Book Title: Kamalsen
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 1
________________ 154 બોધ કથાઓ 3. મલસેન એકવાર શ્રીપત શેઠ અને તેમના પત્ની સુંદરી આચાર્ય શ્રી શીલંધરસૂરિને વંદન કરવા ગયા. આચાર્યએ તે બંનેને કહ્યું, “તમે નમસ્કાર મહામંત્ર ગણવાનું, નવકારશી કરવાનું (સુર્યોદયથી ૪૮ મિનિટ પછી જ ખાવું તથા દરરોજ સામાયિક કરવાનો (૪૮ મિનિટનું ધ્યાન) નિયમ કરો,” તેઓએ તેમ કર્યું પણ તેમનો દીકરો કમલસેન આમાનું કંઈ કરતો નહિ. ,, કમલસેનના માતા-પિતા દીકરાની ભક્તિ અને આધ્યાત્મિકતાની શ્રદ્ધા ન હોવાને કારણે દુ:ખી હતા. તેમણે આચાર્યને પોતાના દીકરાને શિખામણ આપવા કહ્યું. જેથી તે આ જન્મમાં તો સુખી થાય પણ પછીનો જન્મ પણ સારો જાય. સાધુએ તેમ કરવાની તૈયારી બતાવી. ઘેર ગયા પછી વેપારીએ પોતાના દીકરાને કહ્યું, “મારા ડાહ્યા દીકરા, સાંભળ, આપણા શહેરમાં બહુ મહાન ગુરુ આવ્યા છે એ ખૂબ જ વિદ્વાન છે અને તેમના પ્રવચનો સાંભળવા જેવા છે.” બીજા દિવસે તેઓ દીકરાને સાથે લઈને ગુરુનું પ્રવચન સાંભળવા ગયા. આચાર્યને વંદન કર્યા પછી તેઓ તેમને સાંભળવા બેસી ગયા. આચાર્યએ સ્વર્ગ, નરક, દયા, દુઃખ તથા કેવળજ્ઞાન વિશે ખજાનો ભરેલો ઘડો સંતાડતા કુંભારને જોઈ નિહાળતા મલસેન જૈન થા સંગ્રહ

Loading...

Page Navigation
1 2