Book Title: Aendrastuti Chaturvinshatika
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230049/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ‘અન્દ્રસ્તુતિચતુર્વિશતિકા” આજે વિદ્વાન સમક્ષ સ્વાપન ટીકા સહિત ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા ધરીએ છીએ, જેના કર્તા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમાન યાવિજયાપાધ્યાય છે. તેઓશ્રી માટે આજ સુધીમાં ઘણું લખાયું છે, છતાં હજુ ઘણું લખવુ શેષ રહે છે. પરંતુ અત્યારે તેને લગતી તૈયારી ન હેાવાથી તે બાબતથી વિરમી માત્ર સ્તુતિને અંગે જ અહી કાંઈ લખવાના ઇરાદા છે. અત્યારે આપણા સમક્ષ કે કાવ્યપ્રમાણ યમકાલ કારમયી જે સ્તુતિચતુર્વિશતિકાએ વિદ્યમાન છે, તે સૌમાં રચનાસમયની દૃષ્ટિએ આચાર્ય બપ્પભટ્ટકૃત સ્તુતિચતુર્વિશતિકા પ્રથમ છે અને યશેવિજયાપાધ્યાયકૃત અંતિમ છે. અત્યારે નીચે પ્રમાણેની સ્તુતિચતુર્વિશતિકા જોવામાં આવે છે : ૧. સ્તુતિચતુવિ શતિકા ૨. * મહાપાધ્યાય શ્રી યશેાવિજયકૃત ‘ઐન્દ્રસ્તુતિચતુર્વિ શતિકા 'ની (પ્રકાશક-શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, સં. ૧૯૮૪) પ્રસ્તાવના. ૧ આચાર્ય. પટ્ટિ પાંચાલ (પંજાબ) દેશનિવાસી હતા. તેમના પિતાનું નામ અપ્તિ, માતાનું નામ ભિટ્ટ અને પેાતાનું નામ સુરપાલ હતું. તેમણે સાતમે વર્ષે દીક્ષા લીધી હતી. માતા-પિતાની પ્રસન્નતાને માટે તેમનું નામ અપ્પ-ભિટ્ટ રાખવામાં આવ્યું હતું. તેમનું મુખ્ય નામ ભદ્રકીતિ હતું. ગુરુ આચાર્ય સિદ્ધસેન હતા. કત્તેજના રાન્ન આમરાજે તેને યાવજ્જીવ મિત્રરૂપે અને મરણ સમયે ગુરુ તરીર સ્વીકાર્યા હતા. ‘ ગઉડવહા’ મહાકાવ્યના કર્તા મહાકવિ શ્રીવાતિરાજને પાછલી અવસ્થામાં પ્રતિખેાધ કર્યાંનુ પણ કહેવામાં આવે છે. તેમનેા જન્મ સ ંવત ૮૦૦, ભાદ્રપદ તૃતીયા, રવિવાર હસ્તનક્ષત્ર; દીક્ષા ૮૦૭ વૈશાખ શુકલ તૃતીયા; આચાર્ય પદ ૮૧૧ ચૈત્ર વદ ૮; સ્વવાસ ૮૯૫ શ્રાવણ શુદિ ૮ સ્વાતિનક્ષત્ર. એમણે તારાગણનામના ગ્રંથ રચ્યા છે, જે અત્યારે મળતેા નથી. "" ik * આચાર્ય બપ્પભટ્ટિ મુદ્રિત શોભનમુનિર 'भद्रकी ते मत्याशा: कीत्तिस्तारागणाध्वना । प्रभा ताराधिपस्येव श्वेताम्बर शिरोमणेः ॥ ३२ ॥ '' તિલમનરી, પૃ. ૪ આમનુ' વિશેષ ચરિત્ર જાણવાની ઇચ્છાવાળાએ પ્રભાવકચરિત્ર, ઉપદેશરત્નાકર આદિ ગ્રંથા જોવા. ૨. શાલનમુનિ મહાકવિ ધનપાલના લઘુ ભાઈ થાય. "" Page #2 -------------------------------------------------------------------------- ________________ ઐન્દ્રસ્તુતિચતુવિ રાતિકા ૩. સ્તુતિચતુવિ શતિકા ૪. મેરુવિજયગણિ યશાવિજયાપાધ્યાય ૫. ( અપૂર્ણ૪) અજ્ઞાત પ ૨૭ થી ૩૯ કાવ્ય અગર શ્લેાકપ્રમાણ યમકાલકારમયી ૬ સ્તુતિચતુર્વિં શતિકા નીચે પ્રમાણેની મળે છે : 22 "" 33 ૧. રતુતિચતુર્વિજ્ઞતિકા ૨. 3. મુદ્રિત ૪. ૩. મેરુવિજયર્પણ વિજયસેનસૂરિના રાજ્યમાં થયા છે. તેમના ગુરુનું નામ આનન્દવિજયગણિ હતું. ૪. આ ચતુર્વિશતિકાની પ્રારંભની સાત જ · સ્તુતિએ (૨૮ કાવ્ય “દાદાસાહેબની પૂજા ” આદિ પુસ્તકોમાં છપાઈ છે; પાછળની મળતી નહી. હાય એમ લાગે છે. ,, "" ૨૯ શ્લેા. કવિચક્રવર્તી શ્રીપાલ ૨૭ કા. સામપ્રભાચા - ૩૯ શ્લા. ધધેાષસૂરિ ૨૮ કા. ,, ,, [ ૧૬૩ ૫. આ પાંચ સ્તુતિચતુર્વિ શતિકા સિવાયની ૯૬ કાવ્યપ્રમાણ આંચલિક કલ્યાણસાગરસૂરિષ્કૃત પણ એક મળે છે, પરંતુ તે યમકાલંકારમયી ન હેાવાથી તેની અહીં નોંધ લીધી નથી. ܕܙ ૬. આ સ્તુતિમાં ૨૪ પદ્ય પ્રત્યેક તીર્થંકરની સ્તુતિરૂપ હોય છે, અને ત્રણ પદ્ય અનુક્રમે સ જિનસ્તુતિ, જ્ઞાનસ્તુતિ તથા શાસનાધિષ્ઠાતૃદેવતાની સ્તુતિરૂપ હાય છે, જે દરેક તીર્થં કરની સ્તુતિના પદ્ય સાથે જોડીને ખેલવાનાં હોય છે. કેટલીક ચતુર્વિ શતિકામાં ૨૭ કરતાં વધારે પદ્ય છે તેનુ કારણ માત્ર એટલુ` જ છે કે, તેમાં મંગલાચરણ કે કનામગ કાવ્ય અથવા બન્ને સામેલ હેાય છે. જેમાં ૨૯ કરતાં વધારે પદ્ય છે, તેમાં શાશ્વત જિન, સીમંધર આદિ જિતાની સ્તુતિનાં પદ્ય પણ સામેલ છે એમ જાણવુ. k ૭. કવિચક્રવત્તી શ્રીપાલ પ્રાગ્વાટજ્ઞાતીય (પેારવાડ) હતા. તેમના પિતાનું નામ લક્ષ્મણ હતું. તે ગૂર્જરેશ્વર સિદ્ધરાજના બાળમિત્ર હતા. તેમને સિદ્ધરાજ ‘ કવીન્દ્ર ’ તથા ‘ભ્રાતઃ' એ શબ્દોથી જ સખેાધતા. તેએ પ્રજ્ઞાચક્ષુ હતા. વડનગરના કિલ્લાની પ્રશસ્તિમાં પે।તે અને નાબેયનેમિદ્રિસધાન કાવ્યમાં આચાર્ય હેમચંદ્રે આપેલ “ ાનિવૃત્ત્તમલૈંત્રિવધ: '' એ વિશેષણથી તેમણે ફાઈ મહાન ગ્રંથની રચના અવશ્ય કરી છે; પર ંતુ અત્યારે તે આપણને તેમની કૃતિના નમૂના તરીકે પ્રસ્તુત ચતુર્વિશતિકા અને વડનગરના કિલ્લાની પ્રશસ્તિ જ જોવા મળે છે. નાત્રેયનેમિદ્રેસન્માનકાવ્યને આ કવિચક્રવર્તી એ જ શોધેલ છે. સિદ્ધરાજના અધ્યક્ષપણા નીચે થયેલ વાદિદેવસૂરિ અને કુમુદચંદ્રાચાર્યના વાદ સમયે તે સભામાં હાજર હતા. તેમના પુત્ર સિદ્ઘપાલ તથા પૌત્ર વિજયપાલ પણ મહાકવિ હતા. આ સૌને વિસ્તૃત પરિચય મેળવવા ઇચ્છનારે શ્રીમાન જિનવિજયજી સંપાદિત દ્રૌપદીસ્વયંવરનાટકની પ્રસ્તાવના જોવી. ૮. સામપ્રભાચાર્ય મહારાજા કુમારપાલદેવના સમયમાં અને તે પછી પણ વિદ્યમાન હતા. તેમણે મુક્તમુક્તાવલી, સુમતિનાથચરિત્ર, કુમારપાલપ્રતિષેાધ, શૃગારવૈરાગ્યતરંગિણી, શતાથીવૃત્તિ આદિ ગ્રંથા રચ્યા છે. ૯. ધર્મ ત્રેાષસૂરિ ક પ્રથાદિ પ્રસિદ્ધ સમર્થ પ્રચાના પ્રણેતા તા દેવેન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમણે ચૈયવન્દન ભાષ્યની સંધાચાર નામની ટીકા, શ્રાદ્ધજીતકપ, સમવસરણ, યાનિસ્તવ, કાલસત્તર આફ્રિ ગ્રંથ રચ્યા છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ = = = ૧૬૪ ] જ્ઞાનાંજલિ ૫. સ્તુતિચતુર્વિશતિકા ૩૦ શ્લે. જિનપ્રભસૂરિ ૧૦ ૨૮ ક. , ૨૯ શ્લે. ચારિત્રરનગણિ1 ૨૯ ક. , ૨૯ કા. ધર્મસાગરોપાધ્યાય ૨ ૨૭ ક. , (યમકરહિત પ્રાકૃત) ૨૭ આર્યા ૧૨, શાશ્વતજિનયુત વિહરમાનજિનચતુર્વિશતિકા ૨૭ કા. મુદ્રિત ઉપર નોંધ લીધી તે સિવાયની અન્ય સ્તુતિચતુર્વિશતિકાઓ હોવી જોઈએ, પણ અત્યાર સુધીમાં જે જે દષ્ટિપથમાં આવી છે તેની જ નોંધ માત્ર આ રથળે કરી છે. અહીં આપેલ સૂચીમાંની લગભગ ઘણીખરી ઋષભાદિ વીરપર્યન્ત જિનની તેમ જ યમકાલંકારમયી છે. આથી ઇતર અલ્પ પ્રમાણમાં જ જોવામાં આવે છે, જેની નોંધ પણ ઉપર લીધી છે. ભિન્ન ભિન્ન આચાર્યાદિત પર્વતિથિમાહામ્યગર્ભિત, તીર્થમાહાભ્યગર્ભિત તેમ જ તીર્થકરોની ટક સ્તુતિઓ ચમક પાદપૂર્તિરૂપ તથા સામાન્ય છન્દરૂપ ઘણા જ વિરતીર્ણ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. આ સર્વ ચતુર્વિશતિકાઓમાંની અગર છૂટક કોઈ પણ ચાર પાની સ્તુતિ દેવવન્દનમાં કાર્યોત્સર્ગ કર્યા પછી અવશ્ય બલવાની હોય છે. તેમાં નીચે પ્રમાણેના અધિકાર- વિયો હોય છે અથવા હોવા જોઈએ: ૧૦. આચાર્ય જિનપ્રભ ખરતરગચ્છીય હતા. તેઓશ્રીએ સંદેહવિષપધિ, વિધિપ્રપા, વિવિધતીર્થ. કલ્પ આદિ અનેક ગ્રંશે રચ્યા છે. સ્તવ-સ્તુતિ-સ્તોત્રકાર તરીકે તે તેઓનું સ્થાન સૌ કરતાં ઊંચું છે. તેમણે તપા શ્રી સોમતિલકસૂરિને શિષ્ય-પ્રશિષ્યોને ભણાવવા માટે એકીસાથે સાત સે સ્તોત્ર બેટ આપ્યાં હતાં. પ્રત્ય નવીન સ્તોત્રની રચના કર્યા પછી જ ભોજન લેવું એવી તેમની પ્રતિજ્ઞા હતી __“पुरा श्रीजिनप्रभसूरिभिः प्रतिदिननवस्तवनिर्माणपुरःसरनिरवद्याहारग्रहणाभिग्रहद्भिः प्रत्यक्षपद्मावतीदेवीवचसाऽभ्युदयिनं श्रीतपागच्छं विभाव्य भगवतां श्रीसोमतिलकसूरीणां स्वशैक्षशिष्यादिपटनविलोकनाद्यः र्थयमकश्लेष-चित्र-च्छन्दोविशेषादिनवनवभङ्गीसुभगा: सप्तशतीमिताः તવા ૩૫વતા નિગમતાં: ” સિદ્ધારના મતવાવણૂરિઝામે છે ૧૧. ચારિત્રરત્નમણિ તપા સોમસુન્દસૂરિના શિષ્ય હતા. તેમણે જ્ઞાનપ્રદીપ, ચિત્રકૂટવિહારપ્રશસ્તિ આદિની રચના કરી છે. તેઓ વિક્રમની પંદરમી-સેળમી સદીમાં વિદ્યમાન હતા. ૧૨. ધર્મ સાગરોપાધ્યાય વિજયદાનસૂરિના શિષ્ય અને પ્રસિદ્ધ આચાર્ય હીરવિજયસૂરિના ગુરુભાઈ હતા. તેઓશ્રીએ ગચ્છાન્તરીઓને પરાસ્ત કરવા માટે અનેક સમર્થ અને પ્રમાણભૂત ગ્રંથની રચના કરી છે. તેમની કૃતિઓમાં જબૂદીપપ્રાપ્તિ ટીકા, કલ્પકિરણીવલી, હરિયાવહીષત્રિશિકાસટીક, પર્યપણુંદશશતક, પ્રવચનપરીક્ષા, ડિશકીવૃત્તિ, ઔકિમતોત્સત્રદીપિકા, તપાગચ્છીયપટ્ટાવલી આદિ મુખ્ય છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા अहिगयजिण पढम थुई, बीआ सव्वाण तईअ नाणस्स । वेयावच्चगराणं, उवओगत्थं चउत्य थुई । ५२ ॥ देववन्दनभाष्य ॥ અર્થાત–પ્રથમ સ્તુતિમાં વિવક્ષિત કઈ એક તીર્થકરની સ્તુતિ, બીજીમાં સર્વ જિનોની સ્તુતિ, ત્રીજમાં જિનપ્રવચનની અને ચોથીમાં વૈયાવૃત્યકર દેવતાઓનું સ્મરણ. ઉપર જે સ્તુતિચતુર્વિશતિકાઓની સૂચિ આપવામાં આવી છે તે પૈકી શોભનમુનિકૃત ચતુર્વિ. શતિકાના અનુકરણરૂપ આપણી પ્રસ્તુત ચતુર્વિશતિકા છે એમ તેની સાથે સરખાવતાં સ્પષ્ટ રીતે તરી આવે છે. આ અનુકરણ છન્દ, અલંકાર, વિશેષણ, ભાવાર્થ આદિ અનેક રીતે કરવામાં આવ્યું છે, એટલું જ નહિ, પણ કેટલેક સ્થળે તો વાકનાં અને પદનાં પદ પણ નહિ જે ફેરફાર કરીને જેમનાં તેમ ઉપાધ્યાયજીએ આહરી લીધાં છે. જે આપણે બરાબર તારણ કાઢીએ તો લગભગ ચો ભાગ જેટલી સ્તુતિઓ એવી જ નજરે પડે કે જેમાં શોભનસ્તુતિમાં આવતાં કેટલાંએક વિશેષણે માત્ર શાબ્દિક ફેરફાર કરીને લીધેલાં છે. જોકે છન્દ અને અલંકાર માટે કેઈનો દાવો ન જ હોઈ શકે, છતાં શોભન મુનિએ જે રસુતિ માટે જે છન્દ અને યમકાલંકારનો જે ભેદ પસંદ કર્યો છે તેને જ ઉપાધ્યાયજી પસંદ કરે એ ઉપરથી એટલું તો કહી શકાય કે, તેઓશ્રી સમક્ષ શોભનમુનિકૃત રસ્તુતિઓ જ મુખ્યતયા આદર્શ રૂપ છે. આ પ્રકારની પસંદગીથી ઉપાધ્યાયજીને યમકાલંકારમયી સ્તુતિના નિર્માણમાં તેમ જ શોભનસ્તુતિનાં પદ-વાક્ય-વિશેષણોના આવરણમાં કેવી સુગમતા થઈ છે, એ નીચેનાં ઉદાહરણો પરથી સમજી શકાશે : કાવ્ય પાદ ८३ १ जलव्यालव्याघ्नज्वलनगजरुग्बन्धनयुधो ८४ १ गजव्यालव्याघ्रानलजलसमिद्बन्धनरुजो ४ ३ पायाद्वः श्रुतदेवता निदधती तत्राब्जकान्ती क्रमौ ४ २-४ सौभाग्याश्रयतां हिता निदधती पुण्यप्रभाविक्रमौ ७२ १ याऽत्र विचित्रवर्णविनतात्मजपृष्ठमधिष्ठिता ७२ १-२ चक्रधरा करालपरघातबलिष्ठमधिष्ठिता प्रभा सुरविनतातनुभवपृष्ठमनुदितापदरं गतारवाक् १७ १ सुमते सुमते १८-४ विभवाः विभवाः १७ १ सुमति सुमति १७-४ विभवं विभवं २४ १ गान्धारि वज्रमुसले जयतः समीर २४ ३ गान्धारि वज्रमुसले जगती तवास्याः ३७ १ जयति शीतलतीर्थकृतः सदा १ जयति शीतलतीर्थपतिर्जने ७३ १ नुदंस्तनुं प्रवितर मल्लिनाथ मे . १ महोदयं प्रवितनु मल्लिनाथ मे ६६ १ व्यमुचच्चक्रवतिलक्ष्मी. ६६ ३ विगणितचक्रवत्तिवैभवं० Page #5 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાંજલિ પાદ કાવ્ય 71 1 भीममहाभवाब्धि० / શ. 71 1 भीमभवोदधे० 88 1 हस्तालम्बितचूत लुम्बिलतिका यस्या जनोऽभ्याग़मत् 88 3 दद्यानित्यमिताम्रलुम्बिलतिकाविभ्राजिहस्त्ताऽहितम् અહીં જે વાક્યોની નોંધ આપી છે તે ઉપાધ્યાયજીએ પદવાળ્યાદિનું આહરણું કેવું કર્યું છે, તે જાણવા માટે. વિશેષણ અને ભાવાર્થનું આહરણ તો આખી સ્તુતિમાં સ્થળે સ્થળે જોવામાં આવે છે. તેનાં ઉદાહરણો આ સ્થળે ન આપતાં જિજ્ઞાસુઓને તે સ્તુતિઓ સાથે સરખાવવા ભલામણ છે. ઉપર કહેવામાં આવ્યું કે, “પ્રસ્તુત ચતુર્વિશતિકા શોભતુતિના અનુકરણરૂપ છે' એ ઉપરથી કોઈએ એમ ન માની લેવું કે આ ચતુર્વિશતિકામાં કશી નવીનતા જ નથી. ઉપાધ્યાયની એવી કઈ કૃતિ જ નથી કે જેમાં નવીનતા તેમ જ ગાંભીર્ય ન હોય. તે ગંભીરતાને તેઓશ્રીએ સ્વયં ટીકામાં સ્થળે સ્થળે પ્રકટ કરેલ છે. અમે તે પંક્તિઓને ભૂલાક્ષરમાં છપાવી છે. આ પંક્તિઓ શાસ્ત્રીય ગંભીર વિચારોથી ભરપૂર છે. આ ઠેકાણે એક વાત કહેવી જોઈએ કે, જેમ અન્ય પ્રતિભાસંપન્ન વિદ્વાન કવિઓની યમકાલંકારમય કૃતિઓ કિલછાર્થ, પૂરાવયવ આદિ દેવોથી વંચિત નથી રહી શકી, તે જ પ્રમાણે ઉપાયાયજીની પ્રસ્તુત કૃતિ પણ તે દેથી વંચિત નથી જ રહી શકી. જોકે કેટલાંક પદ્યો એવાં પણ તારવી શકાય તેમ છે. જેમાં આવા દોષો ન પણ હોય, તથાપિ તેટલા ઉપરથી આખી કૃતિને નિર્દોષ તો ન જ કહી શકાય. નાને મોઢે કહેવાયેલી આ વાતને વિદ્વાનો ક્ષમાની દષ્ટિથી જુએ એમ ઈચ્છું છું. પ્રસ્તુત સ્તુતિના સંપાદન સમયે તેની પણ ટીકાયુક્ત માત્ર એક જ પ્રતિ પૂજ્ય શ્રીમાન સાગરાનન્દસૂરિ મહારાજ પાસેથી મળી છે. તે 24 પાનાંની અને નવીન લખેલી છે. આ પ્રતિનો ઉતારે જેના ઉપરથી કરવામાં આવ્યો છે તે પ્રતિ વેંટી ગયેલ હતી. તેને ઉખાડતાં તેમાં જે રથળે અક્ષર ઊખડી ગયા તે સ્થાન નવી પ્રતિમાં ખાલી છે. લેખકે પ્રમાદથી અનેક સ્થળે પાઠ છોડી દીધા છે, એટલું જ નહિ, પણ તે લિપિનો અન્ન હોવાથી તેણે પણ અશુદ્ધિઓમાં મોટો ઉમેરો કર્યો છે. આ રીતે પ્રસ્તુત ચતુર્વિશતિકાની પ્રતિ અત્યંત અશુદ્ધ હોવા છતાં તેને શુદ્ધ કરવા માટે તેમ જ તૂટી ગયેલા પાઠોને ઉપાધ્યાયજીના શબ્દોમાં જ સાંધવા માટે યથાશક્ય યત્ન કર્યો છે. પ્રતિમાં જ્યાં જ્યાં અશુદ્ધિઓ હતી તે દરેક સ્થળે સુધારેલા પાઠો ગોળ કષ્ટમાં આપ્યા નથી, પરંતુ લગભગ અંદર જ સુધારી દીધા છે. આ પ્રમાણે કરવામાં કોઈ સ્થળે પ્રમાદથી ખલના થવા પામી હોય તો તે માટે વિદ્વાનો સમક્ષ ક્ષમાયાચના છે. ઉપરોક્ત પ્રતિ સિવાય એક અવચેરિની પ્રતિ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના છાણીના જ્ઞાનભંડારમાંથી મળી છે. આ અવચૂરિ પણ ટીકાને આધારે કરેલ ટાંચણરૂપ હોઈ પણ ટીકાના જ શબ્દોમાં હોવાથી ટીકાના સંશોધનમાં કવચિત કવચિત્ સહાયક થઈ છે. પ્રસ્તુત ચતુર્વિશતિકાની પ્રેસ કેપીને વળાનિવાસી ન્યાય-યાકરણતીર્થ પં. શ્રી બેચરભાઈએ તપાસી તેમાંની અશુદ્ધિઓમાં ઘટાડો કર્યો છે. ઉપરના સજજનોની સહાયથી આ ચતુર્વિશતિકાને ધ્યાનપૂર્વક સુધારવા છતાં અલના થઈ હોય અથવા અશુદ્ધિ રહી હોય તે વિદ્વાને તેનું પરિમાર્જન કરે એમ ઈચ્છી વિરમું છું. [‘એન્ડ્રસ્તુતિચતુવિરતિકા” પ્રસ્તાવના, સં 1984]