Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 101
________________ ૮૨ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક ત્યાર બાદ રાજાના મનની કલુષિતતા દૂર કરવા માટે સૂરિદેવે પૂનમીયા ગચ્છના બધા મુનિપુગને તેડાવ્યા. અને તેમણે કહ્યું: “તમે બધા જે સાધુએ કરેલી પ્રતિષ્ઠાને માન્ય કરતા હો, તે અમે પણ આગમમાં કહેલી વિધિ મુજબ પૂનમની પખી સ્વીકારીએ.” આ વાતને ત્યારે તે સ્વીકાર કરીને પૂનમીઆ ગ૭વાળા સાધુઓ વિદાય થયા. પરંતુ પાછળથી મૂઢતાવાળી એક વૃદ્ધ સાધ્વીએ સુમતિસૂરિજીને કહ્યું: શ્રાવકેની પ્રતિષ્ઠાના પક્ષને છોડી દેતાં અને સિદ્ધાંત અને ગુરુના તિરસ્કારનું પાપ કરતાં તેમને શરમ ના આવી ?” ચંડિકા જેવી તે સાધ્વીના ઠપકાથી સુમતિસૂરિજી પ્રહત થઈ ગયા. અને તેમણે હેમચન્દ્રાચાર્યઅને જઈને કહી દીધું કે: “અત્યારે જેમ ચાલે છે તેમજ ચાલવા દો.” સૂરિવરે જ્યારે રાજાને આ વાત કરી ત્યારે રાજાએ સુમતિસૂરિજીને અન્યત્ર ચાલ્યા જવા જણાવ્યું. તેથી તેઓ ગુજરાત છેડીને કાંકણુ ચાલ્યા ગયા. કેટલાક સાધુએ હેમચન્દ્રાચાયની નિશ્રામાં રહ્યા અને સાચા સાધુત્વથી શાળ્યા. સમગ્ર સંઘના સંઘર્ષના નિવારણ માટે અને શ્રીસંધની સમાધિની સુરક્ષા કાજે આજે સંવત્સરી ચાથની છે તે પાંચમની કેમ ના કરી શકાય ?” આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, vounatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132