Book Title: Padarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ નિર્વાઘાત રસઅપવર્તના 203 ઉદયાવલિકામાં રહેલા દલિકોના રસસ્પર્ધકોની અપવર્તના થતી નથી. ઉદયાવલિકાની ઉપરની સ્થિતિના દલિકોના રસસ્પર્ધકોની અપવર્તન કરી 3 આવલિકા - 1 સમય પ્રમાણ સ્થિતિમાં રહેલ રસસ્પર્ધકો પ્રમાણ અતીત્થાપના ઓળંગી કે આવલિકા + 1 સમય પ્રમાણ સ્થિતિમાં રહેલ રસસ્પર્ધકોમાં નાંખે છે. આ જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના છે. ઉદયાવલિકા ઉપરની બીજી સ્થિતિમાં રહેલા દલિકોના રસસ્પર્ધકોની અપવર્તન કરી ? આવલિકા પ્રમાણ સ્થિતિમાં રહેલ રસસ્પર્ધકો પ્રમાણ અતીત્થાપના ઓળંગી 3 આવલિકા + 1 સમય પ્રમાણ સ્થિતિમાં રહેલ રસસ્પર્ધકોમાં નાંખે છે. એમ અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ સ્થિતિમાં રહેલ રસસ્પર્ધકો પ્રમાણ થાય ત્યાં સુધી ઉદયાવલિકા ઉપરની ત્રીજી વગેરે સ્થિતિઓમાં રહેલા દલિકોના રસસ્પર્ધકોની અપવર્તનામાં અતીત્થાપના 1-1 સમયની સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો પ્રમાણ વધે અને નિક્ષેપ 3 આવલિકા + 1 સમય પ્રમાણ સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો પ્રમાણ રહે. ત્યાર પછી ઉત્કૃષ્ટ સ્થિતિના રસસ્પર્ધકો સુધી અતીત્થાપના 1 આવલિકામાં રહેલા રસસ્પર્ધકો પ્રમાણ રહે અને નિક્ષેપ 1-1 સમયની સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો પ્રમાણ વધે. ઉત્કૃષ્ટ અતીત્થાપના = 1 આવલિકા પ્રમાણ સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો. ઉત્કૃષ્ટ સ્થિતિના દલિકોના રસસ્પર્ધકોની અપવર્તન કરી 1 આવલિકામાં રહેલ રસસ્પર્ધકો પ્રમાણ અતીત્થાપના ઓળંગી બંધાવલિકા ઉપરની બધી સ્થિતિઓના રસસ્પર્ધકોમાં નાંખે. આ ઉત્કૃષ્ટ નિક્ષેપ છે. ઉત્કૃષ્ટ નિક્ષેપ = ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ - (2 આવલિકા + 1 સમય) પ્રમાણ સ્થિતિમાં રહેલા રસસ્પર્ધકો. (ii) વ્યાઘાત રસઅપવર્તના - સ્થિતિઘાત દરમિયાન થતા રસધાત વખતે થનારી રસઅપવર્તના તે વ્યાઘાત રસઅપવર્તના છે.

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266