Page #1
--------------------------------------------------------------------------
________________
338
શાસનપ્રભાવક
ગુજરાતી ભાષામાં વિશાળ, બેધક, ભાવવાહી અને લોકપ્રિય
પદ્યસાહિત્યના સર્જક ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન ગણિવર કવિવર ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન ગણિ તપાનશાખાના શ્રી હીરરત્નસૂરિના શિષ્ય ઉપા લબ્ધિરત્નના પ્રશિષ્ય ઉપાટ શિવરત્ન ગણિના શિષ્ય હતા. તેમને જન્મ વિક્રમની અઢારમી સદીમાં ખેડામાં થયું હતું. તેમના પિતાનું નામ વર્ધમાન અને માતાનું નામ માનબાઈ હતું. તેમનું પિતાનું જન્મનામ ઉત્તમચંદ હતું. તેમના મોટા બંધુ હરખચંદે પણ દીક્ષા લીધી હતી. તેમનું દીક્ષિત નામ ઉપાટ હર્ષરત્ન હતું. તેઓ મહાન ત્યાગી, તપસ્વી અને સંયમી હતા.
મુનિ ઉદયરત્નને મહોપાધ્યાય સિદ્ધિરત્ન ગણિએ ભણુવ્યા હતા અને પિતાની પાટે મહોપાધ્યાય બનાવ્યા હતા. ઉપાર ઉદયરત્ન સિદ્ધ કવિ હતા. તેમણે અનેક રસ, સ્તવને, સક્ઝા, સલોકા, છંદ, પ્રભાતિયાં વગેરે રહ્યાં હતાં. તેમના જીવનમાં કેટલીક ચમત્કારી ઘટના પણ બની હતી. એક વાર શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન પછી જ અન્ન-જળ લેવાના નિયમપૂર્વક તેઓ જ્યારે શંખેશ્વર પધાર્યા ત્યારે જિનાલયના બંધ દ્વાર પૂરીએ નહી ખેલતાં, તેમણે ઘણું આર્તસ્વરે સ્તુતિગાન કર્યું અને દ્વાર આપોઆપ ખૂલી ગયાં. બીજા એક પ્રસંગમાં, ખેડા પાસેની મેશ, વાત્રક અને ખારીએ ત્રણ નદીઓના સંગમસ્થાને તેમણે ચાર મહિના ધ્યાન ધર્યું હતું, તેના પરિણામે એ સ્થાને બેટ જેવું બની ગયું હતું. આ ચમત્કાર જોઈ ખેડાના ભાવસાર, વૈષ્ણવ વગેરે પ૦૦ ઘરોએ “જૈનધર્મ અપનાવ્યું હતું.
વિ. સં. ૧૭૫૯માં, ઉનામાં શ્રી ઉદયરત્ન ગણિએ “સ્થૂલિભદ્ર-નવસે ” નામે કાવ્ય રયું, તેમાં શંગારરસ હતા, જે તેમના ગુરુને ઉચિત ન લાગ્યું અને તેવાં કાળે ન રચવા ગુરુએ તેમને સમજાવ્યું, અથવા એમ પણ કહેવાય છે કે તેમને એ કારણે સમુદાય બહાર મૂકવામાં આવ્યા. ત્યારપછીથી તેમણે લેકે પકારક કાવ્ય રચવાનો નિર્ણય કર્યો, જે વિ. સં. ૧૭૬૩માં, ખંભાતમાં, તેમણે રચેલી “બ્રહ્મચર્યની નવ વાડ”ની સજઝાય એ વાતની શાખ પૂરે છે. કહેવાય છે કે, ત્યારથી તેમને સમુદાયમાં પુનઃ પ્રવેશ મળ્યું હતું.
ગ્રંથસર્જનઃ ઉપાધ્યાય ઉદયરત્ન ગણિએ વિક્રમની અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી ભાષામાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય રચ્યું, જેની વિગત નીચે મુજબ છે :
(૧) શ્રી જબૂસ્વામી રાસ, ઢાળ: ૬, (૨) અષ્ટપ્રકારી પૂજા, (૩) સ્થૂલિભદ્રરાસનવરસ, (૪) શખેશ્વર પાર્શ્વનાથ સલેકે, (૫) રાજા મહીપતિ – મંત્રી મતિસાગર રાસ, (૬) રાજસિંહ (નવકાર) રાસ, (૭) બ્રહાચર્યની નવ વાડ-સજ્જાય, ઢાળ : ૧૦, (૮) બાર વ્રતને રાસ, (૯) મલયાસુંદરી રાસ (વિનેદવિલાસ ), ઢાળ : ૧૩, (૧૦) યશોધર રાસ, ઢાળ : ૮૧, (૧૧) લીલાવતી – સુમતિવિલાસ રાસ, ઢાળ : ૨૧, (૧૨) ધર્મબુદ્ધિ–પાપબુદ્ધિ રાસ, (૧૩) ભુવનભાનુ કેવલી (રસલહરી) રસ, ઢાળ : ૯૭ (૧૪) સુવિધિનાથ સ્તવન, ગાથા : ૩૦,
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________ શ્રમણભગવતે 347 (15) નેમિનાથ સલેકે, (16) શાલીભદ્ર સલેકે, (17) ભરત-બાહુબલિ સલેકે, (18) શત્રુંજય -મંડન શ્રી ઋષભદેવ સ્તવન, ઢાળ : 10, (19) ભટ્ટારિક ભાવરત્નસૂરિ પરંપરા રાસ, (20) સ્તવન-ચેવશી, (21) ઢઢણમુનિની સઝાય, (22) ભાભા પાર્શ્વનાથ સ્તવન, (23) રાજ સૂર્યાયશા (ભરતપુત્ર)ને રાસ, (24) વરદત્ત-ગુણમંજરી રાસ, (25) દામન્નક-રાસ, (26) સુદર્શન શેઠને રાસ, (27) ગધારમંડન મહાવીર સ્તવન, (28) વિમલ મહેતાને સલેકે, (29) નેમિનાથરાઇમતી બારમાસા, (30) હરિવંશ (રત્નાકર) રાસ, (31) શ્રી હર્ષરત્ન ગણિ સજઝાય, કડી : 92. આ ઉપરાંત, તેમણે શત્રુંજય તીર્થનાં અનેક સ્તવને, પ્રભાતિયાં, છંદ અને છૂટક રાસે, સ્તવનો, સઝાય-એમ વિવિધ પ્રકારનું સાહિત્ય રચ્યું. તેઓશ્રીની કાવ્યકૃતિઓ સુંદર, બેધક, ભાવવાહી અને લોકપ્રિય બની છે. (જેન પરંપરાને ઇતિહાસ” ભાગ : ૪માંથી સાભાર.) મહા ત્યાગી—વૈરાગી અને વિદ્વર્ય ઉપાધ્યાય શ્રી ધનવિજયજી મહારાજ ઉપાધ્યાય શ્રી ધનવિજ્યજીનું સંસારી નામ ધનજી હતું. તેમણે પિતાના ત્રણે પુત્રોગણજી, કમલ અને વિમલ તથા સ્વપત્ની સહિત શ્રી વિજયહીરસૂરિના શિષ્ય શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય બનીને ધનવિજ્ય તરીકે તથા ત્રણ પુત્રોને ગુણવિજય, કુંવરવિજય અને વિમલવિજયના નામે પિતાના શિષ્ય બનાવવાપૂર્વક વિ. સં. ૧૯૩૧માં દીક્ષા ગ્રહણ કરી હતી. તેમણે વિ. સં. ૧૯૫૪ના વૈશાખ વદ ૧૩ના દિને પિતાના શિષ્ય ગુણવિજયના વાચન માટે અમદાવાદમાં “હેમવ્યાકરણબ્રહવૃત્તિદીપિકા' લખી હતી. સં. ૧૯૫૦માં “હરિણશ્રીષણ રાસ” રચ્યું હતું. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય શ્રી અંધવિજ્ય ગણિએ સં. ૧૯૭૪માં કપસૂત્ર પર દીપિકા રચી, તે તેઓએ સં. ૧૯૮૧માં શોધી હતી. સં. ૧૯૮૧માં લેકનાલિકાસૂત્ર પર ભાષ્યવૃત્તિ રચી. મુનિ સુંદરસૂરિના “અધ્યાત્મ કલ્પકમ ની અધિહિણી ટીકા રચી. સં. ૧૬ન્ના પિષ માસમાં રાજનગરની સમીપમાં આવેલા ઉસ્માનપુરામાં આeણમાલિકા-આભારશતક અમરનામ ધર્મોપદેશલેશની 108 પ્રમાણ રચના કરી હતી. સં. ૧૭૦૦માં સપ્તતિકા નામના કર્મગ્રંથ પર બાલાવબોધ રચેલ હતે. શ્રી વિજયહીરસૂરિને અકબર બાદશાહે “જગતગુરુ'બિરૂદ આપ્યુ (સં. 1640), તે વખતે બંદીવાનેને છોડી મૂકડ્યા અને સૂરિસહિત ધનવિજયને સાથે લઈ કમર તળાવે જઈ ત્યાંના પાંજરામાં પૂરેલાં પક્ષીઓને મુક્ત કર્યા. આ ધનવિજયે સૂરિ સાથે રહીને મેડતામાં જૈનવિહારેને સ્વેચ્છકરથી મુક્ત કરાવ્યા અને વાજા વગાડવાં બંધી થઈ હતી તે ચાલુ કરાવી. શ્રી ધનવિજ્યજી ઉપાધ્યાય મહા ત્યાગી-વૈરાગી અને વિદ્વદર્ય હતા. (જૈનસાહિત્યને ઇતિહાસને આધારે સંકલનકર્તા : કરમશી ખેતશી બના.) છે. 43 2010_04