Book Title: Ketlak Sansmarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૧૪૨] દર્શન અને ચિંતન રક વૃતિનું જ હતું. તેઓ ઘણીવાર કહેતા કે માત્ર વેશધારીને સાધુ માની પૂજવા અને નિભાવ્યે જવા એ વિચારનું અપમાન છે. ક્રાંતિકારી વિચારને કારણે પં. દરબારીલાલજીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે મુક્ત કર્યો તે પણ મેહનભાઈ ઠેઠ સુધી દરબારીલાલજીને ખૂબ સત્કારતા અને તેમના કાર્યમાં યથાશક્તિ મદદ પણ આપતા. વિનેદપ્રિયતા અને મિલનસારપણું મેહનભાઈને જેમ મિત્રો અને પરિચિતને વિનદ કરે ગમત તેમ તેમને બીજે કઈ ગમે તે રીતે વિનેદ કરે તે પણ એમને ગમતું. વિનોદ કરવા કે સાંભળવામાં તેમની પ્રકૃતિનું મુખ્ય તત્વ ખડખડ હાસ્ય હતું. એમને સ્વર જેટલે ઊંચે તેટલું જ તેમનું હાસ્ય મુક્ત. વિનોદી અને આનંદી સ્વભાવને એક દાખલે અત્રે બસ થશે. બેલગામના પ્રવાસ વખતે મેહનભાઈએ એક સ્થળે પિતાના પ્રિય મિત્ર શેઠ હરગોવિંદદાસ સાથે દેડવાની શરત ભારી કે કેણ આગળ જાય છે. એ કાઠિયાવાડી ફેંટે, પ્રૌઢ ઉંમર અને સભળભભળ ધોતિયું છતાં હિંમતથી તેઓ દેવ્યા અને આગળ જવાના ઉત્સાહમાં ખ્યાલ ન રહેવાથી પડી પણ ગયા. કાંઈક વાગ્યું છતાં એટલી જ તાજગીથી પાછા પોતાના પક્ષને બચાવ કરવા લાગ્યા. એમના સ્વભાવને એક ખાસ ગુણ મિલનસારપણું હતો. ગમે તેની સાથે એકરસ થઈ જતાં તેમને વાર ન લાગે. વિચારે કે ચર્ચામાં ઘણે પ્રસંગે બીજાથી જુદા પડે ત્યારે ઊંચે અવાજે પિતાને વિરોધ પ્રગટ કરે. પણ પાછા વિરોધી સાથે મળી જવામાં તેમને કોઈ તત્વ રેકે નહિ. એટલી નિખાલસતા તેમનામાં જોવામાં આવતી. અમે ઘણીવાર કહીએ કે, “મોહનભાઈ ! તમે બહુ મોટા પથાં પ્રગટ કરે છે અને ખૂબ લાંબું લખે છે.” ત્યારે તદન નિખાલસ ભાવે પણ ખડખડાટ હસીને નિશાળના માસ્તરની પેઠે ચાવીને બોલતા હોય તેમ સામાને ‘ઉડાવતાં તેઓ કહે કે “તમારા જેવા કાંઈ અમે મૌલિક લેખક નથી” ઈત્યાદિ. - મોહનભાઈને જમવું-જમાડવું ખૂબ ગમતું. તેઓ કહે કે “હું મિત્રો જેટલો સફળ સમારંભ કરી શકતો નથી, પણ મને લોભ નથી,’ એ વાત સાચી હતી. તેમની પાચનક્રિયા એટલી બધી સારી હતી કે ગમે તેવું ગરિષ્ટ ભજન તેમને પચી જતું. જમ્યા પછી પણ કાંઈક સારું આવે તો ના ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9