Page #1
--------------------------------------------------------------------------
________________
ચૂંટણી પદ્ધતિની ભયંકરતા
૧. ચૂંટણીની પદ્ધતિ આપણા દેશમાં ન હતી, પણ સુયોગ્યની પસંદગી કરવાની પદ્ધતિ હતી અને યોગ્ય વ્યક્તિની નિમણુક કરવામાં આવતી હતી. જેમાં આજે પણ ગવર્નર આદિની જગ્યાએ લાયક વ્યક્તિને જવાબદારીના કામો પર નિયુકત કરવામાં આવે છે.
૨. આપણા દેશમાં ચૂંટણી પદ્ધતિ ન હતી. એનું કારણ એ હતું કે, આપણે ત્યાં વાલીપણાનો (Guardianship) સિદ્ધાંત છે. કાયમી હક્ક કોઈનો નથી. જેથી મૂડીવાદ, મજૂરવાદ વગેરે કોઈ વાદનો પ્રશ્ન ન હતો.
૩. વાલી એટલે પ્રત્યેક જવાબદાર વ્યક્તિઓ પોતાની સંપત્તિ અને અધિકારો ઉપર પોતાનું સત્તાધીશપણું માનતા ન હતા. એ બધું યુરોપની પ્રજાના સંપર્કથી આપણે ત્યાં પ્રચલિત થયું. ગોરી પ્રજાએ પોતાના સ્વાર્થને લક્ષમાં રાખી આ દેશમાં આ બધું ઊભું કર્યું છે.
૪. બીજા કૃત્રિમ સ્થાપિત હિતોનો નાશ કરવાની નીતિ આ પ્રચારાઈ રહી છે અને ખેડૂતો અને મજૂરો વગેરેના કામચલાઉ સ્થાપિત હિતોનું પુનઃ નિર્માણ થઈ રહ્યું છે.
વાલીપણાની પદ્ધતિમાં ખેડૂતો પ્રજા માટે અનાજ પેદા કરતા હતા. આ જ ખેડૂતોને એમના વ્યવસાયના માલિક બનાવાય છે. તેમજ એમને પુરતી કિંમત મળે ત્યારે જ અનાજ વેચે. એમની મરજી હોય ત્યારે જ વેચે, વગેરે સ્થાપિત હિતો એ માટે નક્કી સ્થાપિત કરાવાય છે કે ભારતવર્ષમાં યાંત્રિક ખેતીનો વિકાસ કરવાની આંતરરાષ્ટ્રીય નીતિ ચાલુ થઈ છે. એટલે એને અનુકૂળ કાયદાઓ અને વિવિધ યોજનાઓ પોતાની મરજીથી પોતાની મેળે અમલમાં લાવે અને એમને ખૂબ પૈસા મળે.
છે પરંતુ આમાં ભારતની સમગ્ર પ્રજાને શું શું નુકશાન થશે એની કલ્પના પણ કયાંથી હોય? મનમાની કિંમત મળે તો જ અનાજ વેચવાની વાત ખેડૂતોને શિખવાડાઈ રહી છે. એનું પરિણામ એ આવવાનું કે દરેક ખેડૂતની પાસે દસ દસ મણ અનાજ નો સંગ્રહ થાય અને એ રીતે લાખો ખેડૂતો પાસે ઘણું અનાજ સંગ્રહિત થવાનું અને અનાજ બજારમાં ન આવવાથી અનાજની તંગી અને ભાવ કેટલાય વધી જવાના. વાલીપણાની પદ્ધતિમાં આ પરિસ્થિતિ નહોતી સર્જાતી. મધ્ય યુગમાં ખેડૂતો ગરીબ હતા એ વાત સત્ય છે પણ એનું કારણ બ્રિટિશરોની વ્યાપારી નીતિ અને રાજ્યકર્તાઓને અલગ રાખી પોતાની સત્તાની જમાવટ કરવાની નેમ હતી.
જેમ ખેડૂતો વાલીપણાના સિદ્ધાંતની રએ કષ્ટ સહીને પણ પ્રજાને માટે અનાજ ઉત્પન્ન કરતા હતા, એ જ રીતે એ જમાનામાં બેંકો ન હતી ત્યારે સરાફો પ્રજા માટે વાર્ષિક ઉત્પાદન વધારવા ધનનો સંચય કરતા હતા અને જરૂર પડતી ત્યારે ઉધાર આપીને ઉત્પાદનમાં મૂડી રોકતા હતા.
રાજાઓ પણ પ્રજાના સંરક્ષણ માટે પ્રાણ સુદ્ધાં આપતા હતા, અને ધર્મગુરુઓ પણ યોગ્ય
Page #2
--------------------------------------------------------------------------
________________
Chenna
જીવનનું માર્ગદર્શન અને સદાચારાદિ મૌલિક ભાવો સમજાવતા હતા. બ્રાહ્મણો પણ પ્રજાના સંસ્કારો ટકાવવા માટે યોગ્ય જીવન જીવતા હતા. એટલે કે પ્રજાના નાના-મોટા બધા જ લોકો પરસ્પર સહયોગ અને સહકારથી જીવન જીવતા હતા.
૫. યુરોપીયન લોકોએ ઈસ્વી સન ૧૪૯૨ની જાહેરાતના આધારે સંસાર સમગ્રના જળસ્થળ ઉભય માર્ગો પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા વિશ્વમાં ચોમેર ફેલાઈ જવાની નીતિ અપનાવી હતી અને જ્યાં જેવી પરિસ્થિતિ જોઈ ત્યાં તેવી નીતિ અખત્યાર કરી. પોતાનો સ્વાર્થ સાધવા મજબૂત અડ્ડો જમાવ્યો અને એવો કુટ પ્રપંચ ચલાવ્યો કે જેથી પોતાના હિતોને અનુકુળતા અને પોતાના આદર્શને બળ મળે. આ રીતે ભલે દેશની ઉન્નતિ થતી દેખાય પણ દેશની સ્થાનિક પ્રજા નિર્બળ બનતી ગઈ.
૬. યુરોપીયનો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ભારતના જે સ્થાનિક લોકો વાલીપણામાં અગ્રેસર હતા અને અગ્રેસર બનતા હતા, એ લોકોને માલિક અને કામચલાઉ સત્તાધીશ બનાવી પોતાની સ્વાર્થનીતિમાં એમના તરફથી જરાય વાંધો ન આવે એવી ગોઠવણ કરી હતી. ફલસ્વરૂપે કૃત્રિમ રીતે ભારતમાં હિતોના વાલીપણાને સ્થાને વાલી વર્ગને સ્થાપિત હિતવાળા બનાવ્યા બાદ, એમની મારફત જ એમની સત્તાનો દુરુપયોગ કરાવીને સામાન્ય પ્રજાનાં મનમાં એ વાલીવર્ગની બીજી ત્રીજી કે ચોથી પેઢી માટે અરૂચિ ઉત્પન્ન કરાવી દીધી.
કારણ કે આ વાલીવર્ગને સત્તાથી અને પ્રજાના જાહેર જીવનથી અલગ કરવો એ યુરોપીયનોને પોતાના સ્વાર્થની પૂર્તિ માટે જરૂરી હતું.
એટલા જ માટે લોકશાસન, મતાધિકાર, ચૂંટણી, બહુમત આદિ શબ્દો દ્વારા ડેમોક્રેસી પદ્ધતિ ચાલુ કરી. એનો પ્રાથમિક પ્રચાર દેખાવ પુરતો એ લોકોએ પોતાના દેશોમાં પણ કર્યો અને પછી વકીલ વગેરે આધુનિક શિક્ષણ અને આદર્શોને પસંદ કરનારા ભારતીય લોકોને પ્રતિષ્ઠિત બનાવી એમના દ્વારા આ પદ્ધતિનો પ્રચાર કરાવ્યો.
૭. ભારતમાં વાલીપણાની સંસ્કૃતિનું મૂળ, વિશ્વ વત્સલ વિશ્વકલ્યાણકર મહાપુરુષોએ પ્રજા ઉત્તમ રીતે જીવન જીવી શકે એ ઉદેશથી સ્થાપિત કરેલી ચાર પુરુષાર્થમય સંસ્કૃતિમાં હતું. આ સંસ્કૃતિ પ્રજાના જીવનમાં રૂઢ બની ગઈ હતી અને એના આધારે જવાબદાર વર્ગને પ્રજાના હિતની જવાબદારી બંધારણીય અને સત્તાની મર્યાદાના રૂપમાં સોંપવામાં આવી હતી. અર્થાત મૂળભૂત તીર્થકરાદિ મહાવાલીઓથી નાના મોટા વાલીઓની પરંપરા ચાલુ થઈ. બાળકોના સંરક્ષણની જેટલી જવાબદારી માતાપિતાને સ્વાભાવિક છે. એટલી જ વાલીઓની પરંપરામાં પ્રજાના હિતની જવાબદારી સ્વાભાવિક હતી.
એક અત્યંત વિચારણીય પ્રશ્ન એ છે કે લોકો અરજી કરે અથવા બહુમતીથી ઠરાવ કરીને મોકલે ત્યારે એમનું માનેલું હિતકારી કાર્ય કરવું ઠીક છે? કે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી ભાવિ હિત ખ્યાલ રાખી પ્રજાને ઉત્તમ માર્ગદર્શન આપવું ઉચિત છે.' આ બેમાંથી કઈ પદ્ધતિ સારી? વિચાર કરશે તો બીજી પદ્ધતિ ઉત્તમ તરીકે સર્વ કોઈને માન્ય થશે.
Page #3
--------------------------------------------------------------------------
________________
૮. ભારતમાં મહાપુરુષોની આજ્ઞા મુજબ ચાલવાથી સાદુ (Simple) અને સંચયી તેમજ મર્યાદાશીલ જીવનમાં સઘળો ઉચિત વ્યવહાર વિર્વિબે ચાલતો હતો.
૯. પરંતુ પોતાની સત્તા સ્થાપિત કરવા માટે પ્રભુઆજ્ઞાથી તદ્દન વિરોધી મતાધિકાર પદ્ધતિને ઈસ્વી સન ૧૮૮૦ થી કાયદાનું રૂપ આપીને યુરોપિયન સત્તાએ ચૂંટણીનો પ્રચાર ધીરે ધીરે મ્યુનિસિપાલટી અને સરકારી ધારાસભાઓમાં કરીને લોકોને આ પદ્ધતિથી વિશેષ પરિચિત કર્યા
૧૦. વિશ્વવત્સલ મહાપુરુષોની વિશ્વ કલ્યાણકારકતા અને એ મહાપુરુષોના અનુયાયી કે જે પ્રજાના વાસ્તવિક હિતચિંતક હતા, એમને ખસેડવા માટે આ ચૂંટણીનો કાયદો બનાવવામાં આવ્યો છે.
૧૧. ભારતીય નવા બંધારણમાં વિશ્વ વત્સલ અહિંસક સંસ્કૃતિ વિનષ્ટ કરવામાં આવી છે. તેમજ બંધારણના આધારે ચૂંટણી અને બહુમતીથી કામ કરવાનું દબાણ કરવામાં આવે છે.
* સામાન્ય જનતા “અમારી ઈચ્છાનુસાર ચૂંટાયેલા સભ્યોથી રાજ્ય શાસન અમારી ઈચ્છાનુસાર ચાલશે.” એમ સમજીને ચૂંટણી કરે છે, પરંતુ કાયદાની પરાધીનતા તો બધાને રહે જ છે.
કાયદો - વિધાન પણ પદ્ધિતપૂર્વક યોગ્યતાનુસાર ચૂંટણી કરીને સ્વીકારાયો નથી. માત્ર દેખાવ એવો કર્યો કે પ્રજાની ચૂંટણી દ્વારા સ્વેચ્છાપૂર્વક કાયદાનો સ્વીકાર થયો છે.
૧૨. અર્થાત ભારતીય નવું વિધાન - બંધારણ વિદેશીય આદર્શો પર તૈયાર થયું છે. જેમાં વિદેશી લોકોનું હિત છુપાયેલું છે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ વિશાલરૂપમાં વિદેશી આદર્શો અને એનું શિક્ષણ ફેલાતું જશે અને બહુમત પણ મળતો જશે. પ્રજાના બહુમતથી એ વિદેશીઓના ઉદ્દેશો સફળ થતા જશે. આ વિશેષતા ચૂંટણી પદ્ધતિમાં છુપાયેલી છે. જે સમયે જે વિષય - બાબતની બહુમતી થઈ શકે તે વિષયને વિધાનસભામાં સ્વીકાર કરાવી લે છે.
૧૩. આ રીતે પ્રજાને વાસ્તવિક હિતના માર્ગથી દૂર હઠાવી ભારતીય પ્રજાના અહિતના અને વિદેશી પ્રજાના હિતના કાર્યો વિકસિત કરવા માટે મોટા પ્રમાણમાં આર્થિક સહાય અને નિષ્ણાતોનો સહકાર અમેરિકન, બ્રિટિશ વગેરે પ્રજાઓ આપી રહી છે.
૧૪. સ્થાપિત હિતો નાબુદ કરવાથી વાલીપણાના (સંરક્ષકપણાના) સિદ્ધાંત નાબુદ થઈ જાય છે. એથી પ્રજાનો કોઈ સાચો માર્ગદર્શક સાચો હિતચિંતક આગેવાન રહી શકતો નથી. આ મોટું નુકશાન ભારતીય પ્રજાને થશે. ભલે વર્તમાન ક્ષણે કંઈ પ્રકારના લાભો અમુક વર્ગને મળી પણ જાય પરંતુ એ વાત ગૌણ છે.
૧૫. આ રીતે ચૂંટણીના સિદ્ધાંત દ્વારા વ્યકિત સ્વાતંત્ર્યના નામ ઉપર મુંડે મુંડે મતિર્ષિના ન્યાયે પ્રજા છિન્નભિન્ન વિચારો અને છિન્નભિન્નવાદોમાં વહેંચાઈ ગઈ. Divide and rule દ્વારા પ્રજાની એક વાક્યતાના નાશનું ભયંકર અનિષ્ટ ચુંટણી પદ્ધતિમાં છે અને બીજા પણ અનેક નુકશાનો છે.
Page #4
--------------------------------------------------------------------------
________________ જેવી કોઈ ચીજ રહી નથી. આથી કટુંબ જ્ઞાતિ, ધર્મ અથવા કોઈ પ્રકારનું સંગઠન રહેવા ન પામે, વડિલોની આજ્ઞા જેવું કશું ન રહે. સામાજિક, આર્થિક, નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક વગેરે દરેક જીવન ક્ષેત્રમાં અરાજકતા વધી રહી છે. આ પ્રત્યક્ષ અનિષ્ટ નજરે દેખાય છે. પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-ભાઈ અને ભાઈ-બહેન દરેકમાં ભિન્નતા - વિચારભેદ - મતભેદ ઉપસ્થિત થઈને વિભાજન થઈ જાય છે. આનાથી વધીને બીજું કયું નુકશાન છે. એ વિવેકી સુજ્ઞ પુરુષોએ શીધ્ર વિચારવું જરૂરી છે. લેખકનું નામ પ્રભુદાસ બેચરદાસ પારેખ સંપર્ક સૂત્રઃ અરવિંદભાઈ પારેખ C/o. વિનિયોગ પરિવાર ટ્રસ્ટ બી-૨/૧૦૪, વૈભવ, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૪000૯૨.