Book Title: Barsasutra Author(s): Vikramsenvijayji Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur View full book textPage 8
________________ શા છે : આમ આવી સુંદર રીતે હું રજૂ કરી શક્યો છું, તે માટે સ્વર્ગસ્થ આગમપ્રભાકરશ્રી કે જેઓએ આ ગ્રંથ તૈયાર કરવાની પ્રેરણા આપી હતી, અને મોટા ભાગની હસ્તપ્રતો તેઓશ્રીના સહકાર વિના મેળવવી મારા માટે અશકય જ હતી, તેથી તેઓશ્રીનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. વળી, મારા આ પ્રકાશનમાં કીમતી સૂચનાઓ આપવા માટે અને હાલમાં છપાઈ રહેલ પડાવશ્યક સૂત્ર ૧૪૭ ચિત્રો સહિત ગ્રંથ પ્રસિદ્ધ કરવા માટે વારંવાર પ્રેરણા આપનાર મારા પરમોપકારી ગુરૂદેવ શ્રી અભયસાગરજીનો પણ હું અત્યંત ઋણી છું. આ આખો ગ્રંથ અથથી ઇતિ સુધી આવી સુંદર રીતે છાપીને તૈયાર કરવાનું સમસ્ત કામ દીપક પ્રિન્ટરીમાં કરવામાં આવેલું છે, તે માટે તેના માલિક જયંતીલાલ રાવત અને ભાઈ કીરીટ રાવતની સતત દેખરેખને લીધે જ આ સુંદર પ્રકાશન તૈયાર થએલ છે. પ્રાંતે આ પ્રકાશનમાં આપેલું ગુજરાતી ભાષાંતર, સ્વર્ગસ્થ આગમપ્રભાકરશ્રી સંપાદિત અને મારા તરફથી પ્રસિદ્ધ થએલ પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથ પરથી લેવામાં આવેલ છે, તે તરફ વાંચકોનું લક્ષ દોરું છું. શ્રાવણ સુદી ૮ ને મંગળવાર ૨૦૩૨, તા. ૩-૮-૧૯૭૬ સારાભાઈ મણિલાલ નવાબ પદ્માવતી એસ્ટેટ, દરિયામહેલ, મ્યુનિસિપલ કોર્પોરેશન સામે, સૂરત-૧. (૩૯૫૦૦૧) ' / મી / X કે કે જો સારી આ જ મસજાવવામાં કે ૧૧ વાવ છેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 232