Book Title: Atmanand Prakash Pustak 040 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - (અનુસંધાન ટાઈટલ પેજ ૨ થી ચાલુ ) ૪. સકલાર્હત સ્તોત્ર (મૂળ)–શ્રી કનકકુશળગણુિની ટીકા સાથે. સંશોધનકર્તા પ્રાચીન સાહિત્યસંશોધક સાક્ષરવર્ય શ્રીમાન પુણ્યવિજયજી મહારાજે તદ્દન શુદ્ધ કરીને પ્રકટ કરવામાં આવેલ છે. અભ્યાસીઓ માટે અતિ ઉપયોગી છે. શાસ્ત્રી સુંદર ટાઈપમાં મુદ્રિત થયેલ છે. - પ. શ્રી આગમચારિણી ગ્રંથ—અનેક તત્ત્વજ્ઞાનની જાણવા જેવી હકીકતાથી ભરપૂર ફોર્મ ૮, પાના ૧૩૨, ૬. સિદ્ધાંતરહસ્ય-તત્ત્વજ્ઞાન, દ્વારા વગેરે અનેક જાણુવા જેવી હકીકતોથી ભરપૂર પાકા બાઈન્ડીંગના દળદાર ગ્રંથ. પાના ૨૪૦. આવા સખ્ત મોંઘવારીના વખતે પણ આવા છ મેટા સુંદર ગ્રંથ, માટે ખર્ચ કરી, પ્રકટ કરી, અમારા માનવતા પેટ્રન સાહેબ અને લાઈફ મેમ્બરોને ભેટ આપવાનું સભાએ સાહસ કર્યું છે. વ્યાપારી દષ્ટિએ આ સભાને વહીવટ થતો ન હોવાથી, ઊંચામાં ઊંચી કક્ષાના વિવિધ સાહિત્યનાં અનેક ગ્રંથ પ્રકાશન કરવાનો અને આર્થિક દૃષ્ટિએ પણ અમારા ઉપરોક્ત સભાસદોને સારામાં સારા ભેટના ગ્રંથાના દર વખતે વિશેષ વિશેષ લાભ કેમ મળે, એ હેતુ ધ્યાનમાં રાખેલ હોવાથી તેમજ આ સભાના લાઇફ મેમ્બરાને એક સુંદર મૃદુલાઈબ્રેરી કેમ થાય તે વિચારથી ગમે તેવા પ્રસ'ગાએ પણ અનેક ગ્ર’થાની ભેટાના લાભ આપવામાં આવે છે. આ સભા પોતાના સભાસદોને ગ્રથાના જે માટે લાલ આપે છે, તે અમારા સભ્ય જાણે છે તેમજ તેની બીજી કોઈ સંસ્થા તે લાભ આપી શકતી ન હોવાથી આ સભામાં દિવસાનદિવસ નવા સભાસદોની સંખ્યા વધતી જાય છે. અમારા માનવતા પેટ્રન સાહેબ તથા લાઇફ મેમ્બરને ઉપરના છ ગ્રંથે ચાલુ માસની આખરમાં ધારા પ્રમાણે પાસ્ટેજ ખચ સાથેનું વી. પી. કરી ભેટ મોકલવામાં આવશે, જે સ્વીકારી લેવા નમ્ર વિનંતી છે. શ્રી આત્માનંદ ગ્રંથરત્નમાળા તરફથી નવા છપાતા અને છપાવવાના પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથ, १ श्री कथारत्नकोशः श्री देवभद्रगणिकृत. (मूल) २ श्री प्राकृत व्याकरण ढुंढिका. ३ श्री त्रिषष्ठिभलाका पुरुष चरित्र (बीजूं, त्रीजुं, चोथु पर्व.) 2 “ શ્રી મહાવીર (પ્રભુ ) ચરિત્ર.” પર ૦ પાના, સુંદર ગુજરાતી અક્ષરા, ઊંચા કાગળા, સુંદર ફોટાઓ અને સુશોભિત કપડાનાં મનરંજન બાઈન્ડીંગથી અલ'ક્ત કરેલ ગ્રંથ આ સભા તરફથી પ્રગટ થયેલ છે. આ ગ્રંથમાં પ્રભુના સત્તાવીશ ભવનું વિસ્તારપૂર્વક વર્ણન, ચોમાસાનાં સ્થળા સાથેનું લંબાણથી વિવેચન, કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પૂર્વેના ત્રીશ વર્ષ પૂર્વેનુ વિહારવર્ણન, સાડાબાર વર્ષ કરેલા તપનું વિસ્તારપૂર્વક વિવેચન, થયેલા ઉપસર્ગોનુ ધણું જ વિસ્તારપૂર્વક વિવેચન જેટલું આ ગ્રંથમાં આવેલું છે તેટલું કાઈના છપાવેલા બીજા ગ્રંથમાં આવેલ નથી; કારણ કે કત્તો મહાપુરુષે ક૯પસૂત્ર, આગમ, ત્રિષષ્ઠિ વગેરે અનેક ગ્રંથોમાંથી દેહન કરી આ ચરિત્ર આટલું સુંદર રચનાપૂર્વક લંબાણથી લખ્યું છે. બીજા ગમે તેટલા લધુ ગ્રંથ વાંચવાથી શ્રી મહાવીરજીવનના સંપૂર્ણ ખ્યાલ આવી શકે નહિ, જેથી આ ગ્રંથ મંગાવવા અમે ખાસ ભલામણ કરીએ છીએ. આવા સુંદર અને વિસ્તારપૂર્વક ગ્રંથની અનેક નકલે ખપી ગઈ છે. હવે જૂજ બુકા સિલિકે છે. આવા ઉત્તમ, વિસ્તાર પૂર્વકના વર્ણન સાથેના ગ્રંથ માટે ખર્ચ કરી ફરી ફરી છપાવાતા નથી; જેથી આ લાભ ખાસ લેવા જેવા છે. કિંમત રૂા. ૩-૦-૦ પેસ્ટેજ અલગ. લખેઃ—શ્રી જૈન આત્માન સભા-ભાવનગર. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29