Book Title: Nayoni Apekshae Jaino
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૯ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ નૈગમનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘ ગણાય છે. સંગ્રહનયની અપેક્ષાએ સત્તાએ જેનપણું રહ્યું છે, એવા સર્વ જી જૈન કહેવાય છે. સત્તાએ સાધુત્વ, સાધ્વીત્વ, શ્રાવકત્વ અને શ્રાવિકાત્વ રહ્યું છે, એવા સર્વ જી સંગ્રહનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘ ગણાય છે તેમજ જૈન ગણાય છે. વ્યવહારનયની અપેક્ષાએ જૈનના આચારો જેઓ પાળતા હોય તેઓ જૈન કહેવાય છે. સંગ્રહનય સામાન્ય ગ્રાહક છે, તેથી સર્વ જીવોમાં સત્તાએ જૈનત્વ માનીને સર્વ જીવોને તે જૈને કહે છે. વ્યવહારનય વિશેષ ધર્મગ્રાહી છે, તેથી આચાર અર્થાત જેનધર્મની ક્રિયાઓને જેઓ કરતા હોય તેઓને જૈન કહે છે. વ્યવહારનયમાં અનેક ગ૭-ફિરકાવાલા કિયાઓને કરનારા જેને ગણાય છે. “જુસૂત્ર મત પ્રમાણે જે જૈનના પરિણામને ધારણ કરનાર હોય તે જૈન કહેવાય છે. જુસૂત્રનય ફક્ત એક વર્તમાનકાળને ગ્રહણ કરે છે, પણ ભૂતકાળ તથા ભવિષ્યકાળને ગ્રહણ કરતો નથી. વર્તમાનમાં જેવા પરિણામ વર્તતા હોય તેને જુસૂવનય કહે છે. જૈનધર્મની ક્રિયાઓ કરતો હોય પણ તેના પરિણામ જૈનના નથી, તે તેને ત્રાજુસૂત્રનય જૈન કહેતું નથી. વર્તમાનમાં જે જૈનના પરિણામ વર્તતા હોય તે તેને જુસૂત્રનયન કહે છે. શબ્દનયપિતાની માન્યતા આગળ ટરીને કહે છે કે-જેનામાં સમ્યત્વ પ્રગટયું હોય છે તે જૈન કહેવાય છે. વાસ્તવિક સમ્યત્વ વા નિશ્ચય સમ્યકત્વની પ્રાપિવડે મનુષ્ય જૈન કહેવાય છે. “સમભિરૂઢનયની અપેક્ષાએ સમ્યકપણે જૈન એવા શબ્દને ભાવાર્થ જે ગ્રહણ કરાય છે તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3