Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 15
________________ ચોવીશ તીર્થંકર બનતું નહિ. એકલી, એકાકી પડી ગયેલી તે બાળાનું નામ સુનંદા હતું. સુનંદાને તેનાં માતાપિતા લઈ ગયા અને ઉછેર કરવા લાગ્યાં , પરંતુ થોડા સમયમાં સુનંદાના માતાપિતાનું મૃત્યુ થયું. સુનંદા એકાંકી અને નિરાધાર બની ગઈ. યુગલિયા જીવન જીવતા લોકોમાં આવો પ્રસંગ પ્રથમ વાર જ બનવા પામ્યો હતો. સુનંદા તો ટોળાભ્રષ્ટ થયેલી મૃગલીની જેમ વનમાં એકલી ભમવા લાગી. કેટલાક યુગલિયાઓ તેને નાભિરાજા પાસે લઈ આવ્યા અને નાભિરાજા સુમંગલા સાથે તેનું પણ પાલન કરવા લાગ્યા. સમય વીતવા લાગ્યો. વર્ષો પસાર થયાં. એક દિવસ આદિનાથના લગ્નનો સમય થયો છે એવું અવધિજ્ઞાનથી જાણીને ઇન્દ્ર પ્રભુ પાસે આવીને અંજલિ જોડીને કહ્યું : “હે પ્રભુ, ભરતક્ષેત્રના મોક્ષપુરીના માર્ગની જેમ સંસારના બધા વ્યવહારો પણ આપે પ્રવર્તાવવાના છે, પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રને નષ્ટ થયેલ સંસારના વ્યવહાર માર્ગને વ્યવસ્થિત કરવાનો અધિકાર પ્રથમ તીર્થકરને હોય છે માટે હે પ્રભુ, આપ સુમંગલા તથા સુનંદા સાથે વિવાહ કરો... અવધિજ્ઞાન વડે પોતાને ત્રીશ લાખ પૂર્વ વર્ષ ભોગાવલી કર્મ ભોગવવાનું જાણીને ભગવાને મસ્તક ધુણાવ્યું અને તે રીતને અનુમતિ માની વિવાહ મહોત્સવ અતિ ભવ્ય રીત ઊજવવામાં આવ્યો. શાતા વેદનીય કર્મોનો પણ ભોગવ્યા વિના નાશ થતો. નથી, પણ ભગવાન અનાસકતપણે એ ભોગો એવી રીતે ભોગવે છે કે તેમાં લેપાવાપણું હોતું નથી. લગ્ન પછી કંઈક ન્યૂન છ લાખ પૂર્વ જેટલો સમય વીત્યા બાદ સુમંગલાએ પુત્ર ભરત અને પુત્રી બ્રાહ્મીને જન્મ આપ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 314