Book Title: Jain kavi Kamalshekharmuni krut Shri Dharmmurtisuri Fagu
Author(s): Bhogilal J Sandesara
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ 28 કમલ શેખર કૃત ધમ સ્મૃતિ સૂરિફાગ (વિક્રમના સત્તરમા શતકના પૂર્વાર્ધ) ડૉ. ભાગીલાલ જ. સાંડેસરા - મૂળ કૃતિના પરિચય : આ કાવ્યની એક પત્રની હસ્તલિખિત પ્રતિ વડેદરાના જૈન જ્ઞાનમદિરમાંના પ્રવક શ્રી કાંતિવિજયજી મહારાજના શાસ્ત્રસંગ્રહના ગુજરાતી વિભાગમાંથી (ન. ૩૭૧૭) મળી છે. પ્રતિ શુદ્ધ ગણી શકાય એવી નથી અને લિપિ ઉપરથી વિક્રમના ૧૮મા સૈકામાં લખાયેલ જણાય છે. આ કાવ્યના કર્તા કમલશેખર અચલગચ્છના જૈન સાધુ હતા, એમ તેમની અન્ય કૃતિએ ઉપરથી જણાય છે. તેમણે સં. ૧૬૦૯ માં ખંભાતમાં ‘ નવતત્ત્વ ચાપાઈ' અને સ. ૧૬૨૬ માં વીરમગામ પાસેના માંડલમાં ‘પ્રદ્યુમ્નકુમાર ચેપાઈ ’( જુએ. ‘ જૈન ગુર્જર કવિએ ’ ભાગ ૩, પૃ. ૬૫૨-૬૫૯) રચેલી છે. પ્રસ્તુત ફાગ તેમણે અચલગચ્છના આચાય ધર્મ મૂર્તિ સૂરિની પ્રશસ્તિરૂપે રચ્યા છે. તેમાં રચના વર્ષોં જે કે નથી, પણ ર્કાની ઉપયુક્ત એ ગુજરાતી કૃતિએના રચના વર્ષોં જોતાં આ કાવ્ય પણ વિક્રમના ૧૭ મા શતકના પૂર્વાર્ધમાં રચાયુ હશે, એમાં શંકા નથી. ૨૩ કડીની આ કૃતિને છ'દોબધ અઢે અને ફાગ (દુહા)માં બંધાયેલા છે. ત્રંબા વતી (ખ‘ભાત)માં સૂરિના જન્મ, એમનાં માત-પિતાને વૃતાંત, અમદાવાદમાં દીક્ષા મહે ત્સવ, સૂરિપદ તથા ધર્મ પ્રવણુતાનું કવિ વર્ણન કરે છે. જુદા જુદા આચાર્યા વિષેના કેટલાક પ્રાચીનતર ફાગુઓમાં આવે છે, એવુ' વસંતનુ, કામવિજયનુ` કે શૃગારના ઉદ્દીપન વિભાવને અવકાશ આપે, એવુ વર્ણન આ કાવ્યમાં નથી. એને છ ંદોમ ધ ફાગના છે અને પુષ્ટિકામાં પણ તેને ‘ફાગ’નામ આપેલુ છે. Jain Education International ( શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3