Book Title: Prassannatani Pankho
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 19
________________ અભિપ્રાયની આલમ સંતોષવી કે નહીં તે એ વ્યક્તિના હાથમાં છે. વ્યક્તિ પરનું વર્ચસ્વ જમાવી રાખવાની દાનત, અપેક્ષાની વિકૃતિ છે. આપણે વર્ચસ્વ નથી રાખવાનું, અપેક્ષા રાખવાની છે. સંતોષાય તો ઠીક, ન સંતોષાય તો ઠીક. તો અપેક્ષા પાયામાં જ ખોટી હોય અને એ સંતોષાતી ન હોય તેમાં સામી વ્યક્તિને દોષ દેવાનો હોય જ નહીં. આવી નબળી અપેક્ષા શું કામ રહે છે મનમાં, તેનું પરીક્ષણ કરવાનું. આપણાં મનોબળની નબળાઈ છતી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવાની ન હોય. સમજદાર અને શાલીન વ્યક્તિત્વના માલિક હોવું આપણી ફરજ છે. નબળા વિચારો ન આવે તેવું તો ભાગ્યે જ કોઈનામાં બને. એ વિચારોને સાવચેતીથી ટાળવાના. નબળી અપેક્ષાની કારમી વાસ્તવિકતા એ છે કે આ અપેક્ષા સંતોષાય નહીં તો બમણી થઈને ઊછળે છે અને સંતોષાય તો પણ બેવડાયા કરે છે. અપેક્ષામાં કદી અધિકારભાવ ન જાળવવો જોઈએ. અપેક્ષાને આવેશ અને આગ્રહ કરતા જુદી રાખીને જોવી જોઈએ, અપેક્ષાને ઠેસ પહોંચવી જ ન જોઈએ તેવાં સપનાં રાખવાના નહીં. આપણાં અસ્તિત્વ સાથે અપેક્ષાની અવરજવર રહેવાની જ છે. બંધ આંખે દેખાય તે સપનાં, ખુલ્લી આંખે દેખાય તે અપેક્ષા. રમત તો મનની જ છે. દુકાને આવનાર દરેક માણસને સારો માનીને ન ચલાય તેમ, મનમાં આવનાર દરેક અપેક્ષાને સારી માનીને ન ચલાય. ખરાબ માણસોને રવાના કરીએ તેમ ખરાબ અપેક્ષાને રવાના કરવાની. નકામા માણસોને કાઢી મૂકીએ તેમ નકામી અપેક્ષાને કાઢી મૂકવાની, માથાભારે બની ગયેલી અમુક અપેક્ષાઓ હેરાન કરે છે તેમ છતાં છૂટતી નથી તે હકીકત છે પરંતુ તે અપેક્ષાની અસર, વહેવાર બગડે એટલી હદે ના રહેવી જોઈએ. શ્રીમંત દુ:ખી હોય, ગરીબ સુખી હોય તેવું એક જમાનામાં સાંભળ્યું છે. અપેક્ષાની ૨મતવાળી જ વાત છે. શ્રીમંતના મહેલમાં અગણિત અપેક્ષાની આગ ભડકે છે, પારાવાર અશાંતિ. ગરીબના ખોરડે ખોબા જેવડી અપેક્ષા છે, અશાંતિ સીમિત. જીવનમાં સુખદુ:ખ આવે છે તે અપેક્ષાની અદાલત દ્વારા. તમારાં સુખદુ:ખ બહારથી નથી ઘડાતાં. આ અદાલત એ ઘડે છે. આપણે આ અદાલતમાં જીતી જવાનું. કાયમનું સુખ થઈ જશે. બીજાને આપણે જોઈએ. બીજા આપણને જુએ, ઓળખાણ થઈ હોય કે કરવાની હોય તો મોઢું મલકાય, ઓળખાણ થઈ ન હોય કે થઈને તૂટી હોય તો મોટું બગડે. પછી વિખૂટા પડી જવાનું થાય. જેને જોયા હતા તે સિવાયની વ્યક્તિ મળે. વાતમાં વાત નીકળે. પેલા જોવામાં આવેલા હતા તે ભાઈ માટેના ઉદ્દગાર અપને આપ આપણા શ્રીમુખે પ્રગટ થાય. મજા હવે આવે છે. એ અભિપ્રાય આપતી વખતે એ માણસ ખરેખર કેવો છે તેનો વિચાર કરાયો નથી હોતો. વિચાર માત્ર એટલો જ કરાયો હોય છે કે એ વ્યક્તિ મારી સાથે કેવા સંબંધમાં છે ? સંબંધ સારો છે તો વ્યક્તિ સારી છે. સંબંધ સારો નથી, સંબંધ નથી તો વ્યક્તિ સારી નથી. એ વ્યક્તિનું સારા હોવું કે ખરાબ હોવું તેના પોતાના હાથમાં આપણે નથી રાખતા. એના વિધાતા આપણે બની જઈએ છીએ. મારી સાથે સંબંધ છે વાસ્તુ એ સારી હોવી જ જોઈએ. મારી સાથે સંબંધ નથી તો પછી એ સારી હોઈ જ ન શકે. આપણે અભિપ્રાય આપીએ છીએ એમાં આપણો અહં જોડાતો હોય છે. અને આ અહં અન્યાય નથી કરતો તેમ કહેવાની હિંમત કોઈ જ કરી શકે તેમ નથી. આપણે બીજાની માટે કેટલાબધા અભિપ્રાયો આપ્યા છે ? જે બધા આપણા અભિપ્રાયની લપેટમાં આવ્યા છે તે કેટલા બધા છે ? લગભગ કોઈ બાકી નથી જેને આપણા અભિપ્રાયનું અતિથ્ય મળ્યું ના હોય, અભિપ્રાયની આ એક બાજુ છે. બીજી બાજુ એવું બનતું આવ્યું છે કે આપણી માટે પણ અભિપ્રાયો આપનારા ઘણા છે. એમને આપણી માટે અભિપ્રાય આપવો પડ્યો છે તેવું નથી. એમણે એ અભિપ્રાય સમજીને આપ્યો છે. એમનો કોઈ અહં કામ કરે છે તે મુજબ તેમના અભિપ્રાયો ઘડાયા છે. બન્ને વાત છે. આપણો અદ્દલ પરિચય આપતા અભિપ્રાયો પણ છે અને એમના અહંનાં ટાંકણે ઘડાયેલા અભિપ્રાયો પણ છે. અભિપ્રાયની આ બન્ને બાજુ જોઈને પછી આપણે વિચારવું છે કે અભિપ્રાયની અસર શું છે ? આપણે બીજાની માટે સારા અભિપ્રાય ફરમાવીએ છીએ ત્યારે તેમાં સ્વાર્થ કે અહં ન હોય તે જોવાની જવાબદારી આપણી છે. ખરડાયેલા અભિપ્રાય - ૩૧ ૩૨ - -

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27