Book Title: Chetnani Bhitarma
Author(s): Sunandaben Vohra
Publisher: Anand Sumangal Parivar

View full book text
Previous | Next

Page 103
________________ આત્માનો અધિકાર આવે છે. તપ: આત્માને નિર્મળ બનાવે છે. નિજગુણની વૃદ્ધિ કરે છે. ભાવ-શરીર, વાણી, વિચાર તેના આજ્ઞાંકિત બને છે. મન, વચન, કાયા પર આહાર, નિદ્રા, ભય અને મૈથુનનું ચલણ છે. તેને બદલે સર્વજીવ હિતકર શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું ચલણ આવે છે. તે જ આત્મભાન છે. તેનાથી પામરતાનો અંત આવે ઉપરોક્ત ચારે આચારોનું સ્વ પ્રત્યે વહેવું તે જ વિર્યાચાર છે. મનાદિ યોગો બહાર પ્રવર્તતા હતા તેનું વહેણ સ્વભણી થયું. સાધક સ્વરૂપસ્થ થયો. - સાધનાને ઘૂંટવા દ્વારા જેને સિદ્ધિ પ્રાપ્ત થઈ તેવા મહાત્માની ઉપસ્થિતિમાં તેમના આંદોલનો તમને સ્પર્શી જશે તમારા દુર્ભાવો છું થઈ જશે. તેમના વચનબાણ તમારો મનોવેધ કરશે. પરમાત્માની આ સિદ્ધિ પરાર્થવ્યસની કહેવાય છે. ભગવાનને પ્રાપ્ત કરવા, (દર્શન) કઠણ છે એમ માનવું તે ભૂલ છે. ભગવાનથી મનુષ્યને જરાપણ દૂરીપણું નથી, ભગવાનના શરણે જવાની સાથે જ તે અપનાવી લે છે. તેની આડે આવનાર મનુષ્યનું અભિમાન છે. તત્ત્વથી જોતાં આત્મા સ્વયં પરમાત્મ સ્વરૂપ છે તેવી શ્રદ્ધા ન હોવામાં મનુષ્યને તેની બાહ્ય સંપત્તિ આદિનું અભિમાન છે અથવા અજ્ઞાન છે. - ભક્તિ એ મનની એકાગ્રવૃત્તિ છે. અવિચ્છન્ન પરાનુરક્તિ છે, કે જે સર્વસુખના નિદાન સ્વરૂપ પરમાત્માને પોતાનું ધ્યેય સમજી તેમાં તન્મય બને છે. અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી રચિત આત્મોત્થાનનો પાયો ગ્રંથના આધારે વિનિમય. ઘરને છોડીને ભટકવું જેટલું દુઃખદાયી છે, તેટલું કષ્ટદાયક આત્મભાવને છોડી પરભાવમાં રખડવું તે છે. સ્વને ભાવ આપવા અર્થાત્ સ્વભાવમાં રહેવું. સત્વ જરૂરી છે તે દાન, શીલ, તપ, ભાવ જોવા આચારથી મળે છે. આહાર, ભય, નિદ્રા, અને મૈથુનનો યોગ પરભાવ અને પરિગ્રહને ઉત્તેજે છે. માટે દાનાદિ અભિગમની આવશ્યકતા છે. દાન : દાન માત્ર ધન વડે જ કરવું તે સામાન્ય પ્રવાહ છે દાનનો ઉત્કૃષ્ટ અર્થ હું ની ચિંતાને, પોતાના સુખને, સર્વની ચિંતામાં અને સૌના સુખમાં પરિણમવામાં છે. દાનથી દેહનું મમત્વ-અધિકાર જાય છે. શીલ : ઈન્દ્રિયો અને મનને આત્મામાં લીન કરવા. શીલથી વ્યવહારથી આત્મા શેયને જાણે છે, પરમાર્થથી પોતે પોતાના સ્વરૂપમાં રહે છે, વ્યવહારથી આત્મા દેહ વ્યાપી છે. જ્ઞાનથી વિશ્વ વ્યાપી છે. પરને તન્મય થઈને જાણતો નથી. પણ તન્મયપણે પોતાને અનુભવે છે. જ્ઞાતા દૃષ્ટા ગુણોથી પરિપૂર્ણ છે. નવકારમંત્ર પ્રત્યેની રૂચિ, પ્રીતિ સ્વરૂપમંત્ર હોવાથી સ્વરૂપલાભ સુધી લઈ જાય છે. શ્રુતજ્ઞાનની ફળશ્રુતિ પણ તે જ છે. માટે નવકાર મંત્ર અને શાસ્ત્રોનું હંમેશા અનન્ય ભાવે સ્મરણ, મનન, ચિંતન, ધ્યાન કરવું જોઈએ. જેથી બહિરાત્મભાવ ક્ષીણ થઈ જાય છે. અને સમગ્ર શક્તિનો પ્રવાહ આત્મભાવમાં સમાઈ જવા તત્પર થાય છે. આવો અનુભવ નવકારભક્તિ અને શ્રુતજ્ઞાનની ભક્તિથી થાય છે. આયુપૂરું થતા દેહ છૂટે છે દેહભાવ છૂટતો નથી. તેવી દેહાસક્તિથી પુનઃ જન્મ-મરણ થયા કરે છે. આ દેહાસતિને નાબૂદ કરવા માટે કદી નહિ મરનારા આત્માની શરણાગતિ સ્વીકારવી. દેહના ભાવોને સાક્ષીભાવે નિહાળવા દેહબુદ્ધિ કર્મસત્તારૂપી અગ્નિ પ્રદીપ્ત કરે છે. આત્મબુદ્ધિ તે અગ્નિને શાંત કરે છે. જ્યારે જ્ઞાન આત્માના સ્વરૂપમાં સમાઈ રહે છે ત્યારે આત્મારૂપે પરિણમે છે તેથી હિંસાદિ પાપો પલાયન કરે છે. એજ જ્ઞાન પૂર્વ સંસ્કારે વિષયાકરે પરિણમે છે ત્યારે હિંસાદિ ભાવો ઉદ્ભવે છે, તે અધર્મ છે. આત્માકારે પરિણમવું તે ધર્મનું મૂળ છે. સ્વનું અધ્યયન કરીને શાસ્ત્રનું અધ્યયન કરવું. સ્વને જાણ્યા વગર શાસ્ત્રજ્ઞાન કદાચ તને પંડિત બનાવે અહંકાર પુષ્ટ કરે. સ્વાનુભૂતિ માટે ચિંતન આવશ્યક છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા તે સ્વાધ્યાય છે. ૨00 ૨૦૧

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214