Book Title: Jain Satyaprakash 1940 07 SrNo 60
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મી વીરોનાં પરાક્રમ લેખક–શ્રીયુત મેાહનલાલ દીપચં ચેાકસી જો કે આજે ગુજરાતના પતનનું કે ભારતવર્ષોંની પરાધીનતાનું નિમિત્ત જૈનધમે ફેલાવેલ અહિંસાને સંદેશ માનવાના દિવસેાને તે। અંત આવી ગયેા છે; અને દિ’ઉગ્યે થતી શોધખેાળાએ પૂરવાર કરી આપ્યું છે કે એમ કહેવામાં કેવળ ઇતિહાસનું અજ્ઞાન જ કારણભૂત હાઇ, એ સાથે કેટલાક જૈનેતર લેખકૈાની અસ્યા મિશ્રિત થયેલી હતી ! છતાં આજે પણ ગુર્જરભૂમિના સાક્ષરામાં જૈનધર્મ પ્રત્યે કાઈ ને કાઇ કારણથી અમૂક પ્રકારને પૂર્વાગ્રહ ધરાવનાર મળી આવે છે! એ મનેવૃત્તિવાળા ગ્રહસ્થે પ્રથમથી જ માની બેઠા હાય છે કે જૈનધર્માંના મુનિએના હાથે જે સાહિત્ય તૈયાર થયેલું છે એમાં કેવળ જૈનધર્માંની હદ ઉપરાંત સ્તુતિ અને સવિશેષ અતિશયેાતિ પીરસાયેલી હેાય છે! આ પ્રકારસ્તે પૂત્રઢ બાંધી દેનાર ગ્રહસ્થેા જરા ખારીકાઇથી જોવાની અને તટસ્થ બુદ્ધિથી વિચારવાની તસ્દી લ્યે તેા સહુજ જાય તેમ છે કે એમની કલ્પના સાવ અસ્થિર પાયા પર ખડી કરાયેલી છે! રચનાર વ્યકિત જૈનધર્માંના રંગે રંગાયેલી હેાય એટલે સર્જનમાં ડગલે પગલે એ ધર્માંના વખાણ આવે જ છતાં ચાલુ પદ્ધત્તિએ કાઈપણ જાતના મમત્વ ધર્યા વિના જો ઉકત મુનિએની કૃતિને અવલાકવામાં આવે અને એમાંની અતિશયતા બાજુ પર રાખવામાં આવે, તે પણ ઇતિહાસની નજરે અતિ ઉપયેગનું અને સત્યના મુદ્દાથી જેની સામે આંગળી ન ચીંધી શકાય એવું ઘણું ઘણું એમાંથી પ્રાપ્ત થઇ શકે તેમ છે. જરૂર છે ફકત સાચી ગવેષ દૃષ્ટિની ! આજે એવા જૈનેતર સાક્ષરે પણ છે કે જેમણે ગદ્વેષણ દૃષ્ટિ પર નજર રાખી જૈનધર્માંના ગ્રંથેામાંથી ઉમદા સત્ય અને મહત્ત્વને ઇતિહાસ બહાર આણ્યા છે. એક કાળે જૈનધમી મહારાજા કુમારપાળની અહિંસાને ગુજરાતના પતનમાં દેખભાગી લેખનાર જૈનેતર ગ્રહસ્થેા-આજે અહિંસાની સર્વોત્કૃષ્ટ પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે અને એ મહાન ગુણમાં અમાપ શકિત સમાયેલી છે, એનું ભાન કેવળ ભારતવર્ષને જ નહિ પણ સારી દુનિયાને કરાવવાને એક પ્રસિદ્ધ દેશનેતાએ કમર કસી છે એ જોયા પછી રાવી કુમારપાળને પરમ માહેર માનવા લાગ્યા છે અને એ સારૂ છુટા છવાયા. ઉલ્લેખાને આગળ ધરી પોતાનો કક્કો ખરો કરવાના પ્રયાસ સેવી રહ્યા છે! જૈનધમી વિદ્વાનેએ અને અભ્યાસકાએ આ જાતની વલણ ધરાવનાર વર્ગને જડબાતે।ડ જવાબ આપવા કમર કસવાની જરૂર છે. આજે દેશ-કાળ મૂંગા રહેવાના કે. પેાતાના મંતવ્યને શ્રદ્ધાથી વળગી રહી ધરમાં બેસી રહેવાને નથી, પણ યુક્તિપુરસ્કર અને ઐતિહાસિક પુરાવાથી અલંકૃત કરી સ્વમંતવ્યને જગતનાચે કમાં ધરવાતે છે. આગમપ્રમાણ કે જૈન સાહિત્યમાં જુદા જુદા ગ્રંથામાં મળી આવતાં સબધા શોધી કહાડી, ક્રમસર ગોઠવી, ચાલુ સમયની પદ્ધત્તિમાં જનતા સનક્ષ મૂકવાની આવશ્યકતા છે. અતિશયેક્તિ જેવુ જણાય તે ભાજીપર રાખી, જેની પાછળ ઇતિહાસની નકરતા સંભવતી હાય તે પ્રતિ પ્રથમ લક્ષ દેવાનું છે. જૈનધર્મ અહિંસાને પરમ ધર્મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44