Book Title: Jain_Satyaprakash 1950 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ અનુસંધાન ટાઈટલ પેજ બીજાનું ચલુિ ] ૧—અમારી પટઉ, (૨) સાધર્મિકવાત્સલ્ય (૩) ક્ષમાપના (૪) અઠ્ઠમતપ, અને (૫). ચૈત્યપરિપાટી. આ પાંચે કત્તા દ્વારા આ મંગલમય મહાપર્વ વિશ્વશાંતિનો સંદેશ પાઠવે છે.
અમારીપટહ—માપણામાં “વસુધૈવ કુટુળવાનુ, સન્નાટો પાવાવાળો વેરમum”ની સાધક વૃત્તિ પ્રગટાવવાની જરૂર છે. જેના અંતરમાં અહિંસાના અમૃતના પ્રવાહ વહે છે તે મહાનુભાવ જગતના સર્વ જીવોનું કલ્યાણ સાધી શકે છે. એના અંતરમાંથી દેષ જાય છે; ઈર્ષ્યા ને અમ્યા જાય છે; સ્વાર્થવૃત્તિ ધાવાઈ જાય છે; જ મનની બુદ્ધિ વિલીન થઈ જાય છે. આપણે તપાસવા જેવું છે કે આપણી અહિંસા કેટલી ને કેવી છે તે !
સાધમિકવાત્સલ્ય—આજના મંગલમય મહાપવના પવિત્ર દિવસે આપણા સ્વામીભાઈ એનાં સુખદુઃખ નિહાળજે. આજે મધ્યમ વર્ગ” રીબાઈ રહ્યો છે, પીસાઈને પીડાઈ રહ્યો છે. આજે તો એક વસ્તુપાલ-તેજપાલ, ભીમાશેઠ, જગડુશાહ, ખેમા દેહારાણી કે ભામાશાહની જરૂર છે. આજે વાતો નહિ પણ કામ કરવાની જરૂર છે. જાહેરાતો, ફંડ અને ફાળા, કાયદા અને બંધારણાનાં બંધનાની ઉપેક્ષા કરી મૂક સમપત્તિની જરૂર છે, ને ક્ષમાપના-કૃષીયનો જય કરી શમભાવ-ક્ષમાપના પ્રાપ્ત કરવાની જરૂર છે. આજે આપણે ખૂબ અસહિષ્ણુ અનુદાર અને ઉતાવળા બન્યા છીએ. નાની વાતમાંયે જાગૃત રહેવા છતાં કષાય-ક્રોધ-દે-ઈષ્ય-અસૂયી અને લહત્તિ આપણે ઘટાડતા નથી. સારા ધર્મ પ્રિય–બહુશ્રુત-અનુભવી અને સેવાપ્રેમીઓ સુહાં ક્ષણે ક્ષણે કષાયને વશીભૂત બની જતા જોવાય છે અને સાથે જ એ કષાયના કાળા ડાઘ-અંતરના મેલ–અંતરની ગઠિા આપો છોડતા નથી. જ્યારે ગ્રંથિભેદ થશે ત્યારે જ અપૂર્વકરણ કરી સમ્યક્ત્વપ્રાપ્તિ થશે. આપણે બધાયે અનંતાનુબંધીની ગાંઠ તાડી આગળ વધવાની જરૂર છે.
દીવાળા ભાવે છે અને કુશાલ તેમજ કુનેહબાજ વ્યાપારી ચેષઢી સાફ કરે છે. જમે અને ઉધારનાં પાસાં તપાસી. મેળ મેળવી લે છે. એવી જ રીતે સાચા આત્મદશી–મુમુક્ષ, છવ અતિરનિરીક્ષણ કરે અને અંતરના મેલને ધોઈ નાખે—અંતરની ગ્રંથિને ભેદી નાંખે. કષાયથી કલુષિતવૃત્તિને સાફ કરી નાંખે અને સાચા ક્ષમાશીલ બને. ક્ષમા વૈરને નાશ કરે છે, ક્ષમા શત્રુને મિત્ર કરે છે, ક્ષમાં બુદ્ધિને વધારે છે–વિશદ કરે છે, ક્ષમા દુર્ભાગ્યના નાશ કરે છે, ક્ષમા કીર્તિને વધારે છે. દુનિયામાં ક્ષમા જેવો ઈ હિતસ્વી નથી, ક્ષમા જેવો કોઈ મિત્ર નથી. ક્ષમાવાન પ્રિયવદ બને છે, સ્વયંપ્રભ બને છે અને સ્થિતપ્રજ્ઞ બને છે. ક્ષમા એ જીવનની સંજીવની છે, ક્ષમા એ આનંદને અમૃતકુપ છે.
ધમનું મૂલ હ્યા છે પણ સાચી દયા તા ક્ષમાવાન જ કરી શકે. ક્ષમા એ તો મૈત્રી પ્રમાદ-કાર શ્ય અને માધ્યમ્રવૃત્તિની જનની છે. આપણે સાચો ક્ષમાશીલ ખનવાની જરૂર છે.
અઠ્ઠમતપક્ષમાપૂર્વકનું તપ કર્મના વિનાશ માટે તરવાર જેવું છે. 1
ચૈત્યપરિપાટી–આત્મા ને પરમાત્માનું દર્શનકરી વિશુદ્ધ થવાનુ' સાધુન ચઢ્યો છે. મંગલમય પવનો આ સંદેશ છે. એને જીવનમાં ઉતારી ને અમર બને.
For Private And Personal use only