારણ કે અમારા પિતા માં પાસે તે સમ ખાવા એક પૈસે પણ નહતે. અમને સૌને છોડીને ચાલ્યા ગયા હતા.
અમને ખૂબ નવાઈ થઈ. જે ચેક અમે મોકલતા તેના
પૈસા તો એ જ ક્ષણે વપરાઈ જતા. આટલા બધા આ બધાં વર્ષોમાં પણ મારી મા મૂંઝાતી નહિ. પૈસા જતા ક્યાં ? માએ એક હિસાબની નોટ રાખી તે અમને ચારેને ખવડાવતી, પીવડાવતી, થાગડથીગડ હતી. એ જોઈ ત્યારે અમને ખબર પડી કે તેણે એક કરી કપડાં પહેરાવતી અને શાળામાં મોકલવાની વ્યવસ્થા નિર્વાસિત મંડળ સાથે ગોઠવણ કરી હતી કે તે પણ કરતી. આવી બધી મુશ્કેલીઓમાં તે પાંત્રીસની મંડળ દ્વારા યુરોપના ચારેક અનાથ બાળકોને પૈસા થઈ તે પહેલાં તે તેના વાળ સફેદ થઈ ગયા. આમ મળે, અને તેમનું ગુજરાન ચાલે. એ ચારે બાળકોને તે તે આનંદમાં રહેતી પણ તેની આંખોમાં ઊંડે ઊંડે તેણે પોતાના ઘરની આસપાસ એક ઘરમાં રાખ્યાં ભારેભાર નિરાશા દેખાયા કરતી. તેણે કયારે સારાં હતાં, અને વીસ વર્ષથી તેમને શિક્ષણ આપતી, વસ્ત્રો પહેર્યા નહોતાં કે જીવનમાં સુખનો અનુભવ માંદગીમાં તેમની સારવાર કરતી, અને બાળપણમાં કર્યો નહોતો.
તેમની મુશ્કેલીઓમાં તેમને મદદ કરતી. બે જણનાં
તે તેણે લગ્ન પણ કરાવી આપ્યાં હતાં. પછી અમે ચારે ભાઈભાંડ મોટાં થયાં. થોડુંક કમાતોધમાતાં થયાં. અમે સૌએ ભેગા થઈને નકકી આ નવાં ચાર સંતાનની વાત તેણે અમને
" કે દરેક અઠવાડિયે મારે સારા એવા પૈસા મોકલી કયારે ય કરી નહોતી. તેને એવો ડર હતો કે ફરીથી આપવા જેથી ૫૦ પછીનાં તેનાં રહ્યાંસધાં વર્ષો સુખ- સ્વેચ્છાએ તે ગરીબી સ્વીકારે એ વાત અમે કદાચ ચેનમાં વીતે અને પહેલાંના કપરા કાળને ફરી તેને મંજર ન રાખીએ. અને વાત સાચી છે. અમે એ ક્યારે ય અનુભવ ન કરવો પડે.
સ્વીકાર્યું હોત કે કેમ એ અત્યારે પણ હું ચેકસ
પણે કહી શકું તેમ નથી. પણ માએ જે જાતની જિંદગી જીવવા માંડી તેથી અમે ખૂબ નિરાશ થઈ ગયાં. આટલા બધા પૈસા માતૃત્વ એ સ્થાયી ભાવ છે. બાળકો મેટાં થાય મળવા છતાં માએ એના એ જ જૂના ઘરમાં રહેવાનું એટલે સ્ત્રી માતા નથી મટી જતી. ચાલુ રાખ્યું. નવું ઘર તેણે લીધું નહિ. ‘મને તે ઘરકામ કરવું બહુ જ ગમે” એમ કહીને કરડી ન
(‘સમર્પણ'માંથી)
Page #12
--------------------------------------------------------------------------
________________
વિ કા સ ની દિશા માં
ભૌતિકવાદ તરફ જઈ રહેલા આજના યુવાન જે માણસે સ્યાદવાદ અને અનેકાન્તવાદને જીવવર્ગને આધ્યાત્મિકતાનું આકર્ષણ અને ખેંચાણ કેમ નમાં ઉતારે છે અને બરાબર પચાવી જાણે છે એને રહે ? આ પ્રશ્ન ઉપર વધુ વિચાર કરતાં પૂ. ગુરુદેવની જીવનમાં કયાં ય દુ:ખ, કલેશ, વિષમતા, રાગ, દ્વેષ, પ્રેરણાથી અહિંસા અને અનેકાન્તવાદમાં શ્રદ્ધા ધરાવનારા કે કંધને અનુભવ થતો નથી. અને શ્રમણ સંસ્કૃતિના ચાહક એવા યુવાનોની વિશેષમાં જણાવ્યું કે જેને સાધુઓએ લખેલા સંસ્થાની સ્થાપના થઈ. અને પૂ. શ્રીના આશીર્વાદ
' ગ્રંથની જેટલી હસ્તપ્રતો મળે છે એટલી હસ્તપ્રતો
છે, સાથે તા. ૨-૭-૬૭ ના શુભ દિને Junior Divine
દુનિયાના કેઈપણુ ધર્મમાં મળતી નથી. આપણું ઘણું Knowledge societyની કાર્યવાહી શરૂ થઈ. સાહિત્ય અપ્રકાશિત રહ્યું છે. જયારે આવી હજારે એકવીસથી ચાલીસ વર્ષની વયના કોઈ પણ ગ્રેજ્યુએટ
હસ્તપ્રતો પ્રકાશિત થશે ત્યારે ભવિષ્યની પ્રજા એનું વાર્ષિક ફી રૂા. ૫૧/- આપી સભ્ય થઇ શકશે.
વિશેષ મૂલ્ય કરશે. આ સંસ્થાના ઉદ્દેશોની સમજણ આપતાં પૂ.શ્રી એ
આવા આવા ઘણા મુદ્દાઓ ઉપર એમણે કહ્યું કે Lions અથવા Rotary દ્વારા થતી સમાજ વિદ્રત્તાભય" વિવેચન કર્યું હતું. અને ચિંતનના પયોગી એવી ભૌતિક પ્રવૃત્તિઓ જ નહિ પરંતુ વાતાવરણ વચ્ચે પૂર્ણાહુતિ થઈ. આધ્યાત્મિક ક્ષેત્રે પણ સરખા વિચાર અને આચાર ધરાવનારી વ્યક્તિઓ મૈત્રીના બંધનમાં બંધાય અને
વ્યવહારશુદ્ધિ અને હૃદયશુદ્ધિને સંબંધ માનવતા અને દિવ્યતાને બહાર લાવે એવી સ્વ અને
શ્રી નાથજી સર્વની ઉન્નતિ સાધતી પ્રવૃત્તિઓ આદરે એ મુખ્ય આજે આપણે ચાલુ પ્રવાહને અનુસરીએ ઉદ્દેશ છે. અહિંસા અને અનેકાન્તનાવિચારેનેવિસ્તરતા છીએ. પણ દરેક વ્યક્તિ શુદ્ધ રહેવાનો નિશ્ચય અને જગતના ધર્મોના તત્વજ્ઞાનના વિચારોનો વિનિ
કરે અને તે પ્રમાણે પ્રયત્ન કરે તે ઇશ્વર તેને મય કરવા, વિદ્વાનોને નિમંત્રી જ્ઞાનસત્ર દ્વારા ભાવ સમન્વય સાધી, વિદ્વાનોના પ્રવચનોથી પ્રાપ્ત થયેલા
તેના પ્રયત્નમાં મદદ કરશે. અશુદ્ધિ એકદમ સાહિત્યનું પુસ્તકો દ્વારા પ્રકાશન કરી યુવાનોમાં આવતી નથી, તેમ એકદમ જતી નથી. ધીરે ધીરે આધ્યાત્મિક જાગૃતિ આણવી એ આ સંસ્થાને આવે છે અને પછી તેને દૂર કરવા માટે મહાન ઉદ્દેશ છે.
પ્રયત્ન કરવો પડે છે. વહેવાર ચલાવતાં કદી અશુદ્ધ Š. રમણભાઈ શાહે રવિવાર તા. ૧૭મી સપ્ટેમ્બરે વહેવારથી માણસને યશ અને સફળતા મળે છે. હિંદુ જીમખાનામાં જૈન દર્શન અને સાહિત્યની એટલે તે તેમાં વધારે ને વધારે ફસાતે જાય છે. વિશિષ્ટતાઓ ઉપર વિવેચન કરતાં સમજાવ્યું કે આપણે મનથી અશુદ્ધ થયાં એટલે વહેવાર પણ ભગવાન મહાવીરે બધી જ અવસ્થાની અને જુદા જુદા અશદ્ધ થયે. હદય મલિન થવાથી આપણાથી જે અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ માટે વિચારીને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી જેથી દરેક કક્ષાને મનુષ્ય
- કાંઈ ક્રિયા થાય તે ખરાબ જ થાય. મન ખરાબ પોતાની શક્તિ પ્રમાણે સાધના કરી શકે અને કોઇને ન હોય તે અશુદ્ધ ભાવ પેદા ન થાય. મન શુદ્ધ નિરાશ થવાનું રહે નહિ. સાધુ અને શ્રાવકો માટે થયું છે કે નહીં તેનું દર્શન તેની ક્રિયાથી થાય છે. જુદાં જુદાં વ્રતો બનાવ્યાં. બાળ બ્રહ્મચારી જ સાધુ ભૂમિ કહેતી નથી કે તે કેવી છે. પણ અંકુર ફૂટે બનવાને યોગ્ય છે એવો આગ્રહ ન રાખ્યો પણ એટલે માલૂમ પડે છે કે તે કેવી છે. તેવી રીતે મન એક દિવસને દીક્ષા પર્યાયવાળા સાધુ પણ ક્યારેક કેવું છે તેનું દર્શન ઇન્દ્રિ દ્વારા થતાં કર્મોથી મોક્ષને અધિકારી બની શકે છે. તેવી જ રીતે ભાવ થાય છે. આંતર અને બાહ્ય ઇન્દ્રિયની શુદ્ધિથી પૂર્વક એકવાર નવકારમંત્ર ગણનાર પણ તરી જાય. એટલે જૈનધર્મમાં ધર્મ પ્રત્યે અભિમુખ થવા માગતી
જીવન શુદ્ધ થશે. વહેવારશુદ્ધિ માટે હૃદયશુદ્ધિની વ્યક્તિ મંડી પડતી નથી.
આવશ્યકતા છે. હૃદયશુદ્ધિ માનવજીવનનું ધ્યેય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
)
નથી. કાનુનની પાછળ દંડ પડ્યો છે. પ્રેમની સમાચાર સાર )
પાછળ કર્તવ્યભાવ છે. માટે જ્યાં સુધી પ્રેમથી રાજ્ય ચલાવી શકાતું નથી ત્યાં સુધી કાયદાની
આવશ્યકતા જરૂર રહેવાની. સમસ્ત દેશની પ્રજામાં નૈતિક જાગૃતિ કેમ
આજે બધાના મનમાં એક જ સવાલ ઉપલાવવી તે અંગે વધુ વિચારણા કરવા જાણતા
સ્થિત થાય છે કે સંઘર્ષને બદલે સહયોગ, સહકાર સર્વોદય કાર્યકર શ્રી શંકરરાવ દેવ પૂ. ગુરુદેવશ્રીને
લાવવા માટે શું કરીએ? આજે જે પ્રાપ્તવ્ય છે, ડા દિવસ પહેલા કેટના ઉપાશ્રયે મળ્યા હતા.
જન્મસિદ્ધ હક છે તેની વચ્ચે દિવાલરૂપે પુરોહિતજાગૃતિ લાવવા માટે જનતા અને સરકાર શાહી અગર તે tax collection આવે છે. જે એક લક્ષ્ય થાય પછી જ ઉદ્યોગપતિઓને ચાહે છે અને જેને ચાહવાનું છે તેની વચ્ચે સહકાર સાધી શકાય.
પુરેણિતશાહી આવીને કહે છે કે પહેલાં મારા આજે સમસ્ત પ્રજાને educate કરવાની હાથ ભરે, પહેલાં નૈવેદ્ય મને ધરે. જરૂર છે. પ્રજાનું હિત શેમાં છે તેની જાણ આજે ગાંધીજીને આપણે એક માનવ તરીકે . આમપ્રજાને જરૂરી છે. અને તે માટે જેઓ તટસ્થ યાદ કરવાના છે અને નહિ કે મહાત્મા તરીકે. હોય એવાં બળોની જરૂર રહેવાની. આવી તેમનું પુણ્યસ્મરણ મહાત્માના રૂપમાં કરીશું તે વ્યકિતઓ જેઓ સહુના શ્રેય માટે પ્રયત્ન કરતી માળા પહેરાવીને બધું સમાપ્ત થશે. એ મંદિરમાં હોવાથી વખતોવખત મળતી રહે. એમાં વિદ્વાને નહિ માણસમાં વસે છે. જે ગાંધીજી એક માનવ પ્રેફેસરને પણ સમાવેશ થવો જોઈએ. તરીકે સારા હતા તે હું પણ એમના જ જે
અંતમાં પૂ. ગુરુદેવે પિતાના વિચારો વ્યક્ત સારો કેમ ન થઈ શકે એમ વિચારીએ. કરતાં જણાવ્યું કે જે destructive force છે કે જાગૃત થશે તે જ એ લેકતંત્રની તેને onstructive કરવાનું છે. જે તેડતાં જાણે રક્ષા કરવામાં મદદગાર બનશે. તે માટે man છે તેને જોડતાં શીખવવું પડશે. સર્જનમાં શાંતિ to man approach થવો જોઈએ. જોઈએ. વિસર્જન અશાંતિમાં થઈ શકે. સર્જને આજે આપણે representativeને select તે શાંતિ માગે છે.
કરીને સૂઈ જઈએ છીએ. એને લાભ એ ઉઠાવે વિવિધક્ષેત્રની વ્યક્તિઓના એક વર્નલ સમક્ષ
છે. ખરી રીતે તે આપણે ચૂટેલા પ્રધાને આપણાં રવિવારે તા. ૧-૧૦-૬૭ના સવારે સાડાદસ વાગે
હિત તરફ દુર્લક્ષ સેવે તે આપણે ભેગા મળીને
એમને કાઢી શકીએ. કેવી રીતે ? communityના પૂ. ગુરુદેવના અધ્યક્ષમાં શ્રી શંકરરાવ દેવે
privileges જે એમને મળતા હોય તે પાછા જાગૃતિ અંગે પિતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
લઈ લેવા. એમને ત્યાં કઈ પણ પ્રસંગ હોય આજે બધા અશાશ્વત પરિસ્થિતિમાં છે. કેઈ
ત્યાં હાજરી ન આપવી. ક્ષેત્ર એવું નથી કે જેમાં crisis નથી, સંકટ નથી.
24107 2108 Hal law is the power. બધે સંઘર્ષ અને અસંતોષ છે. સંઘર્ષથી મુકત
એ પણ બધા ભૂલી ગયા છે કે અસલી power થવા માટે સંઘર્ષને ખલાસ કરવો પડશે.
community માં છે. આજે આપણે સમાજમાં કાયદા વધતા જાય ગાંધીજી સામને કરી શકયા. ગોળી ઝીલવા છે. Love હોય ત્યાં Law શા માટે? જ્યાં પ્રેમ છે પિતાની છાતી ઉઘાડીને પડકાર કર્યો અને જનતાને ત્યાં કાનુન નથી અને જ્યાં કાનુન છે ત્યાં પ્રેમ જગાડી.
Page #14
--------------------------------------------------------------------------
________________
૭૮
પરંતુ આજે આપણે Community ની strength ભૂલી ગયા છીએ. અને આપણે ભૂલ કરનારને માન આપીએ છીએ એ જ આપણી ભૂલ છે.
આવા Silent protestની જરૂર છે. સત્તા ઉપર ગયેલા ભૂલ કરે, આપેલ વચન ન પાળે તેના સમાજ અસહકાર કરે, એને માન ન આપે તો એ એની મેળે જ મોણુ જેવા થઈ જાય. મનુષ્ય માત્ર અન્ન ઉપર જીવી શકતા નથી. લેાકેષણા પણ એક ખૂબ ખળવાન power છે.
Real power lies in the community. Let the community organise the conscience. No body can go against the conscience of the community.
માટે જ આપણામાં જાગૃતિ લાવવાની છે. Each individual must be made aware of his capabilities.
*
પૂ. ગુરુદેવની પ્રેરણાથી આજથી આઠ મહિના પહેલાં બિહારમાં શરૂ કરવામાં આવેલાં માનવ રાહત કેન્દ્રો તા. ૧૫મી સપ્ટેમ્બરે મધ કરવામાં આવ્યાં છે. ત્યાંની અનગ્ન, અજ્ઞાન અને દુઃખથી પિડાતી એવી પ્રજાની મૂક સેવા કરવા માટે ગયેલા પરિવારના કાર્ય કર્તાઓ તેમજ મુંબઈથી ડિવાઇન નેાલેજ સેાસાયટી તરફથી મેાકલેલા નવયુવાનેાએ કરેલી સેવાને અભિનંદન આપ્યા વિના રહી શકાતું નથી.
જીવનમાં પ્રેમને જાળવળે
માણસના મનને પ્રેમ સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. માનવી પ્રેમથી જ સંતુષ્ટ ખની શકે છે, અને જીવનમાં શાંતિ અનુભવી આગળ વધી કંઈક કરી શકે છે. પ્રેમ વિના માનવી મુંઝાય છે, અને કંઇ કરી શકતા નથી, તેનામાં હતાશા
દિવ્યદીપ
આવી જાય છે. આજે આપણે કંઈક હતાશાનું વાતાવરણ જોઇએ છે તેનું કારણ પણ આ જ છે. મેાટા ભાગના માણસા પાતપેાતાના સ્વા માં રચ્યાપચ્યા રહે છે. અને સ્વા માં તેઓ એટલા મધા અંધ અની જાય છે કે, ત્રીજાના વિચાર પણ કરી શકતા નથી અને પ્રેમ આપી શકતા નથી. જે કંઇ કંગાલિયત અને અસતેષ નજરે પડે છે એનુ મુખ્ય કારણ કઇક આ જ છે. પ્રેમમાં સમભાવ, દયા, ઉપકાર જેવા ગુણા આપેઆપ આવે છે, એટલે જો પ્રેમનું વાતાવરણ સર્જાય તે આપોઆપ આ જે દુઃખનૢ પરિસ્થિતિ જણાય છે તે દૂર થાય, અંધકાર અને નિરાશાના વાદળા પણ વિખરાય.
નાનામાં નાના માણસને જો પ્રેમ અને સહાનુભૂતિ અપાય તે એક નવી તાકાત, નવું વાતાવરણ અને નવું સૌન્દર્ય ખીલે. આમ જીવનનુ પરમ સૌન્દ્રય પ્રેમમાં અને સહાનુભૂતિમાં છૂપાયેલુ છે. માણસ માત્રને સૌંદર્યાંની ભૂખ હોય છે. પરંતુ આ સૌન્દર્ય ને જન્મ આપે છે પ્રેમ કેવળ પ્રેમજ. કોઈકે સાચે જ કહ્યુ છે કે, જીવનમાંથી પ્રેમ લઇ લેા તે સ્વજનના રૂપરંગ જાણે બદલાઈ જશે, એ પછી આકાશની ચાંદની સળગતી લાગશે બાગના મનરમ્ય રૂપાળાં ફૂલા અગારા જેવાં જણાશે. જે ઘરમાં હદય શાતા પામતું હતું તે ખાવા ધાશે ને ગઇકાલના પ્રિયજનાની આંખ ગમશે નહીં આમ પ્રેમની વિદાય સાથે જ આખી સૃષ્ટિ જ જાણે પલટાંઇ જશે. પછી તે ચારેબાજુ શંકાનું સામ્રાજ્ય વ્યાપશે. એમાંથી ઇર્ષાના તણખા ઝરશે ને છેલ્લે દ્વેષના ભડકા જ તમારા ભાગમાં રહેશે. વિશ્વની સુંદરતામાં કશે જ ફેર પડ્યો નહીં હાય, પરંતુ તમારે માટે સત્ર કુરૂપતા વ્યાપી જશે. જીવનનું સૌન્દય જાળવવુ હાય તા પ્રેમને જાળવજો. એથી તમે તેા સુંદર લાગશેા જ પણ જ્યાં જ્યાં દૃષ્ટિ ફૂંકશો ત્યાં બધું સુંદર ખની જશે.
Page #15
--------------------------------------------------------------------------
________________
The Aroma of Peace When the sandal-stick meets the fire, the atmosphere becomes surcharged with the perfume effused thereby. Similarly when speech is made one with behaviour, the fragrance of peace would emanate therefrom!
From · Lotus Bloom'
by Chitrabhanu
* શાંતિને પરિમલ અગરબત્તીને સંગ અમિ સાથે થાય તે જ એમાંથી સુવાસભરેલું વાતાવરણ સર્જાય, તેમ વાણુને સંગ વર્તન સાથે થાય તે જ એમાંથી શાંતિને પરિમલ પ્રગટે.
સૌરભમાંથી
With Best Wishes
from
Ramnord Research Laboratories Ltd.
77. Dr. A. B. Road, Worli, Bombay 18.
Page #16
--------------------------------------------------------------------------
________________ તા. 20-10-67 દિવ્યદીપ રજી. ન. એમ. એચ. ૫ર દિવ્ય પ્રાર્થના આટલું સમજી લે. એ તમારાથી જુદા છે કાં ? અને સંસ્કારે, વિચારે, વિદ્યાએ, આચાર, સંકટને વખતે મારું રક્ષણ કરે એ મારી પ્રાર્થના વ્યવહારે, તમારાથી એ હલકાં કાં ? નથી, પણ સંકટ જોઈને ડર નહિ એટલે હું ‘તમે ઉંચા, એ ની ચા. એ સાચું છે ને ?' ઈચ્છું છું. પણ હવે તમને એક બીજો પ્રશ્ન પૂછું : “મારા મિત્ર ! તમે આ જે કાપડ પહેરે છે તે તમે વધ્યું છે ?' એમ નથી ઈચ્છતા કે દુઃખ - તાપથી મારું ના. મેં એ વધ્યું નથી, પણ મેં એના પૈસા ચિત્ત જે વ્યથિત થાય તે તું મને સાંત્વન આપજે, આપ્યા છે.” પણું દુઃખે પર હું વિજય મેળવી શકું એવી શકિત અને તમે જે ઘરમાં રહે છે તે ઘર તમે પોતે મારામાં હોય તેમ હું ઈચ્છું. આવશ્યક સહાયતા ભું કર્યું છે કાં ?" મને ન મળે તો હું હિંમત ન હારું, મારું બળ ક્ષીણ 2 “ના, મેં ભભું કર્યું નથી, પણ મેં એના ન થાય એટલું જ હું માગું છું. પૈસા આપ્યા છે.” વ્યવહારમાં મને હાનિ થાય, મને લૂંટે તે પણ “અને તમે જે ધાન્યનું ભેજન યો છે, તે ધાન્ય ખેતરમાંથી તમે જ પેદા કર્યું હશે !" મને પરવા નથી, પણ હિંમત હારીને “હવે હું શું “ના. હું પેદા કરી શક નથી. મને એ વખત કર', મારું સર્વસ્વ લુંટાઈ ગયું.' એમ કહીને રેવા કયાં છે ? પણ મેં એના પણ પૈસા આપ્યા છે.” ન બેસું એટલું જ હું માગું છું. ' “અને આ તમારી છબીઓ, ફનચર રંગરોગાન, વિનાશના પ્રવાહમાં હું તણાઈ જાઉં તો તું સુખ-સગવડ એ તે મને લાગે છે તમે જાતે જ 9 કર્યા હશે ? મારું રક્ષણ કરજે, મને બચાવી લેજે એવી પ્રાર્થના 2 “ના. એ પણ કર્યા છે તો બીજાએ. પણ મેં હું નહિ કરે, પણ પ્રવાહમાં વહી જવાનું મારું એના પૈસા ભર્યા છે.' બાહુબળ સલામત રહે એટલું જ હું તારી પાસે છે. ત્યારે તો મારા મિત્ર ! તમારું આખું જીવન માગું છું. સવારથી સાંજ સુધીનું બીજાના આધારે અને બીજાના સહકારે ચાલે છે અને છતાં તમે તે કહે છે : એ મારા પર જે બને છે તે હલકો થાય એવી ' જુદા, અમે જુદા. એ હલકા, અમે ઉંચા. એ અણઘડ, સહાયતા હું નહિ ઈછું, પણ જેટલો છે જે મારા * અમે ઘડેલા. એ ગરીબ, અમે શ્રીમંત. પણ હું તમને પર આવી પડે તે ઉઠાવવાની મને શકિત પ્રાપ્ત કહું છું મારા મિત્રો ! જે પૈસા તમને તમારા ભાઇથાઓ એમ હું માગીશ. એથી જુદા પાડે છે એ પૈસા તમે કયાંથી રાયા ? આકાશમાંથી પૈસાનો વરસાદ તો પડતો નથી ત્યારે સુખને સમયે ગમ્મત ન થતાં, નમ્રતાથી તેને તમે પૈસા કમાયા કયાંથી ?? ઓળખી શકે અને જ્યારે દુઃખની વાત આવે, “પૈસા તે બુદ્ધિથી મળે છે, બુદ્ધિ હોય એને માટે સર્વત્ર અંધારું છવાઈ જાય અને પગ તળેની ધરતી પૈસા હાથને મેલ છે !" પણ ખસી જવા લાગે તે વખતે પણ હું તારા " ‘ત્યારે તમે સિક્કા વડે માલ ખરીદે છે. બુદ્ધિ પરની શ્રદ્ધા ગુમાવી ન બેસું તારા માટે મારા વડે સિક્કા પાડે છે અને સિક્કાના સંગ્રહ વડે તમારી જાત બીજાથી ઊંચી બની રહે છે. તમે વિચાર કર્યો મનમાં સહેજ પણ સંદેહ પેદા ન થાય એટલું જ છે કે આ સિક્કા નહિ હોય ત્યારે તમે કયાં હશે ?' હું માગું છું. ‘ત્યારે મારા મિત્ર! તમે આટલું સમજે કે સિક્કા - કવિવર રવીન્દ્રનાથ ઠાકર નહિ, શ્રમ એ માણસનું સાચું ધન છે અને એ માણસને જુદા પાડવા માટે નહિ, પાસે લાવવા મળે છે. ખલિલ જિબ્રાન મુદ્રક, પ્રકાશક અને માના સંપાદક શ્રી ચંદુલાલ ટી. શાહ, લિપિની પ્રિન્ટરી મુંબઈ નં. 2 માં છપાવી, ડીવાઇન નોલેજ સોસાયટી (દિવ્ય જ્ઞાન સંઘ) માટે લૅટીન ચેમ્બર્સ, દલાલ સ્ટ્રીટ, મુંબઈ નં. 1 માંથી પ્રગટ કર્યું છે.