Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 4
________________ શ્રી પાર્શ્વનાથાય નમ: *** **** ** પ્રસ્તાવના જગત સામે દ્રષ્ટિ નાખીશું તે સારૂં જગત ચેતન અને જડ બે પદાર્થોથી ભરેલું છે. આ જગતને સમન્વય દ્રષ્ટિએ નિહાળશે તે જગતના બધા પદાર્થો જડ અને ચેતન સતમાં સમાઈ જશે અને પૃથક્કરણ વિભાગ દ્રષ્ટિથી જોવા માંડશું તે તેના પાર વિનાના ભેદ સર્જાશે. ચેતનમાં એકૅન્દ્રિય, બેઈયિ, તેદિય, ચૌરક્રિય, પંચેન્દ્રિય અને તેના પિટાં ભેદ પૃથ્વી—અ—તેઉ– વાઉ વિગેરે અનેક સર્જાશે, અને પ્રત્યેક વ્યક્તિમાં અને તેના અણુ અણુમાં પણ કાંઈને કાંઈ પૃથગૃભાવ ઉભો થઈ અનંતાનંત ભેદો ઉભા થશે. આમ દ્રષ્ટિ સમન્વય સાધે છે, તેમ પૃથભાવ પણ સાધે છે. જેમ દ્રષ્ટિ ચેતન અને જડ પદાર્થોને નિહાળવામાં ભેદ અને સમન્વય સજે છે, તેમ દ્રષ્ટિ લાગણી અધ્યવસાય અને ભાવનામાં પણ સમન્વય અને ભેદ સજે છે. સુખ-દુ:ખ, ઉચ્ચ-નીચ, સારું-ખોટું એ બધામાં આ દ્રષ્ટિ કામ કરે છે. • ઇતર દશકામાં કોઈ સામાન્યને મુખ્ય ગણી આગળ ચાલ્યા તો કોઈ વિશેષ ભેદને મુખ્ય ગણું આગળ ચાલ્યા. જ્યારે જૈન શાસને બને દ્રષ્ટિને તે તે સ્થાનમાં ઉપયોગ કર્યો છે. આ ચેતન-જીવની વ્યાખ્યા કરતાં જગતભરના નિગોદથી માંડી સંગ્નિ પંચેન્દ્રિય સુધીના તમામ જી જવના લક્ષણમાં સમાવ્યા છે, અને પૃથફભાવની દ્રષ્ટિએ વિચાર કરતાં પ્રદેશ અને પરમાણુ સુધી પૃથફભાવ બતાવ્યો છે. • ' સંગ્નિ પંચેન્દ્રિયથી નિગોદ સુધીના અનંતાનંત જીવો જીવના લક્ષણથી સમાન હોવા છતાં કર્મીવરણને લઈ જીવનવિકાસની પ્રગતિ અને રાધના કારણે તેમના અનેક પગથાર ગતિ-જાતિની દ્રષ્ટિએ અને વિકાસની દ્રષ્ટિએ પડે છે. અલ્પવિકસિત તે નિગોદ, વધુ વિકસિત તે સંગ્નિ પંચેન્દ્રિય અને સર્વ આવારક કર્મ વિમુક્ત જીવ મુક્તિને પામે છે. આમ સતત કાળપ્રવાહ ચાલતો આવ્યો હોવા છતાં અને અનેક અનંત છો આવારક કર્મવિમુક્ત થયા હોવા છતાં સંસારમાં અનંતાનંત છાનું અસ્તિત્વ કદાપિ મિટવાનું નથી. આમ જીવો સંસારમાં અધ્યવસાયના બળે પ્રગતિ અને રાધ પામે છે અને તેના બળે ઉંચી-નીચી ગતિ-જાતિમાં બમણ કરે છે. આમ છ અનાદિના છે અને તેમને સંસાર પણ દુ:ખમય અનાદિને છે. આથી પંચ સૂત્રકારે કહ્યું છે કે “સંસાર અનાદિને છે તે સાચું પણ તે સંસાર સૌ કોઈ જીવો માટે અનંત નથી. માટી અને તેનું પરસ્પર અનાદિ કાળનાં મળેલાં હોય છે, પણ પ્રયત્નથી માટી સોનું પૃથફ થઈ શુદ્ધ સોનારૂપે પ્રકાશિત થાય છે, તેમ આ છો અને તેને સંસાર અનાદિને હોવા છતાં વિકાસના બળે કેટલાક છે પ્રગતિશીલ બને છે. પૂર્ણ વિકાસ સાધે છે અને અનાદિ સંસારને દૂર કરે છે. , જીવનમાં પૂર્ણ વિકાસ એ સર્વોચ્ચ ધ્યેય છે. આની પ્રાપ્તિ માટેના જે કઈ માગે તે આરાધના. એના રોધક જે કાઈ માર્ગ તે વિરાધના. આરાધના ઉત્તરોત્તર પ્રગતિને માર્ગે લઈ જાય છે. વિરાધના | આશ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 514