________________
192
જે આકાશથી શૂન્ય-પણું જુદું નથી, તેમ ઈશ્વરથી ઢંત-પણું –એ જુદું નથી. દ્વૈત-પણું અને અદ્વૈત-પણું એ પ્રવૃત્તિ ની સિદ્ધિ માટે કરેલું છે, તેથી જ દુઃખ છે, નિવૃત્તિ માટે તેમ નથી (૬૧)
પ્રમાણ,પ્રમેય અને પ્રમાતા તથા દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન-પણે રહેલું જગત,”ચિત્ત-અણુમાં જ રહેલું છે. જેવી રીતે પવનમાંથી સ્પંદ થઇ ને તે સ્પંદ પાછો,પવનમાં જ લય પામે છે, તેવી રીતે, જગત-રૂપી અણુ પરમાત્મા થી ઉત્પન્ન થઈને પરમાત્મા માં જ લય પામે છે. પરમાત્મા ની આ માયા અતિ મોહમયી છે. માયા થી એક પરમાત્મામાં રૈલોક્ય ની પરંપરાનો ભ્રમ થાય છે, પણ ખરું જોતાં,ચિદમાત્ર-પરમાણુ-પણાથી જ જગતની સ્થિતિ રહેલી છે.(૧૨)
જેમ,બીજમાં વૃક્ષ રહે છે તેમ,પરમાત્માની અંદર જગત-જાળ ની સ્થિતિ છે.અને ચિત્ત-અણુના ઉદરમાં રહેલું આ વિકાસ પામતું રહેલું જગત યોગીની દ્રષ્ટિથી દેખાય છે.(૬૩). દ્વત અને અદ્વૈત-રૂપે રહેલું જગત ચૈતન્ય-રૂપી પરમાણુ માં રહેલું છે,એમ જે જુએ છે તે જ સાચું જુએ છે. ખરું જોતાં,તો દ્વૈત પણ નથી અને અદ્વૈત પણ નથી,સ્થળ નથી કે સૂક્ષ્મ નથી,ઉત્પન્ન નથી થયું અને નથી થયું તેમ પણ નથી.અસ્તિ-પણું નથી કે નાસ્તિ-પણું નથી,સૌમ્ય નથી કે ક્ષોભવાળું પણ નથી. ચૈતન્ય રૂપી અણુમાં રહેલું જગત આકાશ નથી,વાયુ નથી,તે જગત નથી કે અજગત પણ નથી.
માત્ર ચૈતન્યથી જ શુભ સત્તા સર્વ ઠેકાણે છે અને તે સત્તા સર્વાન્ક હોવાથી, જે સ્થળે જેવો તેને ઉદય થયો છે, તે ઠેકાણે તેવી તેની સત્તા છે.પરમાત્મા-રૂપી અણુ-એ સમગ્રના આત્માથી ઉદય નથી પામેલ-તો પણ ઉદય પામેલ છે.જેમ બીજને ઉત્પન્ન કરનાર વૃક્ષ એ પોતાના વૃક્ષના સ્વભાવનો ત્યાગ કર્યા વિના, બીજ સહિત પૃથ્વીમાં ઉદય પામે છે, તેવી રીતે પરમાત્મા જગત-રૂપે ઉત્પન્ન થાય છે, તથા જન્મ-મરણ ની કલ્પના પામે છે.વૃક્ષ બીજ-પણે ઉત્પન્ન થાય છે તેમ વૃક્ષ-પણાથી પણ ઉત્પન્ન થાય છે એ પ્રમાણે બંને રીતે તેમાં વિકાર છે-જયારે ચિત્ત-અણુ-એ નિરંતર નિર્વિકાર છે.(૧૪)
પરમ-પરમાણુ ને લીધે,કમળ-તંતુ પણ મેરુ જેવો દૃઢ છે, કારણકે પરમાણુ થી કમળ-તંતુ સ્થળ છે.(૧૫) આ પ્રમાણે અંતરાત્મા-રૂપી પરમાણુ –કે જેને લીધે કમળ-તંતુ પણ મેરુ-રૂપ છે, તેની અંદર, કરોડો મેરુ-વગેરે પર્વતો રહેલા છે. (૧૬)
એક ચૈતન્ય-રૂપી પરમાણુ થી જ આ જગત વ્યાપી રહેલ છે,અને તેનાથી જ વિસ્તાર પામેલું છે, તેણે જ દેવતા-મનુષ્ય વગેરેના ભેદ થી જગત પેદા કરેલું છે.અને તેણે જ દેવતા-મનુષ્ય-વગેરેના ભોગ ભોગવવાના વિષયના ભેદ કરેલ છે. પરબ્રહ્મમાં પ્રત્યક્ષ દેખાતો આ પ્રપંચ (માયા) પણ પરબ્રહ્મ-રૂપ જ છે.(૧૭)
ઉપર પ્રમાણે આખું વિશ્વ એ પરબ્રહ્મ-રૂપ છે, આપણે પણ વિશ્વમાં હોવાથી તેની સત્તાથી વ્યવહાર કરીએ છીએ.વધ કરવા યોગ્ય નો વધ કરીએ છીએ અને જગતનું પાલન પણ કરીએ છીએ. (૬૮-૭૦),
જગતને સત્તા આપવાથી પોતાની સુંદરતાનો ત્યાગ ના કરનારું,અને ઉત્પત્તિ-સ્થિતિ અને લય-રહિત એવું તત્વ જયારે જાણવામાં આવે છે, ત્યારે આ તુચ્છ જગત બ્રહ્મથી અભિન્ન હોય તેમ ભાસે છે. એટલે કે-જગતના દર્શનથી જો કે આપણો અભાવ જણાયછે, તો પણ બ્રહ્મ-દર્શનથી આપણો સદ-ભાવ જ છે.(૭૧-૭૨)
(૮૨) રાજા અને રાક્ષસી નો સ્નેહ તથા રાક્ષસીનું ભોજન