Book Title: Kailaspadma Swadhyayasagara Part 1
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 128
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રતિમાજીની સાથે જ પવિત્ર બનેલી પોતાની વિશાલ ભૂમિ પણ સમર્પિત કરીને પોતાની ઈકોતેર પેઢીને તારવાનું પુણ્ય ઉપાર્જન કર્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir સોધકોને પછી તીર્થનાં મોટા અભ્યુદયનાં સંકેત મળતા રહ્યાં. પેથાપુર, ઇંદ્રોડા વિગેરે આજુ-બાજુના અનેક ગામો માટે બોરીજ એક તીર્થભૂમિ બની રહ્યું. પરમાત્મા મહાવીરદેવના કલ્યાણકો અને અન્ય પર્વ દિવસોમાં દર્શન-પૂજન માટે અહીં માવન મહેરામણ ઉભરાતું હતું. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો પણ અહીં ખાસ દર્શનાર્થે પધારતા હતાં. બોરીજતીર્થ બન્યું વિશ્વમૈત્રીધામ :- કાલચક્ર ફરતું રહ્યું, પેથાપુર વિગેરે ગામોમાંથી સ્થળાંતર કરી વસ્તી ખાલી થઈ રહી હતી. ઠીક આનાંથી ઉલ્ટું તે જ દિવસોમાં આચાર્યજનક રીતે ગુજરાત રાજ્યની નવી રાજધાનીના નિર્માણ માટે બોરીજ અને તેની આજુ-બાજુની ભૂમિ પસંદ કરવામાં આવી, જે આજે દુનિયા સમક્ષ તિનગરી ગાંધીનગર તરીકે વિખ્યા થઈ સિદ્ધસાધકની કાળજયી વાણીને અક્ષરશઃ સત્ય ઉઘોષિત કરી રહેલ છે. અનેક તીર્થોની હયાતી, સાધકો અને નરશ્રેષ્ઠોના સુકૃતોથી ગૌરવવંતી બનેલ ગરવી ગૂર્જરધરાની નૂતન રાજધાનીની રિસીમામાં શામેલ થઈ જતાં શ્રી બોરીજતીર્થને જૈનત્વનાં ગૌરવને અનુરૂપ વિકસિત કરવા માટે વિ.સં.૨૦૪૬ ઇ.સ.૧૯૯૦ માં પેથાપુર શ્રીસંઘે આ તીર્થ પૂજ્ય આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - કોબાને સમર્પિત કર્યું. ૧૧૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136