Book Title: Vachanamrut 0503 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 503 સુરતથી મુનિશ્રી લલ્લુજીનો કાગળ એક પ્રથમ હતો મુંબઈ, વૈશાખ વદ 0)), 1950 શ્રી સ્તંભતીર્થક્ષેત્રે સ્થિત, શુભેચ્છાસંપન્ન ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે યથાયોગ્ય વિનંતી કે :તમારું લખેલું પત્ર 1 પહોંચ્યું છે. અત્રે કુશળતા છે. સુરતથી મુનિશ્રી લલ્લુજીનો કાગળ એક પ્રથમ હતો. તેના પ્રત્યુત્તરમાં એક કાગળ અહીંથી લખ્યો હતો. ત્યાર પછી પાંચ છ દિવસ પહેલાં તેમનો એક કાગળ હતો, જેમાં તમારા પ્રત્યે પત્રાદિ લખવાનું થયું, તેના સંબંધમાં થયેલી લોકચર્ચા વિષેની કેટલીક વિગત હતી. તે કાગળનો ઉત્તર પણ અત્રેથી લખ્યો છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે છે. પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રત છે તે સર્વ ત્યાગનાં છે, અર્થાત્ સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તવું, સર્વ પ્રકારના મૃષાવાદથી નિવર્તવું, એ પ્રમાણે પાંચ મહાવ્રત સાધુને હોય છે; અને એ આજ્ઞાએ વર્તે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વર્તે છે, એમ ભગવાને કહ્યું છે. એ પ્રકારે પંચમહાવ્રત ઉપદેયાં છતાં તેમાં પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીના ઊતરવા વગેરે ક્રિયાની આજ્ઞા પણ જિને કહી છે. તે એવા અર્થે કે નદી ઊતરવાથી જે બંધ જીવને થશે તે કરતાં એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે, અને પરંપરાએ પંચ મહાવ્રતની હાનિનો પ્રસંગ આવશે, એવું દેખી તેવો દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઊતરવાની આજ્ઞા શ્રી જિને કહી છે. તેમ જ વસ્ત્ર, પુસ્તક રાખવાથી સર્વપરિગ્રહવિરમણવ્રત રહી શકે નહીં, તથાપિ દેહના શાતાર્થનો ત્યાગ કરાવી આત્માર્થ સાધવા દેહ સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂછ ટળતાં સુધી વસ્ત્રનો નિઃસ્પૃહ સંબંધ અને વિચારબળ વધતાં સુધી પુસ્તકનો સંબંધ જિને ઉપદેશ્યો છે; એટલે સર્વ ત્યાગમાં પ્રાણાતિપાત તથા પરિગ્રહનું સર્વ પ્રકારે અંગીકૃત કરવું ના છતાં એ પ્રકારે જિને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. તે સામાન્ય દ્રષ્ટિથી જોતાં વિષમ જણાય, તથાપિ જિને તો સમ જ કહેલું છે. બેય વાત જીવના કલ્યાણ અર્થે કહેલ છે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે. એ જ પ્રકારે મૈથુનત્યાગવત છતાં તેમાં અપવાદ કહ્યો નથી કારણ કે મૈથનનું આરાધવું રાગદ્વેષ વિના થઈ શકે નહીં, એવું જિનનું અભિમત છે. એટલે રાગદ્વેષ અપરમાર્થરૂપ જાણી મૈથુનત્યાગ અનપવાદે આરાધવું કહ્યું છે. તેમ જ બૃહત્કલ્પસૂત્રમાં સાધુએ વિચરવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે, તથાપિ તે ઉપરાંત જે અનાર્ય ક્ષેત્ર છે, તેમાં પણ જ્ઞાન, દર્શન, સંયમની વૃદ્ધિને અર્થે વિચરવાનો અપવાદ કહ્યો છે. કારણ કે આર્ય ભૂમિમાં કોઈ યોગવશાત્ જ્ઞાનીપુરુષનું સમીપ વિચરવું ન હોય અને પ્રારબ્ધયોગે અનાર્ય ભૂમિમાં વિચરવું જ્ઞાનીપુરુષનું હોય તો ત્યાં જવું, તેમાં ભગવાને બતાવેલી આજ્ઞા ભંગ થતી નથી. તે જ પ્રકારે પત્ર-સમાચારાદિનો જો સાધુ પ્રસંગ રાખે તો પ્રતિબંધ વધે એમ હોવાથી ભગવાને ‘ના’ કહી છે, પણ તે ‘ના’ જ્ઞાનીપુરુષના કોઈ તેવા પત્ર-સમાચારમાં અપવાદરૂપે લાગે છે. કારણ કે જ્ઞાની પ્રત્યેPage Navigation
1