Book Title: Samadhi Maranni Bhavna Author(s): Publisher: View full book textPage 2
________________ કરુણામિશ્રિત માધ્યસ્થભાવ હો. કોઈ પણ જીવ પ્રત્યે અંશ પણ તુચ્છભાવ, તિરસ્કારભાવ કે અભાવભાવ ન હો. અનંતા પંચ પરમે ભગવંતો, શ્રાવકો, સમ્યગદ્રષ્ટિ માર્ગાનુસારી જીવો, આદિ સર્વેનાં ત્રણે કાળનાં અને ત્રણે લોકમાં, આત્મશુધિના લક્ષ, જિજ્ઞાનુસાર થયેલા સર્વ સુકૃત્યોની ત્રિવેદે ત્રિવેદે હાર્દિક અનુમોદના કર છું. તે સર્વન ધન્ય હો! તેમની ચરણ રજ નીરંતર મારા મસ્તકે હો! વળી મારા જીવે પણ આ ભવમાં કે ભવાંતરમા, આત્મશુધિના લક્ષે જિનાજ્ઞા સાઘેલ, જે કોઈ સદ અનુષ્ઠાનો, વિવિધપૂર્વક કર્યા હોય, કરાવ્યાં હોય કે અનુમાડ્યાં હોય, તે સર્વની અહોભાવપૂર્વક અનુમોદના કરુ છું. ભવાંતરમાં સેવાયેલા આ શુધ્ધ ક્રિયાયોગના ફળ રૂપે જ જૈનકુળ, શ્રી જીનેશ્વર ભગવંતનો યોગ, એમનો પ્રકાશેલો ત્રિકાળ જયવંત એવો ધર્મ અને તેમની આજ્ઞામાં રહેલા આધ્યાત્મયોગી, આત્મજ્ઞાની સદગુરૂ ભગવંતોનો યોગ પામ્યો છું આત્મશુધ્ધિના લક્ષે એમની આજ્ઞાનું અરાધના કરી શકુ તેવા સુંદર સાનુકુળ સંયોગો પામીને હું ધન્ય થયો છું. મારા આત્મવિકાસમાં જે જે જીવો સહાયભૂત થયા છે તે સર્વનો અત્યંત ઋણી છું. જગતના સર્વ જીવો પ્રત્યે એક જ ભાવના હો કે કોઈ પણ જીવ પાપ ન કરો, કોઈ દુ:ખી - ન થાઓ, સર્વ જીવ શ્રી જિનશાસન પામી, આરાધી વહેલામાં વહેલા કર્મમુકત થાઓ - આત્મા કલ્યાણને પામો, તેઓ નિરંતર કૃતતાભાવસહિત બીજાના હિતની ચિંતા કરવાવાળા થાઓ, તેમની પરદોષદર્શન દ્રષ્ટિ નાશ પામો અને એમ શ્રી જિનાજ્ઞાનું આરાધન કરીને સર્વથા સુખી થાઓ. આ ભવમાં આત્મશુધ્ધિ અર્થે, શ્રી ગુરૂ ભગવંતોની નિશ્રામાં સ્વીકારેલાં દેશવિરતિ આદિ વ્રતો, નિયમો, પચ્ચક્ખાણોમાં જાણે - અજાણ્ય, પ્રમાદવશ થઈ જે ખંડના - વિરરાધના - અવિધિ થયાં હોય તે સવિ મ.વ. કાયાએ કરી મિચ્છામિ દુકકડમ. હવે હું શ્રી પં. પરમે. ભગવંતોની, સ. દ્રષ્ટિ દેવો અને આત્મસાક્ષીએ ભાવથી સર્વવિરતિ - પાંચ મહાવ્રતો સ્વીકારી પ્રાણી માત્રને અભયદાના આપું છું. તેમજ સર્વ પરભાવ માત્રથી વિરામ પામી, કર્મના ઉદયથી પ્રાપ્ત થએલ સર્વ સંજોગ સંબંધને ત્રિવિધે ત્રિવિધે વોસિરાવું છું. હું એકલો છું. મારુ કોઈ નથી, હું કોઈનો નથી. આ ચૌદરાજલોકમાં રહેલ એક પરમાણું માત્ર કે કોઈ જીવ મારાં નથી. સત્તાએ હું કેવળ અસંગ શુધ્ધ ચૈતન્યમય આત્મા છું. હવે હું મારા સચ્ચિદાનંદ, પરમ અનંત ચતુય સ્વરૂપમાં લીન થાઉં છું. અનાદિના દેહાધ્યાસને પચ્ચકખાણ પૂર્વક ત્રિવિધે ત્રિવિદ્ય વોસિરાવું છું. હે જિનેવર ભગવંત શ્રી સીમંધર સ્વામી! આપ અને આપે પ્રકાશેલ ત્રિકાળ જયવંત ધર્મ એ જ મારા આત્મકલ્યાણના કરનારા છો, તેથી આપના આશ્રય અને શરણ સહિત, નિષ્ણ અસંગપણે, નિર્મોહપણે યથાર્થ સમરસપણે આ દેહ છોડી, આપશ્રી જયાં બિરાજમાન છો તે મહાવિદેહ ક્ષેત્રે, આપના પરમ ભકત શ્રાવકકુળમાં, આત્મજ્ઞાની, બાવ્રતધારી, શ્રાવિકાજીની કુક્ષીએ હું દેહ ધારણ કરું એવી કરુણા કરો, જયાં મોક્ષ પ્રાપક ઉત્કૃષ્ટ સામગ્રી પામી, આઠ વર્ષની ઉમરે આપશ્રીની નિશ્રામાં દ્રવ્ય-ભાવ સર્વવિરતિ સ્વીકારી, વહેલામાં વહેલી તકે આઠે કર્મનો ક્ષય કરી મારા સિધ્ધ-બુધ્ધ સ્વરૂપને પામું. ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:Page Navigation
1 2