Book Title: Updeshpad Granth Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
ઉપદેશપદ : ભાગ-૨
૫૨૯
પુરુષે આ શાસ્ત્રને શુદ્ધ કરવું. (૭) અહીં શિષ્ય શ્રીરામચંદ્ર ગણીએ ઘણી સહાય કરી છે. તથા અન્ય શિષ્યોએ લેખન-સંશોધન આદિ કર્યું છે. (૮) શુદ્ધિ-અશુદ્ધિને વિશેષથી જાણનારા કેશવ બ્રાહ્મણે અત્યંત ઉપયોગવાળા બનીને આ ટીકાની સર્વપ્રથમ નકલ કરી છે. (૯)
દરેક અક્ષરની ગણનાથી આ ગ્રંથનું પ્રમાણ સૂત્ર સહિત ઉપદેશ પદની ટીકાના ૧૪૫00 (ચૌદહજાર પાંચસો) શ્લોક છે.
ભાવાનુવાદકારની પ્રશસ્તિ સુગૃહીત નામધેય પ.પૂ. આચાર્યદેવ શ્રીહરિભદ્રસૂરિ વિરચિત અને સમર્થ સાહિત્ય સર્જક ૫.પૂ. આચાર્યદેવ શ્રીમુનિચંદ્ર વિરચિત ટીકા સહિત ઉપદેશપદ ગ્રંથનો સિદ્ધાંત મહોદધિ સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમ ગીતાર્થ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીહરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ ૫. પૂ. આચાર્યદેવ શ્રીલલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંચસૂત્ર, પંચવસ્તુક, પંચાશક, ધર્મબિંદુ, યોગબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગ સ્તોત્ર, શીલોપદેશમાલા, અષ્ટક પ્રકરણ, યોગદષ્ટિ સમુચ્ચય, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, ગુરુતત્ત્વવિનિશ્ચય, ઉપદેશમલા (પુષ્પમાલા), પ્રશમરતિ, નવપદ પ્રકરણ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદ કરનારા આચાર્ય શ્રીરાજશેખરસૂરિએ વિસ્તારવાળી કથાઓ સિવાય કરેલા ગુજરાતી ભાવાનુવાદ સહિત બીજો ભાગ પૂર્ણ થયો.
इति-प्रकरणचतुर्दशशतीसमुत्तुङ्गप्रासादपरम्परासूत्रणैकसूत्रधारैरगाधसंसारवारि धिनिमज्जजन्तुजातसमुद्धरणप्रधानधर्मप्रवहणप्रवर्तनकर्णधारैर्भगवत्तीर्थकरप्रवचनावितथतत्त्वप्रबोधप्रभूतप्रज्ञाप्रकाशतिरस्कृतसमस्ततीर्थिकचक्र
प्रवादप्रचारैःप्रस्तुतनिरतिशयस्याद्वादविचारैःश्रीमद्-हरिभद्रसूरिभिः प्रणीतः अनेकप्रकरणकुलकटीकादिग्रन्थनिर्मात
पूज्यश्रीमुनिचन्द्रसूरिविरचितसुखसम्बोधनी
वृत्तियुतः श्रीउपदेशपदमहाग्रन्थः । પ્રારંભ સમય
* પ્રારંભ સ્થળ વિ. સં.-૨૦૫૭ ભાદરવા વદ-૬ રત્નત્રયી આરાધના હૉલ, ચંદાવરકર લેન, સમાપ્તિ સમય
બોરીવલ વિ. સં.-૨૦૫૮ ચૈત્ર વદ-૧૨
સમાપ્તિ સ્થળ જૈન અમરશાળા, ટેકરી, ખંભાત (ગુજરાત)

Page Navigation
1 ... 534 535 536 537 538