Book Title: Yog Vaasishtha Part 01
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 192
________________ 192 જે આકાશથી શૂન્ય-પણું જુદું નથી, તેમ ઈશ્વરથી ઢંત-પણું –એ જુદું નથી. દ્વૈત-પણું અને અદ્વૈત-પણું એ પ્રવૃત્તિ ની સિદ્ધિ માટે કરેલું છે, તેથી જ દુઃખ છે, નિવૃત્તિ માટે તેમ નથી (૬૧) પ્રમાણ,પ્રમેય અને પ્રમાતા તથા દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન-પણે રહેલું જગત,”ચિત્ત-અણુમાં જ રહેલું છે. જેવી રીતે પવનમાંથી સ્પંદ થઇ ને તે સ્પંદ પાછો,પવનમાં જ લય પામે છે, તેવી રીતે, જગત-રૂપી અણુ પરમાત્મા થી ઉત્પન્ન થઈને પરમાત્મા માં જ લય પામે છે. પરમાત્મા ની આ માયા અતિ મોહમયી છે. માયા થી એક પરમાત્મામાં રૈલોક્ય ની પરંપરાનો ભ્રમ થાય છે, પણ ખરું જોતાં,ચિદમાત્ર-પરમાણુ-પણાથી જ જગતની સ્થિતિ રહેલી છે.(૧૨) જેમ,બીજમાં વૃક્ષ રહે છે તેમ,પરમાત્માની અંદર જગત-જાળ ની સ્થિતિ છે.અને ચિત્ત-અણુના ઉદરમાં રહેલું આ વિકાસ પામતું રહેલું જગત યોગીની દ્રષ્ટિથી દેખાય છે.(૬૩). દ્વત અને અદ્વૈત-રૂપે રહેલું જગત ચૈતન્ય-રૂપી પરમાણુ માં રહેલું છે,એમ જે જુએ છે તે જ સાચું જુએ છે. ખરું જોતાં,તો દ્વૈત પણ નથી અને અદ્વૈત પણ નથી,સ્થળ નથી કે સૂક્ષ્મ નથી,ઉત્પન્ન નથી થયું અને નથી થયું તેમ પણ નથી.અસ્તિ-પણું નથી કે નાસ્તિ-પણું નથી,સૌમ્ય નથી કે ક્ષોભવાળું પણ નથી. ચૈતન્ય રૂપી અણુમાં રહેલું જગત આકાશ નથી,વાયુ નથી,તે જગત નથી કે અજગત પણ નથી. માત્ર ચૈતન્યથી જ શુભ સત્તા સર્વ ઠેકાણે છે અને તે સત્તા સર્વાન્ક હોવાથી, જે સ્થળે જેવો તેને ઉદય થયો છે, તે ઠેકાણે તેવી તેની સત્તા છે.પરમાત્મા-રૂપી અણુ-એ સમગ્રના આત્માથી ઉદય નથી પામેલ-તો પણ ઉદય પામેલ છે.જેમ બીજને ઉત્પન્ન કરનાર વૃક્ષ એ પોતાના વૃક્ષના સ્વભાવનો ત્યાગ કર્યા વિના, બીજ સહિત પૃથ્વીમાં ઉદય પામે છે, તેવી રીતે પરમાત્મા જગત-રૂપે ઉત્પન્ન થાય છે, તથા જન્મ-મરણ ની કલ્પના પામે છે.વૃક્ષ બીજ-પણે ઉત્પન્ન થાય છે તેમ વૃક્ષ-પણાથી પણ ઉત્પન્ન થાય છે એ પ્રમાણે બંને રીતે તેમાં વિકાર છે-જયારે ચિત્ત-અણુ-એ નિરંતર નિર્વિકાર છે.(૧૪) પરમ-પરમાણુ ને લીધે,કમળ-તંતુ પણ મેરુ જેવો દૃઢ છે, કારણકે પરમાણુ થી કમળ-તંતુ સ્થળ છે.(૧૫) આ પ્રમાણે અંતરાત્મા-રૂપી પરમાણુ –કે જેને લીધે કમળ-તંતુ પણ મેરુ-રૂપ છે, તેની અંદર, કરોડો મેરુ-વગેરે પર્વતો રહેલા છે. (૧૬) એક ચૈતન્ય-રૂપી પરમાણુ થી જ આ જગત વ્યાપી રહેલ છે,અને તેનાથી જ વિસ્તાર પામેલું છે, તેણે જ દેવતા-મનુષ્ય વગેરેના ભેદ થી જગત પેદા કરેલું છે.અને તેણે જ દેવતા-મનુષ્ય-વગેરેના ભોગ ભોગવવાના વિષયના ભેદ કરેલ છે. પરબ્રહ્મમાં પ્રત્યક્ષ દેખાતો આ પ્રપંચ (માયા) પણ પરબ્રહ્મ-રૂપ જ છે.(૧૭) ઉપર પ્રમાણે આખું વિશ્વ એ પરબ્રહ્મ-રૂપ છે, આપણે પણ વિશ્વમાં હોવાથી તેની સત્તાથી વ્યવહાર કરીએ છીએ.વધ કરવા યોગ્ય નો વધ કરીએ છીએ અને જગતનું પાલન પણ કરીએ છીએ. (૬૮-૭૦), જગતને સત્તા આપવાથી પોતાની સુંદરતાનો ત્યાગ ના કરનારું,અને ઉત્પત્તિ-સ્થિતિ અને લય-રહિત એવું તત્વ જયારે જાણવામાં આવે છે, ત્યારે આ તુચ્છ જગત બ્રહ્મથી અભિન્ન હોય તેમ ભાસે છે. એટલે કે-જગતના દર્શનથી જો કે આપણો અભાવ જણાયછે, તો પણ બ્રહ્મ-દર્શનથી આપણો સદ-ભાવ જ છે.(૭૧-૭૨) (૮૨) રાજા અને રાક્ષસી નો સ્નેહ તથા રાક્ષસીનું ભોજન

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255