Book Title: Sat Asat
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 4
________________ સત-અસત = ૪૭ જેનને મતે આત્મા–પુરૂ પણ સ્વભાવે પરિણામી નિત્ય જ છે, સાંખ્યની જેમ ફૂટસ્થ નિત્ય નહિ. ન્યાયવૈશેષિકોએ સત નું લક્ષણ સત્તાયોગિત્વ આપ્યું છે. તેમના કહેવાનો આશય એ છે કે, સત્તા મહાસામાન્ય જેમાં સમવાય સંબંધથી રહે તે સત્ છે. આ સતની વ્યાખ્યાઓનું પરવાદીઓએ ખંડન પણ કર્યું છે. જૈનોની સતની વ્યાખ્યા ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો કે, પરસ્પરવિરોધી ધમાં એક વસ્તુમાં સંભવે જ નહિ, ન્યાય-વૈશેષિકોની સતની વ્યાખ્યાને લક્ષી કહેવાયું કે, તે વ્યાખ્યા પ્રમાણે તો સ્વસમમત જ કેટલાક સત– ભાવ પદાર્થો અસત્ ઠરે કારણ કે સત્તા તેમને તે માત્ર દ્રવ્ય, ગુણ, કર્મમાં જ રહે છે. ૦ શાંકર વેદાન્તીઓની અને બૌદ્ધોની વ્યાખ્યાઓના વિરોધમાં કહેવામાં આવ્યું કે, કોઈ પણ જાતના પરિણમનથી રહિત ફૂટસ્થ નિત્ય વસ્તુ કે નિરન્વય ક્ષણિક વસ્તુ એ કોઈનાય અનુભવની વાત નથી. આમ દર્શનિકો અંદરોઅંદર એકબીજાને સહુના લક્ષણનું ખંડન કરતા હતા એવામાં બૌદ્ધો તરફથી એક એવું લક્ષણ મૂકવામાં આવ્યું જે લગભગ બધા જ દાર્શનિકોએ માન્ય રાખ્યું અને તે લક્ષણ તે અર્થક્રિયાકારિત્વ.૧૧ અલબત્ત, દર્શનકારોએ પોતપોતાને માન્ય અતિમ તવે કે તત્ત્વોમાં તેને લાગુ કરવા ભારે જહેમત લીધી. બૌદ્ધોએ તર્કપુર:સર સિદ્ધ કર્યું કે ક્ષણિક વસ્તુ જ અર્થક્રિયાકારી છે, વેદાન્તીઓએ પુરવાર કરવા પ્રયત્ન કર્યો કે, નિત્ય વસ્તુ જ અથાક્રયાકારી છે અને જેનોએ સાબિત કર્યું કે, નિત્યાનિત્ય વસ્તુ જ અર્થક્રિયાકારી છે. આપણે જોયું તેમ આચાર્ય શંકર ત્રિકાલાબાધિત ફૂટસ્થ નિત્યને સત્ કહે છે. તે પણ વિજ્ઞાનવાદી અને શુન્યવાદીની માફક સત્ની ત્રણ કોટિ સ્વીકારે છે : પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રતિભાસિક. તેમને મતે ફૂટસ્થ નિત્ય બ્રહ્મ ચેતન જ પરમાર્થ સત છે કારણ કે, તે ત્રિકાલ સ્થાયી છે; ઘટ, પટ આદિ વ્યાવહારિક સત છે કારણ કે તે વ્યવહારકાલમાત્રસ્થાયી છે પરંતુ તત્ત્વજ્ઞાનનાશ્ય છે; શક્તિરતાદિ પ્રતિભાસિક સત છે કારણ કે તે પ્રતિભાસકાલમાત્રસ્થાયી છે પરંતુ અધિષ્ઠાનજ્ઞાનનાશ્ય છે. આચાર્ય શંકર વ્યાવહારિક સદુ૫ જગતના પરિણામી ઉપાદાને કારણ તરીકે અવિદ્યા નામના તત્ત્વને સ્વીકારે છે. તેને તેઓ સ-અસવિલક્ષણ કહીને વર્ણવે છે. તે સત નથી કારણ કે, તે બાધિત થાય છે, તે અસત નથી કારણ કે, તે સ૫ જગત્કાર્યનું ઉપાદાનભૂત કારણ છે. આ સંઅસવિલક્ષણતાસિદ્ધાંતના મૂળ છેક “નાસદીયસૂક્ત'માં જેવાં હોય તો જોઈ શકાય. ત્યાં કહ્યું છે કે, સુષ્ટિ–જગતની ઉત્પત્તિ પહેલાં સત્ પણ ન હતું કે અસત્ પણ ન હતું; અર્થાત્ સૃષ્ટિનું ઉપાદાન કારણ સત્ પણ નહિ, અસત પણ નહિ કિંતુ અર્થોપત્તિથી સત્-અસવિલક્ષણ . સદસદિલક્ષણતાવાદનું ભગવાન બુદ્ધના “અવ્યાકૃત' તથા શુન્યવાદના ચતુષ્કોટિવિનિર્મુક્તત્વ સિદ્ધાંત સાથે પણ સામ્ય છે. “ચતો વાવો નિવર્નન્સ માઇ મનસા સટ્ટ' (તૈત્તિરાયોપનિષ), “નૈષા સર્વેદ તિવાચા' (૧વનિવ) આ ઉપનિષદુવાક્યોને, “પરના હિં મર્ચાનાં તૂન્મઃ ” આ ચન્દ્રકીતિવચનને અને “ત તથ ન વિજ્ઞરૂ ( માત્ર ) આ આગમવાક્યને પણ આ સંદર્ભમાં ધ્યાનમાં લેવા જોઈએ. જૈન તર્કશાસ્ત્રની પ્રસિદ્ધ સપ્તભંગીમાંય સદસદિલક્ષણતાવાદનો ચતુર્થ ભંગ “અવક્તવ્યમાં સ્વીકાર થયો છે. વસ્તુ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી સત છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસત છે. પરંતુ આ બે ધર્મો યુગપદ્ વાણીમાં બોલી શકાતા નથી એ અર્થમાં વસ્તુ અવક્તવ્ય છે. જે બે વણે એક સાથે ન બોલી શકાય તો બે શબ્દો તો ક્યાંથી એક સાથે બોલી શકાય. પરંતુ આ અર્થ એ કંઈ વસ્તુસ્વરૂપદ્યોતક નથી. વસ્તુના ૯ નૈસ્મિન્નસમવન્] શ્રેહ્મસૂત્ર, ૨. ૨, ૩૩. १० सतामपि स्यात् क्वचिदेव सत्ता। अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, ८. ૧૧ વરં ચતકિયાવાહિયં સર્વનનufસમારતે... | Six Buddhist Nyāya Tracts, કૃ૦ ૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6