Book Title: Padarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 10
________________ (vi) એક અહોરાત્રના સમય, આવલિકા, ક્ષુલ્લકભવ, શ્વાસોચ્છવાસ, સ્તોક, લવ અને મુહૂર્ત. (૨) શ્રીસિદ્ધદંડિકાસ્તવ (ટિપ્પણી સહિત) આ મૂળગ્રંથની રચના જેમનાથી બૃહદ્ગચ્છ તપાગચ્છ તરીકે ઓળખાયો એવા શ્રીજગન્દ્રસૂરિ મહારાજના શિષ્યરત્ન શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજે કરેલ છે. તેમાં ૧૩ ગાથાઓ છે. તે પ્રાકૃત ભાષામાં છે. તેની ઉપર અજ્ઞાતકર્તક સંક્ષિપ્ત ટિપ્પણી છે. આ ગ્રંથમાં ગ્રંથકારે અજિતનાથપ્રભુના પિતા જિતશત્રુરાજા સુધી ઋષભદેવપ્રભુના વંશજ, ત્રણ ખંડના અધિપતિ જે રાજાઓ મોક્ષમાં અને અનુત્તરમાં ગયા તેમની સંખ્યા બતાવી છે. તેમણે આ સંખ્યા બતાવવા સાત સિદ્ધદંડિકાઓ બતાવી છે. તે આ પ્રમાણે છે - (i) અનુલોમસિદ્ધદંડિકા (i) પ્રતિલોમસિદ્ધદંડિકા (i) સમસંગસિદ્ધદંડિકા (vi) એકોત્તરસિદ્ધદંડિકા (V) ક્યુત્તરસિદ્ધદંડિકા (vi) વ્યુત્તરસિદ્ધદંડિકા (vi) વિષમોત્તરસિદ્ધદંડિકા મૂળ ગ્રંથના આધારે પદાર્થસંગ્રહમાં અમે આ સિદ્ધદંડિકાઓને કોઠાસહિત સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. (૩) શ્રીયોનિસ્તવ (ટિપ્પણી સહિત) આ મૂળગ્રંથના રચયિતા શ્રીધર્મઘોષસૂરિ મહારાજ છે. તેઓ નવીન કર્મગ્રંથ વગેરે અનેક ગ્રંથોના રચયિતા શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજના શિષ્ય હતા. આ ગ્રંથમાં ૧૩ ગાથાઓ છે. તે પ્રાકૃત ભાષામાં છે. તેની ઉપર અજ્ઞાતકર્તક ટિપ્પણી છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 218