Book Title: Anandghan ni Atmanubhuti 04
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 30
________________ J આવો પ્રેમી કદાચ મંદિરમાં આવી પણ ચડે. પણ અસત્-સંસ્કારોના કારણે એ પ્રભુ સાથે પણ શુદ્ધ પ્રેમ કરી શકતો નથી. પૂ. દેવચંદ્રજી મહારાજે શ્રીઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહ્યું છે – પ્રીતિ અનાદિની વિષ ભરી તે રીતે હો... કરવા મુજ ભાવ, કરવી તે નિર્વિષ પ્રીતડી શે વાતે હો... તે બને બનાવ? ઋષભ જિણંદશુ પ્રીતડી... સ્વાર્થ ખાતર જ પ્રેમ કરવો, આ છે અનાદિનું અવળું ગણિત. અને સ્વાર્થને સ્મશાને વળાવીને જ પ્રેમ કરવો આ છે પ્રભુપ્રીતિનું સીધું ગણિત. માટે જ આ પ્રેમ અવર્ણનીય છે અને અનાદિકાલીન સંસારમાં જીવ માટે અભૂતપૂર્વ = અપૂર્વ છે. आनंदघन प्रभु प्रेम की, अकथ कहानी कोय। આવા પ્રભુપ્રેમને આપણે સહુ આત્મસાત્ કરીએ, આત્માનુભૂતિને અવિરત બનાવીએ અને તેના દ્વારા શુદ્ધ ચેતનાને અખંડ સૌભાગ્યવતી બનાવીએ, એ જ શુભાભિલાષા. ચૈત્ર વદ ૯, વિ.સં.૨૦૬૭ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32