Book Title: Yashovijay suriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શ્રમણભગવ તા-૨ ૧૯૩ ગુણા વડે શેાભી રહી અનેકાને પ્રેરણાનાં પીયૂષ પાતી રહી. અપ્રમત્તતાનો પૂજ્યશ્રીના ગુણ ઊડીને આંખે વળગે તેવા છે. તત્ત્વજ્ઞાન વડે અધ્યાત્મના અગાધ સમુદ્રમાં ડૂબકી મારી, તેમાં જ મસ્ત રહી જીવનારા એક અલગારી ધર્મપુરુષને સત્સંગ કરવા જેવા છે. ઇતિહાસનું વાચન અને લેખન, નાનાવિધ છ ંદોમાં સંસ્કૃત શ્લોકોનુ સર્જન; જિનમૂતિએ તથા પ્રાચીન શિલાલેખાનુ આકલન આદિ તેમના પ્રિય વિષયે રહ્યા છે. સમતારસનું અનેક જીવાને પાન કરાવનારા આ શાસનપ્રભાવક સૂરિદેવ સૌના વંદનાના અધિકારી છે. કહેવાય છે કે साधूनां दर्शनं पुण्य तीर्थभूता हि साधवः । तीर्थ फलितं कालेन - सद्यः साधुसमागमः ॥ તુ જ ફળ આપે છે. પાંચ અર્થાત્, તી તે અવસરે ફળે, પણ સાધુસમાગમ તે મહાત્રતાનું ચુસ્તપણે પાલન કરનારા આ સાધુએ ખરેખર તીર્થ સમાન છે. એવા એ સર્વિરને સ. ૨૦૪૫ના મહા સુદ પાંચમને શુભ દિને પૂ. આ. શ્રી હિમાંશુસૂરિજી મહારાજના વરદ હસ્તે વાવ મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. તેએશ્રી દ્વારા સમયે સમયે શાસનનાં અનેક મંગલ કાર્યાં થતાં રહ્યાં છે. વ્યાખ્યાના, તપસ્વીઓનું બહુમાન, યાત્રાસ`ઘા, સ્વામીવાત્સલ્ય, ઉપધાન, ઉજમણાં, દીક્ષાપ્રસ`ગા આદિ તેઓશ્રીની નિશ્રામાં સતત ચાલુ જ હોય છે. પેાતાની જન્મભૂમિ અને ગુજરાતમાં ઠેર ઠેર વિહાર કરીને સદ્બેધની સરતા વહાવી છે. જૈનસાહિત્ય અને જૈન જ્ઞાનભંડારાને સમૃદ્ધ કરવામાં, એવી પ્રવૃત્તિએને પ્રેત્સાહિત કરવામાં તેઓશ્રીને અનન્ય ફાળે છે. સધવત્સલતા અને સાધર્મિક ભક્તિ માટેની ભાવના તેઓશ્રીના વ્યક્તિત્વમાં નીખરી આવે છે. ખરેખર, આવી વિભૂતિએ જિનશાસનનું ગૌરવ છે, ટિશ: વંદન હજો એવી વિભૂતિને ! શ્રુતભક્તિના મહાન પુરસ્કર્તા, ભક્તિમાર્ગના અનન્ય આરાધક, પૂ. આચાર્ય શ્રી ચશેાવિજયસૂરીશ્વરજી મહારાજ સાધુજીવનની સમાચારીના પાલનમાં સદાય સાગ અને સમયબદ્ધ રહેનારા પૂ. આચાર્ય દેવશ્રી યશે વિજયસૂરિજી મહારાજનું ત્યાગી વન અનેક ગુણાથી મહેકી રહ્યું છે. પૂજ્યપાદ બાપજી મહારાજના સમુદાયમાં ઉચ્ચતમ પદે બિરાજમાન પૂ. સૂરિવ ખરે જ વાત્સલ્ય અને પ્રસન્નતાની મૂર્તિ છે ! મહામહેપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજાના જ્ઞાનસારસૂત્રની ‘સમીરુ મનો ચર્ચાસ મધ્યસ્થો મહામુનિ પક્તિની જીવ ́ત કૃતિ અને ‘ચિત્ત પ્રસન્ને રે પૂજનફળ કહ્યું. એ પક્તિમાં આન ધનજી મહારાજાએ વીંધેલી-ચીધેલી ચિત્તપ્રસન્નતાની ઝળહળતી ઝાંખી કરાવતું વ્યક્તિત્વ આચાર્ય શ્રી યશવિજયસૂરિજી મહારાજ, ' > એટલે પૂ. * પ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2