Book Title: Meghkumara
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 3
________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ હાથીનો મૃત્યુબાદ રાજકુંવર મેઘકુમાર રૂપે જનમ સાધુઓનો પગ લાગી જવો કે ધૂળ આવી જવી કેમ સહન નથી. કરી શકતા? આ દુનિયાના સુખોનો ત્યાગ કરી સાધુ બનવું એ મુક્તિ તરફનું પહેલું પગલું છે. દુ:ખ સહન કરવા કે સુખ પ્રાપ્ત કરવું એ આપણા કર્મોનું પરિણામ છે. આ સુખ દુઃખ તો ક્ષણિક છે. કાયમી સુખ તો મુક્તિમાં રહેલું છે.” મેઘકુમાર મંત્રમુગ્ધ બનીને ભગવાનની વાણી સાંભળી રહ્યા. તેમને તેમની ભૂલનો અહેસાસ થયો. એમણે ભગવાનને વિનંતી કરી કે સંસારમાં પાછા જવાની તીવ્ર ઇચ્છા પ્રગટ કરીને મેં સાધુત્વની પ્રતિજ્ઞા તોડી છે તો ફરી મને સ્વીકારી જ્ઞાન આપો. ભગવાન મહાવીરે તેમની ઇચ્છાને પૂર્ણ કરી. ત્યારથી તેઓ મેઘમુનિ તરીકે ઓળખાયા અને તેઓ કડકપણે અતિ સંયમી જીવન જીવ્યા. પોતાના કર્મો ખપાવવા ઘણા દિવસો સુધી ધ્યાનમાં જ રહેતા અને તેથી તમને ઘણા દિવસોનાં ઉપવાસ થયા. આમ કરતાં તેઓ ખૂબ જ અશક્ત થઈ ગયા. તપ કરવાની કોઈ શક્તિ ન રહી ત્યારે મૃત્યુ પર્યત ઉપવાસ જ કરવાનું નક્કી કર્યું. આને સંલેખના વ્રત કહે છે. રાજગૃહી નજીક આવેલા વૈભારગિરિ પર્વત ઉપર તેઓ ઉપવાસી થઈ બેસી ગયા. મૃત્યુ બાદ તેઓ સ્વર્ગમાં જન્મ્યા. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું કે સ્વર્ગીય જિંદગી પૂરી થશે એટલે એ ફરી માનવ તરીકે જન્મ લેશે અને પછી મુક્તિ મેળવશે. આ વાતૉ કરૂણાનું એક ઉત્તમ ઉદાહરણ છે. નાના જીવને બચાવવા હાથી અગવડ તથા કષ્ટ સહન કરે છે. આપણે વધુ વકસત અને વધુ બુદ્ધિશાળા છીઍ તો એક બીજાને મદદશ્ચમ થવાનું શ્રા પ્રાણી પાસેથી શીખવું જોઈઍ. વદ્યારૅમાં કોઈ સાધુ જીવન જીવવાની પ્રતિજ્ઞા કરે તો તેને દુષ્યવી સુખોમાં પાછા લાવવાનો પ્રયા ન કરવો જોઈએ. સુખ ભોગનો ભાગ કરનારનું જીવન કઠોર અન્ને કષ્ટદાયક હોય છે જેનાથી તે આમાના સાચા સ્વસ્થ અને સમજી શકે છે. આ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દુનિયાના સુખોને કાયમ માટૅ ઍક બાજુ મૂકી દેવાં પડે કારણ કે તે વસ્તુને વકૃતમ્રખે રજૂ કરૅ છે. મુશ્કેલીઓ આવશે કારણ કે પાછલા કમો નડશે તેથી સમતાપૂવૅક સહન કરવાં જોઈએ. અને તે સમર્થ્ય આપણા દષ્ટિ આત્માના સાક્ષાત્કાર ઉપર જ કૅન્દ્રત કરવી જોઈએ. 96 જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3