Book Title: Pathik 1998 Vol 38 Ank 05
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra 'कुम्भस्त्राने मग्नाः सर्वे क्लिन्नशरीय याताः । धावन्ति गायन्ति स्त्रान्ति મુજવૃષ્ણિા – તામ્ नाब्धिः करोति तटस्तु वृथैव कोलाहलम् ॥' અહીં કવિએ પંદર-પંદર અક્ષરોની ત્રણ લીટીમાં ૪૫ વર્ણો પ્રયોજ્યા છે. ૧૫ અક્ષરોના ત્રણ પંક્તિના આ કાવ્યમાં પહેલીમાં વિષયનો ઉંધાડ, બીજીમાં એનો વિકાસ અને ત્રીજીમાં ચમત્કૃતિ એવો ક્રમ જોવા મળે છે. સિોકાવ્યના વર્ણોની સંખ્યા કદાચ થોડી વત્તી ઓછી હોય, પણ કડી તો ત્રણ પંક્તિની જ હોય છે; જેમ કે કવિના એ જ કાવ્યસંગ્રહમાંનું એક અન્ય સિજો કાવ્ય : किं त्राताः खलु स्राता: ? मयि मृत्तिकागर्भे માયા: ધાય ગાતા: ૫' www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ના શવર્ષા: અનિભાના મંત્રણા | शौर्यनादाः / रोदनानि नाशयुक्ता यंत्रणा । अस्ति रात्र्यां स्नेहशब्दे આ કાવ્યમાં પ્રથમ બે પંક્તિઓમાં પંદર-પંદર અક્ષરો છે, જ્યારે ત્રીજી પંક્તિમાં માત્ર ચૌદ જ અક્ષરો છે. છતાં તેનું સિજો કાવ્ય-સ્વરૂપ જોખમાતું નથી. ઉઘાડ, વિકાસ અને ચમત્કૃતિનો ક્રમ ભાવકને સાદ્યન્ત જકડી રાખે છે. પોતાનાં સિજોકાવ્યમાં હર્ષદેવે સિર્જાનાં સામાન્ય સ્વરૂપને સ્વીકાર્યું હોવા છતાં તેનું સંસ્કૃતકર્મ કરતી વખતે કેટલાક નોંધનીય ફેરફારો પણ કરેલા છે, જે તેનાં અભિનવપ્રયોગહાર્દને પ્રદર્શિત કરે છે, જેમ કે - વીરતાયા: પ્રેરણા ।।' - કાવ્યમાં ગઝલની ગાલગાગા, ગાલગાગા, ગાલગાગા, ગાલગા જેવી ખંડિત રુદનથી યુક્ત સુમધુર રમલ મુસમ્મન મહેકુ બહેરનું સુંદર મિશ્રણ કવિનું પોતાનું છે, તો ક્યાંક તેણે ગીતના લયને પણ પ્રયોજ્યો છે. આ કાવ્યોનું વિષય-વૈવિધ્ય પણ ધ્યાનાકર્ષક છે. એમાં યુદ્ધની સ્વતંત્રતાની કે તાત્ત્વિક અનુભવની વાત છે તો આશ્રમના શાંત દેશ્યનું આલેખન પણ છે, તો વળી કેટલાંક જીવનના સનાતન સત્યોને રજૂ કરતાં કાવ્યો પણ છે. સિો-કાવ્ય-સ્વરૂપ સંસ્કૃત-કવિતાને માટે તદ્દન નવું જ હોઈ કવિ તેના દ્વારા સંસ્કૃત-કાવ્યને એક નૂતન કેડી કંડારી આપે છે. નવિનતાની સાથે જ આધુનિકતા પણ લાવવાનો કવિનો ઉમદા યન આ દ્વારા સાર્થક થતો જોવા મળે છે. નૂતન પ્રયોગ તરીકે સંસ્કૃતમાં સિજો કાવ્યની રચના સર્વથા આવકાર્ય છે. એક વીસમી શતાબ્દીના આરંભે એઝરા પાઉન્ડ નામક પશ્ચિમના કવિએ લઘુકલ્પન કાવ્યો (Mono Image Poems) નો યુગ શરૂ કર્યો. આ પ્રકારનાં કાવ્યોમાં કોઈ એક વિષય(બિંબ)ને લઈને તેની જુદી જુદી કલ્પના (Image) જોવા મળે છે. જેમ હાઇકુ કાવ્યો ટૂંકાં હોવા છતાં માર્મિક અને સારગર્ભિત હોય છે તેમ આ કાવ્યો પણ લઘુકાય હોવા છતાં ગર્ભિત અર્થછટાવાળાં અને પાણીદાર મોતી જેવાં સોહામણાં હોય છે. સંસ્કૃત-સાહિત્યમાં લઘુકલ્પન કાવ્યોનો સર્વ પ્રથમ પ્રયોગ કરનાર પણ ડૉ. હર્ષદેવ માધવ જ છે. તેમણે અનેકાનેક વિષયોને લઈને એ વિવિધ લઘુકલ્પનાઓ દ્વારા રજૂ કર્યા છે. પથિક ૭ ફેબ્રુઆરી-૧૯૯૮ ૧૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20