Book Title: Deshna Chintamani Part 01 Author(s): Vijaypadmsuri Publisher: Jain Granth Prakashak Sabha View full book textPage 8
________________ I rઈ નમઃ | | શ્રી ગુરૂમહારાજના હસ્તકમલમાં સમર્પણ છે મદીયા દ્ધારક, પરમોપકારી, પરમગુરૂ, સુગ્રહીત નામધેય, પૂજયપાદ, પ્રાતઃસ્મરણીય, શ્રીગુરૂ મહારાજ ! આપશ્રીજી મધુમતી (મહુવા) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરૂ ધર્માનુરાગી શેઠ લક્ષ્મીચંદ અને માતુશ્રી દીવાલીબાઈના કુલદીપક પુત્ર છો. વિસં. ૧૯૨૯ ની કાર્તિક સુદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સો વર્ષની નાની ઉંમરે સંસારને કડવા ઝેરના જે માનીને અગણ્ય સદ્ગુણ નિધાન પરમ ગુરૂ શ્રી વૃદ્ધિવિજયજી (શ્રી વૃદ્ધિચંદ્રજી) મહારાજજીની પાસે શ્રી ભાવનગરમાં વિ. સં. ૧૯૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પેઠે શૂરવીર બનીને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રવજ્યા (દીક્ષા) ને પૂરેપૂરા ઉલ્લાસથી ગ્રહણ કરીને સિંહને પેઠે શૂરવીર બનીને સાધી રહ્યા છે, અને આપશ્રીજીએ અગાધ બુદ્ધિબલથી જલ્દી સ્વ૫ર સિદ્ધાંતને ઉંડો અભ્યાસ કર્યો, અને ન્યાય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ ગ્રંથની રચના કરીને સુંદર સાહિત્ય સેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશના શક્તિના પ્રભાવે અભક્ષ્યરસિક, ઉન્માર્ગગામી અગણ્ય મહારાજદિ ભવ્ય જીવોને સદ્ધર્મના રસ્તે દેરીને હદપાર ઉપકાર કર્યો છે. તેમજ આપશ્રીજીના અગણ્ય સગુણેને જોઈને મેટા ગુરૂભાઈ, ગીતાર્થ શિરોમણિ, શ્રમણકુલાવંતસક, પરમપૂજ્ય, પંન્યાસજી મહારાજ શ્રીગંભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતની ગોદ્ધહનાદિક ક્રિયા વગેરે યથાર્થ વિધાન કરાવીને મહા પ્રાચીન શ્રી વલ્લભીપુર (વળા) માં આપશ્રીજીને વિ. સં ૧૯૬૦ ના કારતક વદી સાતમે ગણિપદથી અને માગશર સુદ ત્રીજે પંન્યાસપદથી વિભૂષિત કર્યો. અને શ્રી ભાવનગરમાં વિ. સં. ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ, ભટ્ટા રક, આચાર્ય પદથી અલંકૃત કર્યા. આપશ્રીજી રતનની ખાણ જેવા શ્રી સંઘની અને તીર્થ દિની સેવા પહેલાંની માફક હાલ પણ પૂરેપૂરા ઉલ્લાસથી કરી રહ્યા છે. તથા આપશ્રીજીના અમોઘ ઉપદેશથી દેવગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વિગેરે ઘણએ ભવ્ય જીવોએ છરી પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીથીધિરાજ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થ યાત્રા અંજનશલાકા વિગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રમાં લક્ષ્મીને સદુપયેગ કર્યો અને કરે છે, તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણુએ ભવ્ય જીવોની ઉપર શ્રી જૈનેન્દ્રી દીક્ષા, દેશવિરતિ વગેરે મોક્ષના સાધને દઈને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકાર કર્યા છે અને કરે છે, વિગેરે લકત્તર ગુણોથી આકર્ષાઈ અને આપશ્રીજીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારોને યાદ કરીને આપશ્રીજીના પસાયથી બનાવેલો આ શ્રી દેશનાચિંતામણિ નામને સાર્વજનિક સરલ ગ્રંથ પરમ કૃપાળુ આપશ્રીજીના કરકમલમાં સમપને હું મારા આત્માને ધન્ય કૃતાર્થ માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીજીના પસાયથી (૧) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વિગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રોની ભક્તિ કરવાને શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરૂદેવ (૩) શ્રી જેને શાસનની સેવા (૪) નિર્મલ નિરભિલાષ સંયમ જીવન (૫) પરોપકાર વિગેરે સંપૂર્ણ આમરમણતાના સાંધન મને ભાભવ મળે. છે નિવેદક : આપશ્રીજીના ચરણકિકર નિર્ગુણ વિયાણ પદ્યની વંદના. છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 440