Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૮ મે. મુનિરાજશ્રી વિજયજી, ત્યાગીના એ દ્રિતીય નમૂના હતા. એમને એલવાનેા, ચાલવાના, વર્તવાના અને લખવાનેા સંયમ એટલે બધા હતા કે એ જ્ઞાનક્રિયાયોગીને પગલે ચાલવા આપણે આપણી જાતને સમજાવીએ અને એમને જૈનના આદશ સાધુ તરીકે બતાવીએ એટલુ જ કન્યા શેષ હવે રહે છે. આવા જ્ઞાનક્રિયાના સહયોગ, અસ્ખલિત ચારિત્ર, નિરભિમાન વૃત્તિ, કર્તવ્યપરાયણતા, અદ્ભુત વૈરાગ્ય અને માનસિક શાંતિના જોટો મળવા દુર્લભ છે. ૩૦૩ એમના જીવનમાં જે સવથી વધારે આકર્ષક ભાગ જણાય છે એ તેમનેા ચાગ હતા. એમના ચહેરામાં, ચલનમાં, વાણીમાં યાગીની શાંતિ, ધ્યાનસ્થ દશા અને વિરાગ દેખાતા અને એમના અસ્થિમજ્જામાં સંયમ એતપ્રાત થઈ ગયેલા દેખાતા હતા. એમની ભાષામાં કે ઉપદેશમાં કડવાશ કે કટુતા કદી જોયા, જાણ્યા કે સાંભળ્યા નથી. એમના જીવનનું નિરીક્ષણ કયાંથી શરૂ કરવું એમાં માટે વિચાર થઇ પડે તેવુ છે. એમનામાં અપૂર્વ સેવાભાવ હતા છતાં એ તદ્દન નિ:સંગ રહી શકતા હતા. એમનામાં અસાધારણ લેખનશક્તિ હતી છતાં પોતે તદ્ન નિરભિમાન વૃત્તિવાળા હતા; એનામાં ઉગ્ર સચમ ભાવના હતી, છતાં એ દુનિયાના વહેવારુ મનુષ્યેાની નિર્બળતાથી અનભિજ્ઞ નહાતા; એમનામાં ઊંડા સેવાભાવ હતા; છતાં એમનામાં સામાના વિચારે ઝીલવાની, સમજવાની અને દૃષ્ટિબિન્દુએ જાણી લેવાની તાકાત હતી. એમને સન્મિત્ર કે સગુણાનુરાગી કહેવરાવવામાં અત્યંત પ્રેમ હતા; પણ એમાં જરાપણુ અભાવ કે પ્રસિદ્ધિની ભાવના નહાતી. એ ખરેખર સજ્જનના સાચા મિત્ર હતા અને જ્યાં નાનેા સરખા ગુણ જુએ ત્યાં પણ એ ચોક્કસ અનુરાગ દાખવતા હતા. આખા જીવનમાં એમને પદવીના વ્યામાને કદી સંકલ્પ પણ થયા નથી એ ખાસ નોંધવા જેવી ખાખત છે. આપણી જનતામાં આવા સિદ્ધયાગીઓ ભાગ્યેજ પાકે છે. એ આપણી સાથે હાય ત્યારે તેમના નામધારી કરચદ્રજી ઊર્ફે ચિદાનંદજીનું સ્મરણ કરાવે છે અને ન હેાય ત્યારે આનંદઘનજીને યાદ કરાવે છે. એમનુ આખુ જીવન સફળ થઈ ગયું. એમના કાળધર્મ તે અંગે ખેદ ધરવા કે હુ દાખવવા એ પણ ઘણા વિકટ પ્રશ્ન છે, પણ એક વાત ચાક્કસ બેસે છે અને તે એ છે કે તેઓ તા ખરેખર જીતી ગયા ! આપણે એમના જ્ઞાનક્રિયાના સહકાર બતાવનાર સંચમી નિરપેક્ષ જીવનનું અનુકરણ કરવા બનતા પ્રયત્ન કરીએ એ જ આપણી નિવાપાંજલિ ડાય. એવા વિશુદ્ધ આત્માને પરમ શાંતિ ઇચ્છવી એ પણ મારા જેવાના અધિકાર બહારની વસ્તુ છે, એને તા અહીં શાંતિ જ હતી અને એ અમર માના જ્યાં જશે ત્યાં શાંતિ જ શેાધી લેશે, સાધી લેશે અને એને જીવન થે તેડી દેશે. માઁ શાંતિ. સેક્સ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46