Book Title: Mahendra Jain Panchang 1968 1969 1970
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 83
________________ તા. ૨૩ મી ડીસેમ્બરથી બુધની દિનદશા શરૂ થશે તેમાં કાંઈનાણાની છૂટ થવાથી વજનના સુખ અગવડતા માટે ઠીક ઠીક દ્રવ્ય ખર્ચાશે અને મનને કાંઈ શાંતી રહે. અને પહેલાનું કલુધીત વાતાવરણ સ્વચ્છ થતું લાગે. . ૧૬મી ફેબ્રુઆરીથી શનિની દિનદશા શરૂ થશે તેમાં કુટુંબમાં માંદગી આવે તેમ પિતાના વ્યવસાયમાં ચાલુ સમય સારો દેખાવા છતાં ભાવી વિપત્તીની ભ્રમણા થયા કરવાની. તમારે કેટલાક નિષ્ણુ અનિચ્છાએ લેવા પડયા છે તેવું લાગશે. તા. ૨૪ મી માર્ચથી ગુરૂની દિનદશા શરૂ થશે તેમાં તમારાજ સમાજમાં તમને તમારું વર્ચસ્વ ઘટતું જતું હોય તેમ લાગશે. તમે આપેલ શિખામણ અને સૂચનની ઊલટી અસર થવાની. અને તમારાથી ઉતરતી પક્તિની વ્યક્તીએ તમને ઠપકો આપવા જેવી હીમત કરશે. - તા. ૨૦મી મેથી રાની દિનદશા શરૂ થશે તેમાં મુસાફરી દરમ્યાન ખાસ સંભાળવું, કાંઈ ઓચીંતુ નુકસાન થવાને ભય છે. તમારા પ્રોગ્રામમાં પણ તમારે ફેરફાર કરવો પડે અને ખર્ચ વધુ થાય. માત્ર નાણાભીડ કંઇક ઓછી થશે. - તા. ૫ જુલાઈથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં પણ આવક વધે તેવી કઈ સારી તક મળે પણ તેને બહુ થોડા જણ લાભ લઈ શકશે. બીજા આળસ અને બેદરકારીમાં રહી જવાના. પણ હવે સારા ભાવિ પરના સ્વપ્ન આવે અને દિનપ્રતિદિન કંઈ શુભ સમાચાર સાંભળવા મળે. તા. ૧૬ મી સપ્ટેમ્બરથી સૂર્યની દિનદશા શરૂ થરો તેમાં થોડી કુટુખીક ઉપાધી વેઠવી પડે. તેમ ધધોરાજગાર પણ જરા કથળતો લાગે અને કામને બેજો વધે. ' તા. ૬ ઠ્ઠી ઓકટોબરથી ચંદ્રની દિનદશા ચાલુ થશે તેમાં પ્રતિકુળ સંજોગોમાં પણ પોતાની કુનેહથી વર્ચસ્વ વધે અને પ્રગતિ માટેની નવી દિશા તરફ વળવાનું મન થાય, આમ એકંદર આ રાશિવાળા જેમણે મુશ્કેલીઓ જોઈ છે પરંતુ પિતાની ભૂલને ધેિ જ નુકશાન નથી કર્યું, તેમને હવે નવું ૨૦૨૬નું વર્ષ સારું અને ઉન્નતિકારક આવશે. - તુલા રાશિ-તુલા રાશિવાળા (ર, ત અક્ષરથી શરૂ થતા નામવાળા) માટે બ સાલમાં સારાએ વર્ષ દરમ્યાન ગુરૂ તમારી જન્મ રાશિથી ૧રમાં. વ્યય સ્થાનમાં ભ્રમણ કરવાનું છે તે તમને ખર્ચ વધુ કરાવશે અને કંઇક ૮૧ વ્યક્તીઓને માટે નાણાભીડ પણ ઊભી થવાની એટલે વધેલા ખર્ચને કેમ, પહોંચી વળવું તેની ચિંતા થવાની. બાકી શનિ અને રાહુ વર્ષની શરૂઆતમાં તે તમારી જન્મ રાશિથી ૬ઠે જમણું કરવાના એટલે તમારા હરીફ અને મિત્રો બન્નેમાં તમારું વર્ચસ્વ રહે. તબીયત પણ ઘણુંખરૂ સારાએ વર્ષ : દરમ્યાન ઠીક રહેશે એટલે તે બાબતની ચિંતા ઓછી થશે. પરંતુ માર્યાની શરૂઆતમાં શનિદેવ ૭મે આવી જશે. તે ભાગીદારે સામે જરા મતભેદ કરાવે. પતિપત્નીને પણ હવે પહેલાં જેવો સુમેળ નહિ રહે. કંઈક કાર્યો અને બાબતમાં મતભેદ થવાના, ભલે મતભેદ નહિ થવાથી સંસાર તે સુખપૂર્વક ચાલશે. બાકી હવે માર્ચ પછી જેમના વિવાહની વાત ચાલતી હશે તેમને ખોટા અંતરાય આવે અને વાત વિલંબમાં પડે વળી ઓગષ્ટમાં રાહુ પાંચમે આવી જવાને તે દરેકને થડે માનસીક પરિતાપ વધારે ખાસ કરીને તે નાણાની બાબતમાં આવું બનવાનું.. - આ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષની શરૂઆતને સમય ઘણો સારે ગણાય તેમને આનંદપૂર્વકનું પર્યટન વા મુસાફરી થાય, અનુભવજન્ય જ્ઞાન સારૂં મળે અને નિયમીત અભ્યાસ પણ સારો થાય. પરંતુ વર્ષના મધ્ય ભાગમાં મિત્રોની ફેરફારી થવાની. કંઈક જુના મિત્રો તમને ત્યજી દે અને નવા મિત્રોને સમુદાય વધે. વર્ષના અંતભાગમાં તમને અભ્યાસમાં ડી. મુશ્કેલીઓ નડશે. બાહ્ય અવરોધને લીધે તમે બરાબર અભ્યાસ નહિ કરી શકે. અને વર્ષની શરૂઆતમાં જેવું પરિક્ષાનું પરિણામ આવે તેવું વર્ષના અંતમાં આવેલ પરિક્ષામાં નહિ બને માત્ર સ્વાથ્ય સારું રહેશે. વર્ષની શરૂઆતમાં તા. ૬ ઠ્ઠી નવેમ્બર સુધી સૂર્યની દિનદશા આવશે તેમાં વધતા ખર્ચાને કેમ પહોંચી વળવું અને આવક કેવી રીતે વધારવી તેની વિચારણામાં સમય વધુ વ્યતિત થાય, બાકી કોઈ જનાને અમલ નહિ થાય. તા. ૬ ઠ્ઠી નવેમ્બરથી ચંદ્રની દિનદશા ચાલુ થશે તેમાં સમાજમાં તમારું વર્ચસ્વ વધે પરંતુ પોતાનું ગૌરવ કેમ ટકી રહે તેની મનમાં ચિંતા થવાની. ધંધામાં કાંઈ નવું સાહસ ખેડી પ્રગતિ કરવાની ઇચ્છા થાય પણ તેમાં પૈસાનો પ્રશ્ન આડે આવે. તા. ૨૫ મી ડીસેમ્બરથી મંગળની દિનદશા શરૂ થશે તેમાં દિનપ્રતિ

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98