Book Title: Anandghan ni Atmanubhuti 05
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/005046/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 --------------------------------------------------------------------------  Page #2 -------------------------------------------------------------------------- ________________ DCIOU preciou BFeEleus 8583 ܝܗ ܘܗܘ ܗ SEANNA e 0 3 Who drank &this nectar Simmortalness Page #3 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષસૂરિસદ્દગુભ્યો નમઃ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું - ૮૧ અલગારી અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ પ્રણીત પદ પર પરિશીલન આનંદઘનની આ માનુભૂતિ (પંચમ પદ) Experience that Extraordinary - પરિશીલનકાર પ્રાચીન શ્રતોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ છે Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું નામ : આનંદઘનની આત્માનુભૂતિ મૂળ કૃતિ : અલગારી અવધૂત પ. પૂ. આનંદઘનજી મહારાજ પ્રણીત પંચમ આધ્યાત્મિક પદ ' વિષય : વિશ્વમાં અજોડ અને યથાર્થ સ્યાદ્વાદ સિદ્ધાંત વિશેષતા : જે તત્ત્વનું નિરૂપણ કરવા માટે આજે લાખો શ્લોકો પ્રમાણ વિરાટ સાહિત્ય વિદ્યમાન છે, તે જ તત્ત્વને સુગમ શબ્દોમાં વણી લેતી એક મનનીય કૃતિ. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને અદયાત્મની પરિણતિ પ્રાપ્ત કરવા માટે સુંદર આલંબન. ક . વિ. સં. ૨૦૬૭ • પ્રતિ : ૨૦૦૦ • મૂલ્યઃ ૧૦૦/ પ્રાપ્તિ સ્થાન : 1) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા .. દુ.નં.6, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-400 002. ફોન : 22818390, Email : devanshyariwala@gmail.com 2) શ્રી અક્ષયભાઈ શાહ .. 506, પદ્મ એપાર્ટ, જૈન મંદિર કે સામને, સર્વોદયનગર, મુલુંડ (પ.). મો. : 9594555505, Email : jinshasan108@gmail.com 3) શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા .. સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-5. મો. 9426585904, Email : ahashrut.bs@gmail.com 4) શ્રી મેહુલ જે. વાયા .. 401, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, હનુમાન ચાર રસ્તા, સ્ટેટ બેંક ની ઉપર, ગોપીપુરા, સુરત-395 001. મો. : 9374717779, Email : mehuljvaraiya@gmail.com 5) શ્રી દિનેશભાઈ જૈન.. રૂમ નં.૮, પહેલે માળે, ૯, મલ્હાર રાવ વાડી, દાદીશેઠ અગિયારી લેન, કાલબાદેવી રોડ, મુંબઈ-400 002. મો. 7738500031 6) પરેશભાઈ શાહ .. W202, શિવકૃપા, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, મથુરાદાસ રોડ, કાંદિવલી (પ.), મુંબઈ - 400 052. મો. 9820017030 7) મલ્ટી ગ્રાફિક્સ ... 18, Khotachi Wadi, Vardhaman Bldg., 3rd Floor, V. P Road, Prathana Samaj, Mumbai - 4, Ph.: 23873222 23884222. E-mail : support@multygraphics.com Design & Printed by: MULTY GRAPHICS... www.multygraphics.com (c) Copyright held by Publisher & Author under Indian copyright act, 1957. http://copyright.govt.in/documents/copyright rules 1957.pdf Page #5 -------------------------------------------------------------------------- ________________ जिन मन्दिर - जल मन्दिर - जीव मन्दिर का पुण्य प्रयाग अर्थात् पावापुरी तीर्थ- जीवमैत्रीधाम KPS . SPONSOR (સુકૃત સહયોગી) વિશ્વવિખ્યાત શ્રી પાવાપુરી તીર્થ-જીવમૈત્રી ધામ નિર્માતા શ્રી કે. પી. સંઘવી પરિવાર... સ્યાદ્વાદ સુધારસની આ પરમ પરબની બાંધણી સ્વ-પરને પરમ તૃપ્તિની અનુભૂતિ કરાવે... એ જ શુભાભિલાષા. K. P. SANGHVI GROUP Name of the Entity K. P. Sanghvi & Sons Sumatinath Enterprises K. P. Sanghvi International Limited KP Jewels Private Limited Seratreak Investment Private Limited K. P. Sanghvi Capital Services Private Limited K. P. Sanghvi Infrastructure Private Limited KP Fabrics Fine Fabrics King Empex anchal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ સુઘારલ્સ.. સ્મશાનમાં સ્વજનને વળાવતી વખતે ભલભલાને ય એક વાર તો વૈરાગ્ય થઇ જાય છે, પણ એ વૈરાગ્ય ક્ષણિક હોય છે. એ વૈરાગ્ય ઓસરી જાય છે અને | ફરીથી રાગના તોફાનો આત્મપરિણતિની કાળી કદર્થના કરે છે. એવા મસાણિયા વૈરાગ્યથી અધ્યાત્મ અને આત્માનુભૂતિના આનંદને ન પામી શકાય. . એ માટે તો જોઈએ જ્ઞાનગર્ભિત નિશ્ચલ વૈરાગ્ય. સ્યાદ્વાદ સિદ્ધાન્તની પરિણતિ વિના આવો વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. વિશ્વનું ખરું અમૃત હોય તો એ સ્યાદ્વાદ સુધારસ છે, જેના પાનથી જીવ અજરામર બની જાય છે. Say bye bye to Death & Deaths. ચાલો, અધ્યાત્મ યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજને સથવારે એના માધુર્યનો રસાસ્વાદ માણીએ... - આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ F W Ferona Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ nama.....See) tward inner eyes. wonderful Awon अवधू! नट नागर की बाजी, जाणे न बामण काजी. अवधू! नट नागर की बाजी.... थिरता एक समयमें ठानें, उपजे विणसें तबही; उलट पलट ध्रुव सत्ता राखें, या हम सुनी न कबही...१ एक अनेक अनेक एक फुनी, कुंडल कनक सुभावे; जलतरंग घटमाटी रविकर, अगनित ताही समावे...२ है नांही है वचन अगोचर, नय प्रमाण सप्तभंगी; निरपख होय लखे कोई विरला, क्या देखे मत जंगी?...३ પરમપદદાયી પંચમ પદ सर्वमयी सरवंगी माने, न्यारी सत्ता भावे; आनंदघन प्रभु वचन सुधारस, परमारथ सो पावे...४ Education intomatonal Har P al Us One Page #8 -------------------------------------------------------------------------- ________________ र परिवर्तनशील હોવા છdj GિJS 4િcQ At a time... It takes birth, It dies & It's Steady. अवधू! नट नागर की बाजी, जाणे न बामण काजी. अवधू! नट नागर की बाजी... थिरता एक समयमें ठानें, उपजे विगसें तबही; उलट पलट ध्रुव सत्ता राखें, या हम सुनी न कबही...१ अवधू! नट नागर की बाजी... જે 8jg Jણ FqeqHj विद्यमान छ, तेcue, cereगने દૌવ્યર્થ યુકcq છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ અવધૂત ! બ્રાહ્મણ કે કાજી ન જાણે એવી આ રે. જ સમયે ઉત્પન્ન થાય અને વિનાશ પણ પામે. સતત પરિવર્તનશીલ હોવા છતાં નિશ્ચલ, અસ્તિત્વ પણ ધારણ કરે છે. આવી રમત તો અમે કદી ય સાંભળી નથી. ૧//. પ્રાચીન કાળમાં નટકળા ખૂબ વિકાસ પામેલી હતી. રૂપપરાવર્તન, અભિનય, નૃત્ય વગેરે દ્વારા નટ લોકોને આશ્ચર્યચકિત કરી દેતો. ઇલાચીકુમાર નટ બનીને જે જીવન સટોસટના અદ્ભુત ખેલ દેખાડતો હતો, એ પ્રસિદ્ધ છે. એમાં ય એ નટ શહેરનો હોય, સુશિક્ષિત હોય, વિશિષ્ટ આવડતવાળો હોય, પછી શું બાકી રહે? એ તો ભલ ભલાને અચંબામાં નાખી દે. - अवधू ! नट नागर की बाजी । આવું જ આશ્ચર્યજનક છે સ્યાદ્વાદનું તત્ત્વજ્ઞાન. પૂ. આનંદઘનજી મહારાજ ‘અવધૂત’ને ઉદ્દેશીને આ જ તત્ત્વજ્ઞાનની અચંબાભરી વાત કહી રહ્યા છે. આ તત્ત્વજ્ઞાનના પ્રરૂપક છે એક માત્ર શ્રીજિનેશ્વર દેવ. એમના સિવાય દુનિયાનું કોઈ પણ દર્શન આ તત્ત્વજ્ઞાન પામી શક્યું નથી. जागे न बामण काजी। બ્રાહ્મણ કે કાજી પાસે આ સ્યાદ્વાદનું તત્ત્વજ્ઞાન નથી. ‘બ્રાહ્મણ’ શબ્દથી અહીં વેદાંતીઓ, વૈશેષિકો, નૈયાયિકો, જૈમિનીઓ અને સાંખ્યો સમજી શકાય. આ બધા વિભિન્ન દર્શનોના અનુયાયીઓના નામ છે. અને કાજી શબ્દથી મુસલમાનો સમજી શકાય. ઉપચારથી કાજી તરીકે પારસીઓ, યહુદીઓ વગેરે પણ સમજી શકાય. સ્યાદ્વાદનું આ અદ્ભુત તત્ત્વજ્ઞાન ત્રિપદી પર આધારિત છે. ત્રિપદી એટલે ત્રણ પદ, તીર્થસ્થાપનાના દિવસે તીર્થંકર ભગવંતો ગણધર ભગવંતોને આ ત્રણ પદ આપે છે – ઉપૂત્રેડ઼વા વિરામેડ઼ વા યુવે વI આ ત્રણ પદને આધારે ગણધર ભગવંતો માત્ર અંતર્મુહૂર્તમાં સમગ્ર દ્વાદશાંગીની રચના કરે છે. આ આશ્ચર્યજનક સામર્થ્યનું કારણ છે ગણધર ભગવંતોની અદ્દભુત બીજબુદ્ધિ. અને તેનું પણ કારણ છે અપરંપાર ગુરુકૃપા. બીજ નાનું હોય છે, પણ તેમાંથી થતું સર્જન વિરાટ હોય છે. એમ આ ત્રિપદી નાની છે, પણ તેમાંથી જેનું સર્જન થાય છે, એ દ્વાદશાંગી અબજો-અબજો-અબજો પાનાઓમાં પણ ન સમાય એવી વિરાટ હોય છે. જેનામાં બીજબુદ્ધિ હોય તે અલ્પ શ્રુતજ્ઞાનમાંથી પણ વિરાટ બોધ મેળવી શકે. બીજબુદ્ધિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગણધર ભગવંતો. પ્રસ્તુત પદની પ્રથમ કડીમાં આ જ ત્રિપદીના સિદ્ધાન્તને અલંકારિત શૈલીથી વણી લેવાયો છે. જેને તત્ત્વાર્થસૂત્રમાં સંક્ષેપથી કહ્યો છે – उत्पादव्ययध्रौव्ययुक्तं सत्। જે કાંઇ પણ વિશ્વમાં વિદ્યમાન A dramat છે, તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. પહેલા સ્થૂળદષ્ટિથી ૪ સમજીએ. દૂધમાંથી દહીં બને, એ પ્રક્રિયામાં દૂધનો વિનાશ (વ્યય) થાય છે. દહીંની ઉત્પત્તિ (ઉત્પાદ) Mirtutle. ima . that dge Page #10 -------------------------------------------------------------------------- ________________ થાય છે અને ગોરસરૂપ દ્રવ્ય સ્થિર (ધ્રુવ) રહે છે. કારણ કે દૂધ પણ ‘ગોરસ’ હતું અને દહીં પણ ‘ગોરસ’ છે. આ રીતે એક જ વસ્તુમાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા ઘટી શકે છે. थिरता एक समय में ठानें, उपजे विणसें तबही । હવે સૂક્ષ્મદષ્ટિએ જોઈએ. બજારમાંથી એક નવું શર્ટ લઈ આવ્યા. આંખે ઉડીને વળગે એવો એનો રંગ છે. જોતા જ ગમી જાય તેવું છે. બટન, સિલાઇ, કાપડ... બધું જ બેસ્ટ ક્વાલિટીનું છે. અડધો દિવસ એ શર્ટની પસંદગીમાં અને ખરીદીમાં ગયો છે, અને અડધો દિવસ એ પહેરીને અરીસામાં જોવામાં ગયો છે. આ છે પહેલા દિવસની સ્થિતિ. આઠ વર્ષ પછી એ શર્ટની સ્થિતિ જુઓ. કાં તો એ રસોડાનું મસોતું બની ગયું છે, કાં તો જમીન લૂંછવાનો ફટ્ટો બની ગયું છે, અને કાં તો ચીંથરેહાલ દશામાં એનો નિકાલ કરાયો છે. નથી એનામાં રંગની તેજ, નથી એના કાપડમાં કોઈ મજબૂતી... જોવું પણ ન ગમે એવી એની સ્થિતિ છે. હવે વિચાર કરો, શું આ પરિવર્તન એકાએક આવી ગયું છે? ના, જે ક્ષણે એ શર્ટનો ઉપયોગ ચાલું થયો, ના, બલ્કે જે ક્ષણે એ શર્ટ બન્યું, એ જ ક્ષણથી તેના પરિવર્તનની શરૂઆત થઇ ગઇ હતી. જોતા જ ગમી જાય એ સ્થિતિ અને જોવું ય ન ગમે એ સ્થિતિ, આ બંને સ્થિતિ વચ્ચેની ક્ષણોનો સરવાળો કરો. એ પ્રત્યેક ક્ષણે એ શર્ટમાં પરિવર્તન ચાલુ ને ચાલુ છે. ગઈ ક્ષણનું શર્ટ અલગ છે. અને વર્તમાન ક્ષણનું પરિવર્તિત શર્ટ અલગ છે. ભલે આપણને તે બંને ક્ષણોનું શર્ટ એક સરખું દેખાય, પણ તે બેમાં ભેદ તો છે જ. જો તે બેમાં ભેદ ન માનો, તો ત્રીજી ક્ષણે પણ તે શર્ટમાં કોઇ પરિવર્તન નહી માની શકાય. એમ ચોથી ક્ષણે... પાંચમી ક્ષણે... એમ કરતા આઠ વર્ષ પછી પણ એ શર્ટ એવું જ માનવું પડશે, કે જેવું એ આઠ વર્ષ પહેલા હતું. પણ એવું તો નથી જ. પ્રત્યક્ષ દેખાય છે કે આઠ વર્ષ પહેલાની શર્ટની સ્થિતિ અને વર્તમાનની શર્ટની સ્થિતિ એ બંનેમાં આસમાન-જમીનનો ફેર છે. માટે પ્રત્યેક ક્ષણે પરિવર્તન છે અને પ્રત્યેક ક્ષણે ભેદ છે એવું સિદ્ધ થાય છે. ભેદ એટલે જુદાપણું. પૂર્વક્ષણનું શર્ટ અલગ છે અને વર્તમાનક્ષણનું શર્ટ અલગ છે. પૂર્વક્ષણના શર્ટનો વિનાશ થાય છે, અને વર્તમાનક્ષણના શર્ટની ઉત્પત્તિ થાય છે. પૂર્વક્ષણના પર્યાયનો વિનાશ થાય છે અને વર્તમાનક્ષણના પર્યાયની ઉત્પત્તિ થાય છે. આ બંને એક સાથે જ થાય છે. उपजे विणसें तब ही પર્યાયોના ઉત્પાદ અને વિનાશ પ્રત્યેક ક્ષણે ચાલ્યા કરે છે. પણ એ સર્વ ક્ષણોમાં શર્ટ દ્રવ્ય સ્થિર રહે છે. જેમ કે દૂધનો વિનાશ અને દહીંનો ઉત્પાદ થવા છતાં પણ ‘ગોરસ’ દ્રવ્ય સ્થિર રહે છે. उलट पलट ध्रुव सत्ता राखें ઉલટ = પૂર્વ પર્યાયનો વિનાશ પલટ = ઉત્તર પર્યાયનો ઉત્પાદ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૭e 0 જેમ ખુમયમાં Øિ245 છે, તેમ તે પછીનુJ બુમયમાં પણ સ્થિ૨૮) છે, તેમ તેfી પછડા jમયમાં પણ થુિરઇ છે. ૨૯ થુિ૨JJ ઉમેથઇ રહે છે. ધ્રુવ સTI = દ્રવ્યનું સ્થિર અસ્તિત્વ જો એ પર્યાયોના વિનાશ-ઉત્પાદ વચ્ચે દ્રવ્ય સ્થિર ન રહેતું હોય, તો આ તે જ શર્ટ છે, એવી ઓળખ ન થઇ શકે. માટે સ્થિરતા માનવી પણ અનિવાર્ય છે. थिरता एक समयमें ठाने જેમ આ સમયમાં સ્થિરતા છે, તેમ તેની પછીના સમયમાં પણ સ્થિરતા છે, તેમ તેની પછીના સમયમાં પણ સ્થિરતા છે. આ રીતે સ્થિરતા હંમેશા રહે છે. બીજું ઉદાહરણ જોઈએ - જીવ દ્રવ્ય સ્થિર છે. તે દેવ તરીકે મટીને મનુષ્ય થયો. દેવ-પર્યાયનો વિનાશ થયો અને મનુષ્ય-પર્યાયનો ઉત્પાદ થયો. મનુષ્ય ભવમાં પણ બાળ મટીને કિશોર થયો. તેમાં બાળપર્યાયનો વિનાશ થયો અને કિશોર-પર્યાયનો ઉત્પાદ થયો. એવી રીતે કિશોરમાંથી યુવાન, પ્રૌઢ, વૃદ્ધ, અતિવૃદ્ધ... એમ પર્યાયોનો વિનાશ અને ઉત્પાદ ચાલ્યા કરશે. પણ આ બધામાં જીવદ્રવ્ય તો સ્થિર જ રહેશે. - જો એવું ન હોય તો ‘અમિત મોટો થઇ ગયો.’ કે ‘આ તે જ જીમિત છે કે જેને દશ વર્ષ પહેલા જોયો હતો.’ આ રીતે અનુભવ થાય છે, તેની સંગતિ ન થઈ શકે. કારણ કે જે નાનો હતો તે તદ્દન જુદો હતો, અને મોટો છે, તે તદ્દન જુદો છે, એવું માનવું પડે. આ તદ્દન જુદાપણું = એકાંત ભેદ. એકાંત ભેદને દૂર કરે છે સ્થિર દ્રવ્ય. જો સ્થિર દ્રવ્ય ન હોય અને એકાંત ભેદ હોય, તો કોઇ વ્યક્તિને બાળપણની કોઇ સ્મૃતિ જ ન રહે. કારણ કે જે બાળક હતો, તે તદ્દન જુદો છે, અને જે યુવાન છે, તે તદ્દન જુદો છે. અરે, પાછલી ક્ષણે શું કર્યું, એની પણ કોઇને સ્મૃતિ ન રહે, કારણ કે પોતે તો વર્તમાન ક્ષણે જ ઉત્પન્ન થયો છે. પૂર્વપર્યાય તો વિનાશ પામ્યો છે. જો એક વ્યક્તિએ કરેલા અનુભવની સ્મૃતિ બીજી વ્યક્તિને થઈ શકે, તો જ પૂર્વપર્યાયના અનુભવની સ્મૃતિ વર્તમાન પર્યાયને થઈ શકે, કારણ કે જેમ બે વ્યક્તિ જુદી છે, તેમ બે પર્યાય પણ જુદા છે. આ | પૃણ્યોSા ઉcUJદ અને વિવુJJ પ્રત્યેક ઋણે ચાલ્સા કરે છે, પણ ઋર્વ ઋણો×ાં ઢબુ સ્થિ૨ ૨હે છે. Birth S Death both are in the lap of Stability Education Incomalol Page #12 -------------------------------------------------------------------------- ________________ પણ જો આવું થાય તો દુનિયાનો કોઇ વ્યવહાર જ ન ચાલી શકે. સાર્વત્રિક અનવસ્થા સર્જાય. પણ એવું થતું તો નથી. વ્યવહારો થાય છે. ઓળખ થાય છે, સ્મૃતિ થાય છે. એનું કારણ છે દ્રવ્યની સ્થિરતા. | જો પર્યાય ન માનો, તો પરિવર્તન ન ઘટી શકે. અને દ્રવ્ય ન માનો, તો ઓળખ કે સ્મૃતિની સંગતિ ન થઇ શકે. પરિવર્તન, ઓળખ અને સ્મૃતિ તો અનુભવસિદ્ધ છે, માટે દ્રવ્ય અને પર્યાય માનવા અતિ આવશ્યક છે. શંકા : એવું પણ દેખાય છે કે કોઈ વ્યક્તિને સ્મૃતિ ન રહેતી હોય, તેમાં શું સમજવું? શું એનામાં સ્થિર દ્રવ્ય નથી? સમાધાન : ના, દુનિયાની કોઈ વસ્તુ કે વ્યક્તિ એવી નથી, કે જેનામાં સ્થિર દ્રવ્ય ન હોય. સ્મૃતિની બાબતમાં સ્પષ્ટતા કરું, તે પહેલા એક ઉદાહરણ જુઓ - એક પત્ની ખરીદી કરીને ઘરમાં આવી. હજી તો પતિએ દરવાજો ખોલ્યો, ત્યાં પત્ની કહેવા લાગી... “તમે મને હંમેશા ટોક્યા કરો છો ને, કે હું બહુ ભૂલી જાઉં છું? એનો ઉપાય મેં શોધી લીધો છે. હું બજારમાંથી ‘યાદ રાખવાની કલા’ પુસ્તક ખરીદી લાવી છું.” ( પત્નીએ પૂરા ઉત્સાહથી પોતાની વાત કહી, પણ પતિનું મોઢું તો પડી ગયું. બિચારો... સોફા પર ફસડાઇ પડ્યો. પત્ની બોલી, “કેમ? તમને મારો આઈડિયા ન ગમ્યો? કહો ને?” પતિ કહે, ‘આજ સુધીમાં તે આ પુસ્તકની ચાર નકલ ખરીદી છે, જા, કબાટમાં જોઇ આવ.” ( પત્ની ભૂલકણી છે એ વાત સાચી. પણ એ જ્ઞાનાવરણીય કર્મના વિચિત્ર ઉદયને કારણે. સ્થૂળ દૃષ્ટિએ એ સ્ત્રી ગમે તેટલી ભૂલકણી લાગે, સૂક્ષ્મદષ્ટિએ જોઈએ તો એ જેટલું ભૂલી જાય છે, એનાથી વધારે યાદ રાખે છે. ચોપડી ખરીદીને ભૂલી ગઈ. પણ એને પોતાનું ઘર, પોતાનું નામ, પોતાના પતિ વગેરે કેટલું બધું યાદ છે ! અરે, જો માત્ર એક જ વસ્તુની સ્મૃતિ રહેતી હોય, તો પણ એ સ્થિર દ્રવ્યની સિદ્ધિ કરી શકે છે. માનો કે, કોઇને જ્ઞાનાવરણ કર્મનો તીવ્ર ઉદય થયો અને તેનાથી તદ્દન સ્મૃતિભ્રંશ થાય, તો ય એવા અનેક હેતુઓ છે કે જેનાથી સ્થિર જીવ દ્રવ્યની સિદ્ધિ થઈ શકે છે. | વાસ્તવમાં દ્રવ્ય અને પર્યાય બંને એકાંતે જુદા નથી. બંને વચ્ચે અમુક અપેક્ષાએ ભેદ પણ છે, અને અમુક અપેક્ષાએ અભેદ પણ છે. વિશ્વનું કોઈ પણ દ્રવ્ય કદી પર્યાય વિનાનું ન હોઈ શકે અને વિશ્વનો કોઈ પણ પર્યાય દ્રવ્ય વિનાનો ન હોઇ શકે. द्रव्यं पर्यायवियुतं, पर्याया द्रव्यवर्जिताः। के कदा केन किंरूपा, दृष्टा मानेन केन वा ?|| OTO Page #13 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યો પર્યાયરહિત હોય અને પર્યાયો દ્રવ્યરહિત હોય, એવું ક્યારે કોણે શું જોયું છે? એવા દ્રવ્ય-પર્યાયો એણે કયાં સ્વરૂપના જોયા અને પ્રત્યક્ષ, અનુમાન વગેરે પ્રમાણમાંથી કયાં પ્રમાણથી જોયા? | આશય એ છે કે દ્રવ્ય અને પર્યાય વચ્ચે એકાંત ભેદ એ ત્રણે કાળમાં તદ્દન અસંભવિત વસ્તુ છે. માટે વિશ્વની દરેક વસ્તુ દ્રવ્ય-પર્યાયમય છે. અને પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશધૈર્ય પામે છે, એમ માનવું પડે. थिरता एक समयमें ठाने उपजे विगसे तबही આ એક સિદ્ધાન્ત વિશ્વના સમસ્ત સિદ્ધાન્તોનો આધારસ્તંભ છે. જે દર્શન આ સિદ્ધાન્તને ન માને એ દર્શનને વાસ્તવિકતાનો અપલાપ કર્યા વિના છૂટકો નથી. બૌદ્ધ દર્શન માત્ર પર્યાયોને જ માને છે. સ્થિર દ્રવ્ય જેવી કોઇ વસ્તુ જ નથી, એવો એનો મત છે. તેથી સ્મૃતિ, ઓળખ વગેરે જે અનુભવસિદ્ધ વાસ્તવિકતા છે, એ તેના મતે સંગત ન થઈ શકે. ગૌતમ બુદ્ધને એક વાર પગમાં કાંટો વાગ્યો. ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું - इत एकनवतौ कल्पे, शक्तया मे पुरुषो हतः। तेन कर्मविपाकेन, पादे विद्धोऽस्मि भिक्षवः।। ભિક્ષુઓ ! આ જન્મથી માંડીને પૂર્વના એકાણુમાં ભવમાં મે છરીથી પુરુષને માર્યો હતો, તે કર્મના વિપાકથી અત્યારે મને પગમાં કાંટો વાગ્યો છે. It's borned..... don't be glad. It's destroyed..... don't be offended. વિશ્વ - દરેક વસ્તુ = ટૂણુ-પર્યાયમયુ છે. ਕੇ ਪse ઉcUJશવિઝાન્ડ હૅર્ય પામે છે, Just look only. Have fun of this drama. Fan & Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Z+'s You going is going આ વાત શી રીતે બુદ્ધ કહી શકે? કારણ કે તેમનો તો સિદ્ધાન્ત છે सर्वं क्षणिकम् દુનિયાની બધી જ વસ્તુઓ એકાંતે ક્ષણિક છે. જીવ પણ એકાંતે ક્ષણિક છે. પ્રત્યેક ક્ષણે તે નવો ઉત્પન્ન થાય છે, અને વિનાશ પામે છે. તો પછી એકાણુ ભવ પહેલાના બુદ્ધ અને અત્યારના બુદ્ધ એક કેમ હોઇ શકે? Who was Who ક્ષણિકવાદ માનતા બહુ મોટો દોષ આ વહોરવો પડે છે, કે ‘કર્મ કરે કોઇ બીજો, અને તેનું ફળ ભોગવે કોઇ બીજો’ એવું માનવું પડે. જેમ કે અહીં ગુનો કરે કોઈ બીજો, ને એની સજા ભોગવે કોઇ બીજો, એવો કાયદો હોય, તો એ વ્યવસ્થા કેવી વિચિત્ર કહેવાય? આવી સ્થિતિ બૌદ્ધદર્શનની છે. પણ તો ય પોતાના સિદ્ધાન્તને જોયા વિના ગૌતમ બુદ્ધે ‘૯૧ ભવ પહેલા કરેલા પાપનું ફળ મેં અત્યારે ભોગવ્યું' એમ કહ્યું, તેના પરથી ગર્ભિત રીતે તો સ્થિર દ્રવ્યનો સ્વીકાર કરી જ લીધો છે. બીજી બાજું વેદાંત દર્શન વગેરેએ માત્ર સ્થિર દ્રવ્ય જ માન્યું છે, તેઓ પર્યાયને માનતા જ નથી. આત્મા એકાન્તે નિત્ય છે, એવો તેમનો મત છે. આ મતમાં પરિવર્તનનો અપલાપ કરવાનો દોષ વહોરવો પડે છે. જો આત્મા એકાન્તે નિત્ય સ્થિર દ્રવ્યરૂપ જ હોય, તો સુખ-દુઃખનું જે ક્રમિક સંવેદન થાય છે, તે ન થઇ શકે. વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે - = આત્મચેવાન્તનિત્યે ચા-ત્ર મોગ: સુઘવુ:થયો: ।।૮-૨૫ જો આત્મા એકાંત નિત્ય હોય, તો સુખ-દુઃખની અનુભૂતિ જ ન થઇ શકે. એકાંત નિત્ય એટલે જેમાં કોઇ પણ જાતનું પરિવર્તન ન થઇ શકે. કોઇ પણ જાતની ક્રિયા કાદાચિત્ક ન થઇ શકે. જો આત્મા સુખ ભોગવે છે, તો એ ત્રણે કાળમાં સદા માટે સુખની જ અનુભૂતિ કરતો રહેવો જોઇએ અને જો આત્મા દુઃખ ભોગવે છે, તો એ ત્રણે કાળમાં હંમેશ માટે એક સરખી રીતે દુઃખનો જ અનુભવ કરતો રહેવો જોઇએ. જેમાં લેશ પણ પરિવર્તન ન થઇ શકે તેનું નામ એકાંત નિત્ય. પણ આત્મા આવો નથી, આત્મા તો ક્રમશઃ સુખદુઃખનો અનેક રીતે અનેક પ્રકારનો અનુભવ કરે છે, માટે આત્મા પરિવર્તનશીલ છે, એ સર્વાનુભવસિદ્ધ છે. અધ્યાત્મસારમાં કહ્યું છે . - तत्राऽऽत्मा नित्य एवेति, येषामेकान्तदर्शनम्। हिंसादयः कथं तेषां कथमप्यात्मनोऽव्ययात् ? ।।१२-२४।। આત્મા નિત્ય જ છે, એવું જેમનું એકાંતદર્શન છે, તેમના મતે હિંસા વગેરે સંભવિત નથી. કારણ કે આત્માનો તો કોઈ રીતે વિનાશ જ થતો નથી, એવું તેમણે માન્યું છે. આમ છતાં પણ ‘હિંસા પાપ છે.’ ‘અહિંસા ધર્મ છે.’ ‘દયા કરવી જોઇએ.’ આ સિદ્ધાન્તોને પણ તેઓ માને જ છે, એના દ્વારા એમણે ગર્ભિત રીતે પર્યાયનો પણ સ્વીકાર કરી જ લીધો છે. આત્મા એ અપેક્ષાએ અનિત્ય પણ છે, એવું માન્યા વિના એમને પણ કોઈ છૂટકો નથી. માટે જ અથર્વવેદમાં કહ્યું છે - सनातनमेनमाहुरुताद्य स्यात् पुनर्नवः આત્મા નિત્ય છે, એમ કહ્યું છે, વળી એ નવો પણ થાય છે. Persone Page #15 -------------------------------------------------------------------------- ________________ સર્વથા નિર્દોષ છે, જિનકથિત તત્ત્વ. જેમાં કોઈ જાતની અસંગતિ ઊભી થતી નથી. સ્યાદ્વાદનો આ સિદ્ધાન્ત જ જિનેશ્વરની સર્વજ્ઞતાને સિદ્ધ કરે છે. કેવળજ્ઞાનના પ્રકાશમાં જિનેશ્વર ભગવંતે યથાર્થ વસ્તુસ્વરૂપ જોયું અને જેવું જોયું એનું યથાવત્ નિરૂપણ કર્યું. જે પ્રત્યક્ષસિદ્ધ અને અનુભવસિદ્ધ છે. જેમાં કોઇ પણ દોષનો અવકાશ નથી. અજ્ઞાનને કારણે એક અસગ્રહ પકડીને પછી કુતર્કો દ્વારા પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે અથાગ પ્રયત્ન કરવો પડે અને પછી ન છૂટકે પોતાના જ મતમાં બાંધછોડ કરવી પડે એવી પરિસ્થિતિ અન્ય દર્શનોમાં સર્જાઇ છે. જ્યારે જિનદર્શન તો બહુ સ્પષ્ટ રીતે સમ્યક્તત્ત્વનું નિરૂપણ કરે છે, જેમાં ત્રણે કાળમાં કોઇ જ બાંધછોડ – મતભેદ કરવાની આવશ્યકતા નથી. જેમ કે ભગવતીસૂત્ર નામના આગમમાં કહ્યું છે जीवा सिय सासता सिय असासता, ગોયમા ! તબ્બકુયાપુ સાતતા, ભાવયા અસાસતા। ૨૭-૨-૨૭૩।। ભગવન્ ! જીવો નિત્ય છે કે અનિત્ય છે? ગૌતમ! ‘દ્રવ્ય’ દૃષ્ટિએ જીવો નિત્ય છે. ‘પર્યાય’ દષ્ટિએ જીવો અનિત્ય છે. આ રીતે જીવ નિત્યાનિત્ય છે. એ જ રીતે દુનિયાની સર્વ વસ્તુઓ પણ નિત્યાનિત્ય છે. જો એવું ન હોત, તો દુનિયાના કોઇ વ્યવહારો ટકી ન શકત. વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે આ સિદ્ધાન્ત સમાધિનો આધારસ્તંભ છે. જ્યારે મૃત્યુનો ભય સતાવે ત્યારે વિચારવું કે મારું આત્મદ્રવ્ય તો સ્થિર છે, શાશ્વત છે. મૃત્યુ એનું કાંઇ જ બગાડી શકે તેમ નથી. ઇષ્ટોપદેશમાં કહ્યું છે Jain Education न मे मृत्युः कुतो भीतिः ? મારું મૃત્યુ જ નથી, તો પછી મને ભય શાનો? વિદેશથી લાવેલી કિંમતી કલાત્મક કાચની ફૂલદાની તૂટી જાય, ત્યારે પર્યાયનયનું અવલંબન લઈને વિચારો કે એ ફૂલદાનીનો વિનાશ તો પ્રતિક્ષણ ચાલુ જ હતો. એમાં મારે શોક શું કરવો? શાંતસુધારસમાં કહ્યું છે – सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् ।।१-२।। ઇન્દ્રિયના સર્વવિષયો ચંચળ છે. જેમ સાંજના મનોહર વાદળો પણ ક્ષણે ક્ષણે વિખેરાતા જાય છે, તેમ સર્વ વિષયો પણ ક્ષણે ક્ષણે વિનાશ પામે છે. उलटपलट ध्रुव सत्ता राखे બસ, આ એક સિદ્ધાન્તને હૃદયમાં બરાબર પ્રતિષ્ઠિત કરી દો, પછી દુનિયાની કોઈ શક્તિ સમાધિને ખંડિત નહીં કરી શકે. કોઈ પણ બનાવ ચિત્તને ક્ષોભ નહીં પમાડી શકે. સ્યાદ્વાદનું આ યથાર્થ તત્ત્વજ્ઞાન જિનમત સિવાય બીજે ક્યાંય કદી સાંભળવા નહી મળે. માટે જ આનંદઘનજી મહારાજ કહે છે या हम सुनी न कबही સ્યાદ્વાદના આ જ તત્ત્વજ્ઞાનની અનેક વિશેષતાઓ અને વિલક્ષણતાઆ, હવે એક પછી એક રજુ થઈ રહી છે... A universal Anekanta truthe e happi THE P - his “b?y ! omer omen love harpir peace in Brain V®${ *→ in time mo ov menta Page #16 -------------------------------------------------------------------------- ________________ एक अनेक अनेक एक फुनी, कुंडल कनक सुभावे; जलतरंग घटमाटी रविकर, अगनित ताही समावे...२ अवधू ! नट नागर की बाजी... adwada a bridge between Presence & Absence. Page #17 -------------------------------------------------------------------------- ________________ એક અનેક થાય છે, અને અનેક એક થાય છે, એવો કુંડળ-સુવર્ણનો સ્વભાવ છે. પાણીના તરંગ, માટીના ઘડા અને સૂર્યના કિરણો અર્પણત ઢોય છે, પણ પાછા તેમાં સમાઈ જાય છે. ।।૨।। પીન્ટુની મમ્મી એને ઠપકો આપતી હતી... “તને કેટલી વાર કહ્યું છે, કે બહુ મિઠાઈ ન ખવાય. ગઇ કાલે આટલો સમજાવ્યો કે એક જ મિઠાઇ ખાવી, તો ય આજે ચાર પેંડા ખાઇ ગયો?’’ પીન્ટુ પણ ક્યાં ગાંજ્યો જાય એવો હતો... કહે, “મેં ચાર પેંડા ખાધા જ નથી. મેં તો એક લાડવો જ ખાધો છે.’’ ‘‘પણ લાડવો તો ઘરમાં છે જ નહીં.’’ મમ્મી પ્રશ્નભરી નજરે પીન્ટુ સામે જોઈ રહી. લૂચ્યુ હસીને પીન્ટુ બોલ્યો, “મેં ચાર પેંડાનો એક લાડવો બનાવી દીધો હતો, બોલ, મેં એક જ મિઠાઇ ખાધી છે ને?’’ નાના બાળકથી લઇને પ્રધાનમંત્રી સુધીની વ્યક્તિઓ ડગલે ને પગલે અજાણતા ય સ્યાદ્વાદસિદ્ધાન્તનો સ્વીકાર કરે છે. પીન્ટુએ કામ ખોટું કર્યું, પણ તત્ત્વ તો સાચું જ પકડ્યું હતું. જે એક છે, તે જ અનેક છે. જે અનેક છે, તે જ એક છે. एक अनेक अनेक एक फुनी આનંદઘનજી મહારાજ એનું બહુ સચોટ દૃષ્ટાંત આપે છે – જેમ કે સુવર્ણમાંથી અનેક પ્રકારના અલંકારો બનાવવામાં આવે છે. સુવર્ણ એક છે, પણ તેમાંથી વીંટી, ચેન, કુંડળ વગેરે અનેક આભૂષણો બને છે. આ પ્રક્રિયામાં ‘એક’ એ ‘અનેક’ થાય છે. જો ફરી એ ઘરેણાઓને ગાળીને માત્ર સુવર્ણરૂપ જ બનાવવામાં આવે તો આ પ્રક્રિયામાં ‘અનેક’ એ ‘એક’ થાય છે. Jam Education International कुंडल कनक सुभावे આ વસ્તુસ્થિતિથી સિદ્ધ થાય છે કે દ્રવ્ય અને પર્યાય એ બંને વચ્ચે અભેદ પણ છે. જે જીવ છે, તે જ મનુષ્ય, દેવ વગેરે પણ છે. જે સુવર્ણ છે, તે જ કુંડળ, વીંટી વગેરે પણ છે. કેટલો સુગમ અને સચોટ છે આ સિદ્ધાન્ત ! જો આ સિદ્ધાન્તને બરાબર સમજી લઈએ તો સમતા અને સમાધિ સદા માટે અકબંધ બની જાય. એક રાજકુમાર હતો, તેની પાસે સોનાનો મુગટ હતો. એ તેને બહુ પ્રિય હતો. રાજકુમારીએ એની જાણ બહાર એ મુગટ ગળાવીને એમાંથી પોતાનો સોનાનો કળશ બનાવડાવ્યો. રાજકુમારી ખૂબ જ ખુશ હતી. રાજકુમાર ધ્રુસકે ધ્રુસકે રડતો હતો. જ્યારે રાજાને ન તો હર્ષ હતો કે ન તો શોક હતો. આ પ્રસંગનું વિશ્લેષણ કરીએ, રાજકુમારીની દૃષ્ટિ કળશના ઉત્પાદ પર છે. રાજકુમારની દૃષ્ટિ મુગટના વિનાશ પર છે. જ્યારે રાજાની દૃષ્ટિ સુવર્ણની સ્થિરતા પર છે. ઉત્પાદને જોનાર હસે છે, વિનાશને જોનાર રડે છે, સ્થિરતાને જોનાર મધ્યસ્થ રહે છે. કારણ કે એ જાણે છે કે કાંઇ આવ્યું પણ નથી, અને કાંઇ ગયું પણ નથી. માત્ર જે હતું જ, એનો પર્યાય બદલાયો છે. તરંગો એ પણ પાણી જ છે, અને તરંગો શમી જાય એ પણ પાણી જ છે. માટીના મહેલો પણ માટી જ છે અને એ મહેલાતો તૂટી પડે એ પણ માટી જ છે. સૂરજના હજાર કિરણો વિભાજિત થાય એ ય સૂર્યપ્રકાશ જ છે અને વાદળાઓના અભાવે એ કિરણો એકાકાર થઇ જાય, એ પણ સૂર્યપ્રકાશ જ છે. जल तरंग घटमाटी रविकर, अगनित ताही समावे। Page #18 -------------------------------------------------------------------------- ________________ OCTS. ભાવ અને અભાવનો સમન્વય સાધી આપે છે સ્યાદ્વાદ. अगनित ताही समावे ભરતી અને ઓટ વચ્ચે અભેદભાવ દર્શાવે છે અનેકાંતવાદ. અનંત પર્યાયો પ્રગટ થઈ થઈને ફરીથી દ્રવ્યમાં પ્રવેશ સર્વ સ્થિતિમાં સમભાવને અકબંધ રાખવાની કળા દેખાડે છે પામે છે. પર્યાયોનો ઉદય જ બતાવે છે કે એક ક્ષણે એનો અસ્ત સ્યાદ્વાદ. જ્ઞાનસારમાં મહોપાધ્યાયજીએ કહ્યું છે - થવાનો છે, તો પછી એમાં હર્ષ શેનો? ને શોક શેનો? ___ गजाश्वैर्भूपभवनं, विस्मयाय बहिर्दृशः। બાળક મેઘધનુષ જોઈને નાચે ને હરખાય, तत्राश्वेभवनात् कोऽपि, भेदस्तत्त्वदृशस्तु न।। ન જાણે ફૂલ જેવી દુનિયા ખીલે ને કરમાય. સાત માળનો રાજમહેલ હોય, અદ્ભુત એનું સૌન્દર્ય હોય, એના આંગણામાં હાથી-ઘોડા કિલ્લોલ કરતા હોય, એક સફેદ ડાઘ રાતોરાત દેખા દે છે, અને જોતજોતામાં સમૃદ્ધિની છોળો ઉછળતી હોય, એને જોઇને બાહ્યદષ્ટિવાળા એક સુંદરી શાકિની બની જાય છે. બહુ સરળતાથી એક કરોડપતિ અજ્ઞાની જીવો વિસ્મિત થઇ જતા હોય. એક આ દૃશ્ય... રોડપતિ બની જાય છે. એકાએક મિત્ર શત્રુ બની જાય છે... આ અને એ જ મહેલના ખંડેરોની આજુ બાજુ ભટકતા જંગલી તો હજી ઓછું છે... એક હાલતુ-ચાલતુ-હસતુ-રમતુ શરીર હાથી-ઘોડા, આ બીજું દૃશ્ય... આ બે દૃશ્ય વચ્ચે તત્ત્વદૃષ્ટિ ગણતરીની પળોમાં રાખનો ઢગલો બની જાય છે. ધરાવતા જ્ઞાનીને કોઇ જ ફરક લાગતો નથી. મહેલાતો પણ શરીરે શોભતા આભૂષણોને એ ખબર ક્યાં છે? પુદ્ગલનો પર્યાય છે, અને ખંડેરો પણ પુદ્ગલનો પર્યાય છે. મહેલ અમે માટીના ઢગલા પર બધો શણગાર કર્યો છે. પણ ઇંટ-ચૂનાનો ઢગલો છે અને કાટમાળ પણ શ્રુતકેવલી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાની એક ઇંટ-ચનાનો ઢગલો છે. અભુત કૃતિ...શિક્ષાદ્રાવિંશિકા. અનેકાંતવાદની પરિણતિનું એક વાર આ પરિણામ તેમાં અનુપમ રીતે વર્ણવ્યું છે – સ્યાદ્વાદસભર તત્ત્વદૃષ્ટિને अभिषिक्तस्य संन्यास-क्रमात् पाश्चात्यदर्शनम्। આત્મસાત્ કરી લો, પછી शून्यैकविकृताभ्यासो, रागिणां तु यथाक्रमम्।। સુખનો સંયોગ વિસ્મય જેઓ રાગી છે, તેઓને વારંવાર વિષયસેવનનું શૂન્ય અને નહીં ઉપજાવી શકે અને વિકૃત પુનરાવર્તન થાય છે. પણ જે તત્ત્વદૃષ્ટિથી આપ્લાવિત થયો દુઃખનો સંયોગ વિષાદ છે, તે ત્યાગ દ્વારા વિરાગ પામે છે, તેને પદાર્થનું પાશ્ચાત્યદર્શન નહી ઉપજાવી શકે. થાય છે. પાશ્ચાત્યદર્શન એટલે પાછળનું દર્શન. એ માત્ર ચામડી જોઇને અટકતો નથી. એને ચામડી પાછળ મળ-મૂત્રના ૧ વપjne jSion પણ દર્શન થાય છે. એ માત્ર વર્તમાન પર્યાય જોઇને અટકી જતો Page #19 -------------------------------------------------------------------------- ________________ Let's go to inner eye..... Let's look by it. ૭Jરીરમાં દર્યનું છે ૨JU'નું છJUદષ્ટિ કરે છે, કરે છે. નથી. એને સાથે સાથે જ પાછળના પર્યાયો-ભવિષ્યની સ્થિતિ દૃશ્ય દેખાય એ અધ્યાત્મયાત્રાનું સોપાન બની જાય. આચારાંગ પણ દેખાય છે. સૂત્રમાં કહ્યું છે – મહેલમાં સમૃદ્ધિનું દર્શન વર્તમાનદૃષ્ટિ કરે છે, મહેલમાં दिटेहिं णिव्वेयं गच्छेज्जा। માટીનું દર્શન પાશ્ચાત્યદૃષ્ટિ કરે છે. શરીરમાં સૌંદર્યનું દર્શન દૃશ્ય ચાહે ગમે તે હોય, તેનું દર્શન વિરાગનું બાહ્યદૃષ્ટિ કરે છે, શરીરમાં અશુચિનું અને રાખનું દર્શન નિમિત્ત બનવું જોઇએ. લાખ લાખ વંદના છે જિનકથિત આંતરદૃષ્ટિ કરે છે. અનેકાંતવાદ આંતરદૃષ્ટિને બહુ સરળતાથી અનેકાંતવાદને... જેની પરિણતિ આવા અકલ્પિત ચમત્કારોનું ઉઘાડી આપે છે. અને એક વાર આંતરદષ્ટિ ઉઘડી જાય... સર્જન કરે છે. આ જ અનેકાંતવાદ હવે વધુ સૂક્ષ્મતાથી રજુ એક... ઇત્યાદિ વસ્તુસ્થિતિ સ્પષ્ટ થઇ જાય, પછી તો જે પણ થઈ રહ્યો છે... in Education into local Page #20 -------------------------------------------------------------------------- ________________ A e it shall be answer shall be opened Knock, it shall be opened ссссссссссссссссссссссссссссе है नांही है वचन अगोचर, नय प्रमाण सप्तभंगी; निरपख होय लखे कोई विरला, क्या देखे मत जंगी?...३ अवधू ! नट नागर की बाजी... Jituation timethalicati Page #21 -------------------------------------------------------------------------- ________________ છે, નથી, વચનથી અગોચર છે, વગેરે નય, પ્રમાણ અને સપ્તભંગી કોઈ વિરલા હોય, તે નિષ્પક્ષપણે જોઇ શકે. પોતાના મત માટે લડવાવાળા શું જોઇ શકે? ||૩|| એક હતો કડિયો, દીવાલ ચણતો હતો, ત્યાં કોઈ વકીલ આવ્યો. એને પૂછ્યું, “બે ઇંટને કોણ જોડે છે?'' અભણ કડિયાએ ભોળાભાવે જવાબ આપ્યો – “સિમેન્ટ’”. વકીલ કહે, “જુઠ્ઠું ન બોલ, સિમેન્ટ તો બે ઇંટને છુટ્ટી પાડે છે.’’ આ વાત રમૂજી પણ છે અને ગંભીર પણ છે. એકની એક વસ્તુસ્થિતિને અનેક રીતે... અનેક દૃષ્ટિકોણોથી પ્રસ્તુત કરી શકાય છે. ગ્લાસ અડધો ખાલી છે, એ જ સમયે અડધો ભરેલો છે. આવા ઉદાહરણો અનેકાંતવાદને સિદ્ધ કરે છે. આ જ ઉદાહરણને અનુલક્ષીને હવે ‘સમભંગી’ના સિદ્ધાન્તને સમજીએ - = કોઈ પ્રશ્ન કરે કે ગ્લાસ ભરેલો છે કે નથી? તો આ પ્રશ્નનો જવાબ સાત રીતે આપી શકાય. (૧) ચાવસ્તિ = અડધા ભાગની અપેક્ષાએ ભરેલો જ છે. (૨) ચાન્નાસ્તિ ભરેલો નથી જ. = બાકીના અડધા ભાગની અપેક્ષાએ (3) स्यादस्ति नास्ति = આ રીતે ભરેલો ય છે, ભરેલો નથી પણ. (૪) ચાવńવ્ય: એક સાથે ‘ભરેલો છે, અને ભરેલો નથી.’ એવું કહેવું અશક્ય છે. માટે અકથનીય છે. (૫) ચાત્ત્તવવ્યT = અડધા ભાગની અપેક્ષાએ = කාල ભરેલો છે અને એક સાથે બંને ભાગની સ્થિતિ ન કહી શકાય, તેથી અવક્તવ્ય છે. (૬) યાત્રાત્ત્તવવ્યT = બાકીના અડધા ભાગની અપેક્ષાએ ભરેલો નથી અને એક સાથે બંને ભાગની સ્થિતિ કહેવી અસંભવિત હોવાથી અવક્તવ્ય છે. (૭) ચાવસ્તિ નાસ્ત્યવત્તવ્યશ્ચ = અડધા ભાગની અપેક્ષાએ ભરેલો છે, બાકીના અડધા ભાગની અપેક્ષાએ ભરેલો નથી. અને આ બંને સ્થિતિને એક સાથે કહેવી અશક્ય હોવાથી અવક્તવ્ય છે. આ છે સ્યાદ્વાદ સિદ્ધાન્તના હાર્દ સમી સમભંગી. જેમાં સાત ભાંગા છે, એનું નામ સમભંગી. ભાંગા એટલે વચનના પ્રકાર. કોઈ પણ વસ્તુનું નિરૂપણ આ સાત પ્રકાર દ્વારા થઈ શકે છે. આપણે કદાચ આજ સુધી ‘છે’ અને ‘નથી’થી આગળ નથી વધ્યા. તેનું કારણ એ છે કે આપણને એનાથી વધુ જિજ્ઞાસા નથી થઈ. અર્થાત્ વસ્તુસ્વરૂપ કેવું છે? એ જાણવાની ઇચ્છા નથી થઈ. પ્રમાણનયતત્ત્વાલોક નામના ગ્રંથમાં કહ્યું છે કે જેઓ વધુ ને વધુ ઊંડા ઉતરે, તેમને પણ આ સમભંગી સિવાયનો આઠમો પ્રકાર મળી શકે તેમ નથી. કારણ તરીકે ત્યાં કહ્યું છે – ‘सप्तविधस्यैव तज्जिज्ञासासम्भवात्’ કારણ કે વસ્તુસ્વરૂપની બાબતમાં સાત પ્રકારની જ જિજ્ઞાસા થઈ શકે છે. હૈ (સ્તિ) નહિ હૈ (નાસ્તિ) वचन अगोचर (अवक्तव्यः) नय प्रमाण सप्तभंगी... www.sary.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Neutrality only. толь Say ne more to Mou neutrality only.....Say ' Serrous, no more to Sorrows. અપભંગીનો ાિન્ત વિશ્વના સમસ્ત સંઘર્ષોને સમાધાનોમાં ફેરવી નાખવા અક્ષમ છે. જ્યારે આપણું ખુદનું અસ્તિત્વ પણ આપનિક છે, ત્યારે કઈ વાતનો ગ્રહ રાખવો? શેની પકડથી સંઘર્ષ કરવો? આ સ્થિાનનું સંવેદન વીતરાગતા અને સર્વગૃતાના પ્રાકટયનું કારણ છે. સમભંગીનો આ સિદ્ધાન્ત સુખ, શાંતિ અને સમાધિનો સેતુ છે. સમગ્ર વિશ્વના વિવાદો અને યુદ્ધોની સમાપ્તિ માટે એક રામબાણ ઔષધ છે. - માનો કે કોઈ વ્યક્તિએ કષાયના ઉદયમાં કોઈને ‘ગધેડો’ કહ્યો. તો એ ગાળાગાળી પર ઉતરવાને બદલે વિચારી શકે, કે જે એણે કહ્યું, એ અમુક અપેક્ષાએ સાચું જ છે – રચાત્ત્તવા હા, હું કારણે કે નિષ્કારણ પણ બીજાને હેરાન કરું છું. એ બીજાને લાત મારવા સમાન જ છે. ગધેડાને સત્બુદ્ધિ, દીર્ઘદષ્ટિ વગેરે નથી હોતું, તેમ મારી પાસે પણ ક્યાં છે? માટે જ તો પરલોક અને પરમલોકના હિતને જોયા વિના આલોકના સુખ પાછળ પાગલ બન્યો છું. માટે એણે મને ગધેડો કહ્યો, એ સાચું જ કહ્યું છે. મારે એમાં કોઇ વાંધો ન લેવો જોઇએ. શંકા : સમભંગીના સિદ્ધાન્તથી આપણે સામી વ્યક્તિના વચનની સંગતિ કરી લઇએ, એ અલગ વાત છે. બાકી એણે તો કષાયોદયથી ‘અપશબ્દ’ જ કહ્યો છે ને? સમાધાન ઃ સાચી વાત છે. પણ એ કષાયોદયને વશ થયો, એટલે આપણે પણ કષાયની ઉદીરણા કરવી? કે પછી સૈદ્ધાન્તિક સમાધાન કરવું? સામી વ્યક્તિ ક્રોધથી બોલી રહી છે. એ કાંઇ સપ્તભંગીના આશરે નથી બોલી રહી. આ ખ્યાલથી આપણને ખરાબ લાગતું હોય, તો એનો અર્થ એ છે કે આપણે ક્રોધને ‘ખરાબ’ ગણ્યો છે અને સમભંગી સિદ્ધાન્તને ‘સારો’ ગણ્યો છે. આટલું સમજ્યા પછી પણ આપણે ‘સારા’ને છોડીને ‘ખરાબ’ જ અપનાવીએ, તો સામી વ્યક્તિ અને આપણે, એ બેમાં વધુ દોષપાત્ર કોણ? है नांहि है वचन अगोचर Page #23 -------------------------------------------------------------------------- ________________ એક જ વસ્તુ સાત-સાત પ્રકારે પ્રરૂપિત થતી હોવા છતાં પણ પોતે ધારેલી એક જ પ્રરૂપણાને વાસ્તવિક માનવી એ સંઘર્ષ અને સંક્લેશનું મૂળ છે. સમભંગીનો સિદ્ધાન્ત વિશ્વના સમસ્ત સંઘર્ષોને સમાધાનોમાં ફેરવી નાખવા સક્ષમ છે. જ્યારે આપણું ખુદનું અસ્તિત્વ પણ આપેક્ષિક છે, ત્યારે કઈ વાતનો આગ્રહ રાખવો? શેની પકડથી સંઘર્ષ કરવો? सर्वमस्ति स्वरूपेण पररूपेण नास्ति च । - સર્વ સ્વરૂપથી છે – ચાવસ્તિા પરરૂપથી નથી વસ્તુ સ્વાન્નાશ્તિા ‘હું આત્મારૂપે છું. પુદ્ગલરૂપે નથી.' આ રીતે આપણું અસ્તિત્વ પણ આપેક્ષિક છે. કલિકાલ સર્વજ્ઞ અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાં કહ્યું છે - आदीपमाव्योम समस्वभावं स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु। દીવાથી માંડીને આકાશ સુધીની સમસ્ત વસ્તુઓ સમાન સ્વરૂપે સ્યાદ્વાદની મર્યાદામાં રહે છે. દુનિયાની કોઇ પણ વસ્તુ એવી નથી, કે જે સ્યાદ્વાદની મર્યાદાનું ઉલ્લંઘન કરતી હોય. - (૧) ચાન્નિત્યમ્ = દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. (૨) ચાનિત્યમ્ = પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. (3) स्यान्नित्यानित्म् = ક્રમશઃ દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ વસ્તુ નિત્યાનિત્ય છે. (૪) ચાવòવ્ય: = એક સાથે બંને અપેક્ષાજનિત નિર્વચન સંભવિત ન હોવાથી અવક્તવ્ય છે. આ રીતે પૂર્વની જેમ દરેક વસ્તુની બાબતમાં સમભંગી અસ્ખલિતરૂપે પ્રવર્તે છે. શ્રી જિનેશ્વર ભગવંત કથિત આ સિદ્ધાંત તેમની સર્વજ્ઞતાનું સૂચક છે. આ સિદ્ધાન્તનું સંવેદન વીતરાગતા અને સર્વજ્ઞતાના પ્રાકટ્યનું કારણ છે. જેમ કે - ‘વસ્તુસ્વરૂપ જ જ્યારે અવક્તવ્ય પણ છે, કોઈ રીતે કહી ન શકાય એવું પણ વસ્તુસ્વરૂપનું પાસુ ત્યારે હું ‘વક્તા’પણાનો અહંકાર શી રીતે રાખી શકું?’ – આવી વિચારધારા અનેક પ્રકારના અહંકારોનું મૂલોન્મૂલન કરવા માટે સમર્થ છે. અનેકાંતવાદ આગ્રહમુક્તિને જન્મ આપે છે. આગ્રહમુક્તિ કષાયમુક્તિનું કારણ બને છે અને કષાયમુક્તિ એ જ તો પારમાર્થિક મુક્તિ છે. कषायमुक्तिः किल मुक्तिरेव । માટે જ અવધૂત આનંદઘનજી મહારાજે આ કડીમાં આગ્રહમુક્તિ પર ભાર આપ્યો છે. જેને જાતનો આગ્રહ છે, પોતાની જ માન્યતા સાચી છે, એવો પક્ષપાત છે, એ કદી સ્યાદ્વાદના સિદ્ધાન્તને પામી ન શકે. निरपख होय लखे कोई विरला, क्या देखे मत जंगी ? છ આંધળા હતા. જંગલમાંથી પસાર થતા હતા. અચાનક તેમને એક હાથીનો ભેટો થયો. એક-એક આંધળાએ હાથીનું એક એક અંગ પકડ્યું. સદ્ભાગ્યે હાથી ભદ્રિક હતો. શાંતિથી ઊભો રહ્યો. પણ એ આંધળાઓમાં અશાંતિ વ્યાપી ગઈ. જે આંધળાએ હાથીના પગ પકડ્યા હતા, તે કહે, “આ પ્રાણી થાંભલા જેવું છે.’’ હજી તો એ તેનું વાક્ય પૂરું કરે, તેની પહેલા બીજો કહે, ‘‘તું તો સાવ આંધળો જ છે. આ પ્રાણી તો દોરડા જેવું છે.’’ એણે હાથીનું પૂંછડું પકડ્યું હતું. “આ તો ત્રીજા આંધળાએ હાથીના કાન પકડ્યા હતા, એ કહે, બધુ આંધળે બેરુ કુટાય છે. આ પ્રાણી તો સૂપડા જેવું છે.’’ ત્યાં તો ચોથો સૂંઢ પકડીને બોલ્યો, “તમે આ અજગર Page #24 -------------------------------------------------------------------------- ________________ | gL) માટે કેટલા વિચિત્ર અભિપ્રાય આપો છો!” પાંચમાએ તો લગભગ ત્રાડ જ નાખી, ' બંધ કરો આ બધો બકવાસ, આટલું સ્પષ્ટ સમજાય * છે, કે આ પ્રાણી કોઠાર જેવું છે, તોય તમે બધા...” એણે હાથીનું પેટ પકડ્યું હતું. ત્યાં તો છઠ્ઠો જાણે બ્રહ્મવચન કહેતો હોય, એમ કહે, “આ પ્રાણી શિંગડા જેવું જ છે, એમ સો ટકા જણાય છે, માટે તમે બધા જુઠ્ઠા છો.” એના હાથમાં હાથીના દાંત આવ્યા હતા. હવે આ પ્રસંગ પર વિચાર કરીએ. એ આંધળાઓમાં કોણ સાચુ હતું ? અને કોણ ખોટું હતું? એક અપેક્ષાએ બધા જ સાચા હતા અને એક અપેક્ષાએ બધા જ ખોટા હતાં. પગના અંશે હાથી થાંભલા જેવો છે, એ વાત સાચી છે. પણ ‘હાથી માત્ર થાંભલા જેવો જ છે” એવું કહેવાય, ત્યારે એ વાત ખોટી બની જાય છે. અમુક અપેક્ષાએ સાચી વાત કહેનાર પણ જો એમ કહે કે મારી જ વાત સાચી છે', તો એની વાત ખોટી બની જાય છે. | ‘હાથી થાંભલા જેવો છે” આ અભિપ્રાય નય છે. આ અભિપ્રાયનો કદાગ્રહ સેવાય, ત્યારે એ દર્નય બની જાય છે - ‘હાથી થાંભલા જેવો જ છે.’ હાથીમાં ‘થાંભલા જેવા પણું વગેરે અનંત ધર્મોના સમન્વય સાથે હાથીનું નિરૂપણ કરવામાં આવે તેને પ્રમાણ કહે છે. નય અને પ્રમાણ સમ્યગ્દર્શનમાં અંતર્ભત થાય છે. જ્યારે દુર્નય એ મિથ્યાત્વનું સ્વરૂપ છે. | શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાએ સમ્મતિ તર્કમાં કહ્યું છે – सव्वे णया मिच्छादिट्ठिणो। સર્વ નયો મિથ્યાદૃષ્ટિ છે. આ વાત સ્વાભિપ્રેત નયના કદાગ્રહને આધારે સમજવાની છે. અર્થાત્ દુર્નયો એ મિથ્યાદૃષ્ટિ છે. જ્યાં અપેક્ષાની સ્પષ્ટ સમજ છે, જ્યાં આગ્રહમુક્તિ છે, તેવા નયના આશ્રયમાં સમ્યગ્દર્શનને કોઈ આંચ આવી શકે તેમ નથી. આત્મા આદિ સર્વ વસ્તુઓનું સમ્મસ્વરૂપ આગ્રહથી નહીં પણ સમ્યગ્દર્શનથી સમજાઈ શકે છે. निरपख होय लखे कोई विरला ' પણ કોઈ વિરલ જીવો એવા હોય છે, કે જેઓ પક્ષપાતથી = સ્વાભિપ્રાયના આગ્રહથી મુક્ત બની શકે છે, અને તેથી વસ્તુસ્વરૂપને સમ્યક્ રીતે જાણી શકે છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ સ્પષ્ટ કહ્યું છે – अभिनिवेशस्य तत्त्वप्रतिपत्तिं प्रति शत्रुभूतत्वात्। વસ્તુસ્વરૂપના જ્ઞાનનો શત્રુ છે આગ્રહ. માટે જો તમારે તત્ત્વજ્ઞાન મેળવવું હોય, તો કોઇ પણ જાતનો આગ્રહ રાખશો નહીં. યોગબિંદુમાં પણ કહ્યું છે - ग्रहं सर्वत्र सन्त्यज्य तद गम्भीरेण चेतसा। शास्त्रगर्भः समालोच्यो ग्राह्यश्चेष्टार्थसङ्गतः।।३१७।। માટે કોઈ પણ વિષયનો આગ્રહ રાખ્યા વિના ગંભીર ચિત્તથી શાસ્ત્રના રહસ્યનો વિચાર કરવો જોઈએ. અને ઉચિત અર્થથી સંગત હોય, એ રીતે તેનું ગ્રહણ કરવું જોઇએ. - જેને પોતાના મતનો પક્ષપાત છે, જે કદાગ્રહથી કલંકિત છે, પોતાની વાતને સાચી પુરવાર કરવા માટે જે જંગે ચડ્યો છે, તે કદી પણ વાસ્તવિક વસ્તુસ્વરૂપને જોઈ શકતો નથી. __क्या देखे मत जंगी? એને તો જે વસ્તુનો આગ્રહ છે, તે જ વસ્તુ દેખાશે, વાસ્તવિક વસ્તુ નહી દેખાય. inbrary 076) Page #25 -------------------------------------------------------------------------- ________________ નાનકડો મોન્ટુ, પહેલી વાર કાકા સાથે વિમાનમાં બેઠો. એનો ઉત્સાહ આસમાને પહોંચ્યો હતો. હજી તો વિમાન ચાલુ થાય એ પહેલા જ એની ધીંગામસ્તી અને કોલાહલ ચાલુ થઇ ગયાં. કાકાએ માંડ માંડ એને કાબુમાં લીધો. સીટ પર બેઠો બેઠો ય એ જાણે હવામાં ઉછળતો હતો. એવામાં એંજિન ચાલુ થયું. ઘરરાટીભર્યો એ અવાજ મોન્ટુને ખૂબ રોમાંચક લાગ્યો. એણે આંખો મીંચી દીધી અને કલ્પના કરવા લાગ્યો... જાણે વિમાને લાંબો રન-અપ લીધો... હવે અદ્ધર થયું... હવે ઉંચે ઉંચે જવા લાગ્યું... ધીમે રહીને મોન્ટુએ આંખો ખોલી, બારીમાંથી નીચે જોયું, અને બોલી ઉઠ્યો, “કાકા ! કાકા ! જુઓ, આપણે કેટલા ઉપર આવી ગયા, હવે તો માણસો મકોડા જેવા દેખાય છે.’’ કાકા કહે, “ચૂપ બેસ, એ માણસો નહીં મકોડા જ છે, હજી આપણે નીચે જ છીએ.’’ મોન્ટુની દૃષ્ટિનો આધાર વાસ્તવિકતા ન હતી, પણ તેની માન્યતા હતી. એણે માની લીધું કે વિમાન ઉંચે આવી ગયું, અને એના આધારે એણે દૃશ્યને રજુ કર્યું. મોન્ટુ ‘સ્વ મત’ને જોતો હતો. વાસ્તવિકતાને નહીં. क्या देखे मत जंगी ? માન્યતાની પકડ એ અંધત્વ છે, જે આ અંધત્વનો ભોગ બને, એ યથાર્થ વસ્તુસ્થિતિને જોઈ શકતો નથી. નય અને પ્રમાણ વિષે વિસ્તૃત માહિતિ મેળવવા માટે સમ્મતિ તર્ક, સ્યાદ્વાદરત્નાકર, નયરહસ્ય, નયોપદેશ, આદિ ગ્રંથોનો અભ્યાસ કરવા યોગ્ય છે. સ્યાદ્વાદ સુધારસના ઉત્તરોત્તર સૂક્ષ્મતર સ્વરૂપને રજુ કરતાં પદકાર હવે પરાકાષ્ઠામાં પ્રવેશ કરી રહ્યા છે... Re leasure tabhangi Pure meditatio lliant bridge Saptabhangi sonal Use Only bridge to pleasure. peace & Pure meditation. અતભંગના ચિાત્ત સુખ, તિ અને સમાધિનો શ્વેતુ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્ટાઇઠ્ઠJદ સુઇચ્છ मांछे माधुर्थनी R8JV8J... भोलानी परम88J... हरेछ, भोलभा पूर्ण प्रतिष्ठा Dorite Dink Have eternalness forever.... सर्वमयी सरवंगी माने, न्यारी सत्ता भावे; आनंदघन प्रभु वचन सुधारस, परमारथ सो पावे...४ अवधू! नट नागर की बाजी... Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ in the World. જે સમયી, સવગી અને ન્યારી સત્તાનું ચિંતન-મનન કરે છે, તે આનંદઘન સ્વરૂપ પ્રભુના વચન-સુધારસના પરમાર્થને પ્રાત. કરે છે. |૪||. | ‘હું આત્મા છું.” ઓ વાક્યમાં અવધારણ = જકાર = નિશ્ચયાત્મકતા ન હોય, તો શું થાય? ‘હું આત્મા છું કે નથી.” અથવા “હું પુદ્ગલ છું.” આવી અનેક અનિષ્ટ માન્યતા થઈ શકશે. માટે આત્મનિશ્ચય માટે ‘હું આત્મા છું.” આવી માન્યતાની જેટલી આવશ્યકતા છે, તેટલી જ આવશ્યકતા ‘હું પુદ્ગલ નથી.’ આ માન્યતાની પણ છે. | વિશ્વની કોઈ પણ વસ્તુનો નિશ્ચય માત્ર અસ્તિત્વથી નથી થતો, નાસ્તિત્વની સ્પષ્ટતા પણ હોવી જરૂરી છે. આત્મા સ્વરૂપથી અસ્તિત્વ ધરાવે છે, એમ પરરૂપથી નાસ્તિત્વ પણ ધરાવે છે. માત્ર અસ્તિત્વ” જ માનો અને ‘નાસ્તિત્વ’ ન માનો, તો અસ્તિત્વનો નિર્ણય અસંભવિત છે. માટે ‘આત્મારૂપે છું.’ એની સાથે સાથે ‘હું પુસ્તકરૂપે નથી.’ ‘હું ટેબલરૂપે નથી.’ ‘હું પેનરૂપે નથી.’ ‘હું મકાનરૂપે નથી.’ એમ યાવત્... “ આત્મા સિવાયની વિશ્વની સર્વ વસ્તુરૂપે નથી.’ આ રીતે ‘નાસ્તિત્વ’નો નિર્ણય પણ જરૂરી છે. ‘હું'ની ઓળખ માટે જેટલી ‘છું’ની આવશ્યકતા છે, એટલી જ ‘નથી’ની પણ આવશ્યકતા છે. માટે આત્માનો સ્વપર્યાય જેમ અસ્તિત્વને આભારી છે, એમ નાસ્તિત્વને પણ આભારી છે. એ રીતે ‘હું આત્મા છું' - અહીં જેમ સ્વપર્યાય પોતાનો સંબંધી બને છે, એ જ રીતે ‘હું પુસ્તક નથી’ - એમ પરપર્યાય પણ પોતાનો સંબંધી બને છે. એ રીતે પુસ્તકપર્યાય, પેનપર્યાય, ટેબલપર્યાય... યાવતુ વિશ્વના સર્વ પર્યાયો પણ પોતાના સંબંધી બને છે. કારણ કે સંબંધ જેમ અસ્તિત્વથી થાય છે, તેમ નાસ્તિત્વથી પણ થાય છે. જો નાસ્તિત્વથી સંબંધ ન માનો, તો ‘હું પુસ્તક નથી.’ એવું નહીં કહી શકાય, અને એ સ્થિતિમાં ‘હું પુસ્તક છું.’ એવું પણ માનવું પડશે, અને એવું માનો એટલે ‘હું આત્મા છું.’ એ અસ્તિત્વનો નિર્ણય ઓગળી જશે. in the Delicious thugrld. > This is the most in Ede calor into Page #28 -------------------------------------------------------------------------- ________________ માટે પૂર્વે કહ્યું તેમ વિશ્વની સર્વ વસ્તુના પર્યાયો પણ પોતાના સંબંધી છે. સ્વઅસ્તિત્વના નિર્ણયમાં તે સર્વ પર્યાયો પણ અંતર્ભૂત છે. માટે આત્મા આદિ વિશ્વની સર્વ વસ્તુઓ સર્વમય છે. આ એક અપેક્ષાને આશ્રીને છે, જે અપેક્ષાને અહીં સ્પષ્ટ કરી જ છે. આત્માનું અસ્તિત્વ સર્વમય છે. માટે જ વિશ્વની પ્રત્યેક વસ્તુના પર્યાયો તેના અંગરૂપ બને છે. માટે આત્માની સત્તા સર્વાંગી છે. सर्वमयी सरवंगी माने વિશ્વની કોઈ પણ વસ્તુ સર્વવસ્તુમય છે. વિશ્વની સર્વ વસ્તુઓ પ્રત્યેક વસ્તુના અંગ સ્વરૂપ છે. માટે જ આગમમાં કહ્યું છે – जो एगं जाणइ सो सव्वं जाणइ । जो सव्वं जाणइ सो एगं जाणइ । જે એકને જાણે છે, તે સર્વને જાણે છે, અને જે સર્વને જાણે છે, તે એકને જાણે છે. આત્મા એ પુસ્તક નથી, પેન નથી, ટેબલ નથી... આ રીતે દુનિયાની સર્વ વસ્તુ ‘નાસ્તિત્વ’ના સંબંધથી તેની સાથે જોડાયેલી છે. માટે એ સર્વ વસ્તુઓના જ્ઞાન વિના આત્માનું જ્ઞાન ન થઇ શકે. એવી જ રીતે વિશ્વની પ્રત્યેક વસ્તુનું જ્ઞાન સર્વ વસ્તુઓના જ્ઞાન વિના શક્ય નથી. માટે જેણે એક વસ્તુનું જ્ઞાન મેળવ્યું છે, તેણે સર્વ વસ્તુનું જ્ઞાન મેળવ્યું છે. एको भावः सर्वभावस्वभावः, सर्वे भावा एकभावस्वभावाः । एको भावस्तत्त्वतो येन बुद्धः, सर्वे भावास्तत्त्वतस्तेन बुद्धाः ।। પ્રત્યેક વસ્તુનો સ્વભાવ સર્વવસ્તુમય છે. સર્વ વસ્તુઓનો સ્વભાવ એકવસ્તુમય છે. જેણે વાસ્તવમાં એક વસ્તુને જાણી છે, તેણે સર્વ વસ્તુને વાસ્તવિકરૂપે જાણી છે. सर्वमयी सरवंगी माने સ્યાદ્વાદ સુધારસની પરિણતિથી આ તત્ત્વનું સંવેદન થાય છે. સર્વ વસ્તુ સર્વમય છે અને સર્વાંગી છે, આ વાસ્તવિકતાનું મનન થાય છે. આમ છતાં એ વિવેકદષ્ટિ પણ રહે છે કે સર્વ વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ છે. પ્રત્યેક વસ્તુની સત્તા બીજી સર્વ વસ્તુઓની સત્તા કરતા જુદી છે. न्यारी सत्ता भावे જો ‘સ્વ’નું જુદું અસ્તિત્વ ન હોય, તો ‘સ્વ’નો અભાવ થાય. એ જ રીતે વિશ્વની પ્રત્યેક વસ્તુનો પણ અભાવ થાય. પરિણામે સર્વશૂન્યતા સર્જાય. પણ એવું તો નથી. માટે પ્રત્યેક વસ્તુની ન્યારી સત્તા = સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવું આવશ્યક છે. આત્મા સર્વમય છે, એની સાથે સાથે જ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ પણ છે. આવા સ્વતંત્ર અસ્તિત્વનું જે પરિભાવન કરે છે, વિશ્વના સમસ્ત પદાર્થોનું જે યથાર્થદર્શન કરે છે, તે તત્ત્વદષ્ટા જિનવચનામૃતના તાત્પર્યને પ્રાપ્ત કરે છે. आनंदघन प्रभु वचन सुधारस परमारथ सो पावे તત્ત્વદષ્ટિથી રાગનો વિલય થાય છે. રાગના વિલયથી વીતરાગતા પ્રગટ થાય છે. વીતરાગતા પરમાનંદનું કારણ છે. માટે જ વીતરાગભગવંત આનંદઘન છે. એ આનંદઘન પ્રભુનું વચન જ સુધારસ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે કે દેવો સુધા (અમૃત) પીવે છે. માટે તેઓ મરતા નથી. તેથી જ દેવોનું બીજું નામ અમર છે. આ લોકવાયકા પર શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાએ ગજબનો કટાક્ષ કર્યો છે. પ્રભુની સ્તુતિ કરતા તેમણે કહ્યું છે - पीतामृतेष्वपि महेन्द्रपुरःसरेषु, मृत्युः स्वतन्त्रसुखदुर्ललितः सुरेषु। वाक्यामृतं तव पुनर्विधिनोपयुज्य, शूराभिमानमवशस्य पिबन्ति मृत्योः।। ઇન્દ્રો વગેરે દેવો અમૃતનું પાન કરે છે. તો ય મૃત્યુ તદ્દન બેરોકટોકપણે તેમનું જીવન હરી લે છે. તો પછી દેવોને અમર શી રીતે કહી શકાય? અને તેમના પીણાને અમૃત પણ શી રીતે કહી શકાય? પ્રભુ ! અમૃત તો છે તારું વચન. સુધા તો છે તારી વાણી. જે એક વાર એ સુધાનું વિધિપૂર્વક પાન કરે, અર્થાત્ તેની પરિણતિ મેળવે, તે મૃત્યુને જીતી લે છે. ‘હું દેવોને ય દુર્જેય છું' એવું મૃત્યુનું શૂરાતનનું અભિમાન તેઓ ઉતારી દે છે. મૃત્યુ સમસ્ત વિશ્વમાં છો ને સ્વતંત્ર હોય, તેમની પાસે એ સાવ જ લાચાર થઈ જાય છે. કારણ કે પ્રભુ! આપના વચનામૃતના પાનથી તેઓ વાસ્તવમાં અમર બની ચૂક્યા હોય છે. आनंदघन प्रभु वचन सुधारस વિશ્વની ઉત્કૃષ્ટ મૂલ્યવાન કોઈ વસ્તુ હોય, તો એ છે જિનવચનામૃત. રત્નની કિંમત ઝવેરી કરી શકે. અભણ ગોવાળિયો રત્નની અવગણના કરે, એનાથી રત્નની કિંમત જરા ય ઓછી થતી નથી. એક માત્ર અર્થલક્ષી શિક્ષણ પાછળ આખી ય દુનિયા ગાંડી બની હોય, જિનવચનામૃતની ઘોર ઉપેક્ષા થતી હોય, તો ય અમૃત એ અમૃત જ રહે છે. જે આનું પાન કરશે, એ અમર બનશે, અને જે વિષપાન કરશે, એ મરશે. એ ફરી ફરી જન્મ-મરણના ફેરા કરશે. જિનવચન એ જ એક માત્ર અમૃત છે, જે અનંત મરણનું નિવારણ કરીને અમરત્વનું અર્પણ કરે છે. માટે જ કહ્યું છે - | જિનવચન વખાણી લીજે ભવનો પાર. Page #30 -------------------------------------------------------------------------- ________________ Ngahertaragas પ્રભુના સુધારસરૂપ વચનનો પરમાર્થ એટલે એનું આત્માને ઉત્તરોત્તર વધુ ને વધુ વિશુદ્ધ બનાવતા જાઓ. રાગતાત્પર્ય. જો તાત્પર્યની પ્રાપ્તિ ન થાય, તો અભિમત ફળ ન દ્વેષનો વધુ ને વધુ લાસ કરતા જાઓ. આત્મરમણતા અને મળી શકે. સુધારસનો પ્યાલો હાથમાં તો આવી ગયો, પણ આત્માનુભૂતિના નિત નવા શિખરો સર કરતા જાઓ. એનું પાન કરવાનો પ્રયત્ન ન કરે તો? એને મુખે લગાડ્યા વિના ઉત્પાદ, વિનાશ, ધ્રૌવ્ય, એકાએકપણું, નય, પ્રમાણ, એમ ને એમ ઢોળી દે તો? અરે, એનું પાન કર્યા બાદ પણ એની સમભંગી અને સર્વમયત્વ આદિ સ્યાદ્વાદ સિદ્ધાન્તનું જે પરિણતિ ન કેળવે તો? પરિભાવન કરે છે, તે જિનવાણીનું તાત્પર્ય પામે છે. | અભવ્યનો જીવ આ પ્યાલાને તો અનંત વાર પ્રાપ્ત કરે જિનવચનામૃતનો પરમાર્થ... આત્માનુભૂતિનું અનંત છે, પણ એની પરિણતિને એક વાર પણ પામી શકતો નથી. આકાશ... અને ‘અમરત્વ'ની લબ્ધિથી તેમાં મુક્ત ઉશ્યન... બિચારો, કેવો એનો આત્મસ્વભાવ, તળાવે આવીને તરસ્યા બીજું જોઇએ પણ શું ? જવાની કેવી એની કમનસીબી ! અક્ષય તૃતીયા જિનવચનામૃતને પામીને એના પરમાર્થને પામવાનો વિ.સં. ૨૦૬૭ પુરુષાર્થ કરવો જોઇએ. જિનવાણીનું તાત્પર્ય એ જ છે કે તમારા જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્ Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક વસ્તુનો સ્વભાવ સર્વવન્તુમય છે. સર્વ વસ્તુઓનો સ્વભાવ એવન્તુમય છે. જેણે વાસ્તવમાં એક વસ્તુને જાણી છે, તેણે સર્વ વસ્તુને વાસ્તવિકપે જાણી છે. Hvale & Personause One = All All = One It's miracle... It'\luti T ાદ સુધારા *alalla 93bl Bhop [4 711; પરિણતિથી Page #32 -------------------------------------------------------------------------- ________________ સુ૨} અને સુઇ૮૭૪... એ ઝી મ્હોં છે, અાપણે વી જઈએ. MULTY GRAPHICS COLLEZIZ