Book Title: Udayratnagani
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શ્રમણભગવતે 347 (15) નેમિનાથ સલેકે, (16) શાલીભદ્ર સલેકે, (17) ભરત-બાહુબલિ સલેકે, (18) શત્રુંજય -મંડન શ્રી ઋષભદેવ સ્તવન, ઢાળ : 10, (19) ભટ્ટારિક ભાવરત્નસૂરિ પરંપરા રાસ, (20) સ્તવન-ચેવશી, (21) ઢઢણમુનિની સઝાય, (22) ભાભા પાર્શ્વનાથ સ્તવન, (23) રાજ સૂર્યાયશા (ભરતપુત્ર)ને રાસ, (24) વરદત્ત-ગુણમંજરી રાસ, (25) દામન્નક-રાસ, (26) સુદર્શન શેઠને રાસ, (27) ગધારમંડન મહાવીર સ્તવન, (28) વિમલ મહેતાને સલેકે, (29) નેમિનાથરાઇમતી બારમાસા, (30) હરિવંશ (રત્નાકર) રાસ, (31) શ્રી હર્ષરત્ન ગણિ સજઝાય, કડી : 92. આ ઉપરાંત, તેમણે શત્રુંજય તીર્થનાં અનેક સ્તવને, પ્રભાતિયાં, છંદ અને છૂટક રાસે, સ્તવનો, સઝાય-એમ વિવિધ પ્રકારનું સાહિત્ય રચ્યું. તેઓશ્રીની કાવ્યકૃતિઓ સુંદર, બેધક, ભાવવાહી અને લોકપ્રિય બની છે. (જેન પરંપરાને ઇતિહાસ” ભાગ : ૪માંથી સાભાર.) મહા ત્યાગી—વૈરાગી અને વિદ્વર્ય ઉપાધ્યાય શ્રી ધનવિજયજી મહારાજ ઉપાધ્યાય શ્રી ધનવિજ્યજીનું સંસારી નામ ધનજી હતું. તેમણે પિતાના ત્રણે પુત્રોગણજી, કમલ અને વિમલ તથા સ્વપત્ની સહિત શ્રી વિજયહીરસૂરિના શિષ્ય શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય બનીને ધનવિજ્ય તરીકે તથા ત્રણ પુત્રોને ગુણવિજય, કુંવરવિજય અને વિમલવિજયના નામે પિતાના શિષ્ય બનાવવાપૂર્વક વિ. સં. ૧૯૩૧માં દીક્ષા ગ્રહણ કરી હતી. તેમણે વિ. સં. ૧૯૫૪ના વૈશાખ વદ ૧૩ના દિને પિતાના શિષ્ય ગુણવિજયના વાચન માટે અમદાવાદમાં “હેમવ્યાકરણબ્રહવૃત્તિદીપિકા' લખી હતી. સં. ૧૯૫૦માં “હરિણશ્રીષણ રાસ” રચ્યું હતું. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય શ્રી અંધવિજ્ય ગણિએ સં. ૧૯૭૪માં કપસૂત્ર પર દીપિકા રચી, તે તેઓએ સં. ૧૯૮૧માં શોધી હતી. સં. ૧૯૮૧માં લેકનાલિકાસૂત્ર પર ભાષ્યવૃત્તિ રચી. મુનિ સુંદરસૂરિના “અધ્યાત્મ કલ્પકમ ની અધિહિણી ટીકા રચી. સં. ૧૬ન્ના પિષ માસમાં રાજનગરની સમીપમાં આવેલા ઉસ્માનપુરામાં આeણમાલિકા-આભારશતક અમરનામ ધર્મોપદેશલેશની 108 પ્રમાણ રચના કરી હતી. સં. ૧૭૦૦માં સપ્તતિકા નામના કર્મગ્રંથ પર બાલાવબોધ રચેલ હતે. શ્રી વિજયહીરસૂરિને અકબર બાદશાહે “જગતગુરુ'બિરૂદ આપ્યુ (સં. 1640), તે વખતે બંદીવાનેને છોડી મૂકડ્યા અને સૂરિસહિત ધનવિજયને સાથે લઈ કમર તળાવે જઈ ત્યાંના પાંજરામાં પૂરેલાં પક્ષીઓને મુક્ત કર્યા. આ ધનવિજયે સૂરિ સાથે રહીને મેડતામાં જૈનવિહારેને સ્વેચ્છકરથી મુક્ત કરાવ્યા અને વાજા વગાડવાં બંધી થઈ હતી તે ચાલુ કરાવી. શ્રી ધનવિજ્યજી ઉપાધ્યાય મહા ત્યાગી-વૈરાગી અને વિદ્વદર્ય હતા. (જૈનસાહિત્યને ઇતિહાસને આધારે સંકલનકર્તા : કરમશી ખેતશી બના.) છે. 43 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2