________________
કિંચિત્
સુજ્ઞ અભ્યાસુવર્ગ!
જૈન કથા સૂચી બહાર પાડતા આનંદની સાથો-સાથ સંકોચની લાગણી થાય છે.
આનંદ એટલા માટે કે ગુરુમહારાજે જે કાર્ય માટે ૧૦ વર્ષ મહેનત કરી તે પૂર્ણ થયું. એમાંય છેલ્લાં ૩-૪ વર્ષોમાં સખત માંદગી હોવા છતાંય જયારે પણ સમય મળે ત્યારે ‘“જૈન કથા સૂચી’’નું પ્રૂફ લઈને બેસી જાય.
‘હસ્ત લીખિત સાહિત્ય સૂચી’ બહાર પાડ્યા પછી આ સૂચી બહાર પાડવાની તેઓશ્રીની અદમ્ય ઈચ્છા હતી. પણ આયુષ્યની દોરી ટૂંકી પડતાં આ સૂચી બહાર પડે તે પહેલાં જ તેઓશ્રી ચાલ્યા ગયા.
તેઓશ્રીની હાજરીમાં જ મેં પ્રૂફ જોવાનું ચાલુ કરેલ. પણ સંજોગાનુસાર કાર્ય ઢીલું પડતું ગયું.
પૂ. યોગીન્દ્ર સૂ મ., પૂ. હેમેન્દ્ર વિ.ગ., મુ. અવિચલેન્દ્ર વિ.મ. તથા મુ. નક્મેન્દ્ર વિ.મ. ના પીઠબળ અને પ્રેરણાથી કાર્ય ફરી ચાલુ થયું જેના ફળ સ્વરૂપ આ ગ્રંથ બહાર પડે છે.
સંકોચ એટલા માટે કે ગુરુ મહારાજનું લક્ષ્ય આ ગ્રંથ બહાર પાડવા દ્વારા અભ્યાસુવર્ગ જેમને કોઈ પણ એકજ કથા પાત્ર લઈને સંશોધન કરવું હોય તેમને સહેલું પડે તે હતું. પણ કંપોઝીંગ પહેલેથી અલગ ફોરમેટમાં થયેલું હોવાથી એકજ કથાપાત્ર એક સાથે ન આવતાં અલગ-અલગ પાને આવે છે. જેથી અભ્યાસુ વર્ગને કથાપાત્ર શોધવામાં મુશ્કેલી થઈ શકે છે. તેને નજર અંદાજ કરશો.
મુંબઈ ૧૧/૦૪/૨૦૧૧
X*X*X*X*X
K
– વર્ધમાન રશ્મિકાન્ત શાહ