Book Title: Jayavantsuri krut Simandhar Swami Lekh Author(s): Jayant Kothari Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 3
________________ માનસ-સરોવર હંસ જિમ, ભમરા જિમ કમલાઈ, મેહસંભારઈ મોર જિમ, તિમ તુહમ ગુણ સમરાંઈ. ૨૨૨૬ ગજવર સમરઈ વિંઝ જિમ, કાંઇલિ સમરઈ અંબ, તિમ સમરું હું તું હનઈ, સમરઈ ભમર કદંબ. ૨૨૨૭ (શૃંગારમંજરી) દઢ એકનિષ્ઠ સ્મરણપ્રીતિ દર્શાવવા માટેનાં આ બધાં પરંપરાપ્રાપ્ત ઉપમાનો છે. એનો ઉપયોગ કરવામાં મધ્યકાળના કવિઓને મૌલિકતાના કોઈ ખ્યાલ આડે આવતા નહતા. જયવંતસૂરિએ એક જ કૃતિમાં બન્ને પાત્રોમાં એ ઉપમાનોની પુનરુકિત ન થવા દેવાનું પાણ ઈચ્છર્યું નથી. પછી બે ભિન્ન કૃતિઓમાં એ પુનરાવર્તિત થાય એમાં શી નવાઈ ? પણ બધાં ઉપમાનો પુનરાવર્તિત થતાં નથી અને દરેક સ્થાને કંઈક જુદાપણું વરતાય છે, એ ખ્યાલમાં રાખવું જોઈએ જે જાઈ ઘડિ ઘડિ તે વિના, તે વરસ સરીખી થાઈ. ૩.૧ | (સીમંધરસ્વામીલેખ) વાહાલેસર, એક તુજ વિના, ક્ષણ વરસા સુ થાઈ. ૨૧૮ ૩.૧ (શૃંગારમંજરી) નવિ વીસરઈ ગુણ તોરડા, જઉ લાખ જો આગ દૂરિ, પંજરડૂ સૂનું ભમઈ, તુઝ પાસઈ રે મન રસપૂરિ. ૧૩ (સીમંધરસ્વામીલેખ) મ જગસિ તું વિસરિઉ, ગયા વિદેસિ અપાર, મુજ જીવિત તુજ પાસિ છઈ, સૂનું અહિં ઢંઢાર. ૨૨૦૮ (શૃંગારમંજરી) કિહાં સૂરિજ કિહાં કમલિની રે, કિહાં મહા કિહાં મોર, દૂરિ ગયા કિમ વીસરઈરે, ઉત્તમ નેહસ જોઈ. ૨૭ (સીમંધરસ્વામીલેખ) કિહાં સૂરજ કિહાં કમલવન, કિહાં કુમુદાલી ચંદ, વાહલા વસઈ વિદેસડઈ, સમરિયાં દેઈ આનંદ. ૨૨૧૨. (શૃંગારમંજરી) શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9