Book Title: Gyansanstha ane Sanghsanstha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા [ 379 અત્યારે, બીજે કઈ પણ વખતે હતી તે કરતાં, સંધસંસ્થાને વ્યવસ્થિત કરવાની વધારે જરૂર છે. જે સંધના આગેવાને પોતાની સંધસંસ્થાને નિષ્ણાણ જોવા ન માગતા હોય અને પિતાને વારસદારને શાપ તેમ જ દેશવાસીઓને તિરસ્કાર વહોરવા ન માગતા હોય તે અત્યારે સંધસંસ્થાને વ્યવસ્થિત કરવાની અને તેને ઉપયોગ રાષ્ટ્રપર કરવાની ખાસ જરૂર છે. આ દેશમાં જે એકવાર ભારે વગસગ ધરાવતો તે બૌદ્ધ સંઘ હયાત નથી, છતાં જૈનસંધ તો છે જ. એટલે આ સંસ્થાનો ઉપયોગ દેશ પરત્વે પહેલાં જ ઘટે; અને માત્ર તબલાં કે ખડતાલ, ઝાંઝર કે ડાંડિયારા વગાડવા-વગડાવવામાં તેમ જ નિર્જીવ જમણવારની મીઠાઈઓ ખાવાખવરાવવામાં અને બહુ તે ભપકાબંધ વરડા ચડાવવામાં જ એ સંધસંસ્થા પિતાની ઈતિશ્રી ન સમજે. જો કોઈ શાસનદેવી હોય અને તેના સુધી સાચી પ્રાર્થના પહોંચતી હોય, અને પ્રાર્થના પહોંચ્યા પછી તે કાંઈ કરી શકતી હોય, તે આપણે બધા તેને પ્રાથશું કે આજે જ તેને પિતાનું શાસનદેવતા નામ સફળ કરવાનો વખત આવ્યો છે. જે આજે તે ઉદાસીન રહે તે ફરી તેને પિતાને અધિકાર ઓજસ્વી બનાવવાની તક આવશે કે નહિ એ કહેવું કઠણ છે. ખરી વાત તે એ છે કે આપણે બધા જ શાસનદેવતા છીએ, અને આપણામાં જ બધું સારું કે નરસું કરવાની શક્તિ છે અને પ્રાર્થના કરનાર પણ આપણે જ છીએ, એટલે આપણી પ્રાર્થના આપણે જ પૂરી કરવાની છે. જે એ કામ આપણે ન કરીએ તે શાસનદેવતાને ઠપકો આપ એને અર્થ આપણી જાતને મૂર્ખ બનાવ્યા બરાબર છે. પુરુષાર્થ ન હોય તો કશું જ થતું નથી અને હોય તે કશું જ અસાધ્ય નથી. તેથી આપણે આપણે પુરુષાર્થ સંધસંસ્થાને દેશપગી કરવામાં પ્રેરીએ એટલે આપણું કામ કેટલેક અંશે પૂરું થયું. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, 1930. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7