Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 91
________________ (૩૫) ચાલુક્ય રાજા(વરધવલ)ની રાજધાની ળકા)માં વધોપન–મહોત્સવ થયું. ત્યાર પછી, આણેલું તે સર્વ ધન, યથાયોગ્ય સ્થાનમાં સ્થાપન કરીને તેજપાલ, બંધુ (વસ્તુપાલ) સાથે ઉત્સવપૂર્વક પોતાને ઘરે આવ્યા. કૃતજ્ઞ રાજાએ(વરધવલે) અન્ય દિવસે મંડલેશ્વર રાજાઓથી શોભતી સભામાં વસ્તુપાલ વિજયી વીરનું બંધુ સાથે સચિવાધીશ તેજપાલને બહુસમાન માનપૂર્વક બેલાવી પાંચે અંગે પર * પ્રસાદ કરી કરેડ સેનૈયા સમર્પણ કર્યા. ત્યાર પછી રાજાએ તેજપાલના ગુણોની સ્તુતિ કરવા ઉત્તમ બ્રિજ કવીશ્વર સેમેશ્વર (ગુર્જરેશ્વર-પુરહિત કીર્તિક મુદીકાર ) તરફ દષ્ટિ–સંચાર કર્યો. તેથી તેણે પણ મનના ઉત્સાહપૂર્વક, ઉચો હાથ કરીને તેના સાચા સદગુણેની સ્તુતિ ઉચ્ચારી કિચ્ચડથી દુઃખે પાર ઉતરાય એવા, પાણીથી ભરેલા, સેંકડે ખાડાઓથી વ્યાપ્ત એવા માર્ગમાં, ગાડું હાંકનાર ખિન્ન થાય એવી સ્થિતિમાં, ભાર અતિ વિષમ હોય અને કાંઠો દૂર હોય–આવા ગહન પ્રસંગ( કષ્ટભર્યા સંકટ સમય)માં ભાર વહન કરવા માટે ધવલ (ઉત્તમ વૃષભ, વીરધવલ) સિવાય બીજો કેણ સમર્થ થઈ શકે ? એ હું તર્જની(આંગળી) ઉંચી કરીને મોટા શબ્દવડે કહું છું–પૂછું છું. પિતાના રાજા પ્રત્યે એકાંત ભક્ત (પૂર્ણ વફાદાર) એવા તેજપાલ સુમંત્રીએ ઉત્કટ કંટકથી વિકટ એવા ભૂમડલને સર્વ તરફથી સંશુદ્ધ કરીને પૃથ્વીને ન્યાયવાળી કરી,

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116