Book Title: Atmanand Prakash Pustak 039 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વાસુપૂજ્ય (પ્રભુ) ચરિત્ર. | (શ્રી વર્ધમાનસૂરિકૃત. ) ૫૪૭૪ કપ્રમાણુ, મૂળ સંસ્કૃત ભાષા અને સુંદર શિલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમાં તથા પૂર્વાચાકૃત અનેક ગ્રંથોમાંથી દોહન કરી શ્રીમાન વર્ધમાનસૂરિજીએ સં. ૧૨૯૯ ની સાલમાં લ ખેલો આ અપૂર્વ ગ્રંથ છે. રચનાર મહાત્માની કવિત્વશક્તિ અદ્ભુત છે, તે તેમાં આવેલ સર્વ પ્રકારના રસની પરિપૂર્ણતા જ બતાવી આપે છે. તેનું આ સાદું, સરલ અને સુંદર ભાષાંતર છે. ઊંચા એન્ટીક કાગળ ઉપર સુંદર ગુજરાતી અક્ષરોમાં છપાયેલ છે. આ ગ્રંથમાં પ્રભુના ત્રણ ભવો, પાંચ કલ્યાણ કે અને ઉપદેશક જાણવા યોગ્ય મનનીય સુંદર બેધપાઠ, તત્ત્વજ્ઞાન, તપ વગેરે સંબંધીની વિસ્તૃત હકિકતોના વર્ણન સાથે પુણ્ય ઉપર પુણ્યાત્ય ચરિત્ર, રાત્રિભોજન ત્યાગ અને આદર, બારવ્રત, રોહિણી આદિની અનેક સુંદર, રોચક, રસપ્રદ, આલાદક કથાઓ આપેલી છે, કે જેમાંની એક કથા પૂરી થતાં બીજી વાંચવા મન લલચાય છે અને પૂરી કરવા ઉત્સુકતા થાય છે. તે તમામ કથાઓ ઉપર ગ્રાહ્ય અને સુંદર ઉપદેશ પણ સાથે આપેલ છે. પ્રભુના ત્રણ ભવના–જીવનના નહિ પ્રગટ થયેલ જાણવા જેવાં અનેક પ્રસંગે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રભુએ સ્થળે સ્થળે વિચરી આપેલ વિવિધ વિષયો ઉપર આદરણીય દેશનાઓ એ તમામ આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. એકંદરે આ ચરિત્ર પહેલેથી છેલ્લે સુધી મનનપૂર્વક વાંચવા જેવું અને પઠન પાઠનમાં નિરંતર ઉપયોગ કરવા યોગ્ય છે, જેને માટે વિશેષ લખવા કરતાં અનુભવ કરવા જેવું છે. કિંમત રૂા. ૨-૮-૦ પેસ્ટેજ જુદું. ( આ ગ્રંથ માટે મુનિમહારાજાઓ વગેરેના જે સુંદર અભિપ્રાયો મળે છે તેની નોંધ માસિકમાં આપવામાં આવે છે. ) શ્રી પ્રભાચંદ્રસૂરિવિરચિત શ્રી પ્રભાવક ચરિત્ર (ભાષાંતર) એતિહાસિક કથા-સાહિત્યનો આ ગ્રંથ વર્તમાનકાળના બાવીશ પ્રભાવક આચાર્યો મહારાજના જીવન ઉપર કર્તા મહાપુરુષે સારો પ્રકાશ પાડયો છે. જે જે મહાન આચાર્યને પરિચય આપ્યો છે તેમાં તે સમયની સામાજિક, ધાર્મિક, રાજકીય પરિસ્થિતિ અતિહાસિક દષ્ટિએ આપી સુંદર કથાનક (ભાષાંતર) પ્રમાણિક ઐતિહાસિક ગ્રંથ બનાવ્યો છે. મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજી મહારાજે ઐતિહાસિક દષ્ટિએ સુંદર પર્યાલોચના લખી તે ગ્રંથની રચનામાં સુંદરતા વધારી પ્રમાણિત જૈન કથાસાહિત્યમાં ઉમેરે કર્યો છે. એવી સરલ, સુંદર અને સરલતાપૂર્વક રચના કરેલ હાઇને આ ગ્રંથ અમુક અમુક જૈન શિક્ષણશાળાઓ માટે ધામિક અભ્યાસક્રમમાં સ્થાન મેળવેલ છે. આ ઉપયોગી સાહિત્યગ્રંથ હોવાથી વાંચતાં પણ ખાસ આનંદ ઉત્પન્ન કરે તેવા છે. કિંમત રૂા. ૨-૮-૦. પેસ્ટેજ અલગ. લખો : શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28