Book Title: Mahavira His Life And Teachings
Author(s): Saraswati Raghavachari
Publisher: Jain Sastu Sahitya

Previous | Next

Page 9
________________ માતુશ્રીનું નામ ભૂરી ન હતું તેમને ત્યાં સુપુત્રી બન્ડન કમળાને જન્મ સંવત ૧૯૬૧ ના માગશર સુદ ૧૫નો થયો માતા પિતાને કમળા બહેન જ સંતાનમાં હોવાથી તેઓએ તેમને ઘણું લાડથી ઉછેર્યા; અને તેમને સંબંધ શેઠ ડાહ્યાભાઈ ગેકળદાસના પુત્ર રમણુકભાઈ સાથે બાંધ્યો. તેમને ત્રણ પુત્રો, અને ત્રણ પુત્રીઓ છે. તેઓના નામ અનુક્રમે શ્રીમતી, રમેશ્ચંદ્ર, પ્રીયકાન્ત, પ્રમિલા, પીયુષકુમાર, અને પૂર્ણિમા. બહેન કમળાને સ્વભાવ ઘણું જ માયાળુ અને મિલનસાર હતો. તેઓ નિખાલસ, શાંત અને સાદા હતા. તેમને બાલ્યાવસ્થાથીજ ધર્મના પ્રબળ સંસ્કારો હતા. તેમને જીવ દયા તરફ અત્યંત પ્રેમ અને તીવ્ર લાગણી હતી. કોઈપણ મનુષ્યનું દુઃખ સાંભળી તેમનું હદય આર્ક થઈ જતું. ધર્મનું રટન કરતાં અને પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં સંવત ૨૦૦૦ના અષાઢ સુદ ૯ ને શુક્રવારે બપોરે ૨-૧૦ મિનિટે તેઓએ ભૌતિક દેહનો ત્યાગ કર્યો. આવા ધાર્મિક વૃત્તિવાળા અને જીવ દયા ચુસ્ત સ્ત્રીના સ્વર્ગવાસથી સગાસંબંધી તથા મિત્રાએ એક સદ્ગણ સ્ત્રીને ગુમાવી છે. પરતુ જન્મેલા કેઈ પણ પ્રાણીને મૃત્યુ શરણ થવાનું છે એમ સમજી એમના સદ્ગણેનું અનુકરણ કરી ધર્મનું આરાધન કરી જન્મનું સાર્થક કરવું એજ સારભૂત છે. તેઓએ સમેતશીખર, જેસલમેર, પાલીતાણા, કેસરીઆઇ, માકુભાઈનો સંધ, ગીરનાર, આબુ, પંચતીર્થી, વિગેરે તમામ જૈન તીર્થોની યાત્રા કરી છે. તેમજ આયંબીલની ઓળી, નવાણુ, અક્ષયનીધિ તપ આદિ અનેક તપ કરેલાં

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50