Book Title: Terapanthi Natak
Author(s): Premchand Yati
Publisher: Premchand Yati

View full book text
Previous | Next

Page 319
________________ ૩૦:: મનુસ્મૃતિ યાજ્ઞવલ્કયાદિ ઋષિઓના સ્મૃતિ ગ્રંથે અને વિદુરનીતિ ઈત્યાદિને અનુસાર પ્રજાપાલન થઈ રહ્યું છે, તે શું અત્યારે પણ પાંડનુંજ રાજ ચાલે છે, એમ માની શકાશે ખરૂં? નહિજ ! હવે તો રાજ્ય. અંગ્રેજ સરકારનું જ ગણાય છે; અને ગણશે. પાંડના સમયનાજ હિંદુકાયદા પ્રમાણે શાસન ચાલતું હોવા છતાં હાલમાં પાંડવોનું રાજ્ય ચાલે છે, એમ કહી શકાતું નથી, તે પછી તમે સુધર્મા સ્વામીની પરંપરામાં તે કેવી રીતે ગણાઈ શકાવાના હતા? તમે તે સુધમાં સ્વામીના સાધુઓની પ્રણાલિકા, નીતિ તથા આચાર, વિચાર એ બધાને જ ત્યાગ કરી દીધો છે, મન કલ્પિત નવાજ પંથ કાઢી બેઠા છે અને મન:કહિપત હાલો બનાવી દીધી છે. આટલું જાણે ઓછું હોય તેમ તમે ભગવાનને જ ભૂલેલા. બતાવે છે ! વળી હજી સુધી તમે ભગવાનને જ ભૂલેલા કહેતા હતા, હવે તમે કેવળીને પણ જુઠા બતાવે છે. ભગવતી સૂત્રમાં ભગવાને મૈશાલાને દયાથે બચાવ્યો હતો, એમ કહ્યું છે, જ્યારે ભીખમજીએ અનુકંપાની ચોપાઈમાં ભગવાને શાળાને માયાને અર્થે બચાવ્યા હતા, એમ કહ્યું છે. કહે, હવે આ ભીખમજીના ઉલ્લેખેથી કેવળી મહારાજ જુઠા ઠરે છે કે નહિવારૂ? વળી શ્રાવકને ભગવાને ત્રીજાતીર્થમાં ગણાવ્યા છે, અને શ્રાવક શ્રાવિકાઓના તેઓ ચતુર્વિધ સંઘરૂપ તીર્થમાં હોવાથી, સુપાત્રમાં ગણ્યા છે. ચાર તીર્થો તે સુપાત્રનાજ હેઈ શકે; તે કુપાત્રના નજ હોઈ શકે. ત્યારે તમે તેરાપંથી, સાધુએ તો શ્રાવકને કુપાત્ર, નહાર, વછેર, જહરના કર, વગેરેની ઉપમા આપીને તેમને તિરસ્કાર્યા છે. આવી કુરીતિએ વનારા (તમે) વેતાંબર સનાતન ધમી સાધુનથી જ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330