Book Title: Jain_Satyaprakash 1945 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] જાસુરનગર પંચ: જિનાલય ચઈત્ય પરિપાટી આદિનાથ ભગવાનનું, જેમાં ૭૧ પ્રતિમાઓ હતી અને ૫ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું. આ મંદિરો સંભવતઃ તપાવાસમાંનાં ચાર અને પાંચમું ખરતરાવાસમાંનું પાર્સજિનનું હશે. બાકીનાં બધાં મંદિરો સં. ૧૬૫૧ પછી બન્યાં હશે. નગરમાં ચાર પોષધશાળા હેવાને ઉલ્લેખ પણ આમાં છે. જાલોરનગરમાં એક મોટી કબર છે જેનો હાલમાં તોપખાના તરીકે ઉપયોગ થાય છે. આ કબરમાં મોટે ભાગે જૈન મંદિરના પથ્થરોને જ ઉપયોગ થયો હોય એમ તેની બાંધણી અને સ્તંભો ઉપરના ભિન્ન ભિન્ન લેખો ઉપરથી જણાય છે. ડો. ભાંડારકરના કહેવા પ્રમાણે-“આ કબર ઓછામાં ઓછા ચાર દેવાલયોની સામગ્રીથી બનાવવામાં આવી છે, જેમાંનું એક તો સિંધુરાજેશ્વર નામનું હિંદુ મંદિર છે અને બીજાં ત્રણ આદિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર નામનાં જૈન મંદિરો છે, આમાંનું પાર્શ્વનાથનું મંદિર તે કિલ્લા ઉપર હતું.” જાલુર નગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી શ્રીગુરુ ચરણે નમી કરી, સરસતિ સમરી જઈ, કવિયણ માડી તું ભલી, નિરમલ મતિ દીજઈ; હરખ ધરી હું રચણ્યું, હેવ વર ચિયપરિવાડી, મનવંછિત સુખલિતણી, વાધઈ વરવાડી. સેહઈ જેબૂદીપ ભલું, જિમ સેવન થાલ, લાંબુ જેયણ લાખ એક, તેનું સુવિસાલ; તે વચિ મેરુ મહીધર, જયણ લખ તુંગ, ભરતખેત્ર દખિણ દિસિં, તેહથી અતિચંગ. મધ્યમ ખંડિ નયર ઘણું, નવ જાણું પાર, શ્રી જાલુરનયર ભલું, લખિમી ભંડાર સેવનગિરિ પાસઈ ભલું, વાડી વન સેહઈ, વનસપતી બહુ જાતિ ભાતિ, દીઠઈ મન મોહઈ મઢ મંદિર પાયાર સાર, ધનવંત નિવેસ, ન્યાયવંત ઠાકુર ભલ, જાણઈ સવિસેસ; સાવય “સાવી ધરમવંત, દાતાર અપાર, દયાવંત દીસઈ ઘણુ કરતા ઉપગાર. “ચંદ્રપા ચઉસાલ સાર, °ચુકી બહુ સોહઈ, પિષધસાલા ચ્ચારી ભલી, દીઠઈ મન મેહઈ પંચ ય જિગુહર દીપતાં, સહઈ સુવિસાલ, તલિયા તરણુ તેજ પુંજ, કરિ ઝાકઝમાલ. ૧ કવિજન. ૨ શોભે છે. ૩ ઊંચું. ૪ સુંદર. ૫ પ્રાકાર-ગઢ. ૬ ઘર. ૭ શ્રાવક: ૮ શ્રાવિકા. ૯ ચંદરવા. ૧૦ ચેકી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28