Book Title: Karuna ane Pragnamurtinu Mahaprasthan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ કરૂણા અને પ્રજ્ઞામૂર્તિનું મહાપ્રસ્થાન [૧] બાપુજીના આખા જીવનની નાનીમોટી સમગ્ર પ્રવૃત્તિઓનાં પ્રેરક એ જ તો હતાં, એમ વિચાર કરનારને જણાયા સિવાય નહિ રહે. એ એમનું પ્રથમ તત્વ કરુણા અને બીજું પ્રજ્ઞા. પ્રાણીમાત્રમાં અને ખાસ કરી મનુષ્પવર્ગમાં ઓછેવત્તે અંશે કરુણું હોય જ છે અને ગણ્યાગાંઠયા માણસોમાં પ્રજ્ઞા પણ હોય છે. પરંતુ બાપુજીની કરુણું અને તેમની પ્રજ્ઞા વિશ્વની વર્તમાન વિભૂતિઓ તેમ જ ભૂતકાળની વિભૂતિઓ કરતાં પણ સાવ નોખી તરી આવે છે. સાધારણ માણસે પિતાના સ્વલ્પ પણ દુઃખને પચાવી નથી શકતા તેથી તેઓ પિતાનું દુઃખ સમજવા અને તેને નિવારવા બનતું બધું જ કરી છૂટે છે, જયારે તેઓ બીજાના દુઃખને પચાવી શકે છે. એટલે બીજાઓ દુઃખી છે એમ જોવા છતાં તે દુઃખ નિવારવા તેમની બુદ્ધિ જાગરિત થતી નથી. કેટલાક અસાધારણ કટિમાં આવે એવા સંતે બીજાના દુઃખને, પિતાના દુઃખની જ જેમ, પચાવી નથી શકતા, તેથી તેઓ પિતાનું દુઃખ નિવારવા માટે પ્રયત્ન કરે તેવી રીતે બીજાનું દુઃખ નિવારવા માટે પણું પ્રયત્ન કરે છે. પરંતુ એમ તો એ પ્રયત્ન અને એ તાલાવેલી મર્યાદિત હોય છે. કેમ કે એ પ્રયત્ન અને એ તાલાવેલી પિતાના જીવનને ભેગે અગર પિતાના જીવનને હેડમાં મૂકીને નથી લેવાતાં, જ્યારે બાપુજીનું માનસિક બંધારણું સાવ જુદા પ્રકારનું હતું. તેઓ બીજ હરકેઈન દુઃખને પિતાના અંગત દુઃખની જેમ જ પચાવી શકતા નહિ. તેથી તેઓ હરકોઈ દુઃખીનું દુઃખ જતાં તેનું કારણ શોધતા, તેને નિવારવાના ઇલાજે શોધતા અને તે ઇલાજેને અમલી રૂપ આપવા તથા અપાવવા એટલો બધે ઉગ્ર પ્રયત્ન અને ઉગ્ર તાલાવેલી સેવતા કે એને લીધે તેમનું સમગ્ર જીવન અનેક વાર હેડમાં મુકાતું હોય એમ લાગતું. બીજી એક રીતે વિચારીએ તે પણ બાપુજીની કરુણ બીજા કોઈની કરણ કરતાં જુદી કોટિની હતી એમ લાગે છે. ધણ જણ એવા છે કે જેઓ બીજાનું શારીરિક-આધિભૌતિક દુઃખ જોઈ તેને સહી નહિ શકે અને તે દુઃખને નિવારવા બનતું બધું કરી પણ છૂટે. વળી બીજા કેટલાક એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4