Book Title: Mahendra Jain Panchang 1968 1969 1970
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 88
________________ ૮૬ તા. ૨૭ મી ઓગષ્ટથી ગુરૂની દિનદશા શરૂ થશે તેમાં ભાગીદારો અને સ્નેહીજને સામે મિયા મતભેદ થાય કંઇક પેઢીઓના વિસજન થવાને પણ ભય છે. માટે કુનેહથી કામ લેવું. તા. ૨૬ મી ઓકટોબરથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં કાંઈક વ્યક્તિએને પોતાને રાહ બદલવો પડશે. સ્થાન ફેરફારી અને મુસાફરી પણ કરવી પડે આ બધું અનિચ્છાએ જ થવાનું. ફેરફારીમાં કાંઈ કસ નહિ દેખાય. તેમ છતાં જે ખામોશી રાખશે તેમને નવી ૨૦૨૬ની સાલમાં સારો બદલે મળશે અને ભાગ્યની નવી દીશા ઉઘડો, ( મીન રાશિવાળા એટલે દ. ચ, ઝ, થ. અક્ષરથી શરૂ થતા નામવાળા માટે આ સાલમાં શનિની સાડાસાતી પતિ ચાલુ રહેવાની છે. તેમ જુલાઈ સુધી તો રાહુ પણ તમારી જન્મ રાશિ ઉપર જ ભ્રમણ કરવાનો છે. માત્ર ગુરૂ છે મેં ભ્રમણ કરશે તેથી શનિ રાહુ જ્યારે તમને તકલીફ આપશે અને મુશ્કેલીઓ ઉભી કરશે જ્યારે ગુરૂ તમને મુશ્કેલીઓને પાર કરવા કોઈ સારી મદદગાર થતીનો સંપક કરાવી દેશે. આ રાશિના વ્યાપારી વર્ગને તેમના ભાગીદાર સાથે સુમેળ રહેવાને અને તેમનાથી સારો લાભ થશે. માત્ર પોતે સ્વતંત્ર ખેડેલ સાહસમાંજ નુકશાન થવાને ક્ય છે, વળી કુટુંબીક ઉપાધી પણ પોતાની પ્રગતિમાં અંતરાય રૂપ થઈ પડે. નેકરીઆત વર્ગને ઉપરી અધિકારી સાથે સાથે મેળ રહે પરંતુ પિતાની ભૂલને લીધે થોડું સહન કરવું પડે. આ રાશિની સ્ત્રીઓને પતિ સુખ સારૂં મળે પરંતુ પોતાની તેમજ ઘરમાં કોઈ વડીલની તબીયત બગડે અને તેને લીધે જરા માનસિક પરિતાપ રહે. આ રાશિના કુંવારા છોકરા છોકરીઓ જેમના વિવાહ સંબંધી વાતચીત ચાલતી હશે તેમને થોડો કુદરતી અંતરાય આવી જરા વિલંબ થવા છતાં લગ્ન થવાને એમ છે. તેમ પછી પતિ પત્નીનું સુખ સારૂં મળશે. આ રાત્રિના વિદ્યાથીઓ માટે વર્ષ એકંદર ઠીક પસાર થશે જે કે ફેબ્રુઆરીથી તે જુલાઈ સુધી મંગળ નવમે ભ્રમણ કરે છે તે તમને તમારા પ્રયત્નમાં પુરતો યશ નહિ અપાવે, પરંતુ ગુરૂ તમને યાત્રા મુસાફરી તીર્થાટન વિગેરેને આનંદ કરાવશે. તમને મેટા અને નામાંકીત પુરૂષાના મેળાવ દ્વારા સારૂં જાણવાનું મળે, ઓળખાણ અને સંબંધો વધે. તેમ વર્ષની આખરમાં આવતી પરીક્ષાનું પરિણામ ઘણું સારું આવે, પરદેશ જવા ઇછતી વ્યક્તીએને થડે વિલંબ થવા છતાં તેમનું કાર્ય સફળ થશે. વર્ષની શરૂઆતમાં તા. ૨૩ મી નવેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલ વાની છે તેમાં કઈક વ્યક્તીઓની તબીયત બગડશે તે કંઈકે વ્યક્ત એને રાજદ્વારી ઉપાધી આવવાને ભય છે, - તા. ૨૩ મી નવેમ્બરથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં શરૂમાં ઓચીંતી માંદગીનો ભય ખરો. બાકી પછી આનંદ. પૂર્વકની મુસાફરી વા તીર્થયાત્રા થાય, નેકરીઆત વર્ગને સારો પગાર વધારે મળે વા સમામાં વધારો થાય. તા. ૩ જી જાન્યુઆરીથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં નાણુની સારી સ્ટ રહેવાની અને કાંઈ માંગલિક વા શુભ પ્રસંગોમાં આનંદપૂર્વક ભાગ લેવાય. જો કે હજી કંઈક વ્યક્તીઓને શારીરીક અશક્તીની ફરીયાદ તો ચાલુ રહેશે, ખર્ચનું પ્રમાણ પણ વધવાનું જો કે સાથે આવક વધેલી હશે એટલે હરકત નહિ આવે. તા. ૧૪ મી માર્ચથી સૂર્યની દિનદશા શરૂ થશે. તેમાં માનસીક પ્રફુલ્લતા અને આત્મવિશ્વાસ વધવા છતાં તમારા વ્યવસાયમાં કાંઈ કુદરતી વિક્ષેપ આવી પડે અને સફળતામાં વિલંબ થાય. તા. ૪ એપ્રીલથી ચંદ્રની દિનદશા શરૂ થશે તેમાં નાણાની આપ લે કરતાં ખાસ સંભાળવું, કઈ છેતરી જાય વા અન્ય રીતે થેડું આથક નુકશાન થવાને ભય છે. તા. ૨૪મી મેથી મંગળની દિનદશાને પ્રારંભ થશે તેમાં મુસાફરી ઘણાને થવાની પરંતુ કેટલાકને મુસાફરી દરમ્યાન એચી તુ નુકશાન કે નજી અકસ્માત થવાનો ભય છે. માટે સંભાળવું, જો કે મોટા માણસને મેળાપ પણ થવાને. તા. ૨૩ મી જુનથી બુધની દિનદશા શરૂ થશે તેમાં સ્થાવર મિલકતમાં, થોડું વધુ પડતું ખર્ચ થાય વા કુટુંબીજનેના સુખસગવડતા વધારવામાં ખર્ચ થાય. તા. ૨૧ મી ઓગષ્ટથી શનિની દિનશા શરૂ થશે તેમાં કોઈની સામે જરા ખટરાગ થાય. જો કે તેમાં પોતાને યશ મળે પણ થોડી હાડમારી’ વેઠવી પડે, માત્ર રાજદ્વારના કામકાજને લંબાવવા સલાહ ખરી. તા. ૨૭મી સપ્ટેમ્બરથી ગુરુની દિનદશા શરૂ થશે તેમાં પોતાના કાર્યમાં સારો યશ મળે અને ધંધાકીય ક્ષેત્રે વા પિતાના આમ ક્ષેત્રમાં સારી પ્રગતિ થાય, આમ આ રાશિવાળાને વર્ષની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ નડવા છતાં વર્ષને અંતભાગ સારો પ્રતિસચક પસાર થશે. શ્રી રસ્તુ.

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98