Book Title: Pathik 1989 Vol 29 Ank 07
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. માનસ'ગજી બારડ સ્મારક ટ્રસ્ટ - સંચાલિત વર્ષ ૨૮ મું: અંક ૭ મે સં. ૨૦૪૬ સન ૧૯૯૦ એપ્રિલ તંત્રી-મંડળ : છે. કેકા. શાસ્ત્રી છે. ના. કે. ભટ્ટી છે. સૌ. ભારતી બહેન શેલત [ઇતિહાસ પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક] આદ્ય તંત્રી : સ્વ, માનસંગજી બારડ ઈર્ષા સમાજમાં અનેક અનિષ્ટા જોવા મળે છે, દા. ત. નિંદા દ્વેષ અદેખાઇ ઈ ઈત્યાદિ. આવાં અનિષ્ટા વ્યક્તિ પરિવાર કે સમાજને ખૂબ નુકસાન પહોંચાડનારાં સાબિત થાય છે. ઈષ એ સમાજનું સૌથી મોટું અનિષ્ટ છે, ઈર્ષા એટલે અદેખાઈ, બીજાની સારી સ્થિતિ દેખી ન ખમવાથી થતી દ્વેષની લાગણી. કેટલાક લે કે પેન.નાથી વધારે શક્તિશાળી અને બુદ્ધિમાન વ્યક્તિ એની સતત ઈર્ષા કરે છે, એમના વિશે જાતજાતની વિચિત્ર વાત ઉપજાવી કાઢી એમની પ્રતિભા ઝાંખી પાડવા સતત પ્રયાસ કરતા રહે છે. વળી આવા ઈર્ષાળુ લોકો હંમેશાં પિતાના પ્રતિસ્પર્ધીઓના દે શોધતા જ હોય છે અને એ રીતે આ આત્મસ તેષ મેળવે છે. ખરી રીતે તે ઈર્ષા કરનાર અને ઈર્ષા સાંભળનાર એ બંને દેષિત છે. ઈર્ષાળુ ખોટું બોલે છે, સાંભળનાર વ્યક્તિ પણ જૂઠાણું સાંભળે છે તેથી એ અસત્યને સ્વીકારે છે અને એ રીતે જાણે અજાણ્યે પણ પાપન હિસ્સેદાર બને છે. ઈ એ મેટું દૂષણ છે. ઈષાળુ ઈર્ષા દ્વારા પોતાનાં વિચાર-માન્યતાઓને વહેતી કરે છે. આવા માણસો સામના રાઈ જેવડા દોષને ખીલા જેવડા બનાવીને એની ઈર્ષા કરવામાં આનંદ અનુભવે છે. ઈર્ષાળુ માણસ સામા માણસના કુટુંબમાં આગ ચાંપે છે, કુટુંબને છિન્નભિન્ન કરી નાખે છે, કુટુંબના આનંદ-ઉલ્લાસને હણે છે, તેથી આવા ઈર્ષાળુ માણસેથી હમેશાં જાગ્રત રહેવું જોઈએ. એઓ વારંવાર ઊલટ-સુલટ વાતો ઉપજાવી કાઢે છે, સત્યને અસત્યમાં ફેરવી નાખે છે, તેથી ઈર્ષાળુ વ્યક્તિ પર કદાપિ વિશ્વાસ મૂકવા જોઈએ નહિ, આવી વ્યક્તિઓથી હંમેશાં સાવધાન રીતે પોતાનું કાર્ય કરવું જોઈએ. એક બાબત સ્પષ્ટ છે કે સજજને હમેશાં નિષ્ઠાથી કામ કરતા હોય છે. જ્યારે ઈર્ષાળુ લોકો પોતાને અહે' સ’તોષવા માટે કાવાદાવા કર્યા કરે છે. જુવાનોએ હંમેશાં આવા દુર્જનની વિચિત્ર વાતોથી ભરમાવું" જોઈએ નહિ. મીઠું બોલનાર અને ખુશામત કરનાર વ્યક્તિઓથી પણ સાવચેત રહેવું જોઈએ. ગમે તેવી પરિરિસ્થિતિ ઉદ્દભવે એમ છતાં ઉશ્કેરાઈ જવું ન જોઈએ, ઈર્ષા સમાજનું મોટુ’ પ્રદૂષણ છે. આ પ્રદૂષણને દૂર કરવાનું કઠિન હે.વા છતાં અશક તે નથી જ. કેટલાક માણસે સમાજમાં ખોટી અફવાઓ પણ ફેલાવે છે, કેટલીક વાર નિંદા કર્યા કરે છે તેથી એ વ્યક્તિ સમાજ અને ૨૩ષ્ટ્રને વિનાશ નેતરતા હોય છે, આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે ઈર્ષા અનેક રીતે અહિતકારી હોવા છતાં જે એના દ્વારા હરીફાઈ થાય તે વ્યક્તિ વિકાસ સાધી શકે છે. ઈર્ષા ચિત્તની એવી વૃત્તિ છે કે જે દુર્ગુણમક હોવા છતાં કોઈ વાર સદ્ ગુણાત્મક પણ બને છે. વલ્લભવિદ્યાનગર-૩૮૮ ૧૨૦ - (ડે.) મગનભાઈ આર. પટેલ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 36