Book Title: Buddhiprakash 1969 07 Ank 07
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 43
________________ [ અનુસ ́ધાન પૃ. ૨૭૯ પરથી ચાલુ] છટકી જતા હોય કે આજના યુગ પ્રમાણે એ પરિણીત હાવાથી લગ્ન કરી શકતા ન હેાય એવા પુરુષ સાથે એક વખત ભૂલ થવાથી લગ્ન બહારના રખાતના સંબંધથી જોડાઈ રહેવું તે ભૂલ ઉપર કાયમના શિલાલેખ મારવા જેવું હાય ત્યારે એવી માટે શા મા રહે છે?” (પૃ. ૨૨૧-૨૨૨) રામ, રાવણુ, સીતા, દ્રૌપદી, ક, દ્રોણુ વગેરેનાં વિચારાને અને કૃત્યાને પણ લેખકે નવીન સંદર્ભોમાં મૂલી ખતામાં છે. અલબત્ત, દર વખતે તેમનું અઘટન વાજબી લાગે છે તેવું નથી. લેખક વારંવાર પુરાણના પ્રસ`ગના કે વેચારના સબધ વર્તમાન •રાજકારણ સાથે જોડી દેવાના અભિનિવેશ દર્શાવે છે તે સથા ઉચિત નથી લાગતું. જેમકે ‘ગીતાદર્શન'માં લેખકનું વિધાન જુએ ‘ભારતને જેમ અંગ્રેજોએ ગુલામ બનાવ્યા હતા તેમ વ્યક્તિને પ્રકૃતિએ ગુલામ બનાવેલા છે.' વ્યક્તિ અને પ્રકૃતિના સબંધની સાથે Analogy દ્વારા ભારત અને અગ્રેજના સંબંધને જોડવા એ વિચિત્ર અતાર્કિક લાગે છે. દેહાભિમાન અને આત્મતત્ત્વની ગીતામાં થયેલી ચર્ચાની ઉચ્ચતા સાથે મારારજી, કામરાજ અને ઇંદિરા ગાંધીની પ્રાસંગિક ખટપટના સ ંબંધ જોડવા એ આ વિચિત્ર સરખામણીનું બીજું દૃષ્ટાંત છે. લેખકના રાજકારણને ઉત્કટ રસ તેમનામાં આવી સરખામણી યાજવાના અભિનિવેશ દાખલ કરી દેતા લાગે છે. આમ છતાં અમૃત માર્ગ'માં લેખકે આપણા ઉત્તમ ધર્મપ્રથામાંથી જે દાહન તારવ્યું છે તે વમાન યુગના વાચકને સહેજે વિચારની સામગ્રી પૂરી પાડે તેવું છે. લેખકે ધમપ્રથામાંથી તેમ જ ખીજેથી વિપુલ પ્રમાણમાં દૃષ્ટાંતા ટાંકીને પેાતાના વિચારાને પુષ્ટ અને રસપ્રદ બનાવ્યા છે. આ બધા લેખા વમાન વાર્તાના માધ્યમ દ્વારા જૂની અને નવી રૂઢિઓના સંધર્ષોંની, યુગના પરિવર્તન પામતા પ્રવાહની તેમ જ વાતાવરણમાં પેદા થઈ રહેલાં અનેક નવીન આંઢાલનનાની વિશદ રીતે ચર્ચા કરે છે. સમાજને જૂના ઢાંચામાંથી ધીરે ધીરે બહાર કાઢી, નવા પ્રવાહ તરફ્ અભિમુખ કરી તેને વિકાસની દિશામાં વાળવાના પ્રયાસ વર્ષોથી તે કરતા રહ્યા છે, લલિત સાહિત્ય ઉપરાંત લેખા અને નિબધા દ્વારા પણ તેમણે પ્રજાજીવનને સ્પર્શીતા અનેકવિધ પ્રશ્નો નીડરપણે તેજસ્વિતાથી ચર્ચ્યા છે. ‘અમૃત મા''માં ઈશ્વર પેટલીકરની વિચારણાની એક નવી દિશા પ્રગટતી દેખાય છે. તેમણે રામાયણ, મહાભારત, ગીતા આદિ ધર્મગ્રંથાને સ્વાધ્યાય કર્યો તેના ફળરૂપે આ પુસ્તક આપણને સાંપડે છે. આ પુસ્તકમાં સ્વાભાવિક રીતે જ ધ' વિશેની વિચારણા છે. પેટલીકરે પુરાણા ગ્રંથાનું પરિશીલન કરીને ધર્મનાં કેટલાંક તત્ત્વાની તથા પ્રસ ંગેાની તપાસ કરી છે અને વમાન યુગ સાથે તેને તાળેા બેસાડવાની તેમણે અવાનવાર કેાશિશ કરી છે. ધર્મ વિશેની તેમની આ વિચારણામાં કાઈ પૂર્વગ્રહ નથી. એમણે નિખાલસપણે હિંદુ ધર્માંની વિશેષતા અને મર્યાદા આંકી બતાવવાને પ્રયત્ન કર્યાં છે. પુરાણામાં આવતા ચમત્કારપ્રસ`ગાને પણ તેમણે બુદ્ધિની સરાણુ પર ચડાવી નવીન અર્થઘટન કરી આપ્યું છે. ઉદાહરણ તરીકે મહાભારતમાં સૂર્ય દ્વારા કુમારી કુંતીને પુત્ર જન્મે છે એ ચમત્કારક પ્રસંગને તેમણે વર્તમાન યુગના નવા પ્રકાશમાં આ રીતે નિહાળ્યો છે: સૂર્યાં જેમ પ્રતિષ્ઠિત પુરુષવના પ્રતિનિધિ છે તેમ કુંતી જુવાનીમાં પ્રવેશતી, જાતીય વૃત્તિઓની ચાંચળતાનાં મેાજામાં તણાતી બિનઅનુભવી કન્યાઓની પ્રતિનિધિ છે. કુંતી દ્વારા વ્યાસને કહેવું છે કે દરેક જમાનામાં બિનઅનુભવી અને જુવાનીમાં પ્રવેશતી કન્યાઓમાંથી કાઈ ને કાઈ કુંતીની માફક ભૂલને ભાગ થઈ પડવાની. પુરુષ પેાતાની જવાબદારી સ્વીકારી તેની સાથે લગ્ન કરે તેા કઈ સવાલ નથી, પરંતુ જ્યારે એ તેમાંથી પદ્મા માટે લખાયા હૈાવાથી વિચારેાના પથરાટ વધ્યા છે. લાલવને ગુણ આ પુસ્તકને સવિશેષ કસવાળું બનાવી શકત તેમ છતાં સમગ્રપણે ધ' વિશેની સ્વચ્છ સ્વસ્થ વિચારણાનું આ પુસ્તક લેખકના સન્નિષ્ઠ સ્વાધ્યાયની પ્રતીતિ અવશ્ય કરાવે છે. મધુસૂદન પારેખ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44