________________ ચશોટ alcohilo અક્ષયબિંઘિતુપુ શ્રdSાળની આ Moltes અક્ષયનિધિ એટલે અ૭ અક્ષયનિધિ એટલે શ્રુતજ્ઞાન - કેવળજ્ઞાન તપ દ્વારા આત્મા ઉપર લાગેલ નિકાચિતમાં નિકાચિત કર્મો પણ બળીને ખાખ થઈ જાય છે. | ઇછા માત્રનો નિરોધ થાય ત્યારે તે તપ સાચો કહેવાય છે અને તેવો સમ્યક તપ કરવા દ્વારા આત્મા જલ્દીમાં જલ્દી અજરામર અવસ્થાને પામે છે. અક્ષયનિધિ તપ કરનાર સુંદરી શ્રાવિકા જેણે પૂર્વભવમાં અન્યની ખૂબ જ ઇર્ષ્યા કરી તેના દ્વારા અનેક આપત્તિઓ ભોગવી, ઘણા જ કષ્ટો સહ્યા. તે પછી પૂ. ગુરુ મ.ના કહેવા દ્વારા આ તપ કરવાથી તે કર્મો તો ખપાવ્યા પણ સાથે સાથે ખૂબ જ સુખ-સાહ્યબીને પામી અને આ તપ દ્વારા એવા પ્રકારના પુણ્યાનુબલ્વેિ પુણ્યની સ્વામિની બની કે તે જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં-ત્યાં નિધાન નીકળવા માંડયા. સુંદર ધર્મમય જીવન જીવી છેલ્લે સંયમધર્મ સ્વીકારી પોતાના આત્માના કલ્યાણને કર્યું. માટે ચાલો...આવો...આવા અક્ષયનિધિ તપ કરવા દ્વારા અક્ષયનિધાન-કેવળજ્ઞાનને પામીએ.